________________
તા. ૧૫-૪–૧૪
ઈર્ષ્યા આવી, ધીરેધીરે હિમશિખરા. દૃષ્ટિ સમીપ આવીને ઉભા રહ્યાં. શેરપાએનું જાણીતું . ગામ નામચેબજારની ભાગોળે જઇ પહેાંચ્યા. એક સુરૂપ શેરપા સ્ત્રીને અમે નેપાલી શૈલિનાં આભૂષણે વડે સજ્જ થતી નિહાળી, શેરપાનુ નૃત્ય જોયું, પૃષ્ટ ભૂમિકામાં કવાંગડે, ટાવેચે, આમા ડબ્લમ આદિ ગિરિશિખશનાં દર્શન કર્યો. એવરેસ્ટે પણ અવારનવાર હવે ડોકીયાં કરવા માંડયાં. નામચેબજા રથી આગળ ચાલ્ખાં, ઇમજા ખાલા નદી ઓળંગી. બૌદ્ધોનુ યાત્રામથક યાંગચેના મઢની સમીપ આવી પહેોંચ્યાં. ત્યાંના લામાને તેમના ‘ આપીશીયલ ' પેશાકમાં જોયા. આ પ્રદેશ સૃષ્ટિસૌન્દર્ય ની દૃષ્ટિએ અત્યન્ત ચિત્તાકર્ષક છે. ત્યાંથી આગળ ચાલ્યા અને ઝાડપાન લીધેાતરી વિરલ થવા લાગ્યાં. ખરથી ઢંકાયેલા પ્રદેશોમાં અમારી પ્રવાસી મંડળી સાથે અમે પણ વિચરવા માંડયુ. ડાબી બાજુએ ત્રિશંકુ આકારના ખુમારી પર્યંત અમારી નજરને ખેંચી રવો. થયુ ગ્લેશીયરમાં થઇને અમે આગળ વધી રહ્યા હતા. સમીપ રહેલા એવેરેસ્ટનું આવરણ કરતી નમ્સે પવતની ૨૫૦૦૦ કીટ ઉંચી લાંબી દીવાલ ઉભી હતી; તેની પાછળ એવરેસ્ટનુ '૨૯૦૦૨ ની ઉંચાઇવાળુ શખર અમારી આંખોને પાવન કરી રહ્યું હતુ. જમણી આજીએ ૨૮૦૦૦ પીટની ઉંચાઇવાળા લેટ્સે પર્વત શાળી રહયા પ્રહતે. પ્યુમારી તરફ્ જતાં જમણી બાજુએ જેને આસફેાક્ષ– હિમપ્રપાત-કહે છે, જ્યાં બારે માસ જાણે કે વહેતા ન હેાય એવા હિમના ઢગના ઢગ પડેલા હેાય છે તે એવરેસ્ટના પ્રવેશદ્વારને અમે નજરે નિહાળ્યું. તેની આગળ જેને વેસ્ટન કમ કહે છે જ્યાં એવરેસ્ટ, લેસ્સે, અને નપ્લે ત્રણે પતના બરફ એકઠા થાય છે તે કલ્પનાથી અમે જો” શકયા. લેટ્સે અને એવરેસ્ટને જોડનાર સાઉથ ક્રાક્ષ-એવરેસ્ટના દક્ષિણુ ખભા જ્યાં થઇને ટેન્સીંગ અને હીલરી - એવરેસ્ટના શીખર સુધી પહોંચ્યા હતા, એવરેસ્ટનું સાઉથ પીક - દક્ષિણ શિખર-જ્યાં એવરેસ્ટ પહોંચ્યા પહેલાંની રાત્રી આ બન્ને પતવીરાએગાળી હતી.–આ બધું નજરો– નજર નિહાળીને તેમ જ એવરેસ્ટને ટેલીફાટાની મદદ વડે જુદી જુદી બાજુએથી પૂરી સ્પષ્ટતાથી નિરખીને અમે અહાભાગ્યતા અનુભવી. ખુમારી પર્વત ઉપર ૧૯૦૦૦ થી ૨૦૦૦૦ પ્રીટ શ્રી નવનીતભાઇની મંડળીને પહેાંચેલી જોઇને તેમના અદ્ભૂત સાહસ વિષે અમારા દિલમાં ઉંડા આદર પેદા થયા. એના એ જ પ્રદેશ ઉપર પાછા કરતાં આવન દિવસના એ ચિરસ્મરણીય પ્રવાસ પુરો કરીને એ ભાઇએ મુંબઇ આવી પહુંચ્યા. અને અમારા શમાંચક ઉડડયનના પણ આ ચિત્રપટ પુરૂ થવા સાથે અન્ત આવ્યો. એક મહાકાવ્ય જેવા આ ચિત્રપટે અમને બે બિડ મંત્રમુગ્ધ બનાવ્યા. અમારી રાજખરાજની દુનિયાને અમે તેટલા વખત પૂરતી ભુલી ગયા.
પ્રબુધ્ધ વન
આ પ્રસંગે ખીજા એક મિત્ર ગયા વર્ષે બદ્રીનાથ તથા કેદારનાથની યાત્રાએ ગયેલા તેવું તેમણે એક રંગીન ચિત્રપટ ઉતારેલું. આ ચિત્રપટ પણ આ પ્રસંગે તે લઇ આવેલા અને તે નિહાળવાના અમને અણુધાર્યાં લાબ મન્યે. આ ચિત્રપટ દ્વારા બુદ્રીનાથ અને કેદારનાથના ભવ્ય પ્રદેશના અમને જાણે કે સીધા પરિચય થયા અને અમારા આનંદમાં વિશેષ વૃધ્ધિ થઇ. એવરેસ્ટની યાત્રા સાથે આ બન્ને તીર્થીની પણ યાત્રા થઈ ગઈ.
અન્તમાં ભાઇ રામનારાયણુ પાઠકે હાજર રહેલાં ભાઈબહેના વતી ભાઇ નવનીતલાલ પરીખને ઉંડી વિજ્ઞતાપૂર્વક આભાર માન્યા, તેમની સાહસિકતા અને કુદરતને આવી ભક્તિપૂર્વક માણુ વાના આવા શોખ માટે તેમને ધન્યવાદ આપ્યો અને યુવાન ભાઇ બહેનોને આ રોાખ કેળવવા અને સાહસનાં નવાં નવાં શિખરા સર કરવા પ્રેરણા આપી.
માનદ
૨૨૧
ઉનાળાની મધુરતા
ઉનાળા અને મધુરતા ? આ ખે આપણને કેટલા બધા વિરાધી લાગે છે ? છતાં ઉનાળામાં પણ મધુરતા છે અને એ મધુરતા કાઇ મહાબળેશ્વર, ઉટાકામડ કે દાર્જિલિંગ જેવા હવા ખાવાના સ્થળે જવાથી પ્રાપ્ત થતી મધુરતા નથી. ત્યાંની શિતળતા અને સુન્દરતાનું આ લેખમાં વર્ણન પણ નથી. જેવા દુઃસહ તાપના આપણને ઉનાળામાં અનુભવ થાય તેવા દુઃસહ તાપ અન્ય રૂતુમાં આપણને ભાગ્યે જ . અનુભવ થાય છે અને આ સ જનસાધારણુ સંસ્કારને લીધે ઉનાળા વિષે આપણે હંમેશાં કંટાળા અણુગમાં કેળવતા આવ્યા છીએ, અને ઉનાળાની તો પ્રીતિકર એવી કાઇ :સુભગ બાજી જ નથી એમ માનીને આપણે ચાલીએ છીએ.
આવી એકાંગી માન્યતાની ચકાસણી કરવાની પ્રેરણા અને એ ચકાસણીમાંથી ઉનાળાની અનેક મધુર બાજુનું સચોટ ભાન કરવાની ઇચ્છા જો હાય તે। ગરમી અને તાપ કોઇને માટે પણ સુસહ્ય બની શકે છે.
મુંબઇ જેવા કોઇ મોટા શહેરમાં વસતાં હોઇએ તેા જ્યારે માર્ચ મહિના સમીપ આવે છે ત્યારે સુસ્થિત લેખાતા મિત્રો એકમેકને પૂછવા માંડે છે કે ‘ભાઇ, આ વખતે ઉનાળામાં મુંબઈ બહાર કાંઇ જવાના છે? અને ‘હા, જવાનો છુ' એમ જવાબ આપે તે ‘કયાં’? એ પ્રશ્ન તે જવાબને સહજપણે અનુસરે છે, જેની જેવી સ્થિતિ અને અવકાશ એ મુજબ કોઈ માથેરાન, લેાવલા ૬ મહા બળેશ્વર, તો કોઇ ઉત્તાકામંડ, મસુરી કે નૈનિતાલ જવાના ઇરાદો જણાવે છે, કાઇ કાઇ તે વળી સ્વિટરગ્લેન્ડ સુધી જને ઉનાળા ગાળવાનો મનસુખા કરતા હેાય છે. આવેા પ્રશ્ન કરનારને જ્યારે કાઇ એમ કહે છે કે આ વખતે તેા ઉનાળા સૌરાષ્ટ્રમાં ગાળવા છે અને શાન્તિથી આરામ કરવા છે' ત્યારે બીજું કાંઇ નહિ ને સૌરાષ્ટ્ર ? એના કરતાં તે મુખ શું ખોટું છે ?' આમ સામું પૂછનારને કો દોષ કાઢી શકાય નહિ. કારણકે સૌરાષ્ટ્ર કરતાં મુંબઇમાં ગરમી આછી પડે છે એ વિષે બે મત છે જ નહિ. પરંતુ આ રીતે વિસ્મય અનુભવનારને ઉનાળા વિષેની અન્ય કલ્પના અને અનુભવને કયાંથી ખ્યાલ હાય ?
સ્વાનુભવથી કહી શકુ છું કે આ વખતે મેં ધખધખતે ઉનાળા સૌરાષ્ટ્રમાં જ પસાર કર્યાં, અને તે પણ એવી રીતે કે અહિ" હું કયાં આવીને પડયે ? એવા લેશ માત્ર કંટાળા વિના બલ્કે આનંદપૂર્વક, પ્રસન્નતા પૂક, શરીરમાં થોડુંક વજન વધા રીતે અને મનને પણ વાંચન, ચિંતન તેમ જ સુખપૂર્ણ સંવેદનાથી સભર કરીને,
એમાં કોઇ પ્રશ્ન જ નથી કે માથેરાન કે મહાબળેશ્વર, સીમલા કે કાશ્મીર ભારે રમણીય સ્થળા છે, સૃષ્ટિસૌનાં અપૂર્વ ધામ છે. રૂતુ પણ ત્યાં ઠંડી હાય છે. કેવળ આન ઉપભાગાથે ત્યાં પ્રવાસીઓ જાય છે, તેથી ત્યાંના વાતાવરણમાં પણ આનંદ અને ઉલ્લાસ હોય છે. ઉનાળામાં ત્યાં જવાનુ અને રહેવાનુ કાઇને પશુ ખૂબ ગમે તેવું હેાય છે, પણ આવાં સ્થળાના ઉપભોગ કેટલાં ઓછા માણુસાના નસીબમાં હાય છે ? તેા પછી જેમના માટે આવા હવા ખાવાના સ્થળે જવાનુ એક યા ખીજે કારણે શકય નથી, તેમણે શુ પોતાને કમનસીબ સમજીને નિરાશ જ થવાનું ?
વળી ઉનાળા વિષેની એકાંત અણુગમાની આપણી દૃષ્ટિ શું બરાબર છે ? શિયાળ, ઉનાળા અને ચામાસ, હેમન્ત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ, વર્ષા અને શરદ-આ રૂતુઓને સનાતન ક્રમ કુદરતે માનવી જીવનના ધારણ, પોષણ અને સંવર્ધન અર્થે ગેહવેલો છે,