SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૫૪ ગુજરી ગયા. તેના પ્રબળ આધાતને લીધે ‘અરે ! હરખા મને મૂકીને ચાલ્યા ગયા' એમ કલ્પાંત કરતા કરતા મારા પિતાજી તેને વળતે જ વિસે ગુજરી ગયા. પિતાજી હતા ત્યારેય ઘરમાં ગરીબી હતી, પરંતુ શિરછત્ર હાવાથી તે કળાતી ઓછી. જ્યારે એ ચાલ્યા ગયા ત્યારે ગરીબીનું ભયંકર સ્વરૂપ અનુભવ્યું. વળામાં ઘરનું ઘર અને એક દુકાન હતી. મારા પિતાજી તે કહ્યા કરતા કે હરખા કરે તે ખ", તેને જોઇએ તે મારે ન જોઇએ. પિતાજી વધુ ભેાળા, ધાર્મિકવૃત્તિના અને સરળ હતા. માતાજી શરૂથી જ તેજસ્વી, વ્યવહારપટુ અને કાઇના એશિયાળા ન રહે તેવાં હતાં. એટલે તેમણે પિતાજી ઉપર દબાણ કરી કરીને કેટલેક મજીયારો વહેંચી લીધેલ્લે, તેમ છતાં તે પોતાનું ધાર્યું નહીં કરી શકેલાં. એટલે કેટલાંક વાસણા વહેંચાયા વિનાનાં જ રહેલાં અને તે કાકાને ત્યાં જ રહી ગયેલાં. ધરની જમીનના ભાગ પાડવાના બાકી હતા. મને ખબર છે કે એ માટે રાજ દંતકલહ થયા કરતે. મારા માતાજી કોઇ પ્રામાણિક જમીન ભરનારને લાવીને ખુંટા ખાડાવે ત્યારે મારાં કાકી તે ખુટાને ઉખેડી જ નાખે. આમ કરતાં કરતાં પંચને ભેગું કરી માંડ જમીનની વહેંચણી કરી, છતાંય છેક છેવટ સુધી અમારા લાભની એ વહેંચણી ન જ થઇ. હજુ પણ અમારી જમીન ક્ખાયેલી છે એ પ્રત્યક્ષ જોઇ શકાય છે, છતાં છેવટ એ દંતકાહની કટટ મૂકી દેવી પડી અને એની યાદ ન રહે તે માટે મેં જાતે મારું' રેણાકનુ ધર જ મારા એક તદ્દન નિકટના સગાને વેચી નાખ્યું. શરૂશરૂમાં મારા પિતાજી અને કાકાજી સાથે જ દુકાન કરતા. ખાસ કરીને દાણા અને બીજું પરચૂરણ, ધંધા ઘણાખરા ઉધારના થતા, ઉધરાણી રહ્યા કરતી. પિતાજી અને કાકાને એમ લાગવા માંડયું કે માળું દુકાનમાંથી માલ ઉપડી જાય છે પણ તે કાણુ ઉપાડે છે એની ખબર ન પડે. પરસ્પર એક બીજા ઉપર વહેમ જાય પણ નજરે ભાળ્યા વિના કાણું કાને કહી શકે? એક વાર તે ખન્ને જણ મધરાતે જુદા જુદા એકખીજાથી છાના દુકાન ભણી નીકન્યા. તે વખતે અમારી દુકાન દેરાસર વાળા ખાંચામાં હતી. જ્યાં બેઉ જણા દુકાન પાસે પડ઼ોંચ્યા ત્યાં દુકાન ખુલ્લી ભાળી અને બન્નેએ એક સાથે પડકાર કર્યાં તે તેમાંથી ચેકી કરનાર પગી પોતે જ નાસતા નીકળ્યો, તેની પાસે હથીયાર રહેતું અને આ બન્ને તદ્દન હથિયાર વિનાનાં. લાકડી પણ પાસે નહીં –એવી સ્થિતિમાં તેની પાછળ કયાંય સુધી દોડયા અને તેને ધણા દૂર ગામમહાર સુધી તગડી આવ્યા. આ હકીકત લેકાએ સાંભળી જાણી ત્યારે એ બન્ને ભાઇઓને ‘જમતગડા’તું વિશેષણુ આપ્યું. મને એમ યાદ આવે છે કે મને કેટલાક તે કાનને પ્રસંગ જમતગડાના કહેતા. આ પછી તેા પિતાજીએ પોતાની સુવાંગ દુકાન બજારમાં જ કરી. હવે તે આ દુકાન મેં વેચી નાખી છે ) જ્યારે માલથાલ લાવવાના હૈાય ત્યારે પિતાજી પોતે પગપાળા જતા ભાવનગર અઢાર ગાઉ થાય તે પણ વચ્ચે મારું મોસાળ સણેાસરી આવતુ ત્યાં રાતવાસો કરીને આગળ જતા. માલ પણ જેટલે ઉપાડી શકાય તેટલે ખભે ઉપાડતા અને બાકીના પાછળ ભરતીયા સાથે ગાડામાં આવતા. તેમણે ઉધાર ધંધા તદ્દન કાઢી જ નાખ્યા. જેટલે થાય તેટલા રોકડ ધંધો રાખેલા, જીવન તદ્દન સાદું. વ્યવહારમાં ધસાવાનુ અને સહેવાનું રહેતુ. ધરાકા સાથે ભારે મધુર વ્યવહાર પાલી લાવે ને પાલી ખાય એવી પરિસ્થિતિ.. પિતાજીને નડેલા અકસ્માત એવામાં કમનસીબે પિતાજીને એક અકસ્માત નડયે. વાત એમ બની કેવળામાં વરવાડે ચડવાનો, વિસા પન્જીસના હતા. હું. પિતાજીની આંગળીએ જીવરાજ હેમચંદવાળા ખાંચામાં ઉભા હતા. તેવામાં તદન અમારી અડાઅડ એક શણગારેલો ઘેાડા વિક્ર્યાં, ઝાડ થયા અને પિતાજીને પગે વગાડયું. પિતાજી પડી ગયા એટલે પાસે ઉભેલાઓએ ઝાળીએ નાખી તેમને પ્રબુદ્ધ જીવન 33 ૧૩૩ ઘેર પહોંચાડયા. પિતાજી છ મહિના કે તેથીય વધારે વખત ખાટલે રહ્યા. દવા કયાંથી કરીયે ? ખાવાના સાંસા હાય ત્યાં ા કયાંથી આવે? મારે ત્યાં ડાસાભાઇ નામના બ્રાહ્મણ રાજ લેાટે આવે, ઘેર, એસે, ભગવાનના ધરની શાંતિની એ વાતા કરે, સાંત્ત્વના આપે અને આળું ભાળુ કાંઇ ઓસડ પણ જાણે તે બતાવે. તેમના આસડથી પિતાજી બેઠા તા થયા, પરંતુ પગે સદાને માટે લંગડાવાની ખેાડ રહી ગઇ, માથે પાણી નાખી તે લાકડીને ટેકે દુકાને જાય અને તનતોડ મહેનત કરીને અમારૂં પોષણ કરે, પરંતુ એવા એવા એ પણ જ્યારે ચાલ્યા ગયા ત્યારે અમારે ઉંચે આભ ને નીચે ધરતી એ સિવાય બીજા કાના જ આધાર ન રહ્યો. પિતાજી મને યાદ છે તેમ . પાકટ વયે ગયેલા. માતાજી તે વખતે તેમનાથી પંદર સત્તર વરસે નાનાં હશે. તે બીજી વારનાં હતાં. પિતાજીના ગયા પછી મારા દાદાના—મારા પિતાજીના મેટા ભાઈના-દબાણથી પેાતાની પાસેની વાલની વીંટી પણ વેચીને માતાજીને કારજ કરવુ પડયુ. પાસે ધરે માત્ર સો રૂપિયાનુ હતુ તે બધુય નાતીલાઓ કારમાં જમી ગયા. છેક છેલ્લે બધા હિસાબ કર્યા પછી એક રૂપિયા બાકી વધેલા તે દાદા આવીને ધરે આપી ગયા તે જ મા પછી આ વિધવા હવે કેમ જીવશે? અને ત્રણ છેકરાઓના નભાવ શી રીતે કરશે? તે કેવળ ભગવાન ભરોસે રહ્યું. માતાજીએ હિમ્મત રાખીને પોતાના જીવનને નકશા દેરી કાઢયો. ખૂણામાં રહેવાને રિવાજ હતા તે પશુ મર્યાદા સાચવીને અને મેાંણાં ખાતાં ખાતાંય તેઓએ બહારનાં કામ શોધી કાઢમાં. દળણું ખાંડણુ, સીવવું, પાણી ભરવું, રાખ ચાળવી, વીશી જમાડવી, આંમેલનુ રાંધવુ વગેરે અનેક કામ માતાજી કરતાં, મે' નજરે જોયેલુ છે કે માતાજી માત્ર બે કલાક જ સૂતાં, મોડે સુધી સીવતાં, વિસે બીજા ખીજાં કામ પહેાંચે અને રાતના એ વાગ્યે ઉઠી તે ચારપાંચ વાગ્યા સુધીમાં અધમણ પાણા મણુ ળતાં અને વહેલી સવારે રાખના કડિયા માથે ઉપાડીને કદાને ત્યાંથી લાવતા અને ભળકડુ થતાં પાણી ભરવા જતાં. હું નાના તે ખરો, પણ આ બધુ જોતા ત્યારે જીવ “ વક્ષેાવા જતા અને જેટલું બની શકે તેટલું માતાજીના દરેક કામમાં સહકાર આપ્યા વિના ન રહી શકતા, માતાજી કહેતાં કે તુ દૂબળા છે, વળી તારે માથે ભીતરના ભાર છે, એટલે કામ કરવું રેવા દે, છતાં હું અટકી શકતા ન હતા. i એ વખતે અમારે ત્યાં આગઠના દેસાઇ કુટુંબના એ વિદ્યાર્થી આ રહેતા. વ્રજલાલ નારણુ દેસાઈ અને તેમના નાના ભાઇ. અમે બધાં એક કુટુંબની જેમ સાથે રહેતાં, મારા માતજીએ એમની અને અમારી વચ્ચે કદી વેરાવચેત રાખ્યા ન હતા. અમે સાથેજ વળામાં નિશાળે જતાં અને ભણતા. વ્રજલાલભાઇ વર્તમાનમાં અમરેલીમાં રહે છે; તેમની અર્મોમાં સારી એવી સંપત્તિ હતી એમ હું સાંભળું છું. જ્યારે જરા વધારે મોટા થયા ત્યારે મારી મા મને મશાીદાળ અને વધારેલી કળથી કરી આપે. એટલે તે લઇ હું વેચવા જતે. આવી ભયંકર ગરીબી છતાં માતાજીના અથાગ સ્નેહને લીધે અમને કદી ઓછું આવ્યુ' જણાયુ નહીં અને દુ:ખ પશુ નહી લાગેલું. આ તે અત્યારે સભારું છું ત્યારેજ ‘એ દુ:ખ હતું' એમ ભાસે છે. મને હંમેશાં શરદી જેવુ રહ્યા કરે, એટલે નાકમાં વારે વારે શેડા આવે. એથી મારી નાની એન મને શેર્ડિયા' ભાઈ કહીને ખેલાવતી. આમ છતાં અમે ત્રણે ભાંડુ` `સપીને રહેતાં. આવે કાણુ પ્રસ ંગે કેવળ એક મામા જ અમને આશરારૂપ અનેલા. તે છાલકાં ભરીને જુવાર મોકલતા અને ખીજું પણ જીવનસાધન પાતાની ગજાસ પત મુજબ મોકલી માપતા. તે જ્યારે મારાં માતાજી પાસે આવતા ત્યારે ગદ્ગદ થઈ જતા અને એ જોઇને મને કાંઇતુ કાંઇ થ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy