SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ somainmenu તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા રજીસ્ટર્ડ ન. મી ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪' પ્ર, જૈન વર્ષ ૧૪–૪. જીવન વર્ષ ૨ અંક ૮ મુંબઈ, ૧૫ ઓગસ્ટ ૧૯૫૪, વિષાર આફ્રિકા માટે શાલિ`ગ ૮ ----- નિષ્પક્ષ લેાકશાહી? આજકાલ નિષ્પક્ષ લેાકશાહીના વિચારને શ્રી. વિનોબાજી ઠીક ઠીક આગળ કરી રહ્યા છે. સતબાલજી પણ વિશ્વવાત્સલ્યમાં આ ખામતની શક્રયતા અને ઇષ્ટતાનું અવારનવાર સમર્થન કરતા જોવામાં આવે છે. તા. ૧-૭-૫૪ નાં વિશ્વષાત્સલ્યનાં અકના અલેખ પણ આ જ વિષયને અનુલક્ષીને લખાયેલા છે. તે આવી નિષ્પક્ષ. લોકશાહી શક્ય છે કે કેમ તેના આપણે પણ વિચાર કરીએ. આજે આપણા દેશમાં Àોકશાહીની પ્રતિષ્ઠા થઇ છે અને રાજ્યના વહીવટ લોકશાસનના ધોરણ ઉપર રચાયો છે. આ ઘટના ભારતના તિહાસમાં સૌથી પ્રથમવારની છે. આજથી બે હજાર વર્ષ પહેલાં મગધ અને આસપાસના પ્રદેશોમાં ગણરાજ્યાની વ્યવસ્થા પ્રજાસત્તાક રાજ્યના ધારણે નિર્માણ કરવામાં આવી હતી એમ ઇતિહાસકા। કહે છે, પણ તેના સ્વરૂપમાં અને આજે જેને આપણે લેાકશાહીના નામે ઓળખીએ છીએ. તેના સ્વરૂપમાં મહત્ત્વના તાવત છે. વળી એ વખતનું પ્રજાસત્તાક મંત્ર પ્રમાણુમાં બહુ મર્યાદિત પ્રદેશને સ્પર્શેલુ હતુ. જ્યારે આજનુ તંત્ર અખિલ હિને એક હેડેથી ખીજા છેડા સુધી સ્પર્શે છે. આપણને આઝાદી મળી તે પહેલાં એ પ્રકારની રાજ્યવ્યવસ્થાના આપણને પરિચય હતો. એક તા. રાજાશાહી અને બીજી બ્રીટીશશાહી. શ્રીટીશશાહી તંત્રમાં સમયાન્તરે લોકશાસનનાં કેટલાંક તત્વા દાખલ કરવામાં આવ્યાં હતાં; પણ સત્તાનાં મૂળ સૂત્ર તે અંગ્રેજોના જ હાથમાં રહ્યાં હતાં. ૧૯૪૭ના ઑગસ્ટ માસની ૧૫ મી તારીખે હિંદ ખાતે બ્રીટીશ અમલના અંત આવ્યો અને સાચા અર્થમાં રાજકીય સ્વરાજ્ય સ્થપાયું અને રાજ્યતંત્રની નવરચના પ્રચલિત લેાકશાહીના ધોરણે કરવામાં આવી. આ લોકશાહીના પાયામાં નીચેની ત્રણ બાબતો અનિવાર્ય પણે રહેલી છે. (૧) ભિન્ન ભિન્ન વિચારસરણી અને વલણ ધરાવતા સ્વતંત્ર રાજકારણી પક્ષનું અસ્તિત્વ. જીવન શ્રી મુંબઈ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છુટક ન : ત્રણ આના (૨) અમુક મુદ્દતનાં ગાળે પ્રાદેશિક તેમજ મધ્યસ્થ ધારાસભાના સભ્યાની પ્રજાદારા દેશવ્યાપી ચૂંટણી. (૩) બહુમતી ધરાવતા રાજકીય પક્ષને રાજ્ય વહીવટની સે પણી. લેાકશાહી એટલે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિએનું રાજ્ય એટલુંજ નહિ, પણ જે પક્ષના સૌથી વધારે પ્રતિનિધિ ચૂંટાયા હોય તે પક્ષનું રાજ્ય. આ ચૂંટણી સાધારણ રીતે પાંચ વર્ષના ગાળે ગોઠવાય છે અને તેનું જે પરિણામ આવે તે લેકાના બહુમતના વલણને પ્રતિબિંબિત કરતુ હાય છે. જેમ જેમ લોકેના વલણમાં ફેરફાર થાય છે તેમ તેમ લોકપ્રતિનિધિઓ તેમજ રાજસત્તા ઉપર આવતા રાજકારણી પક્ષ-ઉભય સ્વાભાવિક રીતે અધ્યાતા રહે છે. આપણે જેને લોકશાહીના નામથી ઓળખીએ છીએ તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આવું છે. આજે જે રાષ્ટ્રો લોકશાહીતંત્ર .. ધરાવતા ગણાય છે તે રાષ્ટ્રોના તંત્રની વિગતામાં ગમે તેટલી ભિન્નતા હાય, પણ તેના પાયામાં ઉપર જણાવી તે ખાખતા મુખ્યપણે હાવાની જ. આથી અન્યથા એવું તંત્ર રશીયાનુ છે કે જ્યાં એક પક્ષનું જ S અસ્તિત્વ છે અને જ્યાં તે પક્ષનુ પ્રધાનમંડળ અને તેમાં પણ તેને પ્રમુખ અત્યન્ત વિપુલ સત્તા ધરાવે છે. ચીનમાં દેખાવના અમુક પક્ષે અસ્તિત્વ ધરાવે છે, પણ રાજ્યરચના એવી ઉભી કરવામાં આવી છે કે સર્વ સત્તા સામ્યવાદી પક્ષના પ્રમુખ આગેવાનાના હાથમાં જ કેન્દ્રિત રહે છે. આ બન્ને રાષ્ટ્રો પણ પોતાના તંત્રને નામ તો લોકશાહીનું આપે છે, પણ ત્યાં ભિન્ન ભિન્ન વિચારસરણુિ ધરાવતા સ્વતંત્ર રાજકારણી પક્ષનુ કાં તો અસ્તિત્વ નથી, અથવા તા અમુક એક પક્ષ સિવાય બીજા પક્ષાને સત્તા ઉપર આવવાની કાઇ શક્યતા હોતી નથી, અને ચૂંટણીમાં ગમે તે પક્ષને મત આપવાનું પ્રજાજનોને સ્વાતંત્ર્ય હેતુ નથી તેથી તે તે તંત્રને ોકશાહી કહી શકાય જ નહિ. આ લોકશાહી એટલે કેવળ અમૃત નથી અથવા તે। જેમાં કશા પણ દેષ, ત્રુટિ કે અનર્થ ન સંભવે એવી આદર્શ રાજ્યરચના નથી. આ લોકશાહીની જેમ સારી ભાજી છે તેમજ તેની અનિષ્ટ એવી પણ ખાજુ છે જ. લોકશાહીમાં જાણે કે કોઈ અનર્થની શકયતા જ નથી એવા કાઇ સમજદાર આદમી દાવા પણ કરતા નથી. દા. ત. ધારાસભાની ચૂંટણી આ ચૂંટણી વખતે રાજ્યસ-તા ઉપર આવવાની સ્પર્ધા કરતા પક્ષે અન્ય પક્ષે સામે અને એક પક્ષના ઉમેવારો અન્ય પક્ષના ઉમેદવારો સામે જે એક પ્રકારની અવહેલનાનીતિ અસ્ત્યાર કરે છે તે ભારે ધૃણાજનક હાય છે. બધા પક્ષે મોટા ભાગે સત્ય અને સભ્યતાને પક્ષહિત સાધવા આડે ગૌણ બનાવીને ચાલે છે; મતે મેળવવા માટે કામી અભિનિવેશ, સાંપ્રદાયિક અભિનિવેશ અને ત`હ તરેહના અન્ય અભિનિવેશને સારી રીતે ઉત્તેજવામાં આવે છે અને તેને અને તેટલા લાભ ઉઠાવવામાં આવે છે; રાગ અને દ્રેષ અત્યન્ત વિકૃત સ્વરૂપે પ્રગટ થાય છે; કેટલેક ઠેકાણે દ્રવ્યને પુષ્કળ ઉપયોગ કરીને મતા ખરીદવામાં આવે છે. ઉમેવાર તરીકે વ્યક્તિગત લાયકાતને ગૌણસ્થાન આપવામાં આવે છે. કાની કયાં વધારે લાગવગ છે એ મુજબ ઉમેદવારો ચૂંટવામાં આવે છે. સજ્જન અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ બાજીએ રહી જાય છે અને ગુડી અને કાળા બુજારીઓ, કોમવાદી અને દુરાચારી દૃિ કદિ ચૂટાય છે અને સમાજને નેતા બની જાય છે. ચૂંટણી બાદ સત્તા ઉપર આવેલ પક્ષ સ-તાના કદી દુરૂપયોગ કરતા જ નથી એમ પણ્ હેતું જ નથી. ખીજી બાજુએ અન્ય પક્ષો સતારૂઢ પક્ષને ઉતારી પાડવામાં સતત પ્રતિકુળ ટીકા કરવામાંજઋતિકર્તવ્યના માનતા હોય છે. સમગ્ર રાષ્ટ્રના સામાન્ય હિતાહિતને લક્ષમાં લઈને ભાગ્યે જ કાઇ પ્રશ્ન ઉપર ભિન્ન ભિન્ન પક્ષા સત્તારૂઢ પક્ષને સાથ આપે છે. સત્તારૂઢ પક્ષમાં રહેલા પ્રધાનમંડળની બહારનાં સભ્યોને પક્ષના આદેશ મુજબ હા કે ના કહેવાથી ભાગ્યે જ વિશેષ કાંઇ કરવાપણું હાય છે. સાકશાહીની આવી અનેક ત્રુટિઓ હોવા છતાં આવી ત્રુટિએથી મુક્ત છતાં લોકશાસનયુકત એવી કાષ્ઠ રાજ્યરચનાની
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy