SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૧૭ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને મુંબઈના ગુજરાતી પૂના ખાતે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના પ્રતિનિધિ સાથે ચેડા સમય પહેલાં મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે અને તેમના અન્ય સાથીએ મહારાષ્ટ્ર, મુંબઇ અને ગુજરાત સંબધે કેટલીક મંત્રણાઓ ચલાવી હતી, અને મુંબઇ મહારાષ્ટ્રને સોંપી દેવું અને મહાગુજરાતનું સ્વતંત્ર એકભાષી એકમ ઉભું કરવું એવા તેમની વચ્ચે થયેલી સમાતીને સાર હતા. આ વાટાઘાટો બાદ શ્રી ન્દુિલાલ યાનાિકે અમદાવાદ ખાતે તા. ૯-૧૧-૫૭ ના રાજ યેાજાયલી અખબારી પરિષદ સમક્ષ એક લાંષુ નિવેદન કર્યું હતુ, અને તેમાં અનેક મુદ્દાઓની ચર્ચા અને આલાચના કરી હતી. આ બધા મુદ્દાઓની અથવા તે મુંબઈના મહારાષ્ટ્ર • સાથેના કપાયલા જોડાણુના પ્રશ્નની ચર્ચા કરવાને અહિં ઇરાદો નથી; પશુ ઉપર જણાવેલ અખબારી પરિષદમાં તેમણે મુંબઈમાં વસતા ગુજરાતીઓ જાણે કે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં વસતા ગુજરાતીથી કોઈ અલગ જાતિના ાય અને આખી ગુજરાતી જનતાનું જાણે કે આજ સુધી અનર્ગળ અહિત કરી રહ્યા હોય એમતાના જે ઉદ્ગારો કાઢયા છે તે ભારે દુ:ખદ અને એક જ પ્રજાના એ વિભાગ વચ્ચે વૈમનસ્ય ઉભું કરે એવા હાને તે તરફ્ જાહેર જનતાના ધ્યાન ખેંચવું આવશ્યક લાગે છે. તેમણે જે કહ્યું છે તે નીચે ઉષ્કૃત કરવામાં આવે તે પહેલાં એટલુ જણાવવું જરૂરી છે કે, મુખઈના ગુજરાતી સંબંધે તેમને જે કાંઈ કહેવાનુ છે તે સીધે સીધુ મુ ંબઇના ગુજરાતીઓને ઉદ્દેશીને નહિ, પણ મુંબઈના મુડીવાદી ગુજરાતીઓને ઉદ્દેશીને તેમણે કહ્યું છે—જાણે કે મુંબમાં પણ સામાન્ય ગુજરાતી અને મુડીવાદી ગુજરાતી એવા કોઈ ભેદ હોય. અંગ્રેજીમાં કહેવત છે કે Give a dog a bad name and hang him’–કુતરાના કપાળે હલકા નામનું પાટીયું બાંધે અને પછી તેને ફાંસીએ લટકાવી દ્યો--એટલે કે જેને તમે સમાજમાં ઉતારી પાડવા માંગતા હૈા તેને ખીજાની નજરમાં અળખામણા લાગે એવા વિશેષણથી ખેલાવવાનું શરૂ કરા અને પછી તેને જોરથી ઉતારી પાડે. શ્ર ઇન્દુલાલ યાજ્ઞિક પણ મુંબઇના ગુજરાતીઓ સામે દાઝ કાઢવામાં આવી જ કોઈ નીતિના ઉપયોગ કર્યો છે, જે તેમની અખબારી મુલાકાતમાંના નીચેના અવતરણ ઉપરથી કોઇને પણ પ્રતીત થયા વિના નહિ રહે. તેમણે એ અખબારી નિવેદનમાં મુંબઇના ગુજરાતીઓ વિષે જણાંવ્યુ હતું કે: પ્રશુદ્ધ જીવન “ગુજરાતી હિતાનું રક્ષણ કરવાના બહાના હેઠળ મુંબઈના મુડીવાદીઓએ જે સાદો કરી નાખેલે છે તેમાંથી અમે ગુજરાતને પા ખેંચી લેવા માંગીએ છીએ. જો તે ત્રણ એકમની ફોર્મ્યુલા માટે એટલા ગંભીર હતા તે શા માટે તે સબ્ધમાં તે લાયા નહિ ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને આ સંબંધમાં હું જેટલી જવાબદાર --દોષપાત્ર ગણું છું તેથી અનેકગણા વધુ દોષપાત્ર મુંબઈના મૂડીવાદીઓ અને મુંબઈ કાંગ્રેસ છે. “મુંબઈ શહેરના ગુજરાતીઓની સમૃદ્ધિ અને તેમનાં હિતા અમારા હૈયે છે, પરંતુ થાડા મૂડીવાદીઓને અમારા હિતાના સોદા કરવા નહિ દેવાય. આ મૂડીવાદીઓએ તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને ખાતર અમારાં બંદરાને નાશ કરી નાખ્યા છે અને અમારા આર્થિક વિકાસને અવરાધ્યા છે. ગુજરાતમાં રહેનારા અમે તેમના માત્ર ગામયાં સગા સબંધી છીએ અને મુંબઇથી થાડા મનીઓર્ડર આવે અને અમે શાન્તિથી રહીએ એમ તે માનતા હાય તો તેમની ભૂલ છે. એમ માનવાના દિવસેા હવે વીતી ગયા છે. “આ બધાં કડવા સત્યેા છે, પણ તે કહ્યા વિના મારા માટે ખીજો વિકલ્પ નથી. મુંબઈ શહેરમાંના ગુજરાતી હિતા વિષે કાષ્ઠ ઉકેલ સૂચવે છે કે કેમ તેની અમે એક વર્ષ સુધી રાહ જોઈ છે. તે નિષ્ફળ ગયા છે અને તેમાંના ઘણા હવે વળી ભાવીનું ગીત ગાયા કરે છે. (૪) ૧૫૫ મુંબઈના મૂડીપતિઓએ કોંગ્રેસને બગલમાં રાખીને ગુજરાત પર રાજકીય હક્ક ભાગવાજ ુ ંમેશાં તજવીજ કરી છે, અને આ રીતે ગુજરાત પર રાજ કરીને, ગુજરાતની ધૂળધાણી કરીને, તેને વિકાસ અટકાવ્યા છે. ગુજરાતના બંદરોનો વિકાસ મુંબઈના ગુજરાતીઓએ અટકાવ્યા છે. મુબઇના ગુજરાતીઓ પોતાને ગુજરાતના છેરૂ નહિ પણુ ગુજરાતના બાપ સમજે છે. એમની દૃષ્ટિ વક્ર છે. જ્યારથી ગુજરાતી મુંબઇ ગયા ત્યારથી તેમણે ગુજરાત પર સત્તા જમાવવા માંડી છે, અને ગુજરાતીઓ ઉપર વર્ચસ જમાવવા માંડયુ છે. અમારી સામે મુંબઈથી ગમે તેટલી ખુમા પાડવામાં આવે, પણ અમે અમારી ફરજ નિહ ચૂકીએ. મુંબઈના ગુજરાતી લેકાને દ્વિભાષી મુંબઈ રાજ્યજ જોઇએ છે તે તેથી મોટા ભાગના ગુજરાતીએ ક્રેાંગ્રેસનાં પૂછ્યાં ખની બેઠા છે. ત્રણ રાજ્યની વાતો કરવી એ યજ્ઞમાં હાડકું નાખવા જેવી વાત છે.” મુંબઈના પ્રારંભથી આજ સુધીના વિકાસમાં મુંબઈના કચ્છી, કાઠિયાવાડી તથા ગુજરાતીઓએ પોતાની સાહસિકતા અને વ્યાપાર– કુશળતાવડે કેટલે મહત્વનો ભાગ ભજવ્યો છે અને મહાગુજરાતની અદ્યતન સમૃદ્ધિમાં કેટલા મોટા ફાળા આવ્યા છે અને આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર તથા ગુજરાતની સમૃદ્ધિ મુ`બઈમાં વસતા ગુજરાતી ઉપર કેટલી બધી નિર્ભર છે—આ ખાખતની કાં તા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકને સમજણુ નથી અથવા તે તેની તેમને કશી કદર નથી. મુંબઈ સાથે સમસ્ત ગુજરાતી પ્રજાના એટલા બધા ટ્ટ સબંધે છે અને મુંબઈ ભૌગાલિક રીતે મહારાષ્ટ્રમાં લેખાતુ હાવા છતાં અમદાવાદ સુરત વલસાડથી આગળ વધીને મુંબઈ સુધી ગુજરાતી પ્રજા એટલા મોટા જુથમાં પથરાયલી છે અને મુંબઇ તળમાં ગુજરાતી પ્રજાની એટલી મેાટી જમાવટ છે કે મુંબઈ એ ગુજરાતનું જ projectionવિસ્તરીકરણુજ હાય એમ આપણુ સવૅ વર્ષોથી અનુભવતા આવ્યા છીએ. કલકત્તા, મદ્રાસ, જયપુર, દીલ્હી–ભારતનાં અનેક મોટાં શહેરોમાં ગુજરાતી ઠીક ઠીક વસેલા છે, પણ એ બધા સ્થળેામાં આપણે જાણે કે પરપ્રાન્તમાં વસતા હોઇએ એવી લાગણી આપણા મન સાથે જોડાયલી રહે છે, જ્યારે મુંબઈ જાણે કે પોતાનુ વતન હાય એવા ભાવ લાખો ગુજરાતીઓના ચાલુ અનુભવને વિષય છે. કેટલાક ગુજરાતી માટે તા આજે મુંબઈ સિવાય ખીજું કાઈ વતન જ નથી. આ વસ્તુસ્થિતિનુ કાં તે। શ્રી ઈન્દુલાલને ભાન નથી અથવા તો સમજપૂર્વક તે સામે તે આંખ આડા કાન કરે છે અને ઉપર વર્ણવી તેવી વાસ્તવિક પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને મુંબઈનું કાં તે સ્વતંત્ર રાજકીય એકમ ઉભું થવુ જોઈએ અથવા તે મુંબઈ પ્રદેશનું માનવુ દ્વિભાષી સ્વરૂપ કાયમનું બનવું જોઇએ એવા આગ્રહ દાખવતા મુંબઇના ગુજરાતીઓની (જો કે આવા આગ્રહ માત્ર મુંબઈમાં જ વસતા ગુજરાતીઓના છે એમ નથી, પણ મુંબઇ બહાર વસતા અનેક મહાગુજરાતના ઝનુનથી મુક્ત એવા અનેક—ગુજરાતી પણ આવા જ આગ્રહ ધરાવે છે) નાલેશી કરવામાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે પ્રતિકર્તવ્યતા માની છે. આ જોઇને ભારે દુઃખ થાય છે. અધ્યાપક અત્રે અને શ્રી એન્ વી. ગાડગીલ હજુ ગઈ કાલ સુધી ગુજરાતી પ્રજા વિષે જે ઝેરી ઉદ્ગારા વરસાદ વરસાવી રહ્યા હતા એ જ કા આજે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક મુંબઇના ગુજરાતીએ સબંધમાં કરી રહ્યા છે. જે મુંબઇમાં વસેલા ગુજરાતે ગુજરાતના રાજકારણથી બળેલા એવા ઇન્દુલાલને અનેકવાર હાર્યા છે અને દાઝેલા એવા ઇન્દુલાલના અનેકવાર મલમપટા કર્યા છે તે મુખષ્ઠના ગુજરાતી વિષેના તેમનાં વિધાના એટલાં બધાં વિપર્યાંસથી ભરેલાં છે કે તે દરેક વિધાનની વિગતવાર સમાલોચનના કરવાને કંઇ અર્થ જ નથી. આજસુધી મુંબઇ સબધે તેમનું વલણ સ ંદિગ્ધ હતું; આજે તેઓ છડેચોક સયુકત મહારાષ્ટ્રવાદી બન્યા છે અને પછી તેા કહેવત છે કે વટલી બ્રાહ્મણી તરડીમાંથી જાય' એ મુજબ શ્રી ઇન્દુલાલ મુંબઈના ગુજરાતીઓને કશી પણુ શરમ કે સદાચ વિના ભાંડવા નીકળ્યા છે. ભવિષ્યમાં મહાગુજરાત
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy