SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટડ ન., B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન શ્રી મુબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના પ્ર. જૈન વર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ ૩ અક ૧૪ અઇ, નવેમ્બર ૧૫, ૧૯૫૫, મંગળવાર આફ્રિકા માટે શીલિંગ ૮. e s so so sl see એ એક એક તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા આપણા આધ્યાત્મિક વારસા નોંધ : અમદાવાદતી ગુજરાત વિદ્યાસભા હસ્તકની શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યામાળાના ઉપક્રમે પંડિત સુખલાલજીએ, માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળકરના પ્રમુખપદે, તા. ૯, ૧૦, ૧૧ એકટાબર (૧૯૫૫) એ ત્રણ દિવસ સુધી અનુક્રમે (૧) આત્મવિચારણા, (૨) પરમાત્મા અને મેક્ષ–વિચારણા અને (૩) અધ્યાત્મ સાધના એ ત્રણ વિષયો ઉપર ખૂબ અભ્યાસ, ચિંતન, મનન અને માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યાં હતાં. આ ત્રણે વિષયે ભારતની વૈદિક, જૈન અને બૌધ્ધ પરપરાના ગ્રંથોના આધારે ચર્ચવામાં આવ્યા હેાવા છતાં, એને કેવળ શાસ્ત્રીય કે વિદ્ભાગ્ય બનાવવાને બદલે સામાન્ય જિજ્ઞાસુને પણુ રસ પડે એ રીતે પડિતજીએ ચર્ચા ભૂમિકા આ વ્યાખ્યાનમાળામાં પહેલાં વ્યાખ્યાન પ્રા. રાનડેનાં સને ૧૯૪૮ માં થયાં હતાં. પ્રે, રાનડે આવા વિષયના વિદ્વાન, વિચારક અને ચિંતક હોવા ઉપરાંત એક સાધક પણ છે. એટલે તે આ અંગે ખેલેલા એ પોતાના વિશાળ વાચન અને ચિંતન ઉપરાંત પ્રત્યક્ષ અનુભવને આધારે ખેલેલા. આ પછી ' સને ૧૯૪૮ માં આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવાનુ મતે શ્રી રસિકભાઈએ કહેલુ, પણ જે વ્યાખ્યાનમાળામાં પ્રે. રાનડે જેવા વિખ્યાતનામ વ્યકિતનાં વ્યાખ્યાના થયા હોય એમાં એમની પછી ખેાલવાને મને સહેજ કાચ થતા હતા. એટલે એ વખતે મેં હા ન પાડી. આમ છતાં મારે આ વ્યાખ્યાનમાળામાં ખેલવું એવી શ્રી રસિકભાઇની માગણી તે ચાલુ જ હતી. એટલે સને ૧૯૪૮ થી ૧૯૫૦ ની સાલ સુધીમાં મેં, અંગત રીતે ઘણાં વર્ષો અગાઉથી મનમાં વિચારી રાખેલ આ વિષયસ'ખ'ધી વિશિષ્ટ વાચન શરૂ કર્યું, અને એની નોંધ લખાવતા ગયો. આ અધી નવાની નોટ મારી પુત્રી સમી શારદા ખી. દોશીએ સાચવી રાખેલી તે છેવટે આ માટે ઉપયોગી થઈ છે. આ બધાં વર્ષોં દરમ્યાન પણ આ વિષયના ખેલનાર ખીજા કોઈને લાવવા અને મારા માથેથી ભાર ઉતારવા મેં પ્રયત્ન કરેલો, પણ એ સફળ ન થયા. એટલે છેવટે મેં મારા સકાચ દૂર કરીને આ કામને સ્વીકાર કર્યાં, પરિણામે આજે આ વ્યાખ્યાનો યોજાયા છે. આત્મ-વિચારણા સાચી રીતે તેા આવા વિષયમાં જેમણે સાધના કરી હાય અને સામર્થ્ય યોગ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હોય એ જ, જાતઅનુભવને આધારે, ખેલી શકે. મારે કહેવુ જોઇએ કે આ વિષયપરત્વેનુ મારું જ્ઞાન પ્રત્યક્ષ નહી પણ પરાક્ષ છે, અને એને આધાર સામર્થ્ય - યોગ નહીં પણ શાસ્ત્રયોગ છે. પણ આવા વિષયેામાં કેવળ શાસ્ત્રચોગથી કામ નથી ચાલતું, એમાં તે સામર્થ્ય યોગ પણ જોઇએ, અને મારા સાચવુ કારણ આ જ છે. છતાં જ્યારે સ્વીકાર કર્યાં જ એટલે શાસ્ત્રયોગને આધારે આને ઘટતા ન્યાય આપવા પ્રયત્ન થશે. આને સ્વીકાર કરવામાં એક બીજો પણ વિચાર રહેલો છે, 豬樂茶業業業無業米米米業業業 હતા, એ આ વ્યાખ્યાનોની ખાસ વિશેષતા હતી. આ વ્યાખ્યાન અપાયાં એ તૈધને આધારે એ ત્રણે અહીં આપવામાં આવે છે. O ત્યારે તેની ટુકી તેધુ મે કરી લીધેલી વ્યાખ્યાનને ટૂંક સારી તૈયાર કરીને ટૂંકસારમાં કયાંય હકીકતદોષ ન રહી જાય એ માટે એ લખાયા પછી પંડિતજીને સંભળાવી લેવામાં આવ્યો છે. બધાય ધર્મોમાં રહેલાં પરસ્પરના સમન્વય સાધતાં તત્ત્વા ઉપર જ વિશેષ ભાર આપતાં આ વ્યાખ્યાન, તે તે ધર્મ શાઓના અવતરણા તથા વિશેષ નોંધા વગેરે સાથે, ગુજરાત વિદ્યાસભા તરફથી, પુસ્તક રૂપે પ્રગટ થવાના છે, રતિલાલ દીપચંદ દેસાઈ આપણે ત્યાં ઋષિઋણ આવે છે. પૂર્વના અને આપણને જે વારસા ઋણ પણ આપણા ઉપર યત્કિંચિત કુંડવાના વિચાર કહેવુ જોઇએ. અદા કરવાની બહુ જૂની પર ંપરા ચાલી ઋષિ–મુનિએ અને ચિંતા જે કઈં કરી ગયા સોંપી ગયા તે કારણે તેમના પ્રત્યેનુ રહેલું જ છે. અને એ ઋષિઋણને પણ આમાં રહે છે એમ મારે આ વ્યાખ્યાનમાળામાં ત્રણ દિવસમાં ત્રણ વિષયો—જે મૂળભૂત એક જ વિષયના એટલે કે અધ્યાત્મવાદના જ વિસ્તાર કહી શકાય— એ સંબધમાં કહેવામાં આવશે અને એના ક્રમ આ પ્રમાણે રહેશેઃ— (૧) આત્મવિચારણા, (ર) પરમાત્મા અને મેાક્ષવિચાર અને (૩) અધ્યાત્મ સાધના. પણ આ વ્યાખ્યાનમાળાના મૂળ વિષય અંગે ખેલતાં પહેલાં એક પ્રશ્નના થોડાક વિચાર કરવા જરૂરી લાગે છે કે-જે વખતે લોકોના મોટા ભાગનું ધ્યાન વિશેષ પ્રમાણમાં જીવનને સ્પર્શીતા અને તાત્કાલિક ઉકેલ માગતા આર્થિક, સામાજિક, રાજકીય, શારીરિક અને એવા જ ખીજા વિષયામાં ચાટયું હોય, તેવે વખતે સ્થૂળ જીવન સાથે સબંધ ધરાવતા ન દેખાય અને કળા, સાહિત્ય વિજ્ઞાન જેવા સૂક્ષ્મ વિષયાની કોટિથી પણ પર ગણાય, તેમજ જિજ્ઞાસુને પણ જેની તુરતાતુરત કે કાંઈક સરળ પ્રતીતિ થવી શકય ન હેાય એવા એક ગૂઢ વિષયની ચર્ચા અને વિચારણા કે સમક્ષ રજુ કરવી, તેમજ એવી વિચારણા તરક નું મન વાળવા પ્રયત્ન કરવા એ કેટલે અંશે સંગત છે ? પહેલી બાબત તે એ છે કે કોઇ પણ વિષયના અભ્યાસી પેાતાની ખાસ પસંદગીના વિષયના અભ્યાસ કરતી વખતે જો તેના મૂલ્યાંકનનુ ધેારણ એ જ રાખે કે તે વિષય ક્ષેાકેાને તરત રુચે કે સમજાય તેવા જ હાવા જોઇએ અને તે તાત્કાલિક જરૂરિયાતને સંતાષે તેવા પણ હોવા જોઇએ તે અભ્યાસના વિષયમાં ઘણા અગત્યના કહી શકાય એવા વિષયોનો સમાવેશ જ થવા ન પામે, અને તેમ થાય તે આજ સુધી માણસજાતે ચિંતન, મનન અને સંશોધનના પ્રદેશમાં જે કીંમતી કાળા આપ્યા છે તે કદી આપણને
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy