________________
તા. ૧-૧૧-૫૫
પ્રભુ જીવન
ગાંધીજી અને મણિભુવન
(ગાંધીજીની જન્મજયન્તી બીજી ઓકટોબર ૧૯૫૫ રવિવાર—ના રાજ મણિભુવનનું ઉદ્ઘાટન કરતાં ગાંધી સ્મારક નિધિના પ્રમુખ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરે પ્રમુખસ્થાનેથી કરેલું નિવેદન મણિભુવન સાથે જોડાયલા ગાંધીજીના જીવનના અનેક મહત્વના પ્રસંગાની ડિબંધ યાદી રજુ કરે છે. તે મૂળ હિંદીમાં હાઇને તેના અરધા ભાગના અનુવાદ નીચે આપવામાં આવે છે; બાકીના ભાગ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. તંત્રી)
મિત્રા,
ગાંધી સ્મારક નિધિના ઉદ્દેશમાં એક એ ઉદ્દેશ છે કે જે સ્થાનાના ગાંધીજીના કાર્ય અને જીવન સાથે સંબંધ હોય તે સ્થાનેનુ રક્ષણ કરવામાં આવે. આ બધા જ સ્થાનેનુ રક્ષણ નિધિ માટે લગભગ અસભવ જેવુ છે, તેમ અગત્યનું પણ નથી.
જે મર્યાદિત સાધતા અમારા હાથમાં છે તે દ્વારા અમે એવા કાર્યોને ઉ-તેજન આપવા માગીએ છીએ કે જે કાર્યોના બાપૂએ હિંદુસ્તાનને સ્વતન્ત્ર કરવા તેમ જ દેશને એક નવું સ્વરૂપ આપવાના ઉદ્દેશથી આરંભ કર્યો હતાં. જે સ્થળ કે જે વસ્તુ સાથે બાપૂને ધનિષ્ઠ સંબંધ હતો તે સ્થળ કે તે વસ્તુની આપણે યત્નપૂર્વક જાળવણી નહી કરીએ તે ભવિષ્યની પ્રજા પ્રત્યે આપણે ખેદરકારી દાખવી ગણાશે. કેમકે જેઓએ બાપૂને પેાતાની નરી આંખે જોયા નથી, તે બાપૂ સાથે સબંધ ધરાવતી વસ્તુને પોતાના ભૌતિક હાથેાથી સ્પર્શ કરીને બાપૂને જોયાને આનંદ માણશે—એમની મહત્તાને અનુભવ કરશે. અત્યારે આપણે જોઇએ છીએ કે બૌધ જગત તેમ જ જે દેશ બુદ્ધને અનુયાયી નથી તે પણુ યુદ્ધ ભગવાનનું કંઈપણ સ્મૃતિચિહ્ન કર્યાય પણ મળી જાય છે તે તેનું રક્ષણ કરવા કેટલી ઉત્સુકતા ધરાવે છે. તે દ્વારા તે મહાન વ્યકિત કે જેણે જીવનના ગહન રહસ્ય ઉપર ચિંતન મનન કર્યું, અને સત્યનું ઉજ્જવલ દર્શન પ્રાપ્ત કર્યું. તેની કલ્પના કરી સતાષ મેળવે છે,
આપણે બધાએ ગાંધીજીએ કામ કરતાં, કષ્ટ સહન કરતાં, સત્ય પ્રાપ્તિને અર્થે પ્રાર્થના અને મનન કરતાં, ઉપવાસ કરતાં, ઉત્તરાત્તર યુદ્ધને આર્ભતા,–એમ અનેક રીતે જોયા છે. આપણા ચિ-તમાં એમના વ્યકિતત્વને અને એમના દુબળા પાતળા શરીરમાં જળી રહેલી જ્યોતને આભાસ છે, એટલે એમની સ્મૃતિને જાગૃત રાખવા કોઈ બાહ્ય સાધનની જરૂર નથી, પણ ભવિષ્યની પેઢીને આવાં સાધનાની જરૂર ઝંખના, રહેવાની છે. આ દૃષ્ટિથી ગાંધી સ્મારક નિધિએ મણિભુવનને જાળવી રાખવાના નિર્ણય કર્યો છે.
સાબરમતી કે સેવાગ્રામ આશ્રમ કે જ્યાં બાપૂએ પોતાના જાહેર જીવનનાં કેટલાંએ વર્ષો વિતાવ્યા, જ્યાં રહીને એમણે સ્વાત ંત્ર્ય યુદ્ધનુ સંચાલન કર્યું એટલુંજ નહી પણ અહિંસક જીવનપદ્ધતિના અનેક પ્રયોગો કર્યા, તેની તુલનામાં મણિભુવન આવી શકે તેમ નથી. છતાંયે મણિભુવનની જુદી રીતે વિશેષતા છે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. ૧૯૧૭ ની સાલથી ૧૯૭૩ સુધી મણિભુવન છુટક છુટક સમય માટે બાપૂનું નિવાસસ્થાન રહ્યું છે. સમય સમય પર બ્રિટીશ સત્તા સામે શાંતિમય પડકાર એમણે મણિભુવનમાં બેસીને ફેંકયા છે. ઠેઠ ૧૯૩૪ સુધી કૉંગ્રેસની કાČકારિણીની એકા માટે જ્યારે તેઓ મુંબઈ
આવતા ત્યારે તેમના નિવાસ અહિં જ રહ્યો છે,
ભારતની સ્વાતંત્ર્ય લડતમાં મુ ંબઇએ હ ંમેશાં આગળ પડતા ભાગ ભજવ્યો છે. રાજકારણમાં મુંબઇ સદાય જાગ્રત છે. બાપૂ પણ મુંબઇ તરફ આકર્ષાએલા રહેતા હતા. જ્યારે જ્યારે બાપૂ મુંબઈ આવ્યા છે ત્યારે કંઈ ને કંઇ મહત્વપૂર્ણ ઘટના બની જ છે. આંદલના થયાં, કાર્યકારિણીની બેઠકો મળી અને વિદેશી શાસા સામે પડકાર ફેકાયા, તે બધાની સ્વાતંત્ર્ય યુધ્ધ ઉપર સારી જેવી અસર પડેલી છે. જાહેર જીવનના આરંભકાળથી બાપૂ સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે માર્ગ શોધી રહ્યા હતા, કાઇ એવી ચાવીની શોધમાં હતા જે ભારતની ખાઇ રહેલી તાકાતના માર્ગ મોકળો કરી આપે. આ શોધ અને તલાશમાં મણિજીવનના કંઈ ઓછા હિસ્સા નથી.
૧૨૫
મણિભુવન હીરાના પ્રસિદ્ધ વ્યાપારી શ્રી. રેવાશકર જગજીવન ઝવેરીની માલીકીનુ છે. બાપૂએ ૧૯૧૫માં જ્યારે પહેલવહેલા મુંબઇના કિનારે પગ મૂક્યો ત્યારે તે સાન્તાક્રુઝમાં રેવાશંકરભાઈની સાથે રહેલા. તે પછી મણુભુવન બંધાયું અને ૧૯૧૭માં બાપૂએ તેમાં પ્રથમ નિવાસ કર્યાં, ત્યારથી તે એક તીર્થંસમુ બની ગયું છે. ૧૯૧૫ પછી બાપૂ જ્યારે જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મણિભુવન સિવાય ખીજે ક્યાંય ઉતર્યાં જ નથી એમ કહેવા માટે તે ઊંડી તપાસ કરવી પડે. પણ એટલું નિશ્ચિત છે કે મણિભુવન બંધાયા પછી ઠેઠ ૧૯૩૪ સુધી ઘણા મોટા ભાગ તે જ બાપૂનુ નિવાસસ્થાન રહ્યું છે. આ મકાનમાં એસીને તેમણે સ્વાતન્ત્યયુધ્ધમાં વેગ આણુવાની ચર્ચા કરી છે, અનેક કાર્યકારિણીની બેઠકા અહિં જ મળી છે, અને અનેક એવી જાહેરાત અહિં બેસીને એમણે કરી છે કે જેથી બ્રિટીશ સામ્રાજ્યના પાયા હલી ઉઠયા.
આ એક આશ્ચર્યની વાત છે કે પહેલી કે જ્યારે બાપૂ મણિભુવનમાં ઉતર્યાં હતા ત્યારે તે કરતા હતા. અહિં એ જાહેર કરી દેવું યોગ્ય ગણાશે કે અત્યારસુધી ગાંધીજી ચરખાને નજરે જોયા વિના જ તેના ગુણગાન ગાતા હતા. ૧૯૦૮ માં એમણે “હિન્દ સ્વરાજ” લખ્યું તેમાં તેમણે દેશની ગરીખી દૂર કરવાનું સાધન એક માત્ર ચરખાને ગણાવ્યા છે, છતાં ૧૯૧૭ સુધી પ્રત્યક્ષ ચરખાને જોવા એ એમને માટે ખાકી હતું.
ખીજી જ વખતે ચરખાની તપાસ
૧૯૧૬ માં સાબરમતી આશ્રમની સ્થાપના થઈ ચૂકી હતી. દરેક આશ્રમવાસી હાથવણાટનુ જ કાપડ વાપરે એવા નિયમ કરવામાં આવ્યો હતા. કેટલાક વણુકરા શોધી કઢાયા જે મીલનું સુતર વણી જાણતા હતા. પણ મીલના સુતરના ઉપયોગ ન કરવાના ઇરાદાથી ચરખાની શોધ ચાલી.
૧૯૧૭ માં બાપૂની ગંગાબેન મજમુદાર સાથે ભેટ થઈ, એમણે ચરખો શોધી લાવવાનું ખીડુ ઝડપ્યું અને શેાધી લાવ્યાં. ગત વડાદરા રાજ્યના વિજાપુર જીલ્લામાં એમને ચરખાનેા પત્તો મળ્યો. ખીજી સમસ્યા હતી હાથબનાવટની પુણીની, જ્યાં ખાપૂ બેસતા ત્યાં આગળથી ખભે પિંજણ લટકાવીને એક પિંજારા રાજ પસાર થતા, બાપૂએ એને ખેલાબ્યા. પુણી બનાવવા જેવું રૂ પિંજી આપવા તે તૈયાર થયા, પણ મજુરી આકરી માગી. બાપૂ તે ાઇ પણ કિંમત આપવા તૈયાર હતા મણિભુવનમાં કાંતણુ વર્ગ શરૂ થયા, જેમાં સૌથી આગળ પડતા ઉત્સાહી વિદ્યાર્થી ગાંધીજી પોતે હતા. તબિયત નરમ હોવા છતાં એમને કાંતવાનો ઉત્સાહ જરાયે નરમ નહાતા પડતા. ઉલટુ' ચરખાનું ગુંજન એમને આરામદાયક બનતું.
ગાંધીજીના જીવન સાથે વ્યકિતગત સંબંધ રાખતી એક બીજી ઘટના પણ મણિભુવનમાં બની. ગાંધીજીએ દૂધ ન પીવાના સપ કર્યાં હતા. ૧૯૧૮ માં મરડાના વ્યાધિ થયો ત્યારે આ સંકલ્પ બહુ બાધક રૂપ થઇ પડયો. ગાંધીજીએ કાઇપણ દવા કે ઇન્જેકશન લેવાનો ઇન્કાર ભણી દીધા. તબીયત વધારે બગડી. કાઇએ માંસની વાનગી અને ઈંડા ખાવાની સલાહ આપી. તે તે આપૂ સ્વીકારે જ શાના ? બધા મિત્રા સ્વજનો લાચાર બન્યા. બહારગામ લઈ જવાની સલાહ
મળી, અને સત્યાગ્રહઆશ્રમમાંથી એમને માથેરાન લાવવામાં આવ્યા. માથેરાન માફ્ક ન આવ્યું અને મુંબઇ લાવીને મણિભુવનમાં રાખ્યા. ડોકટરોએ કહ્યું કે જો બાપૂ દૂધ ન પીએ તે પછી અમારી પાસે કોઈ ઈલાજ નથી. બાપૂએ પોતાનો સંકલ્પ અને દૂધ પીવાની લાચારી બતાવી. કસ્તુરખા કે જે અત્યારસુધી બધી વાતચીત સાંભળતા હતા
તેમણે કહ્યું “બકરીનું દૂધ સંકલ્પમાં નથી.” બાપૂ માની ગયા. જીંદગી બચી તે ખરી, પણ વ્રતના આવા અર્થ કરી દૂધ પી જીદગી બચાવવામાં બાપૂ ખૂશી નહાતા. સત્યની ખેાજમાં કરનારા બાપૂને વારંવાર શંકા ઉડ્ડયા કરતી “સત્યને ખાતર જીવન ન્યોચ્છાવર કરવામાં મેં પીછેહટ નથી કરી ” જે સવાલ ઉપર એક સામાન્ય મનુષ્ય જરાએ વિચાર ન કરે તે પ્રશ્ન આ સત્યભકતને મન જીવનમરણના પ્રશ્ન હતો.