SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાત પરિણામે ત્યારના પ્રશ્નો વધારે અને વધારે ગૂંચવણભર્યો બની રહેતા. અંદાજે એમ કહી શકાય કે છેલ્લાં લગભગ એકસાથી, દઢસા વરસા થયાં. દુનિયામાં બધી વ્યક્તિના સમૃદ્ધ જીવન નિર્વાહ માટે પૂરતું ઉત્પાદન થતું નથી. અને આજે જો જગતની બધી સપત્તિ એકઠી કરવામાં આવે અને તેની ફેરવહેચણી કરવામાં આવે તે તેનાથી બધાના ઉત્કર્ષ થશે એમ નક્કી કહી શકાય નહિ. આમ થતાં કદાચ થોડો તક્રાવત થાય પણ તે તકાવત ગણનાપાત્ર તે નહિ જ થઇ શકે. વિજ્ઞાનની આગેકૂચથી માનવતાને થયેલા ફાયદાના સામાજિક અયોગ્ય વહેંચણીથી થતા અટકાવ હવે આપણે આજની પરિસ્થિતિના વિચાર કરીએ કે દુનિયાની વસ્તીમાં જબરદસ્ત વધારો થયેા છે. પરિણામે અગાઉના સમય કરતાં જમીનની માગણી અતિ ઘણી વધી ગઈ છે, પરંતુ આજની સમસ્યા માત્ર અનાજની જ નથી. આજની સમસ્યાઓમાં જનસમૂહ માટે રહેઠાણુતી, તદુરસ્તીની અને શિક્ષણની વ્યવસ્થા—બંદોબસ્ત કરવાને સમાવેશ. ચાય છે. આની સાથે ખીજી એક બાબતે પણ જબરદસ્ત આગેકૂચ નોંધાવી છે. વ્યક્તિની ઉત્પાદન કરવાની શક્તિ અતિ ઘણી વધી ગઇ છે. અગાઉ માનવ જે ઉત્પાદન કરતા તેનાથી અધિકગણું વધારે આજે તે ઉત્પન્ન કરી શકે છે. હકીકતમાં, આજે આપણે જરૂર કહી શકીએ કે પ્રત્યેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ બની શકે તેટલું આજે ઉત્પાદન કરવા માટે દુનિયા શક્તિમાન છે. કઈ કાળ પહેલાની દુનિયા વિષે એમ કહી શકાય તેમ નથી. હું સમૃદ્ધ' કહું છું તેના અર્થ એમ નથી થતા કે પ્રત્યેક વ્યક્તિ લાખાપતિ થવી જોઇએ. મારે કહેવાના ભાવાર્થ એ છે કે વિજ્ઞાન અને અસખ્ય મશીનાની મદદ વડે આપણે સૌને પૂરૂ થાય એટલું ઉત્પાદન કરી શકવાની સ્થિતિએ પહેાંચ્યા છીએ. જૂના જમાના કરતાં આજે આપણે મા ધરતીમાંથી નક્કી અતિઘણું વધુ ઉત્પાદન કરી શકીએ છીએ અને વળી અલબત્ત તે જમાનામાં જ્યારે મશીને ન હતાં તેના કરતાં આજે આપણી પાસે મશીનો છે તેની મદદથી ધણુ જ વધુ ઉત્પાદન કરી શકીએ છીએ, ખીજા શબ્દોમાં કહું તે સઘળાના ઉત્કર્ષ અર્થ પૂરતું ઉત્પાદન કરવા માટે અગાઉ આપણે પૂરતાં સાધના ધરાવતા ન હતા જ્યારે આજે દુનિયામાં આપણી પાસે તે પૂરતાં સાધના છે અને બીજું બધું પણ પૂરતું છે. આમ છતાં પણ જો અત્યારે લેક સુખી અને સમૃદ્ધ ન ાય તે તેનું કારણ પ્રવર્તમાન સામાજીક વ્યવસ્થાની પદ્ધતિમાં સાંપડે છે. અને તેની જવાબદારી માત્ર આપણી એકલાની નથી—આખરે આપણા દેશ તે ગરીબ છે.પરંતુ તે તે સમસ્ત માનવ સમાજતી. અમેરિકા અથવા તા યુરોપના રાષ્ટ્રો જેવા ધણા સમૃદ્ધ રાષ્ટ્રો છે કે જે રાષ્ટ્રો છેલ્લાં ૧૫૦ વરસામાં સમૃદ્ધ થયા છે. આ રાષ્ટ્રા વિજ્ઞાનના વિકાસને લીધે અને પુષ્કળ મશીને તથા કારખાનાંઓની સ્થાપનાને લીધે સમૃદ્ધ થયાં. મશીન અને કારખાનાં માલનું ઉત્પાદન કરે છે પણ અને તેના ઉત્પાદનનું પ્રમાણ માનવ હાથથી થતા ઉત્પાદન કરતાં ધણુ વધારે હાય છે. માત્ર વધુ ઉત્પાદનથી ભારતની સમૃદ્ધિ શકય છે અને તેથી જો આપણે ભારતને સમૃદ્ધ બનાવવું હશે તે આપણે અહીં વધુ ઉત્પાદન કરવું પડશે જોઇશે. હકીકતમાં આપણે પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન વધારવું પડશે. નિઃશ ંક, આપણે વધુ અનાજનું ઉત્પાદન કરવાનુ છે, પરંતુ અનાજ સિવાય ખીજો બધા માલ જેની આજે ભારતને જરૂર છે તેનુ પણ ઉત્પાદન વધારવાની જરૂર છે. જો આપણે ખીજેથી તે ચીજ વસ્તુ ખરીદીએ તે તેની આપણે કિંમત ચૂકવવી પડશે, જ્યારે આપણા દેશમાં તે જ ચીજ વસ્તુઓ ઉત્પન્ન થાય તે પરદેશી રાષ્ટ્રને આપણે આપવી પડતી ફૂલ રકમેામાં સારા એવા ઘણા ધટાડો થઈ શકે અને તેથી આપણને જ ફાયદો થાય. આપણે જો અમુક માલનું જરૂરીયાત કરતાં વધારે ઉત્પાદન કરીએ અને પછી ખીજા રાષ્ટ્રોમાં ઉત્પન્ન થતા માલની સામે તેના વિનિમય કરીએ તે એ તે એક જૂદી જ વાત છે. ટૂંકમાં, ભારતની સમૃદ્ધિ માટે અને ૧૫-૭-૫૭ આપણું દારિદ્રય દૂર કરવા માટે આપણે વધુ સંપત્તિનું ઉત્પાદન કરવાનું છે. સપત્તિના અન્ય સાનુ અને રૂપું નહિ પરંતુ માલ જે માલ આપણી જીંદગીને જરૂરી છે ઉપયાગી છે તે. આપણા દેશમાં આપણે જેટલો વધુ માલ ઉત્પન્ન કરીશું તેટલા ઉમેરા આપણે રાષ્ટ્રની સંપત્તિમાં કરીશુ વધતા ઉત્પાદન સાથે વ્યાજબી વહેંચણી જરૂરી છે આની સાથે ખીજી એક ખબત પણ સબંધ ધરાવે છે. આપણે એ માટે સાવચેત રહેવુ પડશે કે 'આપણે જે વધુ સંપત્તિનું ઉત્પાદન કરીએ તે થેાડીક જ વ્યક્તિની તીજોરીમાં ન જાય. કારણ કે એમ અને તે સ ંપત્તિનું આ વધારાનું ઉત્પાદન આપણને ખાસ ઉપયોગી નહિં નીવડે. આમ હાવાથી આપણું મુખ્ય કામ છે શકય તેટલી વધુમાં વધુ સંપત્તિનું ઉત્પાદન કરવાનું અને સાથે સાથે તે બધા લોકોમાં પહેાંચે અને માત્ર ચેડી જ વ્યક્તિ પાસે એકઠી ન થાય તેવી તેની વહેંચણીની વ્યવસ્થા ગોઠવણા કરવાનું. આમ, આપણે ઉત્પાદન અને વહેંચણી-આ ગાને વિચાર કરવાના છે. પ્રત્યેક રાજ્યસત્તા—પછી ભલે તે મૂડીવાદી રાજ્યસત્તા હેાય, કે સમાજવાદી હૈાર્ય, કે સામ્યવાદી હોય, દરેક સમક્ષ આ સમસ્યા ઉભેલી જ છે. આજે કાઈપણ રાજ્યસત્તા વહેંચણીની સમસ્યાને જરા પણ રીતે અવગણી શકે જ નહિ. અરે, મૂડીવાદી રાજ્યસત્તાએ પણુ ચાગ્ય વહેંચણીની જરૂરીયાતના ઈન્કાર કરી નહિ શકે. આજે મૂડીવાદી રાજ્યસત્તા પણ સ્વીકારે છે કે સૌના ઉત્કર્ષ માટે તેમણે કામ કરવું પડશે. પરંતુ તે કહે છે કે આ સમસ્યાના ઉકેલ ગુરૂત્તમ ઉત્પાદનમાં રહ્યો છે. મૂડીવાદી . પદ્ધતિની ટીકા કરવી એ એક જૂદી વાત છે, પરંતુ મૂડીવાદીએ પણુ એટલુ તો કબૂલ કરે છે જ કે તેઓ પણ સધળાના ઉત્કર્ષ સાધવા ઇચ્છે છે અને આને માટે તે ગુરૂત્તમ મર્યાદા સુધીના ઉત્પાદનમાં શ્રદ્ઘા રાખે છે. અમેરિકા, જે મૂડીવાદી રાષ્ટ્ર છે તેનું દૃષ્ટાંત લઈએ. ત્યાં ઉત્પાદન જબરદસ્ત પ્રમાણેામાં પહોંચી ગયું છે અને આને અર્થ એમ થતા રહ્યો છે કે આજે તે વધુમાં વધુ સમૃદ્ધ રાષ્ટ્ર છે—અને ત્યાં કાઈપણ વ્યક્તિ ગરીબ નથી. સરખામણીના ધેારણે, ત્યાંના ગરીબંમાં ગરીબ માનવી આપણા રાષ્ટ્રમાંના તેવા માનવી કરતાં શ્રેણી જ સારી અને સુખી સ્થિતિમાં હશે. પરંતુ, સમાજવાદી એમ નથી માનતા કે માત્ર વ્યક્તિગત ઉત્પાદન—પછી ભલે તે શકય તેટલા વધારેમાં વધારે પ્રમાણમાં હાય-સમાજના ઉત્કર્ષ ભણી લઈ જશે. તેનુ' પરિણામ એ આવશે અમીરોની અમીરી વધુ વધશે અને કદાચ ગરીમાની સ્થિતિમાં રહેજ સુધારો થાય પણ તે સુધારા કાઈ ખાસ મહત્ત્વના તે નહિ જ હોય. જે દેશા સો વર્ષ પહેલાંથીયે ઉદ્યોગપરાયણ બન્યા છે તેવા દેશે। આજે કઈ કક્ષાએ પહોંચ્યા હોય તેને ખ્યાલ આજના અમેરિકાની વિકાસ– ઘટના ઉપરથી આપણે બાંધી શકીએ તેમ છે. અમેરિકાના જમીન— વિસ્તાર અફાટ હતો, પરંતુ વસ્તી ઘણી જ ઓછી હતી. આ પરિ • સ્થિતિ બધાં રાષ્ટ્રોની હાઈ ન શકે અને તેથી આ એક મોટા વિવાદ- - ગ્રસ્ત પ્રશ્ન બનેલા છે. તેથી સમાજવાદી પોતાની વિકલ્પ નિતિ રજૂ કરે છે. હકીકતમાં, સમાજવાદી હીંમતપૂર્વક કહે છે કે કાઈપણ રાષ્ટ્ર વધુમાં વધુ ઉત્પાદન તે જ કરી શકે, જો ત્યાં વહેંચણીની વ્યવસ્થા ન્યાયી પાયા પર સ્થાપિત હાય. અમીરોની સ`પત્તિ લઇ લેવાથી કાંઇ ફાયદા નહિ થાય : વધુ ઉત્પાદન એજ એક મુખ્ય ખામત છે. કેટલાક લેકા એમ કહે છે કે ભારતમાં આપણે શા માટે બધા અમીરોની સ ંપત્તિ અને કારખાનાંઓ જપ્ત કરીને તેની વહેંચણી ન કરીએ ? તે કહે છે કે આમ કરવાથી રાષ્ટ્રને ઘણા લાભ થશે. શકય છે કે આપણે આ રીત અજમાવીએ તે આપણને થ ુક વધારાનું દ્રવ્ય મળે. પણ આની ખીજી બાજુને પણ વિચાર કરવા જોઇએ. આવું પગલું લેવાથી આપણા દેશમાંના આજના ઉત્પાદનનું સમગ્ર માળખું કદાચ વિખરાઈ જાય અને વળી અત્યારે આપણે
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy