SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૨૫૬ મળવા આવ્યા. સાડા ત્રણ કલાક સુધી મારી પાસેથી હકીકતા પૂછી અને તેના રીપોર્ટ લંડન મેાકલ્યા. એ પછી મેં એ ત્રણ મહિના સુધી જવાબની રાહ જોઈ, પણ જવાબ આવ્યે નહિ તેથી નિરાશ થયે અને પછી તેા એ વાતને પણ ભૂલવા લાગ્યા. પ્રબુદ્ધ જીવન છે કે પહેલાં એ પછી દશેક મહિના વીત્યા હશે, એ વખતે મારા એક મિત્ર જોન શેશ્વર નામના એક ન્યુઝીલેન્ડરને લઇને મને મળવા આવ્યા. અમારા વચ્ચે ઓળખાણ થઇ. મારું નામ સાંભળીને તે ચમકયા.. અને મને કહ્યું કે “You are the man who has created a crisis. in our Society ?” ( તમે જ એ માણસ જેણે અમારા મોંડળમાં ખળભળાટ મચાવી મૂકયેા છે ? ) તે હું કંઈ સમજ્યો નહિં. પછી ધીમે ધીમે સમજ પડી કે આ કવેક સેાસાયટીની વાત કરી રહ્યા છે. તેમણે મને વિગતથી વાત કરી કે “તમારી અરજી આવ્યા પછી અમે હજાર માણસો એ વિશે વિચાર કરવા ભેગા મળ્યા હતા. તેમાંથી અડધા અરજીની તરફેણમાં હતા, અડધા વિરુદ્ધમાં. એ પછી ત્રણ મહિના પછી ફરીથી સભા મળી ત્યારે ૯૦ ટકા તમારી તરફેણમાં અને ૪૦ વિરુદ્ધમાં, એ પછી તે ઉત્તરોત્તર દર ત્રણ મહિને સભા મળતી ગઈ અને તમારી તરફેણમાં લોકા વધતા ગયા. અને છેવટે સર્વાનુમતે ઠરાવ પસાર થયા કે તમારી અરજી સ્વીકારવી.” આ ભાઈ જોન શેારના મેળાપ પછી મને કવેકસ સાસાયટીના વડાંને કાગળ મળ્યા અને તેમાં લખ્યુ હતુ કે અમે તમને સ્વીકારીએ છીએ અને તમારા આ પ્રસંગથી શ્વિરે અમને સત્ય અને નીતિ સમજવાના પ્રસંગ પૂરો પાડયા છે એમ અમે માનીએ છીએ. આમ, મારા અતરની મુરાદ બર આવી. આજે મારા સિવાય પણ ખીજા બે ત્રણ હિન્દુ ભાઈ કલેકસ સંસ્થામાં જોડાયા છે. કન્વેકસ સંસ્થા સાથેના મારા જોડાણથી લોકોમાં વાત ફેલાઈ કે હું ખ્રિસ્તી બની ગયો છું. આ વાત મહાત્માજીને પણ કોઇએ કરી, તેમણે પણ મને આ વિશે પૂછ્યું. પરંતુ કલેકર્સ સંસ્થા સાથેના જોડાણથી હું કંઈ ખ્રિસ્તી બની ગયો નથી એમ કહીને ઉપરની બધી હકીકત તેમની પાસે મેં રજુ કરી અને તે બહુ રાજી થયા. ભાઈ મેં મારા જીવન દરમ્યાન આ બે મહાપુરૂષોની છાયા નીચે કામ કર્યું છે, હજુ પણ શ્વર જે રીતે પ્રેરે એ રીતે યથાશિત કામ કર્ છું. મારી જરૂરિયાતમાં ત્રણ જોડી કપડાં અને થર્ડ ક્લાસનું ભાડુ અને ખાવા પીવા માટેનું જરૂરી ભથ્થું લઉં છું. હવે મને ૬૦ વ થયાં છે. શરીર નબળું પડયું છે, તેથી લોકો મને સેકન્ડ કલાસનું ભાડું આપે છે. હવે મારા કામમાંથી નિવૃત્ત થવા માંગુ છું. સેવાગ્રામવાળાં પોતાને ત્યાં ખેલાવે છે. બીજી બાજુ સાબરમતી આશ્રમ આમંત્રે છે. ઇશ્વર જે રીતે પ્રેરશે તે રીતે કામ કરીશ. સમાસ ગુરૂદયાળ મલીકજી મુંબઈના વેદાન્ત સંમેલને કરેલા મહત્વના ઠરાવા ( મુંબઇ ખાતે સ્વામી શ્રી પ્રેમપુરીજીના નેતૃત્વ હેઠળ શ્રી વેદાન્ત સત્સંગ મડળના ઉપક્રમે તા. ૧૮-૧-૫૬ થી તા. ૨-૨-૫૬ સુધી વેદાન્ત સમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભારતભરમાંથી અનેક સન્ત, સાધુ, સંન્યાસી અને મહાત્માઓ પધાર્યા હતા. અને મુંબઈની જનતાએ ઘણી મેાટી સખ્યામાં તેનો લાભ લીધેા હતા. એ સમેલને જુદા જુદા વિષયોને લગતા કેટલાક ઠરાવેા પસાર કર્યા હતા. સાધારણ રીતે જુનવાણીને વરેલુ લેખાતુ આવું સમેલન કાળબળને પારખીને નવી દૃષ્ટિને કેવી રીતે અપનાવે એ આ ઠરાવામાંથી આપણુને જાણવા મળે છે અને તેથી તેમાં દર્શાવવામાં આવેલા કેટલાક અત્યન્ત આવકારયેગ્ય લાગે છે અને અન્ય · સાધુસમાજે અનુકરણ કરવા યોગ્ય દિસે છે. આમ વેદાન્તની વિચારણામાં ભારતીય દૃષ્ટિને પ્રાધાન્ય આપવા બદલ સ્વામી શ્રી પ્રેમપુરીજીને અને સ ંમેલનના અન્ય પુરસ્કર્તાને ધન્યવાદ ઘટે છે. તંત્રી) વિચારે ૧૯૧ ભાતૃભાવ અને શાન્તિના સંદેશ પહેલા ઠરાવ જણાવે છે કે વેદાંત સત્સંગ મંડળ દ્વારા સમ્યજીત અને વીતરાગ મહાત્માઓના આશીર્વાદથી સંપન્ન થયેલું આ વેદાંત સ ંમેલન વિશ્વાત્મકત્વની ભાવનાથી વિશ્વના પાસેનાં કે દુરનાં નરનારીઓને ભાતૃભાવ અને શાન્તિને સંદેશ આપતાં જાહેર કરે છે કે શાન્ત અને સુખમય જીવન પ્રાપ્ત કરવા અને કરાવવાને પ્રત્યેક માનવીના જન્મસિદ્ધ અધિકાર અને કર્તવ્ય છે. આજના માનવસમાજ વિવિધ પંથ, જાતિ, રાષ્ટ્ર તથા વ્યવસાયેામાં વહેંચાયેલા છે અને તેના જીવનવિધાનમાં વિશિષ્ટ યોગ્યતાવાળા મહાનુભાવેએ નેતૃત્વ હસ્તગત કર્યુ છે. આવા નેતાવર્ગ દ્વારા ભૌતિક સુખસાધનામાં આશ્ચર્યજનક પ્રગતિ ત થઈ પણ ગઈ છે, છતાં એની પદ્ધતિના અતિરેકના કારણે પરસ્પર ભય, સંધર્ષ, ઉત્પાત અને નાશનું સામ્રાજ્ય પણ છવાઈ ગયું છે. આ મહાનુભાવેા સેકમતથી પ્રચલિત થઇને કવચિત શાન્તિની નીતિના પણ પ્રયોગ કરે છે, છતાં તેમની સ્વાભાવિક રાજસીકતા બહાર આવતાં ફરીથી યુદ્ધનુ ભીષણ વાતાવરણ નિર્માણ થાય છે. તેથી જનતાજનાનના વૈચારિક પ્રભાવનું સામર્થ્ય, અને આધ્યાત્મિક જાગૃતિની જરૂરીયાત સ્પષ્ટ થાય છે અને માનવસમાજને સુખ શાન્તિ આપવાની શક્તિ માત્ર રાજનૈતિક ઉપાયામાં જ રહેતી નથી એ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે. ઉલ્લિખિત સિદ્ધાંત અનુસાર અદ્વૈત તત્વજ્ઞાનને પ્રચાર અને આધ્યાત્મજીવી મહાનુભાવાનુ માન એ આ ચિરસ્થાયી સુખ શાન્તિ મેળવવાના ઉપાય પ્રતીત થાય છે. તેથી જનતાને આ સંમેલનને - શુભસ ંદેશ છે કે તે આ માર્ગોનું અનુસરણ કરે. રચનાત્મક કાર્યની સફળતા ખીજો ઠરાવ જણાવે છે કે 'આ વેદાંત સંમેલન ભારતીય પરંપરાના મુખ્ય સ્તંભરૂપ સત્ય, અહિંસા અને પ્રેમના આધાર પર વિશ્વા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા ચાલેલાં રાષ્ટ્રોત્થાનના નૈતિક, આર્થિક રચનાત્મક કાર્યોની સફળતા જોઇને પોતાના અત્યંત હર્ષ પ્રગટ કરે છે. આ સાત્વિક આધાર પર ચાલવાવાળી સરકાર અને જનતાને પાતાના પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપે છે. આધ્યાત્મિક પ્રચાર માટે માગણી ત્રીજો ઠરાવ જણાવે છે કે ભારત સરકાર પોતાનાં એલચી– ખાતાંઓ દ્વારા ભારતીય નૃત્ય, સંગીત તથા કલાના પ્રચાર માટે વિદેશામાં જે પ્રકારે કામ કરાવે છે તે પ્રમાણે આધ્યાત્મિક પ્રચાર અને પ્રસારને માટે પણ વિદેશામાં વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિનું મુળ છે અને વિદેશી લોકો ભારતીય આધ્યાત્મિકતાના છજ્ઞાસુ અને પિપાસુ છે. વેદાંત સંમેલનમાં એકત્ર મળેલ સાધુસમાજ ભારત સરકારને એવા આગ્રહ કરે છે કે આ કાર્યમાં ભારતીય સાવ ને યથાયોગ્ય સાથ આપે. ધાર્મિક સ્થાનેાને અંગે આગ્રહ ચેાથા ઠરાવમાં જણાવાયું છે કે ભારતના જુદા જુદા પ્રદેશમાં ત્યાંની સરકાર। ધાર્મિક સ્થાનાની પુનર્રચના તથા પરિવર્તનના પ્રયાસ કરી રહી છે. સામાજિક જરૂરીયાતને અનુસરીને આવું પરિવર્તન કેટલેક અશે ષ્ટિ પણ છે. છતાં આ સંમેલનમાં એકત્ર થયેલા સાધુસમાજની એવી માન્યતા છે કે પ્રાંતિક સરકારોએ ધાર્મિક સ્થાનામાં પરિવર્તન કરવાને અંગે જે નિર્ણયો કરેલા છે તેને પરિપૂર્ણ કરતાં પહેલાં તે સાધુસમાજ અને તેની અનુયાયી ધાર્મિક વ્યક્તિના સહકાર પ્રાપ્ત કરે, કારણ કે આજ સુધી ભારતીય સાધુસમાજે પ્રાચીન સંસ્કૃતિ, સાહિત્ય, જનસદાચાર અને દાર્શનિક સિદ્ધાંતાની રક્ષા તત્પરતાથી કરી છે અને ભવિષ્યમાં પણ લોકસંગ્રહ તથા લોકકલ્યાણનું કાર્ય અવિરતપણે કરી શકે એમ છે. અશાન્ત વાતાવર્ષથી ચિન્તા પાંચમા ઠરાવ જણાવે છે કે ભારતનું વર્તમાન અશાન્ત વાતાવરણ જોઇને વેદાંત સ ંમેલનમાં ઉપસ્થિત થયેલા સાધુસમાજને શ્રેણી ચિન્તા
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy