SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ વન २८ વિમુખ છે. ગાંધીજીએ આ વિષમતાના કારણ લેખે નિવૃત્તિમાર્ગને પણ નિહાળ્યેો. તેથી તેમણે વ્યાપકપણે પ્રવર્તક ધર્મના વિકાસ માટે પ્રયત્ન શરૂ કર્યાં. નિવર્તક માર્ગોની મર્યાદા ગાંધીજીએ ભારતીય સમાજને નિવૃત્તિમાર્ગથી વિમુખ કરી સંસાર પ્રત્યે આસકત કરી દીધા એવા કેટલાક લોકોના આક્ષેપ છે, પરંતુ સાચી વાત એ છે કે સમાજમાં જેટલા પ્રમાણમાં પ્રવર્તક ધર્મ અથવા સમાજોપયોગી કામ થાય તેટલા પ્રમાણમાં જ અહિંસા પણું ટકી શકે છે. નિવત કે ધર્મ થી સમાજનાં ખરાબ તત્ત્વા દૂર કરી શકાય છે, પણ એમાં સારાં તત્ત્વાની વૃદ્ધિ થઈ શકતી નથી. ગાંધીજીએ ત્યાગ, તપસ્યા અને બલિદાનરૂપ નિવ`ક ધર્મની સાથે સાથે પ્રવૃત્તિરૂપ અહિંસાનુ પણ પ્રતિપાદન કર્યું અને એના દ્વારા રાષ્ટ્રની સમસ્યાને હળવી કરી.. મનમાં છૂપાયેલા પ્રેમના અનંત ભંડારને તેઓએ સમાજ સમક્ષ ખુલ્લા કર્યો અને એની શકિતના વિશ્વ આખાને પરચો આપ્યો. અહિંસાનું મૂળ પ્રેમ વસ્તુતઃ અહિંસાનું મૂળ પ્રેમ છે. પરંતુ એ પ્રેમ જો નિકટના સાથી સુધી જ મર્યાદિત રહે તેા કામ ન સરે. અહિંસા અને પ્રેમ અસીમ છે, અનત છે. અહિંસા માત્ર નિવૃત્તિમાં જ કૃતાર્થ નથી થતી; એના વિકાસ નિવૃત્તિમાંથી અવશ્ય થયા છે, પરંતુ કૃતાર્થતા પ્રવૃત્તિમાં જ હાઇ શકે. જો કે એ પ્રવૃત્તિ લેાભ અને ભયમૂલક ન હાવી જોઇએ, અહંકાર અને મમતાથી મુકત હેાવી જોઇએ. આમાંથી જ અનાસકિતનો વિચાર ઉદ્દભવ્યેા. અનાસકિતમૂલક પ્રવૃત્તિનિવૃત્તિ જ અહિંસાના આજ સુધીના વિકાસનું સર્વોકરૂપ જણાય છે, પરંતુ વ્યાપક પ્રેમ વિના અનાસકિત ન આવી શકે. અનાસકિતનું બીજ દરેક ધર્મમાં છે. આથી જ ગાંધીજીએ બધા ધર્માના સાર ગ્રહણ કર્યાં અને જે બાબતે એમની સમજમાં નહાતી આવતી તેને તેઓએ છેડી દીધી. વાસ્તવમાં ગાંધીજીમાં બધા ધર્મોના સમાવેશ થયો છે. તેઓએ અહિંસાને એક વૈજ્ઞાનિકની પેઠે વિચાર અને પ્રયાગ એમ બન્ને ક્ષેત્રોમાં અજમાવી. જે આચાર કેવળ બાહ્ય દેખાવ પૂરતા હતા તેને આંતરિકરૂપ આપ્યું. બાહ્ય અને આંતરિકની વિષમતાને નિવારી બંનેના સુમેળ સાધવા પ્રયત્ન કર્યો. ઉપરથી જોતાં ગાંધીજીને માર્ગ પ્રસંગ અને પરિસ્થિતિને કારણે ભારતના જ પ્રવર્તે ક ધમ રૂપે ભલે લાગે પણ એ માર્ગ બધાં ગામડાં અને શહેરો માટે છે, આખા માનવસમાજ માટે છે, આખી દુનિયા માટે છે. ગાંધીજી દ્વારા પ્રેરિત આશ્રમ-પરપરા • ગાંધીજીના આદર્શને સામે રાખનાર આશ્રમોમાં નિવૃત્તિરૂપ અહિંસાની સાથે પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે જ, અહિંસા, અસ્તેય, અપરિ ગ્રહ વગેરે નિવૃત્તિમાર્ગનાં વ્રતાની સાથે સાથે ખેતી, ખાદી વગેરે અનેક પ્રવૃત્તિકાર્યો પણ ત્યાં ચાલે છે, આશ્રમની આસપાસના લોકો માટે એ પ્રવૃત્તિ માર્ગ દર્શનરૂપ છે, 'વિકાસસાધક છે. આ પ્રકારના આશ્રમેામાં નિવ ક અને પ્રવર્તક ધર્મોના મેળ સધાવા જોઇએ. આ પ્રવૃત્તિઓના મૂળમાં પ્રેમ હોવા જોઇએ અને અનાસકિત હાવી જોઇએ. અહિંસાનું સ્વરૂપ સંક્ષેપમાં કહીએ તો અહિંસાને સિદ્ધાંત બહુ વિશાળ છે. જેમ જેમ આજે સમાજમાં બુદ્ધિ અને વિવેકને વિકાસ થતેા જાય છે, તેમ તેમ અહિંસા પણ એટલી જ ઊંડી અને વ્યાપક બનતી જાય છે. અહિંસાના નિવ ક અને પ્રવર્તક એમ બન્ને બાજુઓની ઊંડી શેાધના પરિણામરૂપે એનુ વર્ગીકરણ આ રીતે થઇ શકે. નિવૃત ક માર્ગ : (ક) કાના પ્રાણુનાશ ન કરવા. (ખ) કાઇને દુઃખ ન પહોંચાડવું. (ગ) કાઇની ઉપર ઇર્ષા, દ્વેષ, ક્રોધ વગેરે ન કરવાં. પ્રવંત ક માર્ગ : (ક) પરિચર્યા તેમજ સેવા–શુશ્રુષા કરવી. (ખ) હિતકર દૃષ્ટિએ બીજાનું પ્રિય કરવુ. (ગ) પાતાના દૈવી ગુણાને વિકાસ કરવા, અહિંસાના માર્ગ વ્યકિતગત કે પ્રાદેશિક નથી. એ બધા માનવસમાજો માટે છે અને માનવમાત્રને માટે ઉપકારક છે. પ્રાચીન સમયથી લઇ આજસુધીના અહિંસાના માગે!માંથી જો પસદૂગી કરવી હેાય તે નિઃસ દેહું ગાંધીજીએ આચરેલા અને દર્શાવેલા માર્ગ જ શ્રેયસ્કર છે, એ દારા પ્રાચીન અહિંસાને સમજવી સરળ પડે છે અને આજની પરિસ્થિતિમાં એના આચાર-વિચારને વિકસાવવાની તક પણ મળી રહે છે. પંડિત સુખલાલજી તા. ૧-૬-૫૭ પ્રગટી. ભૂમિદાનની ગંગા (ગતાંકથી ચાલુ) (અનુસંધાનઃ અહીંથી ઊભું થયું. શ્રમદાન ભૂમિદાન સાથે શ્રમદાનને ભેળવતી આ ભૂગગા મધ્યપ્રાંત વટાવીને આવી ઉત્તરપ્રદેશમાં) પ્રવક્તા :—-માંગરોઠ ગામને પાદરેથી નીકળતા વિનાબાને ગામના લોકાએ પૂછ્યું " ( છાયાદશ્યમાં વિનાબા અને ગ્રામજનો ગ્રામજના: બાબા ! અમારા માટે શા સંદેશ છે ? . વિનામા:-આ જ સદેશ,. ખીજો શે હાઇ શકે ?... સંત તુલસીદાસે ગાયું છે કે, સબૈ ભૂમિ ગોપાલકી'...આ ચરિતાર્થ કરા! પ્રવક્તા :——વિનાબા તે આમ કહી ત્યાંથી ચાલતા થયા. તેમના સદેશનું રહસ્ય ગ્રામજનાએ કાર્ય કરીને પૂછ્યું— ગ્રામજના:સબૈ ભૂમિ ગોપાલકી એટલે શું? કાર્યકર :—બધી જમીન પર એક ગેાપાલની જ માલિકી હાઈ શકે અને એટલે, તે વ્યક્તિગત ન રાખતાં આખા ગામની, સમાજની, બનાવી દેવી જોઇએ. પ્રવક્તા :— આ સમાજતાં એ બધા આગળ નીકળી ગયેલા વિનાખાની પાછળ જઈ માલ્યા ગ્રામજના:-આાપના સ ંદેશ અનુસાર અમે સૌ આજથી અમારા આખા ગામની જમીન આપનૅ ચરણે ધરીએ છીએ...આપ કહેશો તેમ અમે સૌ સાથે મળીને વીશું. પ્રવક્તા :—માંગરોઠનું આ પ્રથમ ગ્રામદાન થયું. ભૂદાનને પ્રથમ સામૂહિકરૂપ અહીં મળ્યું. અહીંથી ભારતભરમાં નાદ ગૂજતા થયેઃ— સૂત્રગાન: છાયા દ્રશ્યમાં કિસાનાનુ લોકનૃત્ય અને ગાન) સઐ ભૂમિ ગેાપાલકી, નહી. કિસીકી માલકી, ગાવકી જમીન ગાવકી, નહી. કિસીકી માલકી, પ્રવકતા :—હિમાલયનાં ચરણામાં ભૂદાનની ગંગા વહેતી ગઇ ને એને તીરે તીરે શાંત ક્રાંતિનાં ગાન રણુકી રહ્યાં...(છાયામાં હિમાલય અને ચાલતું યાત્રીદળ) કૂચગાનઃ—સુરમ્ય શાંતિ કે લિયે જમીન દો, જમીન દે, મહાન ક્રાન્તિ કે લિયે જમીન દે, જમીન દે.... જમીન દે! કિ દેશકા અભાવ દૂર હૈા સકે, જમીન દે। કિ દ્વેષકા પ્રભાવ દૂર હૈ। સકે, જમીન ઢા કિ ભૂમિહીન લેગ કામ પા સકે, ઉડા કુદાલ માજુએકા જોર આજમા સકે.... મહાવિકાસ કે લિયે જમીન દે, જમીન દે, નચે પ્રકાશ કે લિયે જમીન દે, જમીન દે, ! ( રામધારીસિંહ : ‘દિનકર’ ) પ્રવકતા :- પછી આ નવ-ગંગા આવી પવીત્ર ગણાતી નગરી કાશીમાં. પ્રપંચ, પાખંડ, પ્રમાદ અને અકર્મણ્યતાથી દૂષિત થયેલી પેલી પુરાણી ગ ંગાવાળા કાશીને, અંદર બહારથી શ્વેતા, ભગીરથ ત્યાં ખેાલી રહ્યા વિનાષ્ઠા = કાશીની આ ગંદકી દૂર થવી જોઇએ——શ્રેષ્ઠજ્ઞાનની સાથે કર્મ અને ભક્તિને સુમેળ સધાઇને બુધ્ધિ અને વિદ્યાના પરિગ્રહ છેાડીને વિદ્યાના ગામ ગામ ઘૂમી દેશનાં કરાડ અભણ અમૂઝ લેકાને જ્ઞાનદાન આપી પ્રાયશ્ચિત R......" પ્રવકતા :—આ સાથે શરૂ થયુ' જ્ઞાનદાન, વિદ્યાદાન, બુધ્ધિદાન....... ઉત્તર સરતુ' ગયું અને બિહાર આવ્યું......બિહાર...! મહાવીર, બુધ્ધ તે ગાંધીની કર્મભૂમિ ! (છાયામાં જૂદા જૂદા દૃશ્યા) એક ગામે, દાનમાં ભૂમિ પામનાર કેટલાક ગરીમા વિનાખાને પૂછી રહ્યા—
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy