SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૫૭ દુનિયામાંથી વિદાય લીધી અને વ્યકિત પ્રકૃતિથી સાહિત્યપરાયણ હતી. એમ છતાં એ સાહિત્યપરાયણતા તેમને કદિ જકડી શકી નથી. જીવનની મેાટી શક્તિ ગાંધીજીના વાદાર સાથી તરીકે રાજકીય હીલચાલેા પાછળ જ તે બન્નેએ ખરચી હતી, અને જીવનને અનેક રીતે તે બન્નેએ સફળ અને સાર્થક બનાવ્યું હતું. નરહરિભાઈની સાહિત્ય પ્રવૃત્તિ અનેકવિધ હતી. આજે ગુજરાત વિદ્યાપીઠ તરફથી જે જોડણી કાષ બહાર પાડવામાં આવેલ છે અને ં જે આજે લગભગ સર્વમાન્ય બન્યો છે તે કામ મૂળ તેમને સોંપવામાં આવેલું અને તેનું પાયાનું કેટલુંક કામ તેમણે કરેલું. પણ એ દરમિયાન એ દિવસે એટલે કે ૧૯૨૭ માં ગુજરાત ઉપર મોટું જળસકટ આવી પડ્યું. તેના નિવારણના કાર્યમાં તેમને રોકવું પડયું અને બાકી રહેલું કામનું કાર્ય અન્ય સહકાર્ય કર્તાઓએ પુરૂ કર્યું. ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ અને સંપત્તિશાસ્ત્ર અથવા તે અર્થશાસ્ત્ર એ તેમના પ્રિય વિષયા હતા. કવિવર ટાગારના ‘ચિત્રાંગદા’ અને ‘વિશ્વય અભિશાપ' એ એ નાટકાના વર્ષો પહેલાં પ્રગટ થયેલા ગુજરાતી અનુવાદે તેમને તથા સ્વ. મહાદેવભાષને આભારી છે. સરદાર વલ્લભભાઈના ચરિત્રની રામાંચક સવિસ્તર જીવનકહાણી એ ભાગમાં આપણતે નરહરભાઈ તરફથી મળી છે.. મહાદેવભાઇની ડાયરીના પાંચ ભાગ જે ગાંધીજીના જીવન ઉપર અપૂર્વ પ્રકાશ પાડે છે તેનું સંપાદન નરહરભાઇએ કર્યું છે. આ સંપાદનકાર્ય પાછળ તેમણે અથાગ પરિશ્રમ લીધા હતા. ‘માનવ અર્થશાસ્ત્ર’ એ નામનું તેમનું લખેલું પુસ્તક ઘણું મૂલ્યવાન છે. તેની તાજેતરમાં ખીજી આવૃતિ બહાર પડી છે. નામદાર ગોખલેનાં વ્યાખ્યાન, પ્રાચીન સાહિત્ય' (ટાગારના અમુક લેખાના મહાદેવભાઇ સાથે મળીને કરેલા અનુવાદ) ‘પૂર’ગ’ (કાકાસાહેબ સાથે મળીને), ‘આટલું તા. જાણજો' ના બે ભાગ ‘જાતે મજુરી કરનારાઓને’ ‘ત્યારે કરીશું શું?? (મહર્ષિ ટાલ્સ્ટૉયના What Shall We Do Dhen ?' ના અનુવાદ) આ તેમના પ્રારંભનાં પુસ્તકાની યાદી છે. છેલ્લે છેલ્લે તેમણે શ્રેયાર્થીની સાધના' એ નામના પુસ્તકારા સ્વ. કિશ્વરલાલ મશરૂવાળાના જીવન ચિરત્રના આપણને ઉદ્ભોધક પરિચય કરાવ્યેા હતા સ્વીકૃત કાર્ય અને જવાબદારીમાં પરમ નિણ એ તેમના વિશિષ્ટ ગુણુ હતા. તેમની આકૃતિ આકર્ષક અને સેહામણી હતી. તેમની વાણીમાં અનુપમ માધુર્યં હતું. તેમની રીતભાતમાં અપૂર્વ સૌજન્ય હતું. બહારના આતપથી અકળાયલા હાઇએ અને કાઈ પણસમૃદ્ધિથી ભરેલા વટવૃક્ષ નીચે બેસીએ અને જે શાન્તિ અને શીતળતાના અનુભવ કરીએ તેવા અનુભવ જ્યારે જ્યારે શ્રી નરહરિભાષ્ટને મળવાનુ` અને તેમની સાથે નિરાંતે વાત કરવાનુ બનતુ ત્યારે થતા. આ દુનિયામાંથી વિદાય થતી કાઇ પણ વ્યક્તિ વિષે નાંધ જેવુ લખવાસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ આવા હતા, આવા હતા, આવા હતા એમ લખવા સાથે ‘પણ’-કહીને કાંઇક લખવાનું સાધારણ રીતે મન ઉપર આવે છે. તે મનના વિચાર કર્દિ લખાય છે, કદિ પ્રગટ કરવા ઉચિત લાગતા નથી. આવું ‘પણ’ કહીને નરહરિભાઇ વિષે કાંઇ પણ જણાવવાનું મનમાં ઉગતું જ નથી. એટલે તે જણાવવાપણું તે રહેતું જ નથી. આવી સતત વહેતી મલયાચળની પવનલહરી જેવું શીતળતા અને સુત્રાસપૂર્ણ શીલસંપન્ન જેમનું જીવન હતું તેવા શ્રી નરહરિભાષને આપણાં અનેક વન્દન હા. તેમની જીવનનિટાનાં સ્મરણે આપણા માટે સદા પ્રેરક બના! તેમની પાછળ રહેલાં તેમના જીવનસાથી શ્રી મણિબહેન અને તેમના પુત્ર ભાઈ મેાહન તથા પુત્રી બહેન વનમાળા પ્રત્યે આપણા અન્તરની ઊંડી સહાનુભૂતિ હૈ ! સાથેની ચાલુ ખાંધાડ જેવું જ છે. હિંસા આપણા પ્રાકૃતિક સ્વભાવમાં રહેલી છે; અહિંસા સાધવાની વસ્તુ છે. સંપૂર્ણ અહિંસક એવું કાછ માનવી જીવન શકય નથી. અહિંસક જીવનના અથ માખરે અને તેટલું ઓછુ હિંસક જીવંત એથી વધારે છે. જ નહિ. આ તે કેવળ તાત્ત્વિક વાત થઈ. પણ વ્યવહારના ક્ષેત્રમાં વિચારતાં પણ એ આપણા ચાલુ અનુભવના વિષય છે કે કાઇ પણ સામાજિક ધ્યેય સિધ્ધ કરવા માટે આપણી સામે હિંસાના ટુકા માર્ગ અને અહિંસાના લાં માગ એમ. એ. વિકલ્પ ઘણીવાર ઉભા થાય છે. એકમાં તત્કાળ સિધ્ધિનુ પ્રલાભન રહેલુ છે, પણ એ સિદ્ધિ અચિરસ્થાયી એટલુ’જ ‘નહિ પણ ખતરનાક નીવડવા સંભવ છે; અન્યમાં તત્કાળ પ્રાપ્ત થાય નહિ એવી સિધ્ધિની આશા રહેલી છે, પણ એ સિધ્ધિ ચિરસ્થાયી અને કશા પણ ખતરા વિનાની નીવડે છે એમ આપણુ અહિંસા વિષેનુ ચિન્તન અને તેને લગતા થોડા ઘણા અનુભવ કહે છે. એટલે રાજકીય કે સામાજિક ચોક્કસ ધ્યેયની સિધ્ધિ અ ંગે જ્યાં એ સિધ્ધિ વિલંબમાં પડી કે તરત જ અહિંસા સાથે કશી બાંધછેડ કરવી કે નહિ અને કરવી તે કેટલી કરવી એ પ્રશ્ન ઉભા થયા વિના રહેતા નથી. એ લોકા ( એટલે કે સામ્યવાદી ) હિંસા ધીમે ધીમે છેડતા જશે” એમ કહેવામાં અમારી સામે અથવા તા આપણી સામે હિંસાનુ કાઇ પ્રલાભન કદી આવવાનું જ નથી એવા આત્મવેશ્વાસ સૂચિત છે, જે માનવી મનની ચંચળતા, અસ્થિરતા તેમ જ કાઇ પણ ધ્યેયસિધ્ધિ માટેની સામુદાયિક અધીરાના વિચાર કરતાં વધારે પડતા લાગે છે. આને અર્થ એટલે જ છે કે હિંસા-અહિંસાના પ્રશ્ન જે બે ચાર ટુંકા શબ્દોમાં પતાવી દેવામાં આવ્યો છે. તે એટલા સાદો કે સરળ નથી. હિંસા અહિંસા સાથેની બાંધછોડ એ સૌ માટે ચાલુ તકેદારીના અને અવારનવાર નિણૅયની અપેક્ષા રાખતા વિષય છે. આ બધું વાંચીને કાઈ પણ વ્યક્તિ સહજ પૂછી શકે છે કે સર્વોદય વિચાર સબંધે આટલી લાંખી ગડભાંજ શા માટે ? સ્વીકાર્ય હાય તા સ્વીકારો અને ન સ્વીકાર્ય હાય તા છેડી દ્યો. આના ઉત્તરમાં જણાવવાનુ કે સર્વોદય વિચાર હજુ ઘડતરની દશામાં છે. તે હજી પૂરા પરિપત્ર થયા નથી, તેમાં આપણા મંગળ ભાવીની મહાન આશા રહેલી છે, અને તેથી તે એક માત્ર વિનાબાજી કે દાદા ધર્માધિકારીના જ નહિ, પણ આપણા સર્વના સહચિન્તનના વિષય છે. અને તેથી સૌંદય વિચારના આચાર્ય વિનેબાજી જે કાંઈ કહે તે માત્ર શ્રદ્ધાથી નહિ પણ બુદ્ધિપૂર્વક આપણે સાંભળવું, વિચારવુ, અને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે તેમની કાઇ વાત કે વિચાર આપણી બુદ્ધિમાં એસે નહિ ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તેની આપણે પ્રગટ ચર્ચા કરવી અને એ રીતે તેમના હાથે થઇ રહેલા સર્વોદય વિચારના ઘડતરમાં આપણે આપણા ફાળો આપવા એ આપણ સર્વના હું એક વિશિષ્ટ ધર્મ સમજું છું અને એ ધર્મબુદ્ધિથી પ્રેરાઇને આટલી લાંખી આલાચના કરવાનું મે ચેોગ્ય વિચાર્યું છે. મને આશા છે કે આ વિષયમાં રસ લેતા ખીજા ભાઇ બહેને પણ આ રીતે વિચારતા થશે અને એવા મનનચિન્તન અને ચર્ચાનુ સર્વોદય પક્ષે જરૂર શુભ પરિણામ આવશે. સૌજન્યમૂર્તિ સ્વ. નરહરિભાઈ પૂ. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ ખાતે પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભમાં પાછા ફર્યા અને થોડા સમય બાદ અમદાવાદ ખાતે સત્યાગ્રહ આશ્રમની તેમણે સ્થાપના કરી તે અરસામાં તેમનાથી આકર્ષાઇને, મુંબઈમાં શરૂ કરેલા વકીલાતના વ્યવસાય છોડીને, ગાંધીજી પાસે જે એ. વ્યક્તિ આવી પહોંચી તેમાં એક હતા સ્વ. મહાદેવભાઈ દેસાઈ અને ખીજા હતા સ્વ. નરહરિભાઈ પરીખ. એક બન્યા ગાંધીજીના મંત્રી અને ખીજા અન્યા સત્યાગ્રહ આંશ્રમમાં શરૂ કરવામાં આવેલી શાળાના અગ્રણી કાર્ય કર. બન્નેએ ગાંધીજીની સેવામાં અને ગાંધીજીએ ઉપાડેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં આખું જીવન વીતાવ્યુ. એક ગાંધીજી પહેલાં ૧૯૪૨ માં આ દુનિયામાંથી વિદાય થયા; ખીજાએ ગાંધીજી પાછળ ગાંધીજીનું કામ કરતાં કરતાં તા. ૧૫-૭-૫૭ ના રાજ આ નામદાર આગાખાન તા. ૧૧-૬-૫૭ ના રાજ જીતીવા ખાતે નીપજેલા નામદાર આગાખાનના અવસાન સાથે ૭૯ વર્ષની એક ભવ્ય છતાં ચિત્રવિચિત્ર જીવન-કારકીર્દીના અન્ત આવે છે. તેમના જન્મ ૧૮૭૮ માં કરાંચી ખાતે થયા હતા અને એ રીતે જન્મે હિંદી હતા, છતાં પાછળનાં વર્ષો દરમિયાન હિંદના ભાગલાને અ ંગે ઉભી થયેલી કઢ’ગી પરિસ્થિતિથી
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy