SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કરીના કપર. , ' ', તાહ ૧૫-૮-૧૪ પ્રબુધ્ધ જીવન ' આ છે ણામે તેના સદંશ સાથે અસદંશે પણ પ્રજાને ભોગવવાના રહે જ છે. ઘણી વખત પ્રજાએ ચૂટેલું પ્રધાનમંડળ અમુક પ્રશ્નમાં અમુક રીતે જ વિચારે છે અને તેમાં જ તેને પ્રજાનું સાચું અને સર્વાગી હિત દેખાય છે, જ્યારે પ્રજાને તત્કાલીન અભિપ્રાય તેથી તદ્દન વિરૂદ્ધ પ્રકાર હોય છે. આ અભિપ્રાય ઘણીવાર ઓછી માહીતીના પરિણામે અથવા તે અમુક આશ કે આંદોલનના પરિણામે ઉભો થયે હોય છે અને તે પ્રજાના સાચા ને સર્વાંગી હિતને અનુરૂપ હોતા નથી. આ વખતે સત્તારૂઢ પ્રધાનમંડળે શું કરવું? કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંડળની ફરજ છે કે આવેશ કે દેલન હળવું બન્ય પ્રજાને સાચી વાત સમજાશે એવી શ્રદ્ધાપૂર્વક તેણે મકકમતાપૂર્વક પોતાના અભિપ્રાય મુજબ અમલ કરે અને જે તે આ મુજબ વર્તે તે તે ખેટું જ કરે છે એમ આપણે કહી નહિ શકીએ. આમ લેકશાહીમાં અનેક ભયસ્થાન અને અનેક અપવાદસ્થાને રહેલા છે. આમ છતાં પણ લોકશાહીને અન્ય વિકલ્પ કેવળ એક પક્ષની સરમુખત્યારશાહી જ છે એમ સમજીને આજ ઘણા ખરા રાષ્ટ્રો લોકશાહીને સ્વીકારે છે અને તેના અંગઉપાંગો સુધારવા સંસ્કારવા મથે છે. અને એક અપવાદ સિવાય બીજા કોઈ સગોમાં જેને નિષ્પક્ષ કહેવાય એવી લોકશાહીની સંભાવના કઈ કલ્પતું નથી. આ અપવાદજનક સંયોગ વિગ્રહ જેવી બહારથી આવતી સર્વસાધારણ કટોકટી યા આફતને લગતા છે. આવી કોઈ આફત જ્યારે ઉભી થાય છે ત્યારે તેને પહોંચી વળવા રાષ્ટ્રના બધા રાજકીય પક્ષે એકત્ર થાય છે અને જેને આપણે નિષ્પક્ષ લેકશાહી કહીએ એવી રાજ્યરચના ઉભી કરવામાં આવે છે, પણ આવી રચના માત્ર કટોકટીનું નિવારણ થાય ત્યાં સુધી જ ટકી શકે છે. કટોકટીના નિવારણ સાથે પ્રજા પિતાની મૂળભૂત પ્રકૃતિ મુજબ સ્વાભાવિક રીતે. ભિન્ન ભિન્ન પક્ષોમાં વહેંચાઈ જાય છે અને એ પક્ષો વચ્ચે સત્તાપ્રાપ્તિની હરીફાઈ શરૂ થાય છે. આદર્શ સમાજરચના કેવી હોય તે વિષે તત્વચિન્તકે એ ઉતર આપતા સંભળાય છે કે જ્યાં કેઈએ કેઈના ઉપર રાજ્ય કરવું ન પડે એનું નામ આદર્શ સમાજન્ચના, પણ આપણે અનુભવ કહે છે કે આવી સમાજના માનવી પાયામાંથી પલટાય નહિ ત્યાં સુધી સંભવિત નથી. તેવી જ રીતે રાજકીય પક્ષોની સત્તાસ્પર્ધા અને તેનાં રાગદ્વેષવર્ધક અનેક અનિષ્ટ પરિણામે ધ્યાન ઉપર આવતાં લોકશાહી તે જોઈએ જ, પણ તે નિષ્પક્ષ હેય તે કેવું સારું એમ આપણા સમાજ દૃષ્ટાઓને લાગે તે સ્વાભાવિક છે, પણ જનતાના સ્વભાવમાં આમૂળ પલટે ન આવે ત્યાં સુધી આવી નિષ્પક્ષ સંકશાહીને વિચાર એક સ્વપ્ન સ્વરૂપે જ રહે ને છે. બાકી આજની દુન્યવી પરિસ્થિતિમાં લોકશાહી અને પક્ષરહિતતા એ બંને એકમેકના પરસ્પરવિરોધી ત છે અને રહેવાના. વસ્તુતઃ આપણે ત્યાં તે કશાહીની રચના અને વિચારસરણિ તેમાં રહેલા સારાં તેમજ માઠાં ત સાથે પશ્ચિમમાંથી આવી છે. લોકશાહીને દૈવી તેમજ આસુરી બન્ને બાજુ છે. એમાં તે કોઈ શક જ નથી કે અમાને રાષ્ટ્રના ઘડનારા અમે છીએ એવી આમજનતાને પ્રતીતિ - આપે એવી કોઈ રાજ્યરચના હોય તે તે માત્ર લોકશાહી જ છે. આ તેની ઉજળી બાજુ છે. સાથે સાથે બન્ને પક્ષે વચ્ચેની તુમુલ સ્પર્ધા અને તેનું અત્યંત જુગુપ્સા ઉપજાવે તેવું ચૂંટણી વખતે થતું પ્રદર્શન-આ તેની આસુરી બાજુ છે. આ પ્રદર્શન કઈ પણ સભ્યતાનિષ્ઠ, સત્ય અને અહિંસાના ઉપાસકને ભડકાવે, તેમાં તૈતિક ઘણુ પેદા કરે તેવું હોય છે. આથી એક ખ્યાલ એ પેદા થયે છે કે લેકશાહી તે ઠીક છે, પણ તેની અનર્થપૂર્ણ જડ તેની પક્ષપરાયણતામાં રહેલી છે. આ પક્ષભિન્નતાને ઉશ્કેદ કરીએ તે લેકશાહી વડે માનવજીવનમાં સ્વર્ગ પેવ કરી શકાય. આ શુભ આકાંક્ષામાંથી પક્ષરહિત લોકશાહીના વિચ રને જન્મ થયે લાગે છે. પણ આપણે ઉપર જોયું તેમ પક્ષે વિનાની લોકશાહી શક્ય જ નથી, તે લેકશાહીમાં પક્ષના અસ્તિત્વના કારણે દેખાતું ભયંકર અનિષ્ટ દૂર કરવાનો ખરો ઉપાય પક્ષેચ્છેદમાં નથી, પણ પશ્ચિમમાંથી લાવવામાં આવેલી લેકશાહીને આપણી સભ્યતાને, આપણી સંસ્કારિતાને ન રંગ આપવામાં રહે છે. સત્તાસ્પૃહામાંથી અને દેશને ચક્કસ ખ્યાલ મુજબ ઘાવાના મનોરથમાંથી ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોને ઉગમ થાય છે દેશનું અહિત કરવાની બુદ્ધિથી કંઈ પણ રાજકારણી પક્ષને ઉદય થતા જ નથી. દરેક પક્ષ તપતની દષ્ટિએ પ્રમાણીક છે એમ આપણે કાવું જ જોઈએ. તે કશાહીના ઉગમ સાથે રાજકીય પક્ષેને ઉગમ સ્વાભાવિક છે, અનિવાર્ય છે. આમ છતાં પણ પશ્ચિમની નકલ કરીને ચૂંટણી વખતે પરસ્પર ખૂબ વેર ઝેર વધારે એ પક્ષપ્રચાર કઈ પણ પક્ષે શા માટે કરવે જોઈએ? પિતાના પક્ષનું સમર્થન કરવા માટે અન્ય પક્ષને ભાંડ, સાચી ખોટી રીતે ઉતારી પાડે છે, આણી સંસ્કૃતિ સાથે બીલકુલ સંગત નથી, વસ્તુતઃ માનવસભ્યતાને બીલકુલ અનુરૂપ નથી. બીજું ચૂંટણીપ્રચાર અંગે આપણે બીજું ગમે તે કરીએ, પણ જેનાથી આપણને એકાન્ત નુકસાન થયું છે અને જેના અનિષ્ટપણા વિષે ભિન્ન ભિન્ન પક્ષો વચ્ચે બીલકુલ મતભેદ નથી એવા કેમવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદને આપણે હરગીજ ઉતેજના ન જ આપીએ, અને એવા રાષ્ટ્રવિધાતક તત્વેને આપણે આપણા ઉમેદવારને જિતાડવા કદિ પણ આશ્રય ન લઈએ--આવી ! સમજુતી શું ભિન્ન ભિન્ન પક્ષે વચ્ચે શક્ય નથી ? આવા ઝેરી પ્રચારને સત્ત ના ઉપયોગથી પણ સપ્તપણે દાબી દેવો જોઈએ. આવી જ રીતે ચૂંટણી પત્યા બાદ સત્તારૂઢ પક્ષ તેમજ અન્ય પક્ષો | વચ્ચેનો વર્તાવ પણ ઉચ્ચ પ્રકારની સભ્યતાના ધારણ ઉપર ઘડવને આપણે પ્રયત્ન કરીએ. કોઈ પણ સારી કે નબળી બાબતમાં સત્તા- ! રૂઢ પક્ષને ઉતારી પાડવાની નીતિ છેડીને સારી બાબતમાં અનુમંદન | આપવું અને મતભેદ ન હોય તેવી બાબતમાં સંપૂર્ણ સહકાર આપ-આ પ્રકારની નીતિ અન્ય પક્ષેએ ધારણ કરવી જોઈએ. આમ લોકશાહીને આપણી સભ્યતાએ ને ઉદાત્તતાને અનુરૂપ રંગ આપવામાં આવે, પરસ્પર વિનય, આદર અને બાંધછોડની વૃત્તિપૂર્વકને વ્યવહાર કેળવવામાં અને રાજકારણી જીવનનું આ રીતે ઉર્ધીકરણ કરવામાં આવે તે પછી લેકશાહીની પક્ષપ્રચુરતા રાષ્ટ્રની એકતા ને પ્રગતિમાં બાધક નહિં પણ સાધક બનશે. બીજી બાજુએ પક્ષવિહીન રાજપ- ' રચનાનું જ જે આજેલન જોરશોરથી ચલાવવામાં આવશે તે તેનું પરિણામ અસ્તિત્વમાં આવેલા કે હવે પછી આવે તે પક્ષેને વિલીન કરવામાં નહિ આવે, પણ એક પક્ષની સરમુખત્યારશાહી સ્થાપવામાં જ આવશે. નિષ્પક્ષ લોકશાહીના પક્ષકાર સમક્ષ આ મારી નમ્ર વિચારણા સાદર રજુ કરું છું.. પરમાનંદ. સત્યં શિવં સુન્દરમ્ . (શ્રી પરમાનદ કુંવરજી કાપડિયાના લેખમાંથી ચૂંશને છે તયાર કરવામાં આવેલ લેખસંગ્રહ) પ્રકાશક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ. કાકાસાહેબ કાલેલકર તથા પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે. પ્રગટ થઇ ચૂકી છે. કીંમત: રૂ. ૩ પરટેજ વાર " મુંબઈ જન યુવક સંધના સભ્યો તથા પ્રબુધ જીવનના ગ્રાહકો માટે કીમત: રૂ. ૨, પરટેજ ote પ્રાપ્તિસ્થાન : (1) મુંબઈ જેન યુવક સંધ. ૪૫ ૪૭ ધનજી સ્ટ્રીટ મુંબઈ, ૩) (૨) ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તા, અમદાવાદ, ૧.૨
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy