SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રબુદ્ધ જીવન તા ૧૫-૧૦-૫૭ આ માટે પંડિતજી જેવી વ્યકિતની પસંદગી કરવામાં આવે કે જેણે “ગુજરાતી ત્રણ કે ચાર ધારણથી વધારે શાળાશિક્ષણ પ્રાપ્ત કર્યું" નથી— જેણે અંગ્રેજીની એ. બી. સી. ડી. પણ ધુટી નથી--આ સુભગ ઘટનાએ ગુજરાત યુનિવર્સિટી માટે એવી પરિપાટી ઉભી કરી છે કે જેના પરિણામે જેમ અન્યત્ર ખને છે તેમ આવાં ડીગ્રીપ્રદાન માટે કાઈ રાજકારણી પુરૂષની માત્ર તેની મહત્તા ખાતર પસંદગી કરવામાં નહિ આવે, તેમ જ આ માટે પ્રસ્તુત વ્યકિત અંગ્રેજી કેટલુ ભણેલી છે અને યુનિવર્સિટીની કંઇ કંઇ ઉપાધિઓ ધરાવે છે એ ખાબતને મહત્ત્વ આપવામાં નહિ. આવે પણ તેની નક્કર વિદ્વતા અને નક્કર સાહિત્યસેવા જ આ ભાખતમાં હંમેશા નિર્ણાયક બનશે એવી આશા આપણે સેત્રી શકીએ. પંડિતજીની સન્માન સમિતિમાંના અમે કેટલાક સહકાર્ય કર્તાઓના દિલમાં એક ઊંડી ઇચ્છા રમી રહી હતી કે આપણે તો આ કાર્ય ધારણા મુજબ પાર પાડીશુ, પણ સથે સાથે ગુજરાત યુનિવર્સિટી પણ તેમની આ રીતે કદર કરે તે કેવુ' સારૂં' ! આ ઇચ્છા અમારા દિલમાં સ્ફુરી ત્યારે તેની સફળતાનાં કાષ્ઠ ચિહ્ને ક્ષિતિજ ઉપર દેખાતાં નહેાતાં. પણ પછી તે ઉત્તરાનર એ વિચાર યુનિવર્સિટીના કેટલાક અગ્રગણ્ય કાર્ય કર્તાઓને પણ સ્પોં, વાતાવરણ ઉત્તરાત્તર વધારે ને વધારે અનુકુળ અનતું ગયું. અને મુંબઈના સન્માન સમારંભને ચાર માસ પુરા થયા નથી એવામાં ગુજરાત યુનિવર્સિટીએ સ્પેશીયલ કાન્વૉકેશન માજીને ડાકટરેટના અર્પણુ દ્વારા પંડિષ્ટને સન્માનિત કર્યાં. આ રીતે અમારા એક સ્વપ્નને મૂર્તિમન્ત થયેલું નિહાળતાં અમારૂં દિલ ઊંડી કૃતાર્થંતા અનુભવે છે. આ ચર્ચા કંદમૂળના ઉપયોગ ને ઉ-તેજન આપવાના કાષ્ટ હેતુથી કરવામાં આવી છે એમ કાઇ ન સમજે, પણ વનસ્પતિકાયનાં વિશાળ પ્રદેશમાં કંદમૂળને અધિકતર દોષપાત્ર ગણીને તારવવામાં આવે છે તે બુદ્ધિસંગત લાગતુ નથી એટલું જ સૂચવવાને આ ચર્ચાના આશય છે. સારાંશ એ કે માંસાહારને વર્જ્ય ગણ્યા બાદ નિરામિષ આહારના પ્રદેશમાં જે અનેક ખાદ્ય પદાથૅના સમાવેશ થાય છે, તેમાં વર્જ્ય શુ અને અવજ્યે શુ તેની કંદમૂળ અને ખીનકંદમૂળના ધોરણે તેમજ લીલા અને સુકાના ધોરણે જે માઁદા અથવા તે વિધિનિષેધ કરવામાં આવે છે તેની કાઇ ખાસ ઉપયુકતતા કે મહત્વ નથી લાગતું. લીલા સુના ભેદ બહુ અર્થવાળા એટલા માટે નથી લાગતા કે જે સુકુ ખાદ્ય હોય છે તે મૂળમાં તે લીલુ જ હાય છે, અને તેનું આપણા માટે જ ઉત્પાદન કરવામાં આવે છે અને તે ઉત્પાદન વગેરે પ્રક્રિયાઓમાં હિંસા રહેલી જ છે. નિરામિષ ખાધ પદાર્થીના પ્રદેશમાં કયા પદાથે! સવપેષક છે અને કયા પદાર્થોં સવાસક છે, કયા પદાર્થો સાત્વિકતાપોષક યા બાધક છે, કયા પદાર્થો કયારે ઉત્તમ કાટિના મળે છે અને કયારે તેમાં સત્ત્વહાનિ–રસહાનિ—થાય છે, અને કયા કયા પદાર્થો કેટલા પ્રમાણમાં લેવા આરોગ્યની દૃષ્ટિએ ઉચિત યા અનુચિત છે—આવા જુદાં જુદાં ધેારણે ખાધાખાદ્ય તથા પેયાપેયના વિવેક કરવું ધટે છે અને તેમાં પણ નિરર્થક હિંસા અથવા તે અન્નલેલુપતા હંમેશાને માટે વર્જ્ય ગણાવી જ જોઇએ. આવી રીતે પોતપાતાની શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક જરૂરિયાત મુજબ પ્રાણપોષક તેમજ સાત્વિકતાપોષક પદાર્થોના પરિમિત પ્રમાણમાં આપણે ઉપયોગ કરવા જોઇએ અને એ રીતે રસેન્દ્રિયનું આપણે સતત નિયંત્રણ કરતા રહેવુ' જોઇએ. આ આખા વિવેચન પાછળ, જે સંયમ ઉપર જૈન પરંપરા ખૂબ ભાર મૂકે છે તેને નબળા પાડવાના કાઇ આશય નથી; પણુ ભક્ષ્યાભક્ષ્ય અને ખાસ કરીને કંદમૂળ અંગે જે એક પ્રકારની માન્યતા પ્રચલિત છે તેનુ તાર્કિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ`શાધન કરવાના એક નમ્ર પ્રયત્ન છે. કાળજીની ધાર્મિક માન્યતા સાથે સબંધ ધરાવતા એક વિવાદાસ્પદ પ્રશ્ન પરત્વે આ એક તાર્કિક વિચારણા છે અને નહિં કે કાષ્ઠ એકાન્તિક નિશ્ચયાત્મક પ્રતિપાદન. આમ હોવાથી આ પ્રશ્ન સંબંધમાં–ઉપર જણા• વેલ વિચારાના સમર્થનમાં કે વિરોધમાં કાઈ પણ વ્યક્તિ સયુક્તિક અને સાંપ્રદાયિક અભિનિવેશથી મુકત એવું કાંઇ લખાણ મેકલી આપશે તે તેને જરૂર પ્રબુદ્ધે જીવનમાં અવકાશ આપવામાં આવશે. ધર્માનંદ આ સ્પેશીયલ કેવકિશનના અહેવાલ આ અંકના પ્રારંભમાં આપવામાં આવ્યું છે. એ પ્રસંગે હાજર રહેવાનુ મારૂં સદ્ભાગ્ય હતું. પદવીનું પ્રમાણપત્ર સ્વીકારતાં પડિતજીએ જે વ્યાખ્યાન કર્યું" હતું એવું સચોટ અને અન્તરના ઊંડાણમાંથી ઉદ્ભવતુ તેમનુ વ્યાખ્યાન મે પહેલાં કદિ પણ સાંભળ્યુ નથી. તે વ્યાખ્યાનમાં નડિતજીએ યુનિવર્સિટીના પુરોહિતને કેટલીક સ્પષ્ટ સ્પષ્ટ વાતા સંભળાવી છે જે તે પૂરી ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેશે એવી આપણે આશા રાખીએ. પંડિતજીના એ વ્યાખ્યાનની અપેક્ષાએ ઉપકુલપતિ શ્રી હરસિધ્ધભાઇ દિવેટિયા તથા નિમંત્રિત મુખ્ય મહેમાન શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનાં વ્યાખ્યાને પૂર્વતૈયારી વિનાનાં, અને પંડિતજીની વિશાળ સાહિત્યસેવાના અત્યન્ત ઉપરછ્યા પરિચય આપતાં બહુ નબળાં અને નિરાશાજનક માલુમ પડયાં. યુનિ પંડિત સુખલાલજીને પદવીપ્રદાન ૫. સુખલાલજીને તા. ૪ એકટાબરના રાજ ગુજરાત વર્સિટી તરફથી ડૉકટર ઓફ લેટર્સ' ની માના પદવી તેમની અખંડ વિદ્યોપાસના અને અનેકવિધ સાહિત્યસેવાની કદર તરીકે કરવામાં આવી. આજથી ચાર મહીના પહેલાં ભારતના ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના પ્રમુખપણા નીચે મેટા પાયા ઉપર જાહેર સન્માન કરવામાં આવ્યુ હતું, અને તેમના માટે એકઠા કરવામાં આવેલ એક લાખ રૂપિયાના સન્માનનિધિની જાહેરાત કરવામાં આવી હતી. એ સન્માનસમારંભની ભવ્યતા કલ્પનાતીત હતી. એમ છતાં પણ એક પ્રાદેશિક યુનિવર્સિટી સ્વતંત્ર રીતે પંડિતજીને ડૉકટર એક લેટસની પદવી આપીને તેમનુ સન્માન કરે તેનું મહત્વ કાઈ જુદું જ છે. કારણ કે આગળના સન્માન સમારભ તેમના મિત્રા અને પ્રશંસકોએ ચેાજેલા હતા, અને તે પંડિતજી પ્રત્યેના અંગત પક્ષપાત અને આદરથી પ્રેરાયલા હતા, જ્યારે યુનિવર્સિટી આવી ડીગ્રીનુંપ્રદાન તેા વ્યક્તિની કેવળ ગુણવત્તાને લક્ષ્યમાં રાખીને જ કરે છે. આ રીતે પ ંડિતજીને પ્રાપ્ત થયેલ ડાકટર ઓફ લેટસ'ની પદવીના પ્રમાણપત્રની અનેાખી વિશેષતા છે. પ્રસ્તુત પદવીપ્રદાન અંગે બે ત્રણ બાબતા ખાસ નોંધવા જેવી છે. આને લગતા પ્રસ્તાવ ગુજરાત યુનિવર્સિટીની સીન્ડીકેટ અને સેનેટે સર્વાનુમતે પસાર કર્યો હતો. આ સર્વાનુમતિ યુનિવર્સિટીના સંચાલકોની પડિતજીની વિદ્વતા પ્રત્યે ઊડી આદરવૃત્તિ સૂચવે છે. વળી આવી પદવાના પ્રદાનના પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી માટે સૌથી પહેલા જ હતા. ગુજરાત યુનિવર્સિટી તરફથી ડૉકટરેટનું પદ પામીને પંડિતજીએ ભારતવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પરિણામે આપણે આશા રાખીએ કે આ ક્રાન્તદર્શી રૂષિના સાહિત્યનિર્માણના અભ્યાસ તરફ ભારતની શિષ્ટ જનતા વધારે ને વધારે આકર્ષીય અને સત્યલક્ષી સંશોધનની પણપતિજીનું આરોગ્ય સુરક્ષિત રહે અને તેમનું શેષ આયુષ્ય સરસ્વતીની તેમ જ વિદ્યાલક્ષી પુષાર્થની ઊંડી પ્રેરણા અનુભવે. આ પ્રસ ંગે અખંડ ઉપાસનામાં વ્યતીત થાય એવી તેમના વિષે આપણી શુભેચ્છા અને પ્રાર્થના હા ! પરમાન સધના આશ્રયે જાહેર સભા - શ્રી મુખર્જી જૈન યુવક સઘના ઉપક્રમે ગુરૂવાર તા. ૧૭–૧૦-૫૭ ના રાજ સાંજના ૬ વાગ્યે, સીલ્વર મેન્શન, ધનજી સ્ટ્રીટ, ખાતેના સંઘના કાર્યાલયમાં એક જાહેર સભા મળશે. આ સભામાં નીચેના વકતાએ વિશ્વ શાકાહાર કોંગ્રેસના ધ્યેય અને કાર્યક્રમ અંગે ભાષણા આપશે. મી. વુડલેન્ડ કેહુલર ડો. દસ્તુર ફામરેઝ એડ મી. જયન્તીલાલ એન. માનકર આ સભામાં હાજરી આપવા હાદિક નિમત્રણ છે. સમાજવાદી સહકારી સમીાલત રાજ્ય રચના તરફ આ લેખના ઉત્તરાધ સ્થળસ કાચને લીધે આ એકમાં આપી શકાયા નથી. તે આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. તત્રી,
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy