________________
તા. ૧-૧૧-૧૯૫૪ :
પ્રબુદ્ધ જીવન
'
અર્ણ
એ જ પ્રયત્નની બીજી ભાત છે, પ્રબુદ્ધ જીવનના સંપાદન પાછળ | - આજ ખ્યાલ રહે છે. સમાજજીવનમાંથી કઢંગાપણું, કદરૂપા
પણું, શુષ્કપણું કાઢવું અને સુરુચિપૂર્ણ પ્રાણમય જીવનની તેને દીક્ષા આપવી, જૂનાં જીવનમૂલ્યોનાં સ્થાને નવાં જીવનમૂલ્યની પ્રતિષ્ઠા કરવી એ અમારું ધ્યેય રહ્યું છે. કેવળ વતનિયમ અને તપવડે શોધી નાખવા માટે જીવન નથી, પણ પુરુષાર્થ અને પરમાર્થસાધના વડે સભર બનાવવા માટે, સંયમઠારા શકિતશાળી તેજસ્વી બનાવવા માટે જીવન છે એ અમારા સંધને, અમારા મુખપત્રને સંદેશ છે.
" વિધ શા માટે? -૩ અહીં કોઈ જરૂર એ પ્રશ્ન કરી શકે છે કે જે યુવસંધ
સ્વામી વાત્સલ્ય અને નકારશીના જમણવારોને સખ્ત વિરોધ કરતે હતે તે યુવક સંધ આ ભેજન સમારંભ યોજે તે ઉચિત છે • ખરૂં? આના જવાબમાં જણાવવાનું કે યુવક સંધને વિરોધ સર્વ
કોઈ સામુદાયિક જમણવાર સામે કદી હતા નહિ કે છે નહિ, પણ ઢગલાબંધ વધેડાઓ કાઢવા અને મોટાં મોટાં જ્ઞાતિના કે ધાર્મિક જમણવારો પાછળ હજાર રૂપિયાને ધૂમાડે કર્યા કરો અને સમાજના હિતાર્થે અન્ય કશું ન કરવાની વૃત્તિ ધરાવવી એ સામે સંધને સખ્ત વિરોધ હતા અને આજે પણ છે જ. બાકી આવા અસાધારણ પ્રસંગે આવાં જમણવારે કદી કદી જાય એ સર્વ સમાજમાં સર્વ કાળે આવકારદાયક લેખાયું છે અને લેખાવાનું છે. જ્યાં મહોબત છે ત્યાં સહભેજન આવે જ છે અને તેમાં જ મહેબતની પરિપૂર્તિ સમજવામાં આવે છે. આપણે શરૂઆતના ઉપનિષદના મંત્રમાં સાંભળ્યું કે સન મુનકતું. આ પાછળ પણ આજ ભાવના રહેલી છે. યુવક સંઘ તરફથી આજ સુધીમાં આથી નાના પાયા ઉપરનાં સામુદાયિક પર્યટણ તેમજ સહભેજને અનેકવાર યે જતાં રહ્યાં જ છે અને પરસ્પરના સદભાવ અને સ્નેહને અર્થે આવાં સમૂહભેજનેની આવશ્યકતા સ્વીકારાતી રહી છે. આજને પ્રસંગ મટે છે તે આજનું સમૂહભોજન પણ મેટા પાયા ઉપર જાયું છેઆ રીતે આજનું આ દ્રશ્ય મને તે શું પણ કોઈ પણ તટસ્થ વ્યકિતના દિલમાં આનંદ રોમાંચ પેદા કરે તેવું છે. બે ઘડી કોઈ બીજી દુનિયામાં બેઠા હોઈએ એમ લાગે છે. આ ભજનમાં સહકાર આપવા માટે આપ ભાઈઓ અને
બહેનને હું ઉપકાર માનું છું.” - ત્યારબાદ શ્રી. શાંતિલાલ શાહ, શ્રી. રતિલાલ ચીમનલાલ કોઠારીએ, શ્રી. મેહનલાલ પાને પ્રસંગચિત વિચને કરી સૌને
વિનોદ કરાવ્યો હતો, અને શ્રી. લીલાવતી બહેને સૌ કોઈને પુનઃ આભાર માનતાં સંઘના પ્રમુખશ્રી ભુજપુરીઆનું સુખડના પુષ્પહાર વડે સન્માન કર્યું હતું અને જનમનગણના રાષ્ટ્ર ગીત સાથે સૌ " કોઈ અનેરી પ્રફુલ્લિતતા અનુભવતા છૂટા પડયા હતા.
મનોરંજન કાર્યક્રમ મનોરંજન સમિતિએ જુદી જુદી દિશાએથી એકત્ર કરેલ આ મનોરંજન કાર્યક્રમ તા. ૧૧ સેમવારના રોજ સાંજના ૬-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનમાં રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ માટે કશી ટીકીટ રાખવામાં આવી નહોતી, સંધના સભ્ય અને શુભેકે વડે નાટયગૃહ ખીચખીચ ભરાઈ ગયું હતું.
આ કાર્યક્રમમાં ગીતો અને ભજન શ્રી વિષષ્ણુકુમાર રાવળે અને શ્રી નીલમબહેન ચીનાઈએ રજૂ કર્યા હતાં. ગરબા અને રસ એ તે ગુજરાતના સાંસ્કૃતિક જીવનની વિશિષ્ટતા છે અને તે શ્વેતાંબર સ્થાનકવાસી જૈન યુવક મંડળની બહેનેએ અને તે જ સંસ્થાના ઉધોગ મંદિરની બહેનોએ આકષક રીતે રજૂ કર્યા હતા. આ ઉપરાંત ભગિની સમાજ સંચાલિત ચંદનબહેન શાહ સેવામંદિરની હરિજન બહેનોના ગરબાએ મનોરંજન કાર્યક્રમ દરમિયાન જરા ઠંડા પડેલા વાતાવરણને ચેતનામય બનાવ્યું હતું. બેબી કલ્પના અને સરલા શાહે નૃત્ય રજુ કર્યા હતા અને શ્રી. હીંમતલાલ વોરાએ દુહા સંભળાવીને પ્રેક્ષકેનું રંજન કર્યું હતું. મને જનના કાર્યક્રમનો સંગીતવિભાગ અખંડ જ્યોત કળામંડળે સંભાળ્યું હતું. - વિરામ પહેલાંના કાર્યક્રમને છેડે “મદનભસ્મ' નામની એક નૃત્ય નાટિકા ભજવવામાં આવી હતી. શંકર, પાર્વતી, મેનકા અને મદનના પાત્રને રજૂ કરતી આ નૃત્ય નાટિકા આકર્ષક અને અનુરૂપ પાર્શ્વભૂમિકા ઉપર ભજવાઈ હતી અને તેનું દિગ્દર્શન ચંદ્રકાન્ત રાજે કરાવ્યું હતું અને તેમાં કુ. લતા, દમયંતી, ભાવલતા અને બેબી
ભારતીએ ભાગ લીધે હતા. - વિરામ પછી અધ્યાપક પુરૂષોત્તમ લક્ષ્મણ દેશપાંડે લિખિત મૂળ .
મરાઠી “પુઢારી પાહિ જેનું શ્રી કાન્તિલાલ બોડિયા અને શ્રી શિરીષકુમાર મહેતાએ કરેલું ગુજરાતી રૂપાન્તર નેતા જોઈએ છે. એ નામની નાટિકાને “રંગભૂમિના કસાયેલા કળાકારોએ રજૂ કરી હતી. મનરંજન કાર્યક્રમના અને મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી. ખીમજી માંડણ ભુજપુરીઆએ કલાકાર મિત્રોને અને જે મિત્રએ અને સહાયકએ આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તે બધાને હૃદયપૂર્વક આભાર માન્ય હતે. પણાસાતે શરૂ થયેલા
અને અનુરૂપ પાર
કે, હતી અને તેનું
કરાવ્યું હતું
અભિનય જ
બત્રા“તિ ?
ડાબી બાજુઃ નત્ય કરતી બેબી કલ્પના * વચ્ચેઃ “નેતા જોઈએ છે' નું એક દૃશ્ય * જમણી બાજુઃ “મદન–ભસ્મમાં ધ્યાનસ્થ શંકર
. .
હા ,
-
|
::
છ
૪. "+i3rfessingssss
જામીનાબજcથતew
POLEEEEEE
ક
કાકા ર :
શિર
શ્રી ભરતીય વિદ્યાભવનમાં યોજાયેલા મનરંજન કાર્યક્રમનાં દ્ર.