SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ અને તેના અમલી માર્ગની રૂપરેખા વિષે યથાસ ંભવ જલદી નિશ્ચય કરી જણાવવામાં આવશે. આ રકમનું એક ટ્રસ્ટ કરવામાં આવશે. એ નાણાંના ઉપયોગ ભારતીય સંસ્કૃતિના એક કે અનેક અ ંગને લગતાં સાહિત્યનિર્માણુ અને તેના પ્રકાશન તેમ જ અધ્યયન–અધ્યાપન જેવાં કાર્યોમાં થશે. પ્રમુખ્ય વન . વિદ્યોપાસના અને તેના સાધક પ્રયત્નને પરિણામે અત્યારે મારી જે વિચાર અને સસ્કારની ભૂમિકા છે તેને સ્પષ્ટ કરવા હું ઘેાડીક જરૂરી બાબતાને નિર્દેશ કરવા ૠચ્છુ છું, જેથી એ જ દિશામાં હવે પછી કામ કરવા ઇચ્છનારને કાંઈક માર્ગદર્શન મળી શકે. (૧) મારી અભ્યાસ-યાત્રાનાં મુખ્ય બે પાસાં છે; એક શાસ્ત્રપરિશીલન અને ખીજી ધર્મચિંતન. શાસ્ત્રપરિશીલન શરૂ થયું તે તે તદ્ન સાંકડી ક્રિકાષ્ટિથી અને એવી જ સાંકડી ભૂમિકા ઉપર ધીરે ધીરે એ યાત્રા જન્મપ્રાપ્ત સોંપ્રદાયને વટાવી ભારતીય પરંપરાના ખીજા મુખ્ય મુખ્ય સપ્રદાયો ભણી વળી. આ રીતે મુખ્ય મુખ્ય ભારતીય સપ્રદાયાના યથાશકિત પરિશીલનમાંથી મને જે સત્ય જણાયું તે એ છે કે જુદા જુદા શાસ્ત્રસંપ્રદાયા અંતે સત્યની જ ઉપાસના કરવા માટે પ્રવૃત્ત થયા છે; તેથી તેમનામાં જે અંતર—ભેદ—વિરોધ જેવું દેખાય છે તે સ ંપ્રદાય--પ્રવર્તકાની ભૂમિકા-ભેદને લીધે તેમજ ઐતિહાસિક પરિસ્થિતિના તારતમ્યને લીધે. એક જ સંપ્રદાયના અવાંતર ફ્રિકામાં પણ એવું અંતર કાં નાનુસૂતું છે ? તેથી એ ભેદ્ય અને વિરોધને યથાવત્ સમજી લઈ, તેનાં કારણે ધ્યાનમાં રાખી, છેવટે એ બધામાં જે વ્યાપક સૂત્ર કે સત્ય હૈાય તે તારવી કાઢવું અને ભેદ કે વિરોધમૂલક બુદ્ધિને એવા વ્યાપક સત્યના ભાનથી સ ંસ્કારવી તેમજ ઉદાર અને સહિષ્ણુ બનાવવી. આ જ મારા મતે શાસ્ત્રીય સમન્વયના ખરા અથ છે. એ સિવાય માનવતાની દૃષ્ટિના વિકાસના બીજો શાસ્ત્રીય માગ મને દેખાયા નથી તા. ૧-૭-૫૭ લાયકાત મેળવવી એ સહેલુ નથી, મારા માટે તે નહિ જ. બીજો એક તાપસ શબ્દ છે કે જે આજકાલ અવિવેકી એવા સ્થળ તપ કરનારને લાગુ પડી શકે ખરા. “શ્રી મોરારજીભાઇએ મારી સ્મૃતિને ઉમર સાથે વર્ધમાન કહી છે, પણ મારા અંગત અનુભવ એવા છે કે હવે સ્મૃતિનું વર્તુળ વ્યાપક થતાં અને એનું ભારણ વધતાં એ દિવસે દિવસે હીયમાન થતી લાગે છે. “ડૉ. રાધાકૃષ્ણને અહિંસા, અનેકાન્ત, સમ્યક્ ચારિત્ર આદિ જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવી પરિભાષા લઇ તેના અર્થની તથા તેને આધારે વૈયક્તિક તેમજ સામુદાયિક જીવન કેમ જીવવું એની માર્મિક સમજણુ અદ્ભુત કૌશળ અને છટાથી આપી છે. આ બાબત જન્મજાત જૈન તરીકે મારે કાંઇક કહેવુ જોઇએ. અત્રે ઉપસ્થિત ભાઈબહેનેામાં જેએ જૈન હશે તેમને એમ લાગવાના સંભવ છે કે ડૉ. રાધાકૃષ્ણને જૈન સિદ્ધાન્તાનુ વિવરણ કરી જૈન સમુદાયનુ ગૌરવ વધાર્યુ છે. પણ મારૂ મન આમ માની લેવા તૈયાર નથી. હુ તા એમ માનું છું કે ડા. રાધાકૃષ્ણને જૈન સિદ્ધાન્તાનુ વ્યાપક દૃષ્ટિએ વિવરણ કરી જૈનોને તેમની જવાબદારીનું ભાન થાય એવી અહિંસક ચીમકી આપી છે, અહિંસાના ઉત્કૃષ્ટ સિદ્ધાન્તના અનુયાયી હાવાના દાવા કરનાર આપણે જૈના હરિજન પ્રત્યે કેવા વ્યવહાર રાખીએ છીએ તે કાંઈ ડા. રાધાકૃષ્ણનથી અજાણ્યું નથી. આપણાં ધર્મસ્થાનાની સ્વચ્છતા જાળવવા તેમ જ આપણા ધર્મ ગુરુતુ નીરોગી જીવન સાચવવા તે આપણે હિરજનેને ધરમાં જ નહિ પણ ધર્મસ્થાને સુદ્ધાંમાં ખેલાવીએ છીએ, આવવા દઇએ છીએ; પણ એ જ ધર્મસ્થાનામાં માનવતાની દૃષ્ટિએ તમને દાખલ થતાં આપણે રોકીએ છીએ, જ્યારે એમાં કૂતરાબિલાડાના પ્રવેશને અધમ લેખતા નથી. આવે સ્વાર્થ અને અજ્ઞાનમૂલક ભેદભાવ નભાવ્યે જનાર જૈન વર્ગ સામે જ્યારે અહિંસા સિદ્ધાન્તનુ માર્મિક વિવરણ થાય ત્યારે સમજવું એ જ રહ્યું કે એ વિવરણ આપણી અક્ષમ્ય ભૂલ સુધારવા માટે છે. એ જ રીતે ડૉ. રાધાકૃષ્ણને અનેકાન્તદૃષ્ટિની વ્યાપકતા દર્શાવી અનેકાન્તવાદમાં માનનાર જૈને એમ સૂચવ્યુ છે કે ખરે અનેકાન્તવાદી ફિકાપરસ્ત હેઈ ન શકે. તે ખંતર ફ્રિરકા અને ધર્મપથને ઊતરતા લેખવામાં કે અવગણવામાં પોતાના પંથની મહત્તા કે પૂણૅતા માની ન શકે. ઊલટુ, તે તે સ્તર ફિરકા અને ધર્મપાને પેાતાના ક્રિકા પ્રત્યેના આદર જેટલા આદરથી જ નિહાળે અને સાથે વર્તે. ' (૨) ધર્મ એ હુ નાજુક વસ્તુ છે. વાતવાતમાં ધર્મને નામે પણ માણુસજાત અકળાઈ જાય છે અને ઘણીવાર અથડામણીમાં આવી મોટા મોટા અન↑ પણ કરી બેસે છે. જ્યાં લગી માણસની દ્રષ્ટિ માત્ર ધર્માંના સ્થૂળ ને બાહ્ય કલેવર યા ખેાખામાં જ રૂધાયેલી હાય છે ત્યાં લગી એવી અન પર પરા અટકી ન શકે. ધર્મનું સ્વરૂપ. સમુદ્ર જેવુ અગાધ અને આકાશ જેવુ અન ત છે. જેમ જેમ એના ઊંડાણમાં ઊતરીએ અને ઊર્ધ્વ ગામી બનીએ તેમ તેમ દ્દષ્ટિ બાહ્ય કલેવરના એકાંગી માહથી છૂટી થાય છે જ્યાં એકવાર ધર્મના તાત્ત્વિક અને આંતરિક સ્વરૂપનું દર્શન થયું ત્યાં એને ધર્મના એક પથ અકળાવતા કે આકર્ષતા નથી. એ બધા ધમ પ થાને માનવતાના વિકાસક્રમની સૂચક અવસ્થા તરીકે લેખી માનવતિહાસમાં એનુ સ્થાન તે ગોઠવે છે, અને ધર્મની ઊંડી સમજણુમાંથી પ્રાપ્ત થયેલ સમભાવ દ્વારા એ પંચાને વિકસાવવા કે વધારે ઉદાત્ત બનાવવા વિચારે છે અને પ્રયાન પણ કરે છે. આ જ મારે મન ધાર્મિક સમયનુ મુખ્ય હાઈ છે. આવા સમન્વય વિના અસાંપ્રદાયિક રાષ્ટ્ર તેમજ વિશ્વનું નિર્માણ સંભવિત નથી. જોકે, મારા ધાર્મિક જીવનને પ્રારંભ તા કેવળ એના ખા કલેવરથી શરૂ થયેલા, પણ અનેક, માનસિક અથડામણા પછી હું કાંઈક અંશે ધર્મના આંતરિક સ્વરૂપના દર્શન ભણી વળ્યો. એટલા અલ્પમાત્ર ભાતથી પણ ધર્મને લગતી અથડામણા લગભગ ટળી. તેથી આજે હું મક્કમપણે માનું છું કે ખરા ધર્મજીજ્ઞાસુ અને તત્ત્વશેષક કેવળ ધર્મોનાં બાહ્ય આવરણા, વ્યવહાર અને પ્રથાઓનાં જ અભ્યાસ તેમજ અનુસરણ માત્રમાં કૃતકૃત્યતા માની ન લેવી. જો એક વાર ધમતા આંતરિક સ્વરૂપની સમજણુ લાધી તે એની જવનનૌકા સુરક્ષિત છે. ધી શ્રી મારારજીભાઇએ મારે માટે ઋષિ અને તપસ્વી જેવા શબ્દો ઉચ્ચાર્યા છે. હું એમની સદ્ભાવશીલ ગુણગ્રાહી દષ્ટિની કદર કરૂ છું, પણ એ સાથે હું મારી જાતનેય સીધી તપાસું છું ભારતીય પર પરામાં ઋષિના જે અર્થ છે તે મને તે લાગુ પડી જ ન શકે જોકે આજકાલ ૩ તપસ્વી શબ્દ હાલતા ચાલતા વપરાય છે. પણ એના ખરા ભાવતી “તાર્કિક અને શબ્દસ્પર્શી અનેકાન્તવાદ માત્ર પરમત–ખંડનમાં રસ લઈ શકે ખરો, પણ જીવનસ્પર્શી અનેકાન્તદષ્ટિ એ જુદી વસ્તુ છે. એવી દૃષ્ટિ દરેક સમ્પ્રદાયવાળા માટે આવશ્યક છે. આ મુદ્દાને અધ્યયનના ક્ષેત્રમાં લાગુ કરીને કહેવુ હોય તા હું અનુભવને આધારે એમ કહેવા ઇચ્છુ છુ કે જે જૈન શાસ્ત્રાનું અધ્યયન કરે તેણે બૌદ્ધ અને વૈદિક પર પરાના શાસ્ત્રનું એટલા જ આદરથી અધ્યયન કરવુ ટે. એ જ રીતે અધ્યેતા બૌદ્ધ કે વૈદિક હાય તે તેણે પોતાની પરંપરાનાં શાસ્ત્રો ઉપરાંત જૈન આદિ ઇતર પરંપરાનાં શાસ્ત્રાનું પણ એટલા જ આદરથી અધ્યયન કરવું ઘટે. આ મર્યાદા તા માત્ર ભારતીય પરપરા પૂરતી થઇ. પણ અનેકાન્તાષ્ટિ એથીયે આગળ જવા કહે છે અને ધર્મશાસ્ત્રાનુ પણ ગુણગ્રાહી દૃષ્ટિએ અધ્યયન કરવા સૂચવે છે. ખરી રીતે જ્યારે સમભાવથી ઇતર પરપરાનું અધ્યયન કરીએ છીએ ત્યારે જ પાતાની પરંપરાનુ મમાં વધારે સારી રીતે સમજાય છે. “અન્તમાં અનિવાય એવી. આભારવિધિ પતાવવી રહે છે. અત્રે મારે જેને આભાર માનવાના છે. તેના એક વર્ગ છે. પહેલા વર્ગ એ કે વિદ્યોપાસનાના પ્રારંભથી અત્યાર લગી મને જેણે હાથ અને સાથ આપ્યો છે. આ વર્ગમાં શ્રમણ અને બ્રાહ્મણ એવા અનેક વિદ્યા ગુરુઓને તેમ જ લેખન, વાંચન, ચિન્તન અને મનમાં માર થનાર સંખ્યાબં ધ નાનાંમોટાં ભાબહેનનો સમાવેશ થાય છે. આફ્રિક
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy