SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૬૩ તદ્દન સ્વાભાવિક છે, કારણ કે પ્રજાજીવનના સર્વ અ ંગને સ્પર્શવાની જે કાઇ વિચારસરણિ અપેક્ષા રાખતી હાય તે રાજકીય બાબતે સંબંધમાં તટસ્થ રહી શકે જ નહિ. તા. ૧-૮-૫૭ સપત્તિદાન અને શ્રમદાન ઉમેરાયાં. પાછળથી ગ્રામદાન આવ્યું. ભૂદાન સર્વોદયને પર્યાયવાચી શબ્દ અન્યા અને સનાથી સમાજરચનાની કલ્પના ફાલવા ઝુલવા માંડી અને તેમાં રાષ્ટ્રની આર્થિક, સામાજિક તેમ જ અમુક અંશે રાજકીય બાબતને અનુલક્ષીને વિનેબાજીનાં વિવિધ મન્તવ્યોને સ્થાન મળવા માંડ્યું. તેમાં શાસન મુક્ત, શોષણ રહિત, અહિંસક, વિકેન્દ્રિત એવાં વિશેષણાથી યુક્ત એવી કાઈ સમાજરચનાની કલ્પના જનતા સમક્ષ રજુ થતી રહી અને એ વિશેષણા ઉપર નવાં નવાં ભાષ્યો ઉમેરાતાં રહ્યાં. આનું પરિણામ એ આવ્યું કે પ્રારંભમાં ભૂદાન એક સાદા સીધા વિચાર હતા. તે શબ્દથી જમીનવાળા પેાતાની જમીનને અમુક ભાગ આપે અને એ રીતે એકઠી કરવામાં આવેલી જમીન ગામના ભૂમિહીનાને વહેંચી દેવામાં આવે એટલું જ સૂચિત હતું. જેમ હિરજનાના ઉદ્ધાર કરવાની વાત હોય તે અથવા તે મધના વ્યસનથી લોકાને મુક્ત કરવાની વાત હેય તે તેને ક્રાઇ વિરોધ ન કરે, સૌ કાઈ ટકા આપે. આવી જ રીતે ભૂલનને અથવા તે ભૂમિવિતરણને વિચાર કાને ન ગમે ? ભૂમિવિતરણના જટિલ પ્રશ્ન આ રીતે કાંઈક હળવા બનતા હોય તે તેમાં ક્રાને વાંધા હાય.?—એવા ખ્યાલથી એ વિચારનેએ આન્દોલનને-બધી બાજુએથી આવકાર મળ્યું અને લગભંગ સર્વ પક્ષેએ સીધી કે આડકતરો ટેકો આપ્યો. પણ પછી તે ભૂદાન અથવા તા સર્વોદય–વિચારમાં અનેક નવા નવા વિચાર, દૃષ્ટિબિન્દુ ઉમેરાતાં બન્યાં. ભૂદાન' શબ્દ તેના મૂળ અથ છોડીને આગામી આર્થિક તથા સામાજિક ક્રાન્તિના પ્રતીક બન્યા. આ રીતે ભૂાન અથવા તો સૌંદય વિચારણાએ ચોક્કસ રૂપ અથવા તે વ્યક્તિત્વ ધારણ કર્યું છે. નિષ્પક્ષ લેાકશાહી, વિકેન્દ્રિત અર્થ રચના, સત્તાનું પણ વિકેન્દ્રીકરણ, અહિંસક તથા શાસનમુક્ત અથવા તેા શાસન— નિરપેક્ષ સમાજરચના, જમીનનુ' સંપત્તિનું સમત્વના ધેારણે સંવિભાજન, સ્વાયત્ત ગ્રામરાજ—આવા કેટલાક પાયાના તત્ત્વા સર્વોદયમાં અન્ત ત બન્યા છે. આનુ એક આડકતરૂ પરિણામ એ આવ્યું છે કે પ્રારંભમાં ભૂદાનવિચારને જે સર્વમાન્યતા મળી હતી તે સર્વમાન્યતા માટેના અવકાશ ઘટતા જાય છે. સર્વોદય વિચારના ગર્ભમાં આજે જે કાંઈ ભરેલું છે તે બધું સૌ કાઇને એક સરખુ” માન્ય ન હેાય તે તદ્દન સ્વાભાવિક છે. આપણા દેશમાં એવા કેટલાક પાયાના પ્રશ્નો છે કે જે વિષે આપણે ત્યાં પરસ્પર વિશ્ર્વ વળા ચાલતાં આવ્યાં છે અને ચાલતા રહેવાનાં છે. દા. ત. આર્થિક કે રાજકીય કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ, સાધન તરીકે અહિંસાના આગ્રહ કે અનાગ્રહ, ચૂંટણી સીધી કે આડકતરી, કેન્દ્રિત મેટા ઉદ્યોગો ઉભા કરવા કે નાનાં વિકેન્દ્રિત દ્યોગાને ઉતેજન આપવું, હસ્તેદ્યોગ કે યંત્રોદ્યોગ, ખાનગી ઉદ્યોગેા કે ઉદ્યોગાનું રાષ્ટ્રીયકરણ, મનિષેધ ફરજિયાત કે મરજિયાત, ગૌવધની કાયદાથી બધી શકય છે કે નહિ અને ઈષ્ટ છે કે નહિ, ખાદી કે હાથ વણાટનું કાપડ, દ્યુતનિષેધ ફરજિયાત કે મરજિયાત, કૃત્રિમ ઉપાયા વડે થતું સંતતિ નિયમન ઇષ્ટ છે કે અનિષ્ટ, સામુદાયિક ખેતી ક વ્યકિતગત ખેતી—આવા અનેક પ્રશ્નો છે કે જે સબંધે પ્રજાજનોમાં મતભેદ અને વળણભેદ રહેવાનાં, જેને દેશને સર્વ મુખી વિચાર કરવાના છે તેણે આ બધા પ્રશ્નો સ ંબધમાં એક અથવા તેા અન્ય પ્રકારનું વળણ અખત્યાર કયે જ છૂટકો છે. વળી આ બધા પ્રશ્નો એવા છે કે તે સબધમાં આખા દેશની પ્રજા એકમત થાય એ સભવિત નથી. સંધ્ધિવિચારનું જે રીતે વિનેબાજી દ્વારા નિરૂપણુ થઈ રહેલુ આપણા જાણવામાં આવે છે તે રીતે વિચારતાં આપણે સ્વીકા રવું જ રહ્યું કે ઉપરના પ્રશ્નો સંબધે સર્વોદય વિચાર પાસે પણ એક પેાતાની સ્વતંત્ર આગવી દૃષ્ટિ છે. રાજકીય બાબતે વિષે પણ સાય વિચારણા તટસ્થ છે એમ કહી નહિ શકાય. તે ખાતા સખ ધમાં સર્વોદય વાદ પોતાના વિચારે અને વળા અવારનવાર પ્રગટ કરી રહેલ છે અને પ્રસંગે પ્રસંગે માર્ગદર્શન પણ આપી રહેલ છે. આ વી નિહ કલબ, સાબ આ નિરૂપણ જો ખરેખર હાય તે આપણે એમ કહ્યુલ કરવુ રહ્યું કે આજે કૉંગ્રેસના નામ સાથે જેમ એક ચોક્કસ . વિચારસરણિ જોડાયલી છે અને તેવી જ રીતે હિંદુ મહાસભાવાદ, પ્રજાસમાજવાદ અને સામ્યવાદ દેશના પ્રશ્નો વિષે ચોક્કસ વિચારો ધરાવે છે. તેમ સર્વોદય વિચારવાદ એ નામે પણ એક ચોક્કસ વિચારસરણિ અને ચોક્કસ વિચારપક્ષ ઉભા થઇ રહ્યો છે. આ અને અન્ય વાદ્ય રાષ્ટ્રને લગતી કેટલીક બાબતામાં એકમેક સાથે મળતા છે તેા કેટલીક ખાઞ- . તેમાં એકમેકથી જુદા પડે છે. દરેક પેાતાના વિચારપક્ષના પ્રચાર કરે છે અને દરેકની પાછળ નાનુ` કે મોટુ' એક અનુયાયી દળ છે. કાતુ અનુયાયી દળ કાળક્રમે ઘટતુ જાય છે તેા કાતુ અનુયાયી દળ કાળક્રમે વધતુ જાય છે. આ જો ખરાબર હાય તો આ અંકમાં અન્યત્ર આપેલ ‘સામ્ય વાદ અને સર્વોદય' એ મથાળાના લેખમાં વિનેાખાજીએ કરેલાં કેટલાંક વિધાતા સામે મનમાં પ્રતિતૉં ઉભા થાય છે. દા. ત. વિનાખાજી એ લેખમાં જણાવે છે કે “ધીમે ધીમે સામ્યવાદની નદી સર્વોદયના સમુદ્રમાં મળી જશે; ખીજી નદી પણ અહીં આવી ભળી જશે. સમાજવાદ, કલ્યાણરાજ્ય એ બધાં પણ છેવટે પેાતાની જાતને સમાપ્ત કરીને સર્વોદયમાં પુખી જશે...........સર્વોદયનો તા એ ધંધો છે કે ખીજાની સાથે હળીમળીને એને પચાવી જવું. બધાંને ખાઇ જવું એ સર્વોદયના ધર્મ છે. તમે પૂછો કે શું તમે સામ્યવાદીઓને ખાવ છે ? તાં. હું કહીશ કે અરે આપણી હાજરી તો એવી જખરી છે કે એમને આપણે હજમ પણ કરી જવાના” વિનેબાજીના સર્વીય પરત્વે આ દાવા વધારે પડતા લાગે છે. ઉપરનાં વિધાતામાં એવુ સૂચન છે કે હવે પછી હિંદુસ્તાનમાં કાઇ પણ વિચારભેદ-પક્ષભેદ નહિ રહે, સૌ કાઇ સર્વોદય વિચારને સ્વીકારશે, કારણ કે અમારા વિચાર સાર્વભૌમ ` વિચાર છે. અહિં એ જણાવવુ જરૂરી છે કે સામ્યવાદીએ પણ પેાતાના વિચારપક્ષ સંબંધે આ જ રીતે વિચારે છે અને કહે છે. પણ આવી સાર્વભૌમતા કદિ પણ કાઇ એક વિચારપક્ષને વરી નથી, વરવાની નથી. . આ વિશાળ દેશમાં વિચારભેદો રહેવાના જ છે, પક્ષભેદો પણ રહેવાના જ છે. કાળને પોતાનુ કાર્ય કરવા માટે જે વિચાર–દર્શનને વધારે વેગ આપવે! હશે તે વધારે આગળ આવશે અને તેના પ્રભાવ પ્રજામાનસ ઉપર વધારે વ્યાપક પ્રમાણમાં પડશે, તેનુ આધિપત્ય પ્રજાજના ઉપર પ્રસ્થાપિત થશે, અને એ દ્વારા અપેક્ષિત કાન્તિકાયૅતુ નિર્માણુ થશે. પણ સાથે સાથે તેની ઉપયોગીતા કાન્તિકારીતા—ખતમ થતાં તે વિચારપક્ષનું આધિપત્ય ખતમ થશે અને તેનુ સ્થાન વળી બીજો કાઈ વિચારપક્ષ લેશે. વસ્તુતઃ સર્વોદય શબ્દ જેટલા અર્થસભર છે તેટલા જ ભ્રામક છે. સર્વના ઉદય. કાને ન ગમે ? પણ એ અર્થમાં સર્વોદય. માત્ર સર્વોદય વિચાર ધરાવનારાનુ જ લક્ષ્ય છે એમ નથી. તે તા. જેટલો કોંગ્રેસને અભીષ્ટ છે તેટલા જ સામ્યવાદને અષ્ટ છે. પણ સર્વોય એટલે ચોક્કસ પ્રકારની વિચારસરણ એમ જ્યારે વિચારીએ છીએ ત્યારે, એક પ્રકારના વિચારના માળખાવાળા સૌંદય અને છે. તેવા સાય બહુમાન્ય બની શકશે, પણ સર્વમાન્ય કં િબની નહિ શકે. વિતાબાજીને બીજો એક પ્રશ્ન ઉપર જણાવેલ લેખમાં પૂછવામાં આવ્યા છે કે અહિંસાના વિષયમાં સામ્યવાદીઓ સાથે સર્વોદય ક્રાઇ પણ પ્રકારની ખાંધાડ કે સહકાર કરશે કે ? તેના ઉત્તરમાં વિનાબા જણાવે છે કે “અહિંસામાં બાંધછોડ કરવાપણું જ કયાં ઉભું થાય છે. ? જરૂર તા હિંસાવાળાએ હિંસા છેડવાની ઉભી થાય છે.” આ ઉત્તર ભારે રાચક લાગે છે, પણ ઝીણવટથી વિચારતાં એ ઉત્તર સામે પણ મનમાં પ્રતિતક ઉભા થયા વિના રહેતા નથી. અંતે તે એ રીતે કે વસ્તુતઃ આપણું આખુ જીવન એક રીતે વિચારીએ તે જ અહિંસા
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy