SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રબુધ્ધ જીવન તા. ૧-૧-૫૪ - રૂપ ઉપર ધ્યાન આપવામાં આવે તો યે મહત્વપૂર્ણ સૂત્ર મળી . જાય તેમ છે. " , જીવ અનાદિ કાળથી સંસારચક્રમાં ભ્રમણ કરી રહ્યો છે. પાછલાં કર્મો ભોગવે છે અને નવાં બાંધે છે. આમ ભ્રમણ કરતાં કરતાં ઘણી વખત એ અવસર આવી જાય છે કે જ્યારે પૂર્વસંચિત કર્મો માટે ભાગે ભગવાઈ ગયાં હોય અને નવાં કર્મો પ્રમાણમાં બહુ એાછો બોધ્યા હોય. આ સમય આત્મા એક મકારનું ઉ અનુભવે છે. ચિત્તમાં શુભ અધ્યવસાયે આવ્યા કરે છે. આ પ્રકારના શુભ અધ્યવસાયે યથાર્થ ચિત્તશુધ્ધિનું સૂચન કરે છે, પણ તે સ્થાયી નથી હોતા. ચિત્તવૃતિ ફરીને બહિર્મુખી થઈ . થઈ જાય છે અને જીવ સાંસારિક વિષયમાં ફસી પડે છે. આ પ્રકારના અસ્થિર અધ્યવસાયને શાસ્ત્રીય પરિભાષામાં “યથાપ્રવૃત્તિકરણ . પરંતુ કોઈ કોઈ એવા પણ જીવ નીકળે છે, જે આ આકસ્મિક ચિતશુધ્ધિાં આગળ વધે છે, અને અપૂર્વકરણ તથા અનિવૃતિકરણ કરી ગ્રંથિભેદ કરે છે. આ ગ્રંથિભેદ થયા પછી જ જીવ સમ્યગદ્રષ્ટિ કહેવાય છે. તે અપરિત્તસંસારીમાંથી પરિતસંસારી બની જાય છે. અર્થાતુ તેનું સંસાભ્રમણ અમુક મર્યાદાની અંદર આવી જાય છે. ગ્રન્થિભેદને અર્થ છે સંસારભ્રમણની ગાંઠ ખેલી નાંખવી. આ ગાંઠના નિયામક તત બે છે. દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય. દર્શનમોહનીયના કારણે જીત્રની દષ્ટિ વિપરીત રહે છે. તેને આત્મા અને શરીરને વિવેક નથી હોતું. કર્તવ્યાકર્તવ્યનું ભાન નથી રહેતું. આ દર્શનમેહનીય દૂર થતાં જ જીવ સરળ દૃષ્ટિયુકત થાય છે. તેને અંતરથી નિશ્ચય થઈ જાય છે કે રમાત્મા શરીરથી ભિન્ન છે, અને મેક્ષ પ્રાપ્તિ કરવી એ પરમ પુરૂષા છે. આવા પ્રકારની શુધ્ધ દૃષ્ટિની સાથે ચારિત્રશુધ્ધિ અમુક માત્રમાં આવશ્યક છે. જૈન દર્શનાનુસાર ચારિત્રમાં પતનનું કારણ એક માત્ર કષાય છે. વ્યકિતમાં ક્રોધ, માન, માયા, અને લોભની માત્રા જેટલી અધિક, તેટલું તેનું પતન વધારે. જેમ જેમ આ કષાયે ઘટતા જાય તેમ તેમ જીવ આગળ વધતા જાય, જૈન શાસ્ત્રાનુસાર આધ્યાત્મિક ઉત્થાનક્રમને પરિચય આપનારા ચૌદ ગુણસ્થાનક મુખ્યતયા કષાયની તરતમતા ઉપર નિર્ભર છે. કર્મસિધ્ધાન્તમાં કવાની તરતમતા ચાર શ્રેણીમાં વિભકત છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન,-તરતમતાના આધાર પર આપણે તેને તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર અને મન્દ કહી શકીએ. તીવ્રતમ કષાયને ઉદય હોય તે છવ સમ્પષ્ટિ ન કહી શકાય. તીવ્રતરને ઉદય હોય તે શ્રાવક ન કહી શકાય, તીવ્રના ઉદય પર સાધુ ન હોઈ શકે અને મન્દને ઉદય હોય તે કૈવલ્ય પ્રાપ્તિ ને થાય. આ પ્રમાણે ચારિત્રની ચાર શ્રેણી છે અને તે પ્રાપ્ત કરવા ઉકત ચાર કષા ઉપર ઉતરો-તર વિજય પ્રાપ્ત કરવા આવશ્યક છે. અસ્થિભેદ કરવા માટે પ્રથમ કષાય અનતાનુબન્ધી પર વિજય પ્રાપ્ત કરવા જોઈએ. આની મેટી પરખ એ છે કે વ્યક્તિને કાપાયિક ભાવ જે એક વર્ષથી અધિક સમય સુધી ચાલુ રહે તે તેને અનંતાનુબંધી કષાય છે એમ જાણવું. સમ્યગદૃષ્ટિ જીવ લડાઈ ઝગડાને એક વર્ષથી અધિક ખેંચે જ નહિ. જૈન પરમ્પરામાં પર્યુષણુપર્વના અંતિમ દિવસે જે સંવત્સરિ પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું આ કારણથી જે અત્યન્ત મહત્વ છે. તે દિવસે દરેક જૈન પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પોતાનું મને મારિન્ય ઈનાખીને પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત દ્વારા શુધ્ધ થાય, અને ફરીને કષાયને ઉઠેક ઓછામાં ઓછો થાય એવી ભાવનાથી નવા વર્ષમાં પ્રવેશ કરે કહેવાની જરૂર નથી કે પર્યુષણ પર્વના આ મહત્વને દ્રષ્ટિ સમક્ષ રાખીને ચાલવામાં આવે તે પ્રતિવર્ષ જીવનમાં વિકાસ સ્પષ્ટ દેખાઈ આવે. જેમ કક્ષાક્રમ પ્રમાણે પરિશ્રમપૂર્વક અભ્યાસ કરનાર વિદ્યાર્થીને પિતાની યેગ્યતામાં થયેલા વિકાસ સ્પષ્ટ દેખાઈ આવે છે, તે પ્રમાણે આધ્યાત્મિક વિદ્યાથી ૫ણુ અન્તમાં ઝળકી ઉઠે છે. શાસ્ત્રોમાં સમ્યગદષ્ટિના પાંચ ગુણ બતાવ્યા છે – ૧ શમ–તેની ચિતવૃતિ શાંત હોય છે. તે સહેજે ક્રોધ, માન, ' આદિ આવેગોથી અભિભૂત નથી થતું. - ૨ સંગ-તે કર્તમાકર્તવ્યના વિવેકને ભૂલતો નથી - ૩ નિર્વેદ-તે સાંસારિક વિષયેથી વિરકત રહે છે. ૪ અનુકંપા-તેનું હૃદય જગતના સર્વે જી તરફ કરૂણાપૂર્ણ , હોય છે. : ૫ આસ્તિક-તેનું હૃદય શ્રધ્ધાથી ભરેલું રહે છે. અધ્યાત્મિક ઉત્થાન પ્રતિ તેને દઢ વિશ્વાસ હોય છે. અહિં સુધી આપણે શાસ્ત્રીય દષ્ટિએ સમ્યગ્દષ્ટિનું વિવેચન કર્યું. તેમાંથી કેટલીક વાત સ્પષ્ટ રીતે તરી આવે છે. - ૧ આધ્યાત્મિક ઉત્થાનના અધિકારીતા વિષયમાં સર્વદર્શને એકમત છે. ૨ માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે નહિ, પરંતુ વર્તમાન જીવન પણ સુખપૂર્વક જીવવા માટે સમ્યગદષ્ટિપણું આવશ્યક છે. કપાય એક પ્રકારને માનસિક રોગ છે. તેનાથી ઘેરાએલે ગમે તેટલે સાધનસંપન્ન હોવા છતાં સુખ પામી શક્તા નથી.. આધ્યાત્મિક ઉત્થાનની આ દ્રષ્ટિને સન્મુખ રાખી ભગવાન મહાવીરે કઠોર તપસ્યા કરી અને તેના ફલસ્વરૂપ અહિંસાને ઉપદેશ તેમણે આપ્યું. જે વ્યકિત કથાને જીતી નથી શકતી તે કદાપિ અહિંસક રહી શકતી નથી તમે કોઈને મારે કે ન મારે, નુકસાન પહોંચાડે કે ન પહોંચાડે, પણ જો તમારા હૃદયમાં તેના પ્રત્યે રોષ છે, અથવા બલપૂર્વક, ઠગીને કે કપટથી અથવા કોઈની સરળતા કે સંયેગેને લાભ ઉઠાવી કે પ્રલેભન આપી કોઈની વસ્તુ અપહરણ કરવા ઈચ્છો છો તે તે હિંસા જ છે. અને હિંસાને માર્ગે જનાર વ્યકિત સમ્યદ્રષ્ટિ હોઈ શકે નહિ. વ્યકિત કે સમાજના લાભની દ્રષ્ટિએ આધ્યાત્મિક વિકાસને આ માર્ગ કેટલે ઉપયોગી છે. તે કહેવાની જરૂર છે ખરી? જગતમાં આ માર્ગ ઉપર ચાલનારાઓની સંખ્યા જેમ વધારે, તેમ સુખ સંપત્તિ અને આનંદની વૃધ્ધિ વધારે થવાની. આમાં કોઈને બેમત હોઈ ઇન્દ્રચંદ્ર અપૂર્ણ સત્યં શિવ સુંદરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ છેલ્લા ત્રીશ વર્ષ દરમિયાન અનેક વિષય ઉપર લખેલા લેખમાંથી પસંદ કરીને આશરે ૨૭૫ પાનાને એક લેખસંગ્રહ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી છેડા સમયમાં પ્રગટ થનાર છે. તે લેખસંગ્રહનું નામ “સત્યં શિવ સુંદરમ્' રાખવામાં આવ્યું છે અને તેની કીંમત રૂા. ૩ નકકી કરવામાં આવી છે. આમ છતાં પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યને અને બુદ્ધ જીવનના ગ્રાહકને આ પુસ્તક પિસ્ટેજ સિવાય ૩, ૨માં આપવાનું ઠરાવવામાં આવ્યું છે. પોસ્ટથી મંગાવનારને ૬ આના વધારે પડશે. જે કોઈ સભ્ય અથવા ગ્રાહક સંઘના કાર્યાલયમાં આગામી મે માસની પહેલી તારીખ પહેલાં નકલ દીઠ રૂ. ૨) ભરીને પિતાનાં નામ નંધાવી જશે તેને આ લાભ મળી શકશે. તે સંધના સભ્યને તેમજ પ્રબુધ્ધ જીવનના ગ્રાહકોને આ પુસ્તકના આગળથી ગ્રાહક થવા વિનંતિ છે. ૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સઘ. મુંબઈ ૩.
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy