SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૫૫ ભૂદાન પ્રવૃતિ કેટ્ટી રીતે અમલી બની રહી છે તેના તેમને કાંઇ જાત અનુભવ છે કે નહિ અને આચાર્ય વિનેબા સાથે તેમણે દિ આ જમીનના પ્રશ્નની ચર્ચા કરી છે કે નહિ તેના જવાબમાં ડૉ. મહેતાએ જણાવ્યું તે “ એરીસ્સામાં વિનેબાના પ્રવાસની વિગતા હુ જાણું છું. એ પ્રવાસ પાછળ કેટલો પૈસા ખરચવામાં આવ્યો છે અને રાજ્યે કેવી મોટા પાયા ઉપરની ગોઠવણા કરી હતી તે જાણીને મને સખ્ત આધાત લાગ્યો હતા.” જમીનના પ્રશ્ન વિષે તેમણે ૧૯૫૩ માં એક લાંખે પત્ર લખ્યાનુ અને વિનેબાજી તરફથી સ્વીકૃતિ ઉપરાંત વિશેષ કાંઈ જવાબ નહિ મળવાનું ડૉ. મહેતાખે જણાવ્યું હતું. પ્રભુદ્ધ જીવન ૫૭ વ્યક્તિ તરફથી કરવામાં આવે તે અત્યન્ત દુઃખદ છે અને વિનાખાજીને ભારે અન્યાય કરનારૂં છે. ગાંધીજી અને વિનોબાજીની વિચારણામાં કે કાય પધ્ધતિમાં કશે પણ તાવત હાઈ જ ન શકે એમ કહેવુ' કે વિચારવું ચેાગ્ય ન ગણાય; કારણ કે એ વિશિષ્ટ વ્યક્તિઓ ખથી બાબતમાં સમાન હોઈ ન જ શકે. પણ ડૉ. મહેતાબ તે એ વચ્ચે જે રીતે તાવત તારવે છે તે વસ્તુતઃ ભેદ વિનાનો તાવત લાગે છે અને તેથી હાસ્યાસ્પદ ભાસે છે. હાઇડ્રોજન એમની અપાર વિનાશકતા વિષે વૈજ્ઞાનકોની ચેતવણી દેશમાં ચાલતી આ ભૂદાન પ્રવૃ-િત વિષે આપણા અગ્રગણ્ય રાજકારણી આગેવાનામાં મતભેદ હાય એ કોઇ આશ્ચયના વિષય નથી. એ આંદોલન પ્રત્યે પુરી સહાનુભૂતિ દાખવનારના ક્લિમાં પણ તેને લગતી અનેક વિગતા વિષે કંઇ કઇ પ્રકારની ચા રહેલી જ છે. જમીનનુ વિભાજન અર્થક્ષમતાના ધેારણ ઉપર થવું જોઇએ એ વિચાર સાથે ભૂદાન પ્રવૃત્તિમાંથી ઉભા થતા જમીનના નાના નાના ટુકડાઓમાં થઈ રહેલા વિભાજનનો વી રીતે મેળ મળશે એ આજે પણ અનેકને ચવતા પ્રશ્ન લાગે છે. આમ છતાં પણ વિનોબાજી એ ગાંધીવિચારસરણીની વિસ્તરતી આવૃતિ છે, અહિંસાની દૃષ્ટિએ ફરજિયાત ત્યાગ કરતાં સ્વેચ્છાએ ત્યાગ કરવામાં આવે એ અત્યન્ત આવકારદાયક છે, ભૂદાનથી જમીનનો પ્રશ્ન અન્તિમ રીતે ઉકલે કે ન ઉકલે એમ છતાં પણ આપણી જમીન અને આપણી સંપત્તિના કેવળ આપણે માલીક નથી, એમાંથી અન્ય માટે ભાણ આપ્યું જ છૂટકા છે એવી આોહવા છેવટના ઉકેલમાં પૂરી મદદરૂપ નીવડવાની છે—આ લગભગ સર્વસ્વીકૃત બાબતો. ડા. મહેતાબના ધ્યાન ઉપર કેમ આવતી નથી એ સમજાતું નથી. આજે શ્રીમન્ત અને ગરીબ વચ્ચે જે અસીમ અન્તર છે તે દૂર કરીને ઉભય વચ્ચે સમાનતા ઉભી કરવામાં જ આજની ગરીબાઈનો ઉકેલ રહેલો છે એ સૌ કાઈ સ્વીકારે છે. આને ઉપાય જેની પાસે જે કાંઇ હોય તેમાંથી સર્વ સમુદાય માટે કાંઈક આપે તેમાં જ રહેલો છે. આને શ્રીમન્તાઈનું વિભાજન કહા કે ગરીબાઈનું વિભાજન કહા અન્નેના અર્થ અને પરિણામ એક જ છે. વિનાબાજી સાધારણ સ્થિતિના માણસાને કાંઇક આપવાનું કહે છે ત્યારે શ્રીમન્તાની ટ્રસ્ટીશીપના સિધ્ધાન્તનો કોઈ અંશમાં પણ ઇનકાર કરતા જ નથી. સંપત્તિાનની માંગણીના પાયામાં જ એ વાત રહેલી છે. આમ છતાં ગાંધીજી અને વિનાબાજીની કાર્યપધ્ધતિમાં અને વિચારસરણીમાં ધણા મોટા તફાવત છે એમ જ્યારે રાજ્યપાલની જવાબદારી ધરાવતા આવા મોટા માણુસ અને આજ સુધીના વિચારપ્રવાહથી સારી રીતે રગાયલા માણસ કહે છે ત્યારે ભારે આશ્ચર્ય થાય છે અને આ બધું કહેવા જણાવવામાં વિનાખા સામેના કોઇ પૂર્વગ્રહ તે કામ કરી રહ્યો નહિ ડ્રાય એવી આશકા મન અનુભવે છે. આવુ જ આશ્ચ વિનોબાના ચાલી રહેલા પ્રવાસ અત્યન્ત ખર્ચાળ હોવાનું જાહેર . ધરત્તા ડૉ. મહેતાબ પેદ્ય કરે છે. સામાન્ય રીતે ૨૫-૫૦ માણસાના પ્રસ્તુત આન્દોલન અર્થે પ્રવાસ ચાલતા હાય અને એમાં પણ" વિનાબાજી જેવી વ્યક્તિ કે જેમની પાસે આજે સંખ્યાબંધ બહેને તથા ભાઈ માર્ગદર્શન માટે આવતાં જતાં રહે છે એ સયેાગમાં તેમના કારણે અનેક આગન્તુકાની પણ સ્થળે સ્થળે અમુક વ્યવસ્થા કરવાની હાય જ અને તે માટે અમુક ખર્ચ તે થાય જ. પણ આ ખર્ચ વાંધા પડતા તા ત્યારે જ લેખાય કે જ્યારે તે અંગે દેખાવ અને દમામ પાછળ અથવા તો માલમિષ્ટાન્ન ખાવાખવરાવવા પાછળ વિવેક વિનાના અર્થવ્યય થતા હાય. ગાંધીજી અને તેમના પરિવારને નિભાવવા તેમજ તેઓ આવા પ્રવાસે નીકળતા ત્યારે તે પ્રવાસને લગતી જરૂરિયાતને પહોંચી વળવા કેટલા મોટા ખર્ચ થતા હતા તે ડૉ. મહેતાબ શું નથી જાણતા ? આમ છતાં આ ખતે તેમણે કે કાએ કદિ પણ ઉડાઉગીરી તરીકે વર્ણવેલ નથી--એવા વિચાર સ્વપ્નમાં પણ કદિ કાઇએ ચિન્તવ્યો નથી. વિનાખાજી ઉપર આવા આક્ષેપ આવું જવાબદાર સ્થાન ધરાવતી ! સુવિખ્યાત બ્રીટીશ તત્વવે-તા અલ ખૉન્ડ રસેલ જેની આજે ૮૦ વર્ષ ઉપરની ઉમ્મર છે તેમણે જુલાઇ માસની નવમી તારીખે દુનિયાના ખૂબ જાણીતા અને તેમાંના કેટલાક નાખેલ પ્રાઇઝ ધરાવનાર આઠ વિજ્ઞાનશાસ્ત્રીઓની સહી સાથેનું એક ભારે મહત્વનું નિવેદન બહાર પાડયુ છે. આ નિવેદન અણુશસ્રાની ભયંકર સ ંહારશકિત તરફ ભિન્ન ભિન્ન રાષ્ટ્રના શાસકોનુ અને આખી માનવ જાતનું ધ્યાન ખેંચે છે. અને અણુશસ્ત્ર પેદા કરવા માત્રથી સાષ નહિ માનતા આ દુનિયા ઉપર યુધ્ધને તદ્દન અસંભવિત બનાવવા તે અત્યન્ત ઉત્કટતાપૂર્વક અપીલ કરે છે. આ નિવેદન ઉપર તાજેતરમાં જેનું અવસાન થયું છે, એ અધ્યાપક આલબર્ટ આઇન્સ્ટીને અવસાનના અઠવાડીઆ પહેલાં ગયા એપ્રીલ માસની ૧૧ મી તારીખે સહી કરી છે. આ ઉપરાંત જાણીતા સામ્યવાદી અધ્યાપક ઝુલીએટ કયુરીએ પણુ આ નિવેદન ઉપર સહી કરી છે. જ્યારે ચાર રાષ્ટ્રના મુખ્ય સતાધીશો ચાલુ માસની ૧૮ મી તારીખે મળી રહ્યા છે, ત્યારે તેમનુ તેમજ આખી દુનિયાનું આ ભયંકર કટાકટી તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે બર્ટ્રાન્ડ રસેલને અનેક ધન્યવાદ ધટે છે. બર્ટ્રાન્ડ રસેલના આ નિવેદનની વિશેષ મહતા એ માટે છે કે આજથી છ વર્ષ પહેલાં ૧૯૪૯ માં આ જ ખર્ટ્રાન્ડ રસેલે પોતાના એક વાયુપ્રવચનમાં જાહેર કરેલું કે સેવિયટ રશીઆનુ દુનિયા ઉપર પ્રભુત્વ સ્થપાય તે કરતાં તે એક અણુ યુદ્ધ થઈ જાય તે વધારે સારૂ એટલુ જ નહિ પણ રશીના વધતા જતા પ્રભાવ પશ્ચિમની સભ્યતાને ભારે ખતરનાક નીવડાવા સંભવ છે એમ જણાવીને રીઆને ભાગી નાંખે એવા એક અટકાયતી યુધ્ધ-preventive war—ની તેમણે હિમાયત કરી હતી. પાંચ વર્ષના ગાળે આજે તેમની વલણમાં મહત્વના ફેરફાર થયેલા માલુમ પડે છે અને કાઈ પણ પ્રકારના યુદ્ધના તેઓ સખ્ત વિરોધી બન્યા છે. પ્રસ્તુત નિવેદન નીચે મુજબ છેઃ— ક્ષા “ભવિષ્યના કાઈ પણુયુધ્ધમાં અણુશસ્ત્ર (nuclear weapon) જરૂર વપરાશે અને આ શસ્ત્રોના ઉપયોગ માનવ જાતિના ચાલુ અસ્તિત્વને જોખમમાં મૂકશે એ હકીકત ધ્યાનમાં લઇને દુનિયાની સરકારી હકુમતને અમે આગ્રહપૂર્ણાંક જણાવીએ છીએ કે તેમની કોઈ આકાંવિશ્વયુદ્ધથી સિદ્ધ થવાના લેશમાત્ર સંભવ નથી એ તે ગંભીરેપણે ધ્યાનમાં લે અને જાહેર રીતે સ્વીકારે અને તેથી તેમના ઝગડાઆની પતાવટ માટે શાન્તિમય ઉપાયો અખત્યાર કરવાનું કબુલ કરે. માનવી માનવીને અપીલ કરે એ સબંધના આધાર ઉપર સમગ્ર માનવજાતને અમે અપીલ કરીએ છીએ. તમારી માનવતાને યાદ રાખા અને ખીજું બધું ભુલી જાઓ. એમ જો તમે કરશો તે આ દુનિયામાં તમે સ્વર્ગને સમીપ લાવી શકશો. જો એમ નહિ કરો તો સંપૂર્ણ વિનાશનુ જોખમ તમે નાતરા, એક યા અન્ય રાષ્ટ્રના કે ખંડના પ્રજાજન તરીકે અથવા તો કોઇ એક ધર્મના અનુયાયી તરીકે નહિ પણ માનવ તરીકે, જેનુ ચાલુ અસ્તિત્વ આજે શીંકાસ્પદ બન્યું છે. એવી માનવી નામની એક જાતિના સભ્ય તરીકે અમે આ જાહેરાત કરી રહ્યા છીએ. હાઈડ્રોજન મેબના ઉપયેગ સાથેના યુદ્ધમાં મેટાં શહેરો ખલ્લાસ થઈ જશે એમાં તા કોઈ શક છે જ નહિ, પણ આ તે પ્રમાણમાં એક નાની આક્ત હાવાની કે જેને આપણે સામના કરવા
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy