________________
૨૧૯
પ્રબુધ્ધ જીવન
તા. ૧-૨૫૫
ભૂમિકા પર લઈ જનારી અદભુત વિચાર સરણી-મજતાં વિસે દિવસે બાકી છે, તે 'માવવાની છે અને અનિય છે મેવા તેમના વિચારો
તે માન્યતાઓ હતાં તેની તેમણે અહીં સ-તાવાર રજુઆત કરી છે. એક ગભીર અભ્યાસપૂર્ણ પૃથક્કરણયુકત નિબંધ જેવા આ પ્રચનમાં ભલે ક્રાઈ ચમકારા નહી હોય, પણ એમાં દેશને ઉંચે લાવવામાં જે રચનાત્મક દૃષ્ટિ અને કાર્યની જરૂર છે તેવુ તેમણે જરૂર ચેગ્ય નિરૂપણ કર્યું છે.
એ પુરૂષનું વ્યક્િતત્વ અપૂર્વ અને અદ્ભુત રીતે વિકસી રહ્યું છે એમ લાગ્યા વિના રહેતું નથી. જેમ પારસમણિ કથરને પણ કનક બનાવે તેમજે જે વિષયને તે સ્પર્શે છે તથા જેના વિષે પોતાના વિચારા વ્યકત કરે છે તે તે વિષય જ નવીત અને ઉન્નત સ્વરૂપ ધારણ કરી લે છે. ખાદી અને રેટીચા-વાત તે એક ને એક હતી, છતાં સેકડા લેખે અને હજારા. પ્રવચને અને વાર્તાલાપમાં ગાંધીજીની વાણી દરેક વખતે કઈક નવું જ કહેતી. તે મુજબ ,જવાહરનાં પ્રવચને પ્રવચને કોઇક નવું જ તેજ, નવુ જ જોમ અને નવી જ ભવ્યતાનાં દર્શન થાય છે. ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ સુંગધ આપે, તેમ રાષ્ટ્રના આ પ્રિય અને લાડીલા નેતાની *વિચારધારા અને દૃષ્ટિ · સમયના વહેવા સાથે વ્યિ અને અલૌકિક કહી શકાય તેવી કક્ષાએ પહોંચતી રહી છે.
એ બંધી તેમાં પ્રાસ્તાવિક વાત છે. અધિવેશનની સમગ્ર કાર્ય - વાહીનું અવલાકન એક વાત સ્પષ્ટપણે કહી આપે છે કે રાષ્ટ્રની આગેકૂચના એક નવા ને કદાચ સૌથી મહત્વના તબકકા શરૂ થાય છે. અધિવેશનને કુલ ચૌદ ઠરાવે કર્યા. તેમાં થેડાક ઔપચા – રિક ઠરાવાને બાદ કરતાં ખીજા બધા ઠરાવા એક ચિત્રના જુદા જુદા ભાગ જેવા હતા, એક જ ઇમારતનાં ભિન્ન ભિન્ન વિભાગો જેવા હતા. આ ઠરાવા એક ખીજા સાથે અતત સંકળાએલા હતા. ભાવીહીદના સક્ષેત્રનુ એક સંપૂર્ણ આલેખન કરવાની મનીષા એમાં દેખાઇ આવે છે. જેમ એક ઈજનેર ચણુવા ધારેલા મકાનના નકશા દોરી આપે તેમ ભાવી હિંદુ કેવું હશે કે હાવું જોઈએ તેના કે નકશાની રૂપરેખા આ ઠરાવેામાં દોરવામાં આવેલ છે. પ્રમુખશ્રીએજ અધિવેશનની કાર્ય વાહી તથા ઠરાવાને એજ આશયના શબ્દમાં વર્ણ વેલ છે. “અહીં એક સર્વગ્રાહી અને સકલિત ચિત્ર દ્વારવાના પ્રયત્ન થયો છે' એવી મતલબના એમના શબ્દો હતા,
અધિવેશનના પ્રારંભ પ્રથા મુજબ સ્વાગત પ્રમુખ તથા પ્રમુખનાં ભાષણાથી થયા, સ્વાગત પ્રમુખનુ ભાષણ સામાન્ય રીતે ઔપચારિક હતુ”. પ્રમુખનુ' ભાષણ કેવુ હશે તે વિષે અનેક કુતુહલપ્રેરક ઈંતેજારી સેવી હતી. કારણ કે શ્રી ઢેબરભાઇની મહાસભામાં પ્રમુખ તરીકેની પસદગી એ એક આકસ્ટિક કે આશ્ચર્યજનક ઘટના હતી. ઘણાને માટે એ આનંદ ઉપજાવનારી હતી છતાં આવી વિરાટ સંસ્થાના અધિસ્થાનેથી તેઓ શું કહેશે કે ખેાલશે તે વિષે ધણા વિમાસણ સેવી રહ્યા હતાં. તેમનાં પ્રવચનમાં તેમની લાક્ષણિક નમ્રતા તરી આવે છે, જે મહાન અને ભવ્ય સ ંસ્થાનુ સુકાન તેમને સોંપાયું છે તે ફરજ અદા કરવાના પેાતાના સામર્થ્ય વિષે તેમણે દાવા કર્યાં નથી. માત્ર પ્રાર્થના કરી છે કે તેમનામાં મૂકવામાં આવેલા વિશ્વાસને તે વાજખી ઠેરવી શકે.
તેમના પ્રવચનને ક્રાંતિકારી કહી શકાય નહિ. તેને રાષ્ટ્ર ઉત્થાન માટે પ્રજામાં ઉત્સાહ અને ઉમંગની હેલી 'ચડાવે એવું પ્રેરણાજનક કહી શકાય નહિ. તેમ જ તેમાં કાઇ નવીન અને માહિતિપૂર્ણ વિચારોને રજુ કરવામાં આવ્યા છે એમ પણ કહી શકાય નહીં. પણ તેમનામાં પ્રવાહા અને પરિસ્થિતિનું અવલાકન અને પૃથક્કરણ કરવાની એક વિશિષ્ટ શક્તિ છે તે
આ પ્રવચનમાં જણાઇ આવે છે. આઝાદી પછીના દેશના વિકાસ ૐ અને આજ સુધીનાં તબકકાએ કેવી રીતે સિધ્ધ કરી શકાય તેનુ તેમણે સુન્દર મૂલ્યાંકન કર્યું છે. રાષ્ટ્રીય નેતાઓએ અને રાષ્ટ્રીય સરકારોએ ’કેવી વિકટ પરિસ્થિતિમાં કેની સલામતીથી દેશનુ નાવ કાર્યું છે તેનો સચોટ પરિચય તેમણે આપ્યા છે અને હવે શુ તેની રૂપરેખા પણ આપી છે. રાજકીય ક્રાંતિ થઇ. રિયાસતી ક્રાંતિ થઇ. વહીવટ સ્થિર અને એકચક્ર થયા, પણ આર્થિક ક્રાંતિ
તેમના પ્રવચનના મુખ્ય મુદ્દા વિષે સતાવાર ઠરાવો થયા. પણ તેમણે એક એ વાતો કહી તે નોંધવા જેવી છે. સમાજવાદી અય રચના અંગે પ્રવચન કરતા પંડિત જવાહરલાલે જે સ્પષ્ટીકરણ કર્યું" તે પ્રમુખશ્રીએ પણ નીચેના શબ્દોમાં વ્યકત કર્યું હતું.
“મુડીવાદી કે સામ્યવાદી રચના એમાંથી એકકે રચના આપણા માટે ઉકેલ નથી. તેનું એક બીજું કારણુ એ છે કે આપણી જીવન દૃષ્ટિ તદ્દન ભિન્ન છે. આર્થિક બાજુને આપણે ગૌણુ નથી ગણતા, છતાં આપણે એમ માનીએ છીએ કે માનવીની મૂળભૂત નૈતિક પ્રકૃતિ ને નૈતિક પ્રેરણા ઉપર જ સમાજની રચના કરી શકાય. એટલે કે આર્થિક સિવાય ખીજા પણ પ્રેરણાબળા છે કે જે આર્થિક અને સામાજિક પ્રગતિ માટે ઉપયેગી છે.
બધાને સમાન હક મળવા જોઇએ તે વિના આવી સમાનતા અશકય છે. તેના અર્થ એમ નથી કે જે સમૃધ્ધ છે કે જે પાસે બુધ્ધિ કે જ્ઞાન છે તેમના એ દરજ્જો આપણે ખુંચવી લેવા માંગીએ છીએ.”
તેમણે પોતાનાં પ્રવચનમાં એક બીજી પણ અગત્યની વાત કહી છે. આ રથા એ શબ્દો :
“દરેક ક્રાંતિને તેનાં હથિયારો હોય છે. અને અહિંસક ક્રાંતિને પણ તેનાં હથિયારો છે, અહિસાના શસ્ત્રાગારમાં એ પ્રકારનાં હથિયારા છે: એક આંતરિક અને બીજા ખાવ. આંતરિક બાજુએ આપણે સેવા અને બલિદાનથી આપણી અંદરની તાકાત સર્જવાની છે. બાહ્ય બાજુએ રચનાત્મક કાર્ય દ્રારા જનસમુહ સાથે એકરુપ બની આપણાં આદર્શ તરફ તેને જીતી લેવાને છે.”
આ ઉપરાંત ભારતની પરદેશ નીતિ ઉપર પણ તેમણે વિસ્તૃત સમજણ આપી છે.
રજુ થયેલા ઠરાવાની ભૂમિકા પ્રમુખશ્રીના પ્રવચનમાંથી મળી રહે છે, હવે થયેલાં મુખ્ય ઠરાવા જોઇએ,
સૌથી મહત્વના ઠરાવ સમાજવાદી આદર્શ વિષે હતા એ રાવના મહત્વના શબ્દો આ મુજબ છે.
“જ્યાં ઉત્પાદનનાં મુખ્ય સાધના સમાજની માલિકી કે અંકુશ નીચે હાય, જ્યાં ઉત્પાદન ઝડપી પ્રગતિ કરતુ હોય તે જ્યાં રાષ્ટ્રીય દાલતની ન્યાયી વહેંચણી હૈ।ય તેવા સમાજવાદી ધારયુકત સમાજની સ્થાપના કરવાંની દષ્ટિએ આયોજન કરવુ જોઇએ.”
આ ઠરાવ આવવાના હતા તે પહેલાં જ તેને વિષે ચર્ચા જાગી હતી. મહાસભાનાં બંધારણમાં જે આદશ છે તેથી આ ઠરાવ જુદો પડે છે એવી સૂચના થઇ હતી અને તે આદર્શને ન ફેરવવા જોઇએ એવા પણ મત વ્યકત થ હતા. ધ્યેયના આ ઠરાવના પરિણામરૂપ અને તેના ઉપર રચાયેલા એક બીજો ઠરાવ પણ તે પછી પસાર થયે હતા. આ ઠરાવ પંડિત ગાવિંદવલ્લભ પંતે મૂકયા હતા, એ ઠરાવને આર્થિક નીતિને ઠરાવ એવુ નામ અપાયુ હતુ. ૭૫૦ શબ્દોના આ ઠરાવમાં ભારતની ભાવી આર્થિક નીતિ કેવી હાવી જોઈએ તેનું નિરૂપણ કરવામાં આવ્યું હતું.
તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ હતાઃ–
(૧) જીવન ધારણ ઉંચે લાવવુ,
(૨) ઉત્પાદન વધારવું,
અને ૧૦ વર્ષ માં સંપૂર્ણ રાજગારી માટે પ્રયત્ન ‘કરવું,
4