SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ • • • • પ્રબુધ્ધ જીવન તા. ૧પ-૧-૧૯પ૪. માનસિક નિર્બળતા બીજી એકે નથી. અંગ્રેજી ભાષાનું ખૂન થઈ રહ્યું છે એવો પિકાર કરે એ મૂર્ખતા છે. ઇંચ કે જર્મન બાળકે પિતાનાં ઈતિહાસ - ભૂગોળ અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા નથી શીખતા માટે શું આપણે એમ કહીશું કે ફ્રાન્સ અને જર્મ- નીમાં અંગ્રેજી ભાષાનું ખૂન થાય છે? એક વિદેશી ભાષા તરીકે હજારો વિદ્યાર્થીઓ ત્યાં અંગ્રેજી ભાષા શીખે છે ને ભાષાંતરોદ્વારા પિતાના દેશના બાંધીને પણ આપતા જાય છે. એ જ પ્રથા આપણે અહીં કેમ ન અપનાવી શકીએ? બાળકને પિતાની માતૃભાષાધારા શિક્ષણ આપવું જોઈએ એ આગ્રહ રાખવામાં દરેકને ખાત્રી હોય છે કે માતૃભાષાધારા શિક્ષણ ઝડપથી મળી શકે છે. તે પિતાની શકિત બચાવશે, એટલું જ નહિ માતૃભાષાધારા તે પોતાની જાતને વધારે સારી રીતે વ્યક્ત કરી શકશે એક સૈકા સુધી અંગ્રેજીદ્વારા શિક્ષણ મેળવ્યા પછી પણ અંગ્રેજી ભાષામાં આપણે એક ડઝન જેટલા પણ સર્જનાત્મક લેખકે પેદા નથી કર્યો એ નવાઈ જેવી વાત નથી? કદાચ એવી દલીલ કરવામાં આવશે કે હિંદની ભ.ષાઓ માધ્યમ બનવા માટે અંગ્રેજી ભાષા જેટલી સમૃદ્ધ નથી. પરંતુ એને જવાબ એ છે કે હિંદની ભાષાઓ સમૃદ્ધ નથી એને અર્થ એ નથી કે એ ભાષાઓને ઉપયોગમાં લીધા વિના કાટ ખાવા દેવી, ઊલટાનું એ ભાષાઓને ઉપયોગમાં લઈ એને વિકસાવવી જોઈએ. સમૃધ્ધ થવા દેવી જોઇએ. એમ તે અંગ્રેજી ભાષાની દશા સેંકડો વર્ષ પહેલાં, ચેસર અને શેકસપિયર ત્યારે અંગ્રેજીમાં લખતા હતા ત્યારે કેવી હતી? શું એ ભાષા તે વખતે સમૃદ્ધ હતી?. . - બનાર્ડ શોએ એક સ્થળે કહ્યું છે તેમ, અશિક્ષિત માણસ શ્રીમંત લોકેની ભાષાનું અનુકરણ કરે તેના કરતાં પ્રમાણિક પ્રાકૃત બેલી બેલે એ વધારે સહ્ય છે.” પિતાની ભાષા ગમે તેટલી અવિકસિત હોય તે છતાં તેનું જ્ઞાને અભિવ્યક્તિમાં વધારે સારી રીતે સહાયકારક થઈ શકે છે, જ્યારે અત્યંત વિકસિત એવી પરદેશી ભાષાને અર્ધદગ્ધ પરિચય મદદરૂપ નીવડતું નથી. બધાંજ હિન્દીભાષી બાળકે હિન્દીમાં પોતાના બાળગીતે શીખે અને હિન્દીમાં ગણિત શીખે તે ભારે ભયંકર આપત્તિ આવી પડશે એમ જે લેકે માને છે તેઓ અંગ્રેજીને એક વિદેશી ભાષા તરીકેને અભ્યાસ અને અંગ્રેજી શિક્ષણના માધ્યમ તરીકને ઉપગ એ બે વસ્તુસ્થિતિ વચ્ચે ભેદ જ સ્વીકારવાની ના પાડે છે એમ કહી શકાય. એટલું જ નહિ એથી આગળ વધીને તેઓ અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ભાષા મારફત ગ્રહણ કરાતા વિચાર એ બંને વચ્ચેનો ભેદ સ્વીકારવાની પણ ના પાડે છે. કુમારી બહેરેજ ખરશેદજીએ એમ કહ્યું હોવાનું કહેવાય છે કે અંગ્રેજી ભાષાએ હિન્દ સ્વરાજ આણી આપ્યું. પરંતુ એમને એ સૂજયું નહિ કે કેનીઆને અને બ્રિટીશ ગિયાનાને કે જયાં દરેક અંગ્રેજી બેલે છે ત્યાં અંગ્રેજી ભાષાએ સ્વરાજ કેમ ન આણી આપ્યું? એમને એ પણ ન સૂઝયું કે અંગ્રેજી ભાષાએ તે લાખ અને કરડે માણસને ગુલામ બનાવ્યા છે એમ પણ એમની દલીલ અનુસાર જરૂર કહી શકાય તેમ છે. ભાષાના ગર્ભમાંથી વિચારેને જન્મ થતું નથી. એટલે કે અંગ્રેજી ભાષાએ રૂપાળા વિચારોને જન્મ આપ્યો અને ભારતીય ભાષાઓએ કાળા અને કદરૂપા વિચારોને જન્મ આપ્યું એમ ન કહી શકાય. વિચારે તે સામાજિક ક્રાન્તિના જવાબરૂપે જન્મતા હોય છે. રશિયનએ પિતાની કેળવણી જર્મન ભાષાના માધ્યમ દ્વારા નહેતી લીધી અને છતાં માકર્સવાદનાં મૂળ બીજા દેશે કરતાં એ દેશમાં વધારે ઊંડાં ફેલાયાં છે, અને એ જ વાતનું પુનરાવર્તન ચીનમાં પણ થયું છે કે જ્યાં માકર્સવાદે કેનયુસીએસના વિચારોને પણ ભૂલાવી દીધું છે. યુરોપમાં ભાગ્યેજ થોડાઓએ પિતાની કેળવણી હૈબ્રુ ભાષા મારફત લીધી હશે અને તે છતાં પેલેસ્ટાઈન કરતાં ત્યાં ખ્રિસ્તી ધર્મનાં મૂળ વધારે ઊંડા ગયેલાં છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાષા એ કઈ મૃત વસ્તુ નથી પરંતુ જીવાંત પ્રવાહ છે સંજોગોમાં થતા ફેરફારે એ સમર્થ રીતે ઝીલે છે. દરેક ભાષાને પોતાના લાક્ષણિક રૂઢિપ્રયોગો હોય છે. અને દરેક સર્જનાત્મક લેખક એમાં નવી નવી અર્થછાયાઓની શકયતા ઉમેરતા જાય છે. અને એ રીતે ભાષાને પહેલા કરતાં વધારે સમૃધ્ધ બનાવે છે. વિચારોમાં આવતી દરેક ક્રાન્તિ ભાષાને પણ એ નવા વિચારને વ્યકત કરવાની શકિત આપતી જાય છે. જે હિન્દની ભાષાઓમાં સમકાલીન ક્રાન્તિને બરાબર ન ઝીલી હેય કે એથી ઝીલી હોય તે તેનું કારણ એ છે કે એ ભાષાને દુનિયાના વિચાર પ્રવાહોથી ફરજિયાત અલગ રાખવામાં આવી છે. એ ભાષાનો ઉપયોગ થશે તે તે પિતાની આન્તરિક સમૃદ્ધિ વડે એના ધિકકારનારાઓને આશ્ચર્ય પમાડશે. લેકેએ પહેલી જ વાર લખતાં ને વાચતાં શીખવાની સાથે જ જે પ્રશ્નો નિકાલ કરી આપે છે તે પ્રશ્ન સંબંધે આવી નિરર્થક ચર્ચામાં સમય વેડફી નાખ ન જોઈએ. હવે તે મુખ્ય સવાલ એ છે કે બહારની દુનિયાના સંપર્કો વધારીને ભારતીય ભાષાઓના વિકાસને કેવી રીતે સારી મદદ કરી શકાય. બાળકો માટેનાં પુસ્તકે, સાહિત્યનાં પુસ્તકે, વિજ્ઞાનનાં પુસ્તક-આમ આપણા દેશમાં ભાષાન્તર અને તેના પ્રકાશનનું ગંજાવર કામ રાહ જોઈ રહ્યું છે. જે લેકે પિતાના બાળકને વિદેશી ભાષાનાં માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ છોડાવવા માંગે છે તેઓને માટે આ એક ચેલેંજ છે, પડકાર છે; અને તે વધારે અગત્યના છે, કારણ કે અંગ્રેજી ભાષા વિશે પ્રવર્તતા વિવાદે બતાવ્યું છે તેમ હજુ ઘણા એવા લે છે કે જે માને છે કે અંગ્રેજી ભાષા વિના દુનિયામાં રહેવું અઘરૂં થઈ પડશે. કદાચ એમ પણ બને કે જેઓ પોતાનાં બાળકોને અંગ્રેજીના માધ્યમદારા શિક્ષણ આપવાની પ્રથાને વળગી રહ્યા છે તેઓને જે એમ સમજાશે કે ઉંચા હેદ્દાઓ પ્રાપ્ત કરવાના સાધન તરીકે - અંગ્રેજીને હવે રસ્થાન રહ્યું નથી તે તેઓ અંગ્રેજી ભાષા માટે પિતાને દુરાગ્રહ છોડી દેશે. જ્યાં દલીલ નિષ્ફળ નીવડે ત્યાં આર્થિક દબાણું સફળ નીવડવા સંભવ છે. આવું દબાણ હો કે નહોશિક્ષણના માધ્યમ તરીકે વિદેશી ભાષા અને ભારતીય ભાષા વચ્ચેની અસમતુલા દૂર કરવાની આવશ્યકતા કોઈ પણ રીતે ઓછી થતી નથી. અંગ્રેજી ભાષા માટેના ઉત્સાહી હિમાયતી ગમે તે કહે અથવા કરે પરંતુ દેશને અત્યારે વધારે સારાં પાઠયપુસ્તકની અને વધારે સારાં ભાષાન્તરોની ઘણી જ જરૂર છે. યુનિવર્સિટીઓએ પાઠય પુસ્તકાનાં પ્રકાશનનું બધું જ કામ પિતાને હસ્તક લઈ લેવું જોઈએ. અને અમાવા જે નફા થાય ત નવી ભાષાન્તરાનો ઉપયોગમાં લેવા જોઈએ. પ્રકાશનના ધંધામાં અત્યારે જે અંધેર પ્રવર્તી રહ્યું છે એના જેવી ખેદકારક અને દુઃખદાયક બીજી એક પરીસ્થિતિ નથી, મામુલી લેખકે ગમે તેવાં કચરા જેવાં પાઠ્ય પુસ્તક લખીને અત્યારે પુષ્કળ પૈસે કમાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ સાચા પ્રામાણિક લેખકે ભૂખે મરી રહ્યા છે. સરકારી મેવડીઓની આકાંક્ષાઓ અને સરકારી નીતિ વડનારા મિથ્યા પ્રલાપ-એ કશું જ એ પડકારને ઝીલવામાં મદદરૂપ થવાનું નથી. અત્યારે તે ફકત બાળકોના શિક્ષણ અને અભ્યાસની સહમ સમજણ પર મંડાયેલા મકકમ કાર્યની જ જરૂર છે મુળ અંગ્રેજી: શ્રી અદિબ અનુવાદક: શ્રી તારાબહેન તથા રમણલાલ શાહ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy