SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્ટર્ડેન". B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ બન જીવન L ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસકરણ વર્ષ ૧૯: અંક ૧૦ મુંબઈ, સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૭, રવિવાર્ શ્રી સુઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નલ : નયા પૈસા ૧૯ આફ્રિકા માટે શીલિંગ ૮. 蘇蘇蘇浩業業業鹽業 * આ તંત્રીઃ પરમાન ંદ કુંવરજી કાપડિયા 豢纍豢张纍纍鏹祟祟米米米米 વિચાર અને વિવેકના વિકાસનુ પર્વ ઉપહાર – વકતવ્ય (શ્રી મુંબઈ જૈન યુવક સધ–આયોજિત પર્યુંષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને અધિષ્ટિત ૫. સુખલાલજીને આખી વ્યાખ્યાનમાળાના ઉપસંહાર રૂપે જે કહેવાનું હતુ તે કહેવા માટે છેલ્લા દિવસની સભાનાં નિયત એ વ્યાખ્યાને પૂરાં થવા બાદ પૂરતા અવકાશ નહિ રહેવાથી તેમનુ ઉપસંહાર-વક્તવ્ય પ્રબુદ્ધે જીવનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે એમ તે સમયે જાહેર કરવામાં આવેલું .. તે ઉપસ’હાર-વક્તવ્ય નીચે મુજબ છેઃ– તંત્રી) પર્યુષણુ' શબ્દ જૈન પરંપરા સાથે સ ંબંધ ધરાવે છે, પણ જ્યારે વ્યાખ્યાનમાળા ચેાજવાને વિચાર આવ્યા ત્યારે જ પર્યુંષણને માત્ર પરપરા કે પંથના એકાંગી બંધનથી મુક્ત કરી એને સર્વ પર પરા અને સર્વ ધર્માંનુ વ્યાપક સ્વરૂપ મળે એ દૃષ્ટિ રાખવામાં આવી હતી. દરેક ધર્મ પર ંપરા યા ધમપથના અનુગામીઓ ઇચ્છે તે એમ છે કે તેમના ધર્મ વિશ્વવ્યાપી ખતે, પણ તેમના આવા ઉદાત્ત મનારથ સાથે તેમના વ્યવહારના મેળ હાતા નથી; તેથી દરેક ધર્મ તે વિશ્વવ્યાપી બનાવવાની તેમના અનુગામીએની હાડ એકદરે અથડામણીમાં પરીણમે છે. દરેક ધર્મ માત્ર એના પાયારૂપ વિશિષ્ટ ગુણુ ઉપર ભાર આપી તેના વિશ્વવ્યાપી વિકાસ માટે પ્રયત્ન કરતા હાય અથવા કરે તો પથાની અથડામણી સભવ જ ટળી જાય, પણ દરેક પંથના આગ્રહ એના વિશિષ્ટ ગુણના ફેલાવાની સાથે પેાતાના બાહ્ય આચારના ખેખાને પણ ખીજાએ પાસે અનુસરાવવાને હાય છે. દા. ત. ક્રિશ્ચિયના માત્ર પ્રેમધર્મ વિકસાવવા તેના જ પ્રસાર માટે પ્રયત્ન કરે અને ચ, ક્રમ, ત્રિમૂર્તિ આદિના આગ્રહ ન સેવે; એજ રીતે ઇસ્લામ માત્ર ભ્રાતૃભાવના ફેલાવવાના પ્રયત્ન કરે, પણ સાથે જ મસ્જીદ, મહમ્મદ કે કુરાનના પ્રકારના દુરાગ્રહ ન સેવે; એ જ ન્યાયથી વૈષ્ણવ, ઔદ્ધ કે જૈન જેવા ધર્માં પણ જે જે સદ્ગુણ ઉપર વધારે ભાર આપતા આવ્યા છે તેના જ પ્રસારના પ્રયત્ન કરે અને પોતપાતાના પંથના બાહ્ય ખાખાને અનુસરાવવાના આગ્રહ ન રાખે તે! મોટે ભાગે ધર્મો અને પ્થાની અથડામણી ટળી જ જાય, અને વિશ્વવ્યાપી બનવાની તેમની ભાવના પણ ઘણે અંશે સિદ્ધ થાય. અને મુખ્ય ઉપાય શો? આ પ્રશ્ન દરેક પરપરા સામે છે જ, સધાય એવી વ્યાખ્યાનેાની હારમાળા ગાઠવાય. આ દૃષ્ટિએ જેમ દરેક વર્ષે તેમ આ વર્ષે પણ મુબઇ જૈન યુવક સંધ તરફથી વ્યાખ્યાનમાળા યોજાઇ હતી. આવી વ્યાખ્યાનમાળા અમદાવાદમાં તે પ્રથમથી જ ચાલતી અને વિકસતી રહી છે, પણ એનું આકર્ષણ અનેક સ્થળે ઉત્તરાત્તર વધતુ' જાય છે, તેનુ મુખ્ય કારણ દિવસે દિવસે વધતી જતી એવી સમજણુમાં રહેલું છે કે વિચાર અને વિવેકના વિકાસ કરી શકે એવાં અસાંપ્રદાયિક સ ંમેલના જ દેશમાં અને પરદેશમાં ઉત્તરાત્તર ખીલતી જતી માનવતાની ભાવનાને ઉપયાગી થઈ શકે. વ્યાખ્યાનમાળાના નવ દીવસો પૈકી આઠ દીવસ હું એકસરખી રીતે ઉપસ્થિત રહેલ. માત્ર તા. ૨૫ મીએ માટુંગામાં ચાલતી વ્યાખ્યાનમાળામાં ગયેલા. નવે દીવસની વ્યાખ્યાનમાળાના ઉપસહાર છેલ્લે દીવસે રાકસી થિયેટરમાં મારે જ કરવાના હતા, પણ એ કામ સમયને અભાવે થઈ ન શકવાથી ‘ પ્રમુદ્ધ જીવન' દ્વારા પતાવવુ' પડે છે. એના એક લાભ એ પણ છે કે જેગ્મા વ્યાખ્યાનમાળામાં હાજર ન હાય ઍવા પ્રમુદ્ધ જીવન' ના વાચકા પણ વ્યાખ્યાનમાળાની ચાલેલી પ્રવૃત્તિ વિષે કાંઇક તે જાણી શકે અને તેની ઉપચાગિતા વિષે પોતાના અભિપ્રાય કેળવી શકે. એ સાંભળેલાં વ્યાખ્યાનાની જરાસરખી નોંધ પણ મારી સામે નથી. વળી શરીરને વાકય આવે તે સ્મૃતિને કેમ ન આવે? અને પત્રમાં જગ્યાની પણ કાંઇક મર્યાદા હોય જ છે. તેથી અત્રે હું જે લખી રહ્યો છુ' તે વક્તા અને તેમનાં વક્તવ્યને માત્ર ટૂંકા અને અછડતા જ પરિચય હાવાના. પર્યુષણ વ્યાખ્યાનમાળાને અસાંપ્રદાયિક સ્વરૂપ આપતી વખતે જે ખ્યાલ મનમાં હતા તે ઉપરના પ્રશ્નના ઉત્તર પૂરા પાડે છે. જૈન પરંપરાના અહિંસા, સત્ય આદિ મૂળભૂત સિદ્ધાંતાનાં સ્વરૂપની એક યા બીજી રીતે સમજણ વિકસાવવી અને માનવીય જીવનના દરેક ક્ષેત્રે તેના ઉપયેગની શક્યતા વિકસાવવી – આ છે મુખ્ય" બાબત. આની સાથે જ પરંપરાગત વ્રત-નિયમે, પૂજા-ઉપાસના અને વિવિધ ઉત્સવેાનું અનુન્નાન ચાલુ રહે એ ખીજી બાબત. આમાંથી ખીજો અંશ એ માત્ર પથગત છે, જ્યારે પહેલા અંશ સર્વધર્મ સાધારણ હાઇ છેવટે કાઇ ને કાઇ સ્વરૂપે તે દરેક ધર્મ યા પંથને . સ્વીકારવા જ પડે છે. તેથી પશુસણ શબ્દ સાંપ્રદાયિક હૈાવા છતાં એ નામે ચલાવાતી વ્યાખ્યાનમાળામાં પહેલા અસાંપ્રદાયિક અને સર્વ ધર્મોને સ્વીકાર્ય એવા અંશ ઉપર જ મુખ્ય ભાર આપવાના સંકલ્પ રખાયેલા હતા. આ સોંકલ્પ તે જ સિદ્ધ થઇ શકે જો એ વ્યાખ્યાનમાળાના આશ્રય નીચે થતાં વ્યાખ્યાનામાં વિચાર તેમજ વિવેકશક્તિને વિકાસ ઓગસ્ટની તા. ૨૧ થી ૨૮ સુધી નવ દિવસ વ્યાખ્યાનમાળા ચાલેલી. પહેલે દિવસે સુપ્રસિદ્ધ લેખક, કુશળ વકીલ અને રાજપુરુષ શ્રી. કે. એમ. મુનશીનું ‘વધતી જતી ધર્મોપેક્ષા' વિષે પહેલું પ્રવચન હતું અને ખીજું પ્રવચન મુંબઈ પ્રાંતના ચેરિટી કમિશ્નર શ્રી. સુમત સી. ભટ્ટનું દાન, ન્યાય અને નીતિ' વિષે હતુ. શ્રી. મુનશીજીએ મુદ્દાસર ક્રમથી પેાતાના વક્તવ્યની રજૂઆત આકર્ષીક રીતે કરતાં જે મુખ્ય પ્રશ્ન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તે પ્રશ્ન હતો ઊગતી પેઢીને ધર્મના વ્યાપક સંસ્કારો આપવાના. વડીલેશ, શિક્ષકા, ધર્મગુરુ વગેરે તરફ્થી યુવક-યુવતીઓને સતાષ થાય અને જિજ્ઞાસા વધારે એવું જે ધાર્મિક શિક્ષણ અપાવુ જોઇએ તેને અભાવે સાહિત્ય, સિનેમા આદિના વાતાવરણમાંથી સ્વચ્છન્દી વૃત્તિ કેળવાય છે અને બેજવાબદારી જ વધતી જાય છે તેને નિવારવા તેમણે કેટલાક માર્ગો સૂચવેલા સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યના શિક્ષણુ ઉપર તેમણે ભાર આપતા કહ્યુ` હતુ` કે સસ્કૃત સાહિત્યમાંથી મહત્ત્વની અનેક પ્રેરણા મળે તેમ છે. સાથે જ એમણે એ પણ કહ્યું કે જૂના ગ્રંથા અને શાસ્ત્રો આજે જૂની રીતે અને જૂની દૃષ્ટિએ શીખવવાથી ·
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy