________________
રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પૂ. જૈન વર્ષ ૧૪–પ્ર, જીવન વર્ષ ૩ અક ૧૯
प्रबुद्ध
મુંબઇ, ફેબ્રુઆરી ૧, ૧૯૫૬, બુધવાર આફ્રિકા માટે શીલિગ ૮.
भुवन
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના
------yes - asters તંત્રી: પરમાનદ કુંવરજી કાપડિયા 11 લગ્ન ---ાનું આ એક
ભવ્ય ભૂતકાળની ભ્રમણામાંથી મુક્ત બના: આધુનિક જીવનમૂલ્યા અપનાવા!
એક વિચારણા
તા. ૨૪-૧૨-૧૫ ના રાજ શાન્તિનિકેતન ખાતે વિશ્વભારતીના પદવીદાન સમારંભ પ્રસંગે પ્રવચન કરતાં શ્રી. કે. એમ. પાણીકરે જણાવ્યું હતું કે “ રાષ્ટ્રીયતાના ખોટા ખ્યાલો, ધર્મને લગતા ભ્રામક વિચારો, અને ભૂતકાળનાં વિકૃત સ્વપ્નાં—આ સÖમાં, જો દેશની આર્થિક અને સામાજિક પ્રગતિ સાધવી હોય તે, ક્રાન્તિકારી ફેરફારો થવા જોઇશે. સાદા જીવનના સિધ્ધાન્ત જેમાંથી ઉન્નત ચિન્તનને પ્રેરણા મળતી હોવાનું માનવામાં આવે છે એ ખરી રીતે દારિદ્રયની જ પૂજા છે. એ જ વિચારને વિકસાવતાં તેમણે જણાવ્યું કે “ઐચ્છિક ગરીબાઇ જરૂર ઘણી મહત્વની વસ્તુ છે અને જરૂરિયાતને બને તેટલી સ"કાચીને જીવવાના ત્યાગપૂર્ણ જીવનને આદશ જેમાંથી ઐચ્છિક ગરીબાઇ સહજપણે ક્રુલિત થાય છે. એ એક એવા આદર્શ છે કે જેતુ' દુનિયા હ ંમેશાં બહુમાન કરતી રહી છે. પણ એ ઉપરથી ગરીબીને રાષ્ટ્રીય આદર્શ તરીકે સ્વીકારવી એ કેવળ સમજણ વિનાની વાત છે.
(આ પ્રવચનમાં શ્રી કે. એમ. પાણીકરે અમુક વિવાદાસ્પદ વિધાના કર્યાં છે જેની તા. ૨૧-૧-૫૬ ના “હરિજનબંધુ'માં શ્રી મગનભાઇ દેસાઇએ પૂર્વનાં વિ. પશ્ચિમનાં પૂર્વ” એ શિર્ષક નીચે વિશદ આલેચના કરી છે. એ આલોચના પ્રબુધ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.તથી ) . અને હિંદની આધ્યાત્મિકતા નાબુદ થશે. હું પુછુ છુ કે બાકીની દુનિયા કરતાં હિંદ વધારે આધ્યાત્મિક છે એમ માનવાને કાઇ કારણ છે ખરૂ? આવા ખ્યાલ પાછળ શું એ કલ્પના રહેલી છે કે સમાજને વધારે વ્યવસ્થિત બનાવવાને બદલે તાત્વિક વિચારણા ઉપર જ હિંદનુ ધ્યાન અને ચિન્તન વધારે કેન્દ્રિત રહેતુ હતુ અથવા તેા એ પાછળ એવી કાઈ ભાવના છે કે દુનિયામાં કાઇ પણ દેશની મહત્તા તેના આધિભૌતિક પરાક્રમો અને સિધ્ધિ ઉપરથી નહિં પણ તેની આધ્યાત્મિક સાધના ઉપરથી જ મપાય છે ? આ અને કલ્પના સબંધમાં વિચાર કરતાં મને લાગે છે કે દુનિયા કરતાં હિંદ વધારે " આધ્યાત્મિક છે એ દાવામાં આત્મવચના સિવાય બીજું કશું જ નથી. વસ્તુતઃ ભૌતિકવાદ હિંદમાં જેટલા વ્યાપક છે. તેટલે દુનિયામાં અત્યંત્ર કાઈ જગ્યાએ નજરે પડતા નથી. બીજાનેા લાભ ઉઠાવવાની વૃત્તિની જમાવટ હિંદમાં જેટલી થયેલી છે તેટલી અન્ય કાઇ સ્થળે જોવામાં આવતી નથી.
“જે નવ હિંદનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ તેમાં ભવ્ય ભૂતકાળના સિધ્ધાન્ત, અને કહેવાતું સાદું જીવન જીવવા માટે ગામડા તરક્ પાછા ફરવાની ગાંડી વાતા આ બન્ને મને અદ્યતન પરિસ્થિતિ સાથે અસંગત અને દેશકાળવિરોધી લાગે છે. કારણ કે જે વારસા આપણને મળ્યો છે તે અંશતઃ જરૂર્ હિંદી છે. પણ સાથે સાથે પશ્ચિમ તરફથી મળેલા વારસો ધણાં ક્ષેત્રો પરત્વે ઓછા મહત્વની નથી. આધુનિક હિંદ મનુના કાયદા નીચે નિર્ભર રહીને જીવન જીવતું નથી. તેની માનસિક ભૂમિકા અને ધડતર ઉપર જો કે હિંદી પર ંપરાની ખૂબ અસર છે, એમ છતાં પણ છેલ્લાં સાવ થી આજ સુધીનુ તેનું ઘડતર માનસિક પ્રવૃત્તિને સ્પર્શતા દરેક ક્ષેત્રને પહોંચી વળેલાં પાશ્ચાત્ય શિક્ષણ દ્વારા થયેલુ છે. તેના સામાજિક આદર્શો કેવળ પૂર્વ કાળના હિંદુ સમાજના હવે નથી રહ્યા, પણ પશ્ચિમના ધારણ ઉપર ઘડાયા છે અને પશ્ચિમના સામાજિક વિચારકાના શિક્ષણમાંથી ખૂબ પ્રેરણા પામ્યા છે. હિન્દની સંસ્કૃતિ હ ંમેશાં સમવ્યાત્મક રહી છે. તેની ભૌગોલિક પરિસ્થિતિએ કદાચ અન્યની વિચારણાઓને ગ્રહણ કરવાની અને પોતાનુ સ્વત્વ ગુમાવ્યા સિવાય તેને પચાવવાની એક વિશિષ્ટ તાકાત કેળવવામાં મેટી મદ કરી છે. આર્ય અને દ્રાવિડઉભય સંસ્કૃતિના સમન્વય એજ હિંદી સભ્યતાના પાયા છે, એજ રીતે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આપણે સુમેળ-સમન્વય સાધવાના છે. છેલ્લા ઘેાડા દશકા દરમિયાન વૈજ્ઞાનિક જ્ઞાનમાં સધાયલી અસાધારણ પ્રગતિએ આપણા જીવનના દરેક અંગમાં ભારે પરિવતા પેદા કર્યો છે. આવા પરિવર્તનકાળમાં જ્યારે હિંદ આગળને આગળ વિરાટ પગલાં માંડી રહ્યુ છે ત્યારે બુધ્ધિને બાજુએ રાખીને ચાલવાની ટેવ, ધર્મઝનૂન, કાલ્પનિક ભૂતકાળના વિકૃત ખ્યાલો ઉપર આધાર રાખતા જુના વિચારાને અધપણે વળગી રહેવાના આગ્રહ–આ એવા વિકરાળ દુશ્મના છે કે જેને આપણામાંના દરેકે પોતપોતાના ક્ષેત્રમાં પૂરેપૂરા સામના કરવાના રહે છે. આ માટે મારા તમને આદેશ છે—આગ્રહ ભર્યાં ઉપદેશ છે—કે ભવ્ય ભૂતકાળનાં ગાણાં ગાવા બંધ કરે. દેશમાં નવજીવન નિર્માણ કરવા માટે જોસપૂર્વક લડતા રહેા. આધુનિક જીવન મૂલ્યોને 'અપનાવા અને પ્રગતિનાં નવાં સાચાં સીમાચિહના સર કરતાં રહે !" " • મૂળ અગ્રેજી : કે, 'એમ. પાણીકર
“એ જ રીતે ગામડાં તરફ પાછા ફરો અને હસ્તાદ્યોગપ્રધાન અ રચનાને સ્વીકારે એવી આજે કેટલાએક સ્થળે હાકલ કરવામાં આવે છે. આ સામે મારી સખ્ત નાપસંદગી હું જાહેર કરૂ છુ. હિંદી જીવનમાં ગામડાંનાં મહત્વના કોઇ ઇનકાર કરી નહિ શકે. એવી જ રીતે હસ્તાદ્યોગ અને' હાથકારીગરીને આપણી અર્થે રચનામાં જે મહત્વનુ સ્થાન મળવું જોઇએ તે વિષે પણ એ મત હાવા સંભવ નથી. એ હરતાઘોગ અને હાથકારીગરીમાં સૈકાન્દ્વની સૌન્દર્ય પોષક સભ્યતાની પરપરા અને વ્યકિતગત કળાકુશળતા તથા ચાતુ મૂર્તિમન્ત થાય છે એ પણ મને કબુલ . પણ ગ્રામ અ રચનાના પક્ષકારે જે માંગે છે તે આ નથી. તેઓ શહેરી સભ્યતા અને સંસ્કૃતિના મૂલ્યોને જ અસ્વીકાર કરે છે અને દાવાપૂર્વક જણાવે છે કે વધારે ને વધારે સાદુ જીવન—સંયમ યાગથી ભરેલું અને ઉત્તરાત્તર ઘટાડવામાં આવતી ૬ ઓછામાં ઓછી જરૂરિયાતવાળુ જીવન સ્વીકારવાથી જ હિંદ સ્વત્વને - પેાતાના સાચા સ્વરૂપને-પ્રાપ્ત કરી` શકશે. કેટલાએક લેાકા એમ પણ સૂચવે છે કે ભૂતકાળનાં તપાવન જ્યાં કામ ગુરૂ ધ્યાનગ્રસ્ત જીવન જીવતા હાય, સાદું જીવન અને ઉન્નત ચિન્તન એ ધારણ ઉપર એની જીવનચર્યાં રચાયલી હોય—આવા ગુરૂની દેખરેખ નીચે ચાલતાં તપોવનાના પાયા ઉપર હિંદનુ નવનિર્માણ કરવુ' જોખુંએ. હિંદમાં આ પ્રકારનુ જીવન કાઇ કાળે પણ અસ્તિત્વમાં હતું કે નહિં તેની મને ખબર નથી. બધા ઐતિહાસિક પુરાવા તે આવી કોઇ વસ્તુસ્થિતિ દિ પણ હાવાની વિરૂધ્ધ જાય છે. કારણ કે આપણે જાણીએ .છીએ કે પ્રાણવાન શહેરી જીવન હિંદમાં કઈ કાળથી અસ્તિત્વ ધરાવતુ અને હિંદી સસ્કૃતિ અને સભ્યતાને ધાતું આવ્યું છે. અને તપવનો જ્યાં હતાં તે પણ વિરલ, છુટા છવાયાં અને એકમેકથી દૂર હતાં. આજે પણ એ તાવના હયાતી ધરાવે છે. અને આ વિશ્વભારતી એ તપોવનની જ આધુનિક આવૃત્તિ છે. પણ એકમેકથી અલગ રહેતા, તપજપ કરતાં અને પરબ્રહ્મના ધ્યાનમાં અવશ્ય લીન રહેતાં તપાવના જ સ્થળે સ્થળે ઉભા કરવા જોઇએ, હિંદની રાજકીય ઈમારત આ આદર્શ ઉપર રચવી જોઇએ-આવા ખ્યાલ કેટલાક લેા ધરાવતા સભળાય છે. હિંદના ભાવી નિર્માણ વિષે આ કરતાં વધારે મેહુદી વિચિત્ર કલ્પના ખીજી કોઇ હોઇ ન શકે.
“કેટલાક લોકો એમ માને છે કે હિંદુ જો પોતાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા પાછળ પડશે તા હિંદમાં. ભૌતિકવાદની ભાર જમાવટ થશે,