________________
૧૫૬
પ્રબુધ્ધ જીવન
પશુનિ યતાનિવારણવિધાન વિષે એક દૃષ્ટિ ભારતની રાજ્યસભામાં શ્રીમતી રૂકિમણીદેવી એન્ડેલે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાના શુભાશયથી એક બિલ રજૂ યુ" છે, અને તેને વિષે શ્રી પરમાનદભાઈએ તા. ૧લી ઓગસ્ટના પ્રબુધ્ધ જીવનમાં એક નોંધ લખી છે. આ બિલમાં પશુઓ પ્રત્યે અમુક પ્રકારની ક્રૂરતા આચરવાના નિષેધ કરવામાં આવ્યા છે અને એવી ક્રૂરતા આચરનારને સજા કરવાની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે. આવું બિલ જૈનાના અનČદંડ વિરમણવ્રતને અનુરૂપ છે. અને સાધારણ રીતે જૈને અહિંસાના વિષય ઉપર સૂક્ષ્મતાથી વિચારવા ટેવાયા છે એટલે આ બિલનાં પ્રયાજકને જૈન સમાજે ધન્યવાદ આપ્યા છે અને આ બિલની તરફેણુમાં લોકમત દૃઢ કરવાને પણ તેમણે પ્રયત્ન કર્યો છે. આ ખિન્ન જાહેર રીતે થતી પશુ પ્રત્યેની ક્રૂરતા અટકાવી શકશે એટલી એની ઉપયેાગિતા જરૂર છે; પણ એથી વિશેષ કશુ પણ આ જાતને કાયદા સિધ્ધ કરી શકે નહિ અને સામાન્ય રીતે આવું બિલ રજૂ કરનાર એવી કાષ્ઠ વિશેષ અપેક્ષા રાખે પણ નહિં.
પણ આ જિલ્લની પાછળ એક વિશિષ્ટ વિચારસરણી રહેલી છે. ઉપર્યું કત નોંધમાં શ્રી પરમાનંદભાઇ લખે છે : “આપણે એ સમજી લેવાની જરૂર છે કે જ્યાં સુધી આપણા દિલમાં રહેલી દયાની, અનુક'પાની લાગણી સજીવ સૃષ્ટિના ક્ષિતિજને નહિ સ્પો ત્યાં સુધી સાચી માનવતા આપણામાં કદી પણ પ્રગટી નહિ શકે.” આ મતવ્ય શ્રી પરમાનંદભાઈનું અંગત મતવ્ય નહિ પણ શ્રી રૂકિમણીદેવીનું મંતવ્ય છે અને બિલ પાછળની વારભૂમિકા સ્પષ્ટ કરવા પાન દભાઇએ એ લખ્યું એમ હું માનું છું. ઘણા થીએસાક્રિસ્ટ બંધુઓ આ મંતવ્ય ધરાવે છે એમ મરા એક અભ્યાસી થીઓસોકિસ્ટ મિત્રે મને કહ્યું છે. એટલે ઉપર જણાવેલું મંતવ્ય આ બિલ પાછળની સૈધ્ધાન્તિક ભૂમિકા છે એમ માનવામાં હરકત નથી.
પ્રસ્તુત મંતવ્ય વિષે મારા મનમાં ઘેાડીક શંકા છે. પ્રથમ તા મને લાગે છે કે પ્રેમના નૈ દયાના સ્વાભાવિક ક્રમ નાના વર્તુળમાંથી મોટા વર્તુળ તરફ જવાના છે. તમામ સંપ્રદાયેએ પણ આ સત્યને લક્ષમાં રાખીને જ પેાતાના નિયમા ધાયા છે. જૈનાએ પશુ પહેલાં સ્થલ હિંસાના ત્યાગ અને પછીની ઉચ્ચતર ભૂમિકાએ વધુ સૂક્ષ્મ હિંસાના ત્યાગ પ્રોાધ્યા છે. બાળકને માતા પ્રત્યે જે લાગણી હશે તે અન્ય પ્રત્યે નહિ હાય. ધીમે ધીમે એ જ લાગણીને ક્રમિક વિકાસ થઇ તે કુટુંબપ્રેમ, દેશપ્રેમ, વિશ્વપ્રેમ અને અંતે જીવમાત્ર પ્રત્યેના પ્રેમમાં પરિણમે છે. આ ક્રમને ઉલટા કલ્પવા એ પ્રતીતિજનક નથી લાગતું. આ દૃષ્ટિએ માનવી પ્રથમ તમામ માનવીએ પ્રત્યે પ્રેમ ધરાવતા થાય તે પછી પ્રાણીસૃષ્ટિ પ્રત્યે પ્રેમ વિકસે એ સ્વાભાવિક ક્રમ ગણાય. માનવી પ્રત્યે ક્રૂરતા આચરતા મનુષ્ય પશુ પ્રત્યે દયાની વાત કરે તે કાં તેા ત્રંબ હાય અને નહિ તા મૃઢતા હાય.
વળી ઉપરના મ ંતવ્યની એક ખીજી કસેટી કરીએ. જૈત સમાજના વ્યવહારમાં જીવમાત્રની હિંસાને ત્યાગ વધુાઇ ગયા છે. એટલે એમની દૃષ્ટિએ આ બિલમાં કાંઇ નવુ' નથી. હવે લગભગ અઢી હજાર વર્ષથી જે સમાજના વ્યવહારમાં જીવદયાને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે તે જૈન સમાજ માનવયામાં અન્ય સપ્રદાયા કરતાં આગળ વધ્યું છે એમ કહી શકાશે? અન્ય મનુષ્યોની અપેક્ષાએ જૈના માનવીનું ઓછુ શાણુ કરે છે? જેમાં અનેક માનવીઓના ખિસ્સામાંથી નીકળીને પૈસા એક માનવીનાં ખિસ્સામાં
તા. ૧-૧-૫૪
જાય છે એવે સટ્ટો જૈને ખીજા કરતાં ઓછા કરે છે? જેનાથી કરાડા લોકાને ખાવાપીવાનાં પણ સાંસાંપડે એવી સધરાખેારી અને એવાં જ કાળાંબજારે જૈનાએ આછાં કર્યાં છે? જે યુધ્ધમાં કરડા માનવીઓને સંહાર થાય છે એવા યુધ્ધ વખતે, એ યુધ્ધ ખેલતી સરકારાને માલ પૂરા પાડવામાં જૈનાએ આનાકાની કરી છે ? હું ધારૂં છું કે આમાંથી એકે પ્રતના જામ ‘હા’માં આપી શકાય તેમ નથી. જૈન વેપારી કે ઉદ્યોગપતિ પણ ખીજા સંપ્રદાયના વેપારી જેવા જ છે. યુદ્ધને કારણે વધેલા ભાવા નીચે ન પડે એ કારણે યુદ્ધ ચાલ્યા કરે એવુ' હૃદયથી ઇચ્છનાર ને કારિયાના યુધ્ધ જેવુ એકાદ યુદ્ધ શરૂ થાય તેા ખુશ થનાર જૈન વેપારીએ પણ હરો જ, આ એ થયા કે જીવદયાનો સૌથી વિશેષ આગ્રહ રાખનાર સ ંપ્રદાયના અનુયાયીઓ ૨૫૦૦ વર્ષની જીવદયા પછી પશુ અન્ય સોંપ્રદાયના અનુયાયીઓ કરતાં વધુ માનવતા પ્રદશિ ત કરી શકયા નથી. આ અનુભવની સામે “પ્રાણીએ પ્રત્યે પ્રેમ વધે તા માનવતા વધે” એવું મતથ્ય ગળે ઉતરવુ મુશ્કેલ છે. ખરી રીતે તે માનવતાના વિકાસ તરફ વિશેષ લક્ષ આપવાની જરૂર છે, અને એ માનવતા જ વિકસીને જીવદયામાં પરિણમશે.
ઉપર કહ્યું તેમ આ બિલની અમુક ઉપયેાગિતા જરૂર છે, પણ તે સાથે એવુ એક ભયસ્થાન પણ છે. દયા ઉપર વિશેષ ભાર મુકવાથી ઘણી વાર ભાર મુકનારના શુભાશય ન સમજીને મનુષ્યા જીવદયાને નામે માનવા પ્રત્યે નિર્દયતા આચરતા થઈ જાય છે. આ ભધ સાવ કલ્પિત નથી, જૈન સમાજના જ વ્યવહારમાંથી આવી વિવેકશૂન્યતાનું દૃષ્ટાંતા પશુ મળે તેમ છે.
જૈનાના દૂષા ઘણી વાર વનરાજે શિલગુણુસૂરિના વ્યાખ્યાન વખતે બગાસું ખાતા એક વૃધ્ધના મુખમાં દેડકું મૂકી દીધું અને પછી દેડકાને બચાવવા વૃઘ્ધનું પેટ ચીરવા સુધી વાત પહોંચી એવુ દૃષ્ટાંત આપે છે. હું માનું છું કે આ વાત વાહિયાત છે, અશક છે અને કાઇક જૈનદ્વેષીએ ઉપજાવી કાઢેલી છે, પણ જૈતાની જીવધ્યા કેટલી વિવેકશૂન્ય પશુ બની શકે છે એની એ ઘોતક છે. જીવદયા પરના વિશેષ ભારથી માનવ કરતાં અન્ય જીવ વધારે મહત્વના એવા વિપરિત ખ્યાલ પણ ઘણીવાર ઉભા થાય છે, આ ભયસ્થાન માટું છે.
આ તે ભૂતકાળની અને કલ્પિત વાત થઇ. પણ જૈાનાં વર્તમાન જીવનમાંથી પણ આવી વિવેકશૂન્યતાનાં અનેક દૃષ્ટાંતે ઉપલબ્ધ ચાય છે. પાલીતાણા યાત્રા કરવા જનાર ધા સજ્જનેને ગાડીવાળાને ઘોડાને ચાબુક નહિં મારવાનુ કહેતા મેં સાંભળ્યા છે. ધેડા પ્રત્યેની આ ધ્યા વાજ્રખી અને પ્રશસ્ય છે. પણ એ જ સજ્જનને ખૂબ ભાવ કસીકસીને ડાળી હરાવીને માનવીને ખભે ઊંચકાઇને ડુંગર ઉપર ચઢી યાત્રા કરતાં જરાયે સાચ નથી થતુ એ પણ મે જોયુ છે, આ બનાવ કાંઈ અપવાદરૂપ નથી. એ સૌ જૈના જાણે છે. પાલીતાણામાં આ રાજિન્દે બનાવ છે. જીવયા ઉપર ખૂબ ભાર મૂકનાર જૈન સમાજને આમાં માનવયાને પ્રશ્ન સમાયેલા છે એમ કદી લાગ્યું નથી.
જીવદયાના બહાના નીચે માસ માનવવા ભૂલી જાય છે એ હું કહેવા ઇચ્છું છું. એક જૈન લત્તામાંથી ઘેાડાગાડી પસાર થતી હતી. ધેાડાના પગ સાથે એક વાછડી ભટકાઈ ગઈ. તરત જ આજુબાજુથી સાત આઠ જૈન બધુ દોડી આવ્યા. ગાડીવાળાને પકડયા. વાડી પ્રત્યે આચરેલી ક્રૂરતાં બદલ એક શિપયા ધર્માંદામાં નખાવ્યા. દરમિયાન વાડી તે કયાંયે ચાર્લી ગઇ હતી. પણ ગાડીવાળાના કુટુંબને તે દિવસે પુરૂ' ખાવાનું મળ્યુ હશે કે નહિ તેની શંકા છે. (રૂપિયાની કમ્મત ઉંચી હતી ત્યારની આ વાત છે.)
14
Hist