________________
૧૪૬
પ્રબુદ્ધ જીવન
સાધુએ અને તેમની મહત્ત્વાકાંક્ષા
ઈન્દ્રચન્દ્ર
નારૂં ગણાય. એકવાર કાષ્ટ આચાર્યને એક દેશી મહારાજાને પોતાના દર્શોનાથ ખેલાવવાની ઇચ્છા થઇ, આને માટે મહારાજાને એક લાખની થેલી આપવાનું નક્કી કરવામાં આવ્યું. મહારાજા આવ્યા. એ મિનિટ ખેડા અને થેલી લઇ ચાલતા થયા. સમાજના એક લાખ રૂપિયા તા ગયા અને આવી મૂર્ખતા ઉપર ખીજાએ હાંસી કરી તે નામાં. આજે પણ રાષ્ટ્રીય નેતા, રાજકીય અધિકારીઓ કૅ બીન પ્રખ્યાત પુરુષોને લાવવા માટે હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે. આચાર્ય શ્રીના દર્શન કરવા દૂર દૂરથી આવે તેને રેલ્વે કે વિમાનનું ખર્ચ ઉપરાંત તેની મહેમાનગતિ વગેરેના ખર્ચની વ્યવસ્થા થાય છે. એમને થેલી' આપવાની લાલચ પણ અપાય છે. આ પ્રકારના ખર્ચ કરનાર શ્રાવકવર્ગ અને તેને પ્રેરણા આપનાર સાધુ. વર્ગને મારી વિનંતી છે કે આ વિષય ઉપર ગંભીરતાથી વિચાર કરે. આમાં નથી તેની પ્રતિષ્ઠા વધતી નથી, જૈન ધર્મની વધતી. હા, જો માવનાર વ્યકિત ઉપર તેમના ત્યાગ કે વિતાની છાપ પડતી હૈાય તો કંઈકે પ્રમાણ ગણાય. બાકી ધનના આવે નિરર્થક વ્યય કરવા કરતાં તેા જો કોઇ સમાજોપયોગી કામમાં વપરાય તો પેાતાની મહત્વાકાંક્ષા પોષાવા સાથે જનતાને પણ લાભ થાય.
આ પ્રકારની ખીજી પ્રવૃતિ તે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કે અન્ય વ્યકિતને મળવા જવાની છે. રાષ્ટ્રપતિપદ ગમે તેવું ઊંચુ હોય તે પણ ત્યાગી તેનાથી પણ ઊંચા છે. કેવળ જૈન નહી પણ સમસ્ત ભારતીય પરંપરા આ વૈશિષ્ટય સ્વીકારે છે. ભલે સાધુ ભિક્ષક છે. રાટીના એક એક ટૂકડા માટે ધેર ઘેર કરે છે પણ તેનું માથું તે જે આધ્યાત્મિક ગુણામાં તેનાથી શ્રેષ્ઠ હશે તેની આગળ જ નમશે. ધનસંપત્તિ કે રાજસત્તાની તેને કાઇ પણ પરવા નથી. આ સ્થિતિમાં ૨પતિને મળવા રાષ્ટ્રપતિભવનમાં જવુ એ ત્યાગી સંસ્થાનું ગૌરવ ઘટાડવા જેવું છે, ખરૂં છે કે ત્યાં જઈને સાધુ રાષ્ટ્રપતિને નમસ્કાર નથી કરતા, સામા રાષ્ટ્રપતિ તેને નમસ્કાર કરે છે. પણ સાધુનું રાષ્ટ્રપતિ પાસે જવું એજ યાગ પર અશ્વનો વિજય બતાવનારૂં છે, કાષ્ટ લાચાર વ્યક્તિને ધર્મોપદેશકે માંગલિક સભળાવવા જવું, અર્થાત કા પાપીને સમજાવવા જવુ એ અલગ વાત છે, લાચાર પ્રત્યે કરુણા અને સહાનુભૂતિની ભાવના હેય છે. પાપીના ઉલ્હારની ભાવના હોય છે, પણ રાષ્ટ્રપતિને મળવા જવામાં ખેલાશક મહત્ત્વાકાંક્ષા સિવાય કોઇ કારણ હાતુ નથી. રાષ્ટ્રતિ જો મંદિર કે ઉપાશ્રયમાં આવે તે ભારતીય નાગરિકના મતે શ્રાવક વર્ગ તેમનુ જરૂર સ્વાગત કરે પણ ત્યાગી વગે વિવિધ પ્રયાસ દ્વારા સમય માગીને તેમની મુલાકાતે જાય તે ઉચિત નથી કહી શકાતું.
જૈન
૫૦
ચીનના મહાન દાર્શનિક ક્રાન્ક્યુશન્સે એક જગ્યાએ લખ્યું છે કે સત્ય મનુષ્યને મહાન નથી બનાવતું પણ મનુષ્ય સત્યને મહાન બનાવે છે. જૈન ધર્મના અનુયાયીઓએ આ વાકના મર્મ સમજવા જેવા છે. અહિંસા ધર્મનું ગાણુ ગાતાં ગાતાં બે હજાર વર્ષ વીતી ગયાં પણ તેનાથી નથી આપણે જૈના ઊંચે આવ્યા કે નથી આ સિધ્ધાંત ઊંચે આવ્યા. આ સિધ્ધાન્ત ઉપર આપણે વિચાર કર્યાં, મનન કર્યું, ઉપદેશ આપ્યા પણ જીવનમાં ઉતારી ન બતાવ્યું. અહિંસા દ્વારા જીવનનાં અનેક વિકટ પ્રશ્નના કેમ ઉકેલ આણી શકાય તેના પ્રત્યક્ષ ઉદાહરણ ન રજૂ કરી શકાયા. મહાત્મા ગાંધીજીએ આ સિધ્ધાંતના પ્રયોગ કર્યો, પોતાના ઉદાહરણ દ્વારા અહિંસક જીવનના આદર્શ સિધ્ધ કરી બતાવ્યા. તેમજ "વ્યકિત અને સમાજના સળગતા પ્રશ્નોના સુખદ ઉકેલ આણી આપ્યા. એમનુ ઉદાત્ત જીવન જોઈને જગત નતમસ્તક થયું, અહિંસાનું મહત્વ વધ્યું. સિધ્ધાંત ગમે તેટલા ઊંચા કાં ન હાય, પણ જ્યાં સુધી તેને પ્રયાગસિધ્ધ કરી બતાવવામાં ન આવે ત્યાં સુધી દુનિયાને તેનું મહત્ત્વ સમજાતું નથી. સ્વામી સંમતભ આ આશયને લક્ષમાં રાખીને કહ્યું છે કે “ન ધર્મો પામિવિના” અર્થાત જો ધર્મને પાલન કરવાવાળું કોઇ નથી તે તે ધર્મના અસ્તિત્ત્વનો કોઇ અર્થ નથી.”
જૈન પર પરા જે આદર્શ ઉપર રચાઈ છે તેને જીવનમાં ઉતારવાનું વ્રત સાવ સ્વીકારે છે. તેમણે આ વાત ખાસ લક્ષમાં રાખવી જોઈએ કે જૈન ધર્મના પ્રચારના અથવા તેને એક ઉચ્ચકોટીના ધમ તરીકે જગત સમક્ષ રજૂ કરવાના શ્રેષ્ઠતમ ઉપાય એ છે કે તે પેાતાનું જીવન જૈન ત્યાગીના ઉચ્ચતમ આદર્શ પ્રમાણે જીવી બતાવે. તેની રહેણી કરણી, વ્યવહાર વગેરેથી ખીજાગ્માને પ્રતીતિ થવી જોએ કે મહાવીરના અનુયાયી બનવાથી જીવન કેટલું આદર્શ અને પવિત્ર બની શકે છે, તેના જીવનમાં ખૂબ વિચારસહિષ્ણુતા હશે. મન, વાણી અને કર્મની સામ્યતા હશે, વ્યવહાર સરળ હશે તા જ તે જૈન સિદ્ધાન્તની પ્રતિષ્ઠા વધારી શકશે. જનતા જીવન ઉપરથી સિધ્ધાન્તની મહત્તા આંકે છે, સિધ્ધાન્ત ઉપરથી જીવનની નહીં.
વર્તમાનમાં સાધુસમાજ ધર્મપ્રચારના નામે પોતાની મહત્વાકાંક્ષાઓ પોષવાનેા જે માર્ગ અખત્યાર કરે છે તેથી દુઃખ થાય છે. મહત્વાકાંક્ષા પોતે ખુરી વસ્તુ નથી. કેવનવિકાસ માટે તે આવશ્યક છે. સાધુઓમાં પણ તે ભલે હાય, આપણે આધુઓ પાસેથી એકદમ વિતરાગતાની આશા નથી રાખી શકતા પણ એટલી આશા તે અવશ્ય રાખીએ કે તે જે રાહ ગ્રહણ કરે તે પ્રશસ્ત ઢાવે જોઇએ, જૈને પરંપરાનું ગૌરવ વધારનારા હોવા જોઇએ, પણ આજકાલના સાધુઓને જે માર્ગે જતા આપણે જોઇએ છીએ તે તેવા પ્રશ ંસનીય નથી લાગતો.
સમર્થન રૂપે સ ંપ્રદાય વિશેષતા ઉલ્લેખ કર્યાં સિવાય કેટલાક કિસ્સા નીચે રજૂ કરૂ છું
૧ સમાજમાં નેતા કે પ્રતિષ્ઠિત મનાતી વ્યકિતઓને વ્યાખ્યાન સાંભળવા કે ન કરવા એલાવવી.
તા. ૧-૧૧-૧૯૫૪
સંત મહાત્મા પાસે રાજા મહારાજાઓ કે શેઠ શાહુકારાનુ આવવું પ્રાચીનકાળ આપણે સાંભળીએ છીએ, પણ આ મેટા લોકો સંતના દર્શન કરવા આવે તેમાં સંતનુ મહાત્મ્ય નથી. સંતનુ મહાત્મ્ય તે તેમાં છે કે એવા પુરુષ આવતાં છતાં તેની તટસ્થતામાં જરાગ્મે ફક ન પડું, ન અહંકારભાવ આવે, ન હર્યું પેદા થાય. જૈન સાધુઓમાં આ તટસ્થ વૃત્તિ તે। દૂર રહી પણ આવી મહત્વાકાંક્ષા પોષવા માટે ખાસ પ્રચાર કરવામાં આવે છે, જે ત્યાગી સંસ્થા માટે ખરેખર શરમાત્ર
(44
૨ સાહિત્યકાર બનવાની મહત્ત્વાકાંક્ષા,
કેટલાક સાધુઓને પોતાને સાહિત્યકાર કહેવરાવવાની આકાંક્ષા હાય છે. આ આકાંક્ષા એ કંઇ બુરી નથી, પણ તેને માટે જ્ય રે ચેરી કરવામાં આવે, ગરીબ પડિતની લેખિત અને નામ અન્વે ખરીદવામાં આવે ત્યારે ઘૃણા ઊપજે છે. એક આચાર્ય પોતાના સંપ્ર દાયમાં સાહિત્યની વૃદ્ધિ કરવા ઇચ્છે છે. તેમણે કંઈક સૂત્ર સારસ્વતવ્યાકરણના લીધાં કઈંક હૈં મળ્યાકરણનાં લીધાં અને પોતાનુ નામ આપી દીધુ. એક જૈન યુવરાજે જૈન આગમ ઉપર ટીકા લખવા ઇછ્યું, એમણે જૈન ધર્મથી સર્વ થી અપરિચિત એવા ત્રણ ચ.ર બ્રાહ્મણોને રોકયા. તેમણે આગમાધ્ય સમિતિ દ્વારા પ્રકાશિત અભયદેવની ટીકા સન્મુખ રાખી અને “જલ”ને સ્થાને “પાણી” શબ્દ લખ્યો અને બસ ટીકા રચાઇ ગઇ. આગમ સંપાદન અને પ્રકાશનની તે જાણે ધૂમ મચી રહે છે. તેમાં કૅાઇને શાીય યોગ્યત”ની પડી નથી સ,