SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૫૫ પ્રબુદ્ધ જીવન ભૂમિદાન વિષે મારારજીભાઈ ( ભૂદાન આન્દોલન સબંધમાં મુંબઇ પ્રદેશના મુખ્ય સચિવ શ્રી મારારજીભાઇ કેવું વલણ ધરાવે છે એ વિષે કંઇ કર્યું તર્ક વિતર્કોં ચાલી રહ્યા હતા. તા. ૧૦ મી જુને સાબરકાંઠામાં કરવામાં આવેલ ભૂમિ વિતરણમાં ભાગ લેતાં તેમણે કરેલું નીચેનું પ્રવચન ઉપરની બાબતમાં સંતોષકારક સ્પષ્ટતા કરે છે, અને ખીજી રીતે પણ માર્ગદર્શીક છે. આ પ્રવચન ભૂમિપુત્રમાંથી ઉદ્દધૃત કરવામાં આવ્યું છે. તંત્રી ) આ ભૂમિવિતરણ સભામાં હાજર રહેતાં અને ભૂમિ મેળવનારાઆને પ્રમાણપત્ર આપતાં મને ધણા આનંદ થાય છે. આ પૂણ્યકાર્યમાં મને હિસ્સા આપવા માટે ભૂદાનમાં કામ કરનારા જે ભાઇબહેનોએ મહેનત કરી છે તેને હું આભાર માનુ છું. મારે માટે ગૂજરાતમાં ભૂમિવહેંચણીનો પહેલો પ્રસંગ છે. એટલે એ વિશે હું જે સમજું છું તે રજૂ કરૂં તે કેટલાક સશયા દૂર થવા સભવ છે. વિશ્વ-ક્રાંતિ માણુસ એની બુદ્ધિને કારણે બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. પણ બુદ્ધિના ઉપયાગ તે ધારીએ તા ભલા માટે થાય અને ધારીએ તા બૂરા માટે થાય. નકામી વસ્તુ પણ સારી બુદ્ધિથી વપરાય તે લેખે લાગે, અને સારામાં સારી વસ્તુનો પણ કુબુદ્ધિથી દુરૂપયોગ થઇ શકે. માણુસ શ્રેષ્ઠ ચોનિમાં જન્મ્યો છતાં માનવ–સમાજમાં છે તેટલાં દુઃખા પ્રાણી સમાજમાં ભાગ્યે હરો, જગત શરૂ થયું ત્યારથી માણુસ બુદ્ધિના દાવપેચ ઊભા કરીને સુખી થવાનાં કાંકાં મારતો રહ્યો છે. દરેક જણ પોતાનુ સુખ ઝંખે છે, પણ દુઃખને જસુખ માની એની પાછળ દોડે છે. આમ સુખ મેળવવા જતાં દુઃખ પામે છે. પણ આજે હવે હું આખા જગતમાં એક ક્રાંતિ થઇ રહેલી દેખુ છુ. પહેલાં દુનિયામાં ઝાંઝાં દુ:ખી હોય અને થોડાં સુખી હોય તે તેના પર ધ્યાન નહતું અપાતું. હવે તા માણુસ માત્ર દુઃખમાંથી કઈ રીતે મુક્ત થાય એના વિચાર બધા દેશમાં ચાલે છે. સાચુ' સુખ શેમાં છે એ બધાં સમજી લે અને એમાં ભરાસા રાખી પારકે દુ:ખે દુ:ખી થાય અને સૌના સુખમાં સુખી થાય તેા ધણી મુશ્કેલીઓના અંત આવી જાય. આાપુએ ખતાવેલા રસ્તા આજે જગતમાં ધણા વાદ ચાલે છે. દરેકના દાવા લાંકાને સુખી કરવાનો છે. હું વાદના ઝઘડામાં નથી પડતો. હું તો એટલું જ જોઉં છું કે તે સાધન કયું વાપરે છે, કારણુ સારા ધ્યેય માટે પણ ખોટા રસ્તા લેવાય તેા પરિણામ નઠારાં આવે છે. બાપુએ એક ખૂબ સરળ માર્ગ બતાવ્યો છે, પણ જગત વિચિત્ર છે. જે સરળ છે તે જ એને મુશ્કેલ લાગે છે, ને મુશ્કેલ છે તે સરળ ભાસે છે. એ જ માયા છે. બાપુએ ચીંધ્યુ તે છે તે સરળ, પણ આપણને વનમાં મુશ્કેલ લાગે છે, સારામાં સારી જમીન મળે, પણ ખેડ, ખાતર, ખી ને પાણ— નિંદામણનો ખ્યાલ ના રાખીએ તે હાથમાં કાંઈ ના આવે. વાપરતાં ન આવડે તે એજાર શા કામનુ ? તેમ ખાપુના ઉપદેશના ઉપયોગ ન કરીએ તેા એ ઉપદેશ શાં કામના ? થોડાંકે ઉપયોગ કરી જાણ્યો તેથી સ્વરાજ્ય મળ્યું, ઋતિહાસમાં કદી નહેતુ અન્યું એવું બન્યું. આપણી મહેનતના પ્રમાણમાં બહુ મોટું પરિણામ આવ્યું. એ બાપુના તપનુ કૂળ છે. હવે જો એ ફળને લાયક ના થઇએ તે આપણા જેવા અભાગી ને દુ:ખી કાઈ નહીં હોય. બાપુ જેવા નેતા મળ્યા છતાં એને ચીંધ્યે રસ્તે ન જઈએ તે આપણા દેશનેા ધબુદ્ધિના દાવા પોકળ છે. ભણેલી પ્રજામાં ધર્મબુદ્ધિ ઓછી છે. અજ્ઞાન જનતામાં ધર્મબુદ્ધિ વધારે છે, પણ તે પૂરી સમજશકિતવાળી નથી, તેથી તેમાંથી ખમીર પેદા થતું નથી. વળી કમબખ્તી એ છે કે ખમીર પેદા કરવાનું કામ ભણેલા—ભટકેલાએ કરવાનું છે. ૫૯ એવા કાઈનેાય દાવેા નથી, પણ જે એમ કહે છે કે ભૂદાનથી બધા પ્રશ્નોના નિકાલ નહીં થાય તેથી ભૂદાન પર ધ્યાન ન આપે, તેનુ કહેવુ' સાવ અયાગ્ય છે. એક સાધન શુદ્ધ રહેશે તે ખીજા' શુધ્ધ થશે જ. ભૂદાનથી ભૂમિના બધા પ્રશ્નો પતી જશે એવા દાવા નથી, પણ કાયદાથી જમીનની વ્યવસ્થા થઇ શકે એવું કહેનારા પણ ભૂલમાં છે. કારણ કે, જ્યાં સુધી સારા કાયદાને પચાવવાની અને અમલ કરવાની બુદ્ધિ ના હાય, ત્યાં સુધી એ કાયદાથી સમાજનું કલ્યાણુ થવુ મુશ્કેલ છે, અશકય છે એમ કહું તેાય અતિશયોકિત નથી. યોગ્ય કાયદા માટે સત્બુદ્ધિ મળે એવી શક્તિ સમાજમાં આવે એની ખરી જરૂર છે. એ કામ રાજ્યના કરતાં પણ વધારે જરૂરી છે એટલા માટે આ આંદોલનને હું ખૂબ જ મહત્ત્વનું સમજુ છું. કેટલીકવાર ગેરસમજ થાય છે કે હું ભૂદાનના પક્ષમાં નથી, અગર તો મારી નિષ્ઠા માળી છે. હું કમભાગ્ય કે સદ્ન ભાગ્યમાં નથી માનતા, ભાગ્યમાં માનું છું. ભાગ્ય માણસના કર્મ પર રચાય છે. તેથી મારા વિષે થતી ગેરસમજૂતીને હું કર્મનાં મૂળ ગણું છું. સદ્ધિ અને દુર્બુદ્ધિ ભૂદાન અને કાયદા આવી વિષમ દશામાં વિખાજીએ ભૂદાનનું આંદોલન શરૂ કર્યું. છે. બાપુની કલ્પનાના સમાજ રચવા માટેનુ એ મોટામાં મોટુ સાધન છે. અલબ-ત ભૂઠ્ઠાનથી જ આપણા બધા પ્રશ્નોના નિકાલ થઈ જશે 1 ભૂદાન ત્યાગ શીખવનારી મેોટામાં મોટી શિત છે. ત્યાગ વિના કહેવાય નહીં. આવી ત્યાગબુદ્ધિ ભૂદાનમાંથી પેદા થાય છે એ વાત દીવા માણુસાઈના દીવા પેટે નહીં. ત્યાગ ન કરે ત્યાં સુધી માણસ માસ ખાટુ કરતા હોય અને ખાટા જશ રળતા હોય તા એ દોષ જેવી સ્પષ્ટ છે. ઘણા માણસો એમાંથી લાભ લેતા હેાય, અગર તા ભૂદાનયનના નથી, પણ મારા ને તમારો છે. એવા દોષ હોય જ નહીં એવું માનનારા સાથે ચર્ચા જ ન હાય, જગતમાં ક્રાઇમ પ્રવૃત્તિ દોષમુકત નથી. પૂર્ણતા તા થ્વિરમાં જ મળે છે. અપૂર્ણ માણુસની અપૂર્ણ માંથી પૂર્ણ થવાની વૃત્તિ એ જ એની સદ્ગુદ્ધિની નિશાની છે. સત્કાર્ય માંથી ખાડખાંપણ શોધી શોધીને એની સામે આંગળી ચીંધ્યા કરવી એ દુર્ખ હિંની નિશાની છે. એ ખાડ દૂર કરવા પોતે શું કર્યું... એ વિચારવામાં હિત છે. આજ જો હું રાજ્ય ના ચલાવતા હાત તો ભૂદાનમાં પડયા હોત એમાં શંકા નથી. તે હું કેમ પડતો નથી એ પ્રશ્નના જવાબ આપુ તે તે કોઈના ગળે ઊતરે ના ઊતરે એટલે હું આપતા નથી. હું સંગઠન, શિસ્ત તે નિયમમાં માનુ છુ. અને એમ પણ ` માનુ છુ કે સંગઠન સિવાય માણસ કા કામ પૂરૂં કરી શકતા નથી. હવે જે સંસ્થામાં હું માનું છું એ કાંગ્રેસ સસ્થા મને જે સોંપે તે કરવા હું બંધાયેલા છુ અને એને સફળતાથી પૂર્ણ કરવામાં મારો ધર્મ માનું છું. અને તેથી હવે મારે શું કરવુ' શું ના કરવું તેને નિર્ણય હું મારા નેતા પર છેડુ છું. એ જે કામ આપે તે મારે કરવું જોઇએ અને તેથી હું મારે આ કરવું શું ના કરવું તેના વિચાર કરતા નથી. જો હું મુખ્ય પ્રધાન તરીકે ભૂમિ લેવા જઉં તો લોકો મુખ્ય પ્રધાનને ખુશ કરવા કે કકિ મેળવવા માટે જમીન આપે. એમાં ત્યાગના સંભવ ઓછો છે. ગમે તે પ્રકારે જમીન મળવી જ જોઇએ તેવું મુખ્ય પ્રધાન માટે જ. સત્તામાં રહી શુદ્ધ રહેવુ એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. એમાં હું પણ ખચ્યા નથી. બચવાના દાવા પણ કરતા નથી પણ રાતક્વિસ ખચવા માટે મહેનત કરૂં છું. અને તેથી જ આ વસ્તુમાં સીધે પડી શકતા નથી, જે કામ જે રીતે થવું જોઇએ એ રીતે ના થાય તે પરિણામ સારાં આવતાં નથી. દરેક જગ્યાએ એ વાત મેં સાફ કહી છે કે આ ક્રાંતિમાં સૌએ શકય તેટલી મદદ કરવી જોઇએ. ભૂદાનયજ્ઞ સફળ કરવામાં આળસ ના કરવુ જોઇએ. બાપુએ ખાદી વિષે એ જ કહેલુ કે જો ખાદી પાછળ ભેખ લેશે તે જ સ્વરાજ્ય આવશે. ખાદી પાછળ ભેખ ના લીધા તેથી સ્વરાજ્યમાં ખોટ લાગે છે, અનેક પ્રકારનાં દૂષણા લાગે છે. જે પ્રમાણે થવુ જોઇએ તે પ્રમાણે ના થાય તે દાવાનળ પણ શરૂ થાય. ભૂમિદાનના સકલ્પ પ્રમાણે પાંચ કરોડના કાટા પૂરા થાય. પણ તે શુદ્ધ રીતે ના થાય એ અનિચ્છનીય છે, પણ જો ઓછું થાય એ પશુ શુદ્ધ રીતે થાય તે એ ઘણું છે. એથી સમાજ રચવા જે સમુદ્ધિ જોઇએ તે જન્મ્યા સિવાય રહેવાની નથી. સમાજ અંગેનુ ન પણ
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy