SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ક જાણું છું તેટલાં લાંબા સમયથી તેમને તમારામાંના ભાગ્યે જ કોઇ જાણતું હશે. મારા વડિલ બધુ સ્વ. મેાતીચંદભાઈ અને સુલોચનાબહેનના કાકા દેવીદાસ અન્ને લગભગ સાથે સોલીસીટરની પરીક્ષામાં પસાર થયેલા અને મોતીચંદ એન્ડ દેવીદાસ નામની તેમણે સોલીસીટરની પેઢી શરૂ કરેલી, જે આજે તેમની હયાતી બાદ પણ ચાલે છે. દેવીદાસના કુટુંબ સાથે અમારે નિકટના કુટુખી જેવા સંબંધ હતા. સુલોચના બહેનના પિતા ડા. કલ્યાણદાસની મારી ઉપર ખૂબ મમતા હતી. તે આજે તેા લગભગ નિવૃત્તિપરાયણુ જીવન ગાળે છે, પણ આજથી ૪૦ વર્ષ પહેલાંનાં એ વિસામાં તેએ એક જાણીતા સામાજિક કાર્યકર્તા હતા અને વર્ષો સુધી તેએ આર્ય સમાજના મંત્રી હતા. ડે. કલ્યાણુદાસ પાસે તેમના ઘેર તેમ જ વાખાને હું અનેકવાર જતા અને આજના સુક્ષેાચના બહેનને ડાકટર સાહેબ અને તેમના કુટુબીજને તે વખતે ‘સુલુ’ના લાડકા નામથી ખેલાવતાં હતાં. એ કાક પહેરતાં સુલુબહેનને ઉત્તરાત્તર આગળ વધતાં વધતાં મુંબઇની કારપેરેશનના પ્રથમ મહિલા મેયર તરીકે નિહાળવાનુ સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ અનુભવ એક નાની સરખી કમળકળીને સહસ્ત્રદળ કમળમાં ખીલી ઉઠતુ જોવા બરાબર છે. આ રામાંચક અનુભવ મને આનંદૃપુલકિત બનાવે છે, સુલેાચનાબહેન મારે મન એક સામાન્ય સન્નારી નહિ પણ આ સંસ્કૃતિનું એક નમુનેદાર પ્રતીક છે. “આપણા અનુભવ છે કે કર્દિ કદિ અનિષ્ટમાંથી ઇષ્ટ નીપજે છે અને ઝેરના વલાણામાંથી કં કદિ અમૃત નિર્માણ થાય છે. પ્રદેશ જો પુનર્વિભાજનના પ્રશ્નના અનુસંધાનમાં મુંબઇ વિષે મુંબઇના પ્રજાજનોમાં હું અને મુંબઇની કારોરેશનમાં તીવ્ર સંધષ પેદા થયા, મેયર પુપાલાએ રાજીનામું આપ્યુ અને અણધારી રીતે સુત્રેાચનાબહેનની બાકી રહેલ મુદ્દત માટે મુંબઈના મેયર તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી, અને એ રીતે આજથી દોઢેક વર્ષ પહેલાં મ્યુનીસીપલ સ્ટેન્ડીંગ કમીટીના તેઓ પ્રમુખ થયા અને તેમનુ આપણા સહ્યે સન્માન કરેલું ત્યારે આપણે બધાંએ જે આશા વ્યકત કરી હતી તે આટલી જદ્ધિથી અને આવી અણુકલ્પી રીતે મૂર્તિમન્ત થઇ. આ માટે આપણું ક્લિ આનંદથી ઉછળી ઉઠે એ તદ્ન સ્વાભાવિક છે.” ત્યાર બાદ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ જણાવ્યુ હતું કે સુલોચના બહેનમાં સમાજસેવા કરવાની જે શક્તિ અને ધગશ છે તે મુખને અને ભારતને જોવા મળે અને વિજયાલક્ષ્મી પંડિતની માફ્ક સુલાચના બહેન સારાયે જગતમાં અગ્રગણ્ય સ્થાન પામે અને ઇતિહાસ પણ નોંધ લે કે ભારતની અગ્રગણ્ય સન્નારીએમાં સુલેચનાબહેન મેખરે હતાં એવું આપણે પ્રભુ પાસે પ્રાર્થીએ ! ત્યાર બાદ સંધના ઉપ-પ્રમુખ શ્રી. લીલાવતી મહેન દેવીદાસે જણાવ્યું હતું કે સુલોચનાબહેનની મેયરપદે નિમણુકની હકીક્તથી સ્ત્રીઓનાં હૃદય થનગની ઉઠયાં છે અને મુંબઈનું વાતાવરણ પણ આનંદપ્રચુર બની ગયું છે, જાણે કે સુલેચના બહેને મુંબઈ નગરીના માનનું “કાન” કર્યું ન હેાય. સુલેાચના બહેનને હું છેલ્લાં ૨૭ વરસોથી આળખું છું, તેમણે શિક્ષણના ક્ષેત્રે સુંદર કાર્ય કર્યુ છે અને તેમની શકિત, નમ્રતા અને વિદ્વતા માટે અમને ઊંડું માન છે. તે મ્યુનીસીપાલીટીમાં માત્ર ખુરસી શાભાવતા નથી, પરંતુ ધણું જ સક્રિય કા કરે છે અને મુંબઈ ક્રમ સુધરે એની તે સતત ચિન્તા સેવે છે. સુધરાઇમાં સુલેાચના બહેન જેવા લાયક બહેનને લાયક પછી મળી છે એ આપણા સૌ માટે ગૌરવના વિષય છે. તેમની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહેા એવી સુભાશિષ સાથે તે તંદુરસ્ત અને આયુષ્યમાન રહે એવું આપણે પ્રાર્થીએ !” ત્યાર બાદ શ્રી. ટી. જી. શાહ તથા પ્રાધ્યાપિકા તારાખહેન શાહે પણ સુલોચનાબહેનની મેયરપદે ચૂટણી માટે ખૂબ જ અભિનંદન આપ્યાં હતાં તથા આનદ દર્શાવ્યા હતા. ત્યાર બાદ સ ંધના પ્રમુખ શ્રી ખીમજી ભુજપુરિયાએ સંધના તા. ૧-૪-૫૬ શ્રીમતી સુલોચના બહેન તરફના પ્રેમના પ્રતીક તરીકે સંધના સૌ સભ્ય વતી સુલોચનાબહેનને ફૂલહાર અર્પણ કર્યો હતા. સારના જવાબમાં શ્રીમતી સુલેાચનાખહેને જણાવ્યું હતું કે “સાચે જ અત્યારે મને સમજ પડતી નથી કે મારા પ્રત્યે જે લાગણી, પ્રેમ, ભાવના આપ સૌએ દર્શાવ્યાં છે તેને હું કેમ બન્નેા વાળી શકીશ. ધણા સમારભા થયા છે તેમાં આપ સૌને પણ કાળે આવી જાય છે, એટલે આ સ્વતંત્ર મેળાવડાની જરૂર નથી એમ મને લાગતુ હતું; પરંતુ પરમાનંદભાઇનું સ્ત્રી કરતાં પણ વધારે કામળ હૃદય છે. એટલે તેમની લાગણીઓને વશ થઇને હું આપના સમક્ષ હાજર થઈ છું, આજે જાણે કે હું સ્વજનેની વચ્ચે છું એવી આત્મીયતા અનુભવું છું. હું આપણા સંધની સભાસદ છું પણ નામની જ રહી છું. આમ છતાં પણ સંધના સભ્યપદ્વારા મે નવી કેળવણી મેળવી છે. હું વિનાસ ચે અને સત્યને ખાતર કહું છું કે સંધની પાક્ષિક પત્રિકા “ પ્રબુદ્ધ જીવન ” હું વાંચ્યા વગર રહેતી નથી; કારણ કે તેમાં મને વૈવિધ્ય... ભરપુર અને ઉચ્ચ કક્ષાનું સુંદર વાંચન મળે છે. સંધના સભ્ય થવાથી આ રીતે મને ઘણા લાભ થયા છે અને એ રીતે સધ પ્રત્યે મારૂ ઋણુ છે. છેલ્લાં પદર સત્તર વરસેથી જે અનુભવ મળ્યા નહાતા તે અનુભવા છેલ્લાં દોઢ મહિનામાં મળ્યા છે અને મેયરપદે આવ્યા પછી મને ઘણું ઘણું જોવાનું, જાણવાનું અને શીખવાતુ મળ્યું છે. આપણા શહેરીજનાની તકલીફ઼ા, ફરીયાદો જાણવાના તથા સૂચનાના લાભ મળ્યો છે અને આ સ્થાનેથી જો હું એવી ખાત્રી આપું કે આવા માટા જવાબદારીભર્યાં હાદાપર હું હોઉં કે ન હોઉં પરંતુ નગરજનો માટે મારાથી શક્ય તે બધું કરવા માટે હું સદા તત્પર રહીશ તે તે અસ્થાને નહિ ગણાય.” f ત્યાર બાદ સંધના મંત્રી શ્રી. શાંતિલાલ દેવજી નંદુએ નામદાર મેયર શ્રી સુલોચનાબહેન મેદીને આવકારતાં જણાવ્યુ હતુ કે “મારા પુરોગામી વકતાઓએ જે આનંદ અને ગૌરવ વ્યકત કર્યાં છે તેમાં હું સૂર પુરાવું છું અને ધણુાં રાકાણા વચ્ચે સમય કાઢીને સુલેાચનાબહેન આપણને આત્મીયભાવે મળ્યા તે બદલ તેમના તથા ઉપસ્થિત સૌ સભ્યોના હું આભાર માનું છું.” ત્યાર બાદ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં સૌ વિખરાયાં હતાં. પ્રબુધ્ધ જીવન માટે લવાજમ–રાહત યોજના પ્રબુધ્ધ જીવનને વિશેષ પ્રચાર થાય એ હેતુથી પ્રબુધ્ધ જીવનના એક પ્રશંસક મિત્રે ઈચ્છા દર્શાવી છે કે તેમણે સૂચવેલી લવાજમ રાહત ચેાજના નીચે જે કાઈ વ્યકિત પ્રબુધ્ધ જીવનના ગ્રાહક થવા ઈચ્છશે તે વ્યકિત પહેલાં વષૅ માટે રૂ।. ૨ સધના કાર્યાલયમાં ભરીને અથવા મનીઓર્ડરથી માલીને ગ્રાહક થઈ શકશે. આ લવાજમ રાહતનો લાભ ૧૦૦ ગ્રાહકો સુધી આપવામાં આવશે. તે જે વ્યકિતની આ રીતે પ્રબુધ્ધ જીવનના ગ્રાહક થવાની ઈચ્છા હાય તેણે તે મુજબ સત્વર જણાવીને સધના કાર્યાલયમાં રૂા. ૨ ભરી જવા અથવા મતીઆ રથી મોકલી આપવા. પૃષ્ટ ૨૧૯ પરમાનંદ ૨૨૨ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. વ્યવસ્થાપક, પ્રબુધ્ધ જીવન વિષય સૂચિ સાદાદ અને સાપેક્ષવાદ મુનિશ્રી નગરાજજી પ્રકીર્ણ નોંધ : પંડિત સુખલાલજીનું રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ કરેલુ બહુમાન, મુંબઈ મહારાષ્ટ્રના પ્રશ્ન અને વિનાબાજી: “જેમાં તમે રાજી તેમાં હું રા”, વિનેાબાજીના ક્થનને શ્રી શંકરરાવ દેવ ખાટી રીતે ધટાવે છે, મુંબઇનાં તાના અને લોકાની ગરીખી, ‘રંગ રજન’, અસ્પૃશ્યતાનિવારણ તથા હરિજન સેવાકાર્ય, શ્રી જે. કૃષ્ણમૂર્તિ વિષે બહેન પુપુલ જયકરનું વ્યાખ્યાન. સર્ચ કરેલુ સુલોચનાબહેનનું બહુમાન આપણા વિભાજિત વ્યક્તિત્વને સુસંવાદી બનાવવાની હાકલ ૨૨૫ ૨૨૭ 8
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy