SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૨૨ રહેલી છે. દા. ત. તપની માફક જાપ, ભક્તિ, ધ્યાન, તીર્થાટન, દાન, પ્રાણાયામ નિયમ, આવાં અનેક અનુષ્ટાતા આત્માભિ મુખતા, આત્મદર્શન માટે આવશ્યક છે, પણ તે અમુક હદ અને મર્યાદામાં હાય તે જ. કાઇ કાઇ ચેવીરો કલાક જાપ જ કર્યાં કરે, . પૂજા પ્રાપ્ત કર્યાં કરે અથવા બને તેટલા સમય ધ્યાનમાં જ મેસી રહેવાની આદત કેળવે તે તેથી જડતા જ વધે અને યાંત્રિકતા જ કુળવાય, કાષ્ટ પ્રગતિ ન સધાય. તીર્થાટન આવશ્યક છે, પણ કાઇ વના મોટા ભાગ ના આરેાહ અવરોહમાં જ વ્યતીત કરે તેા શારીરિક ખડતલપણાથી તેને કાઇ વિશેષ લાભ ન થાય. આવી જ રીતે ઉપવાસ-અનશન પણ વિવેકયુકત હાયતા જ લાભકારી બને. નહિ તો શરીરકૃતાં ઇન્દ્રિયાની મન્ત્રતા અને ચિત્તની જડતાથી બીજું કાંઇ પરિણામ ન આવે. તપને પણ આપણે કેવળ એકાંગી ખ્યાલ ધરાવીએ છીએ. તપ બાહ્ય અને આભ્યન્તર છે. શરીર તેમ જ મનની વૃત્તિઓનું ધ્યેયલક્ષી વિવેકયુકત દમન તેમ જ કાઈ ઈષ્ટ સાધના તરફ મન, વાણી કમ'ની એકાગ્રતા-આનુ નામ તપ છે, આપણને ઉપવાસ કરવા સિવાય તપની બીજી કાઇ કલ્પના જ નથી. આવા એકાંગી તપ આપણને આગળ વધવામાં બહુ મદદરૂપ. થતા નથી. જીવન એટલે પ્રવૃત્તિ, ક્રિયાશીલતા. આ પ્રવૃત્તિ-ક્રિયાશીલતાવિશદ્ ખતે અને તેનું સામર્થ્ય વધે એ માટે અવારનવાર એક યા આજા પ્રકારના વિરામની દરેક માનવીને જરૂર રહે છે. આ હેતુથી માની રાત્રે ઉંધે છે કે જેથી દિવસે તે પ્રાણમય જીવન જીવી શકે; માણુસ અવારનવાર તીર્થાટન કે પ્રવાસે જાય છે કે જેથી ચાલુ જીવનમાં તે નવી સ્મ્રુતિં તાજગી મેળવી શકે. ઉપવાસ યાં અનશનના અર્થમાં તપની એટલા માટે ઉપયોગીતા છે કે જેથી વિવિધ પ્રકારના અન્નગ્રહણથી નીપજેલી શારીરિક તેમ જ માનસિક વિકૃતિ હળવી થાય યા નાખુદ થાય, હાજરીતે આરામ મળતાં પાચનશકિત વધે અને ખાવાની ઉપાધિ થેડા સમય બંધ રહેતાં માણસ અન્તર્મુખ ખતે, આત્માભિમુખ બને. આવી જ રીતે યુગસાધનામાં મનને પણ અવારનવાર કૃત્તિવિમુખ બનાવવાનુ, વિચારના સ્પદના અટકાવીને સ્થિર, શાન્ત, નિશ્ચેષ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે. આના પરિણામે કહેવામાં આવે છે કે મનનું સામર્થ્ય' વધે છે, ચિન્તન નિમળ બને છે, અને મનની ઉપરની જ્ઞાનભૂમિકાનું દ્વાર ઉઘડે છે. આ રીતે આવ્યાત્મિક સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે, નિષનૂતન પુરૂષાની તાકાત મેળવવા માટે માનસિક તપ-ચિત્તવૃત્તિનિધ તથા શારીરિક તપ-અનશન ઉપવાસાદે ઉભયની આવશ્યકતા છે, ઉપયેગીતા છે. પશુ જેમ માસિક વૃત્તિને સતત નિરાધ કર્યાં કરવાથી જડતા જ પેદા થાય છે તેવી જ રીતે લાંબા લાંબા ઉપવાસોનુ પણ બીજું કોઇ પરિણામ આવતુ નથી. કાઇ પણ કહેવાતા તપસ્વીના સીધા પરિચયમાં આવવાથી આ કથનનું સત્ય અનુભવગોચર થઇ શકે તેમ છે, તેનામાં ઉપવાસના નાદ સિવાય છ કાઇ ચેતના કે આત્માકના ચિહ્નો નજરે પડતા નથી. દુર્વાસાની ક્રોધાવિવશતા આપણને કયાં અજાણી છે ? અપૂર્વ દેહદમનના વિરલ દૃષ્ટાંત તરીકે સદ્ગત જવેલબહેનના ઉપવાસેાની ગમે તે કીમત હોય, પશુ ખીજી રીતે વિચારીએ તો કાઇ ધમના ખ્યાલથી પ્રેરાઇને દિત્રસના હજાર હજાર ય નમસ્કાર કરે, કાઇ એક પગ ઉપર દિવસોના દિવસ સુધી ઉમે રહે, કાઇ પોંચાગ્નિ પ્રગટાવી તે વચ્ચે આખા દિવસ પસાર કરે, કાઈ શીતળ જળવાળી વહેતી નદીમાં ઉમે રહીને રાત્રી વ્યતીત કરે, કાઇ માત્ર લીબડાના પાન ચાવીને મહીના સુધી જીવવાનો ચમત્કાર ખતાવે, કાઇ શત્રુ જ્ય કે ગિરનારની ચડતરમાં સારૂ જીવન વતાવે, તેમાં અને જલબહેનના લાંબી મુદ્દતના ઉપવાસમાં તા. ૧-૧૧-પ૩ બીજો કશા ફરક નજરે પડતા નથી. જેમ એક બાજુએ ખાનપાનના ભાગે પભોગથી આપણે પાછા હટવુ જોઇએ તેમ ખીજી ખાતુંએ આવી તપધેલછાથી પણ્ આપણે મુકત બનવું જોઇએ. જેમ જીવનની ખીજી બાબતેમાં આપણાં મૂલ્યાંકને બદલાવા લાગ્યા છે તેમ તપના ખ્યાલનું વિવેકમુદ્ધિથી સ`માર્જન થવું ઘટે છે, ખાલી દેદમનની પૂજા ખૂંધ થવી ઘટે છે, તપ, ત્યાગ કે સયમ શરીર અને મનને નબળાં પાડવામાં નહિ પણ તેનું સામર્થ્ય વધારવામાં પરિણમવા જોઇએ-એ રીતે આપણી આખી ધાર્મિક વિચારસરણને સ'શાધિત કરવી ઘટે છે, આ રીતે વિચારતાં જવલખહેતે લાંબી મુદતના ઉપવાસે। કરીને છેવટે દેહને પાયે એ કાઈ ભનન્દન કે ધન્યવાદયોગ્ય ગૌરવપ્રદ ઘટના નથી લગતી, પણ ક્રાઇ તેમને સમ્યક્ જીવનષ્ટિ આપનાર ન મળ્યું અને એક અપૂર્વ જીવનશકિત પર પરાગત તપના ખ્યાલી નાદ અને અધ્યાસ પાછળ વેડફાઇ ગઇ તે વિષે મન ઉંડી ગ્લાનિ અનુભવે છે. આ રીતે એમનું અકુદરતી અવસાન ખરેખર ખેદ ઉપજાવે તેવુ છે. શ્રી શકુન્તલા કાન્તિલાલ જેન ગલ્સ હાઇસ્કૂલને દર મા વાર્ષક ઉત્સવ વિજયાદશમી તા. ૧૭–૩૦-૫૩ ના રોજ શ્રી મુંબઇ અને માંગરાળ જૈન સભા હસ્તક ચાલતી શ્રી શકુન્તલા કાન્તિલાલ જૈન ગલ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએએ સસ્થાના ૬૨ મે વાર્ષિક ઉત્સવ શ્રી સહનલાલજી દુગડના પ્રમુખપણા નીચે ભારતીય વિંદ્યાભવનના નાટયગૃહમાં ઉજજ્ગ્યા. આ ઉત્સવને કાર્ય - ક્રમ ગરબા, રાસ, નૃત્ય, અભિનય ગીત, લેઝિમ, ડ્રીલ વગેરે અનેક સુન્દર પ્રક્રિયાઓથી ભરેલા હતા. પ્રત્યેક પ્રક્રિયા ઉત્તમ રીતે રજુ કરવામાં આવી હતી, આવા ઉત્સર્વેની ભાખતમાં મુંબઈની અન્ય અગ્રગણ્ય સંસ્થાની અપેક્ષ એ આ સ ંસ્થા એક વખત એ દશકા પાછળ લાગતી હતી. આજે અન્ય સ ંસ્થાન એની હરાળમાં બરાબર ઉભી રહે-કાઈ કાઇ ખાતમાં ચઢી પણ જાય એવી આ ગલે ગીત, ગાન, નૃત્ય ભવ્ય આહિંમાં પ્રગતિ સાધી છે એમ જરૂર કહી શકાય. આ કાર્યક્રમમાં સૌથી વધારે આકર્ષક હતી ગિરિગુરૂ ગિરનાર ' એ નામની શ્રી. ચંદ્રવદન મહેતાએ રચેલ નૃત્યનાટિકાની ઉત્તમ પ્રતિની ભજવણી. આ નાટિકામાં કાળ જીના ગિરનારે હજારો વર્ષોંના ઇતિહાસ પટ દરમિયાન પોતાની નજર સામે શુ શુ ભવ્ય ઘટનાઓ બનતી જોઇ તેનું ક્રમસર નિરૂપણ કરવામાં આવ્યું હતું અને તેમાંની અમુક ઘટનાએ તદશ ભજવી પણ બતાવવામાં આવી હતી. એક વખત સમતલ ઉપર આવેલા એશીઆ અને આફ્રીકા કાળાન્તરે જુદા પડયા અને વચ્ચે અરબ્બી સમુદ્ર નિર્માણુ થયે, ઉત્તરપથમાં મહાસાગર હતો ત્યાં એકાએક હિમાલયે માથું કાઢ્યું, સમુદ્ર તરફ ધસી જતી સરસ્વતી કચ્છના રણમાં લુપ્ત થઇ, કૃમ્બુચને ઉદ્દય અને અસ્ત થયો,પ્રિયદર્શી સમ્રાટ અશાકના લેખા કાતરાયા, સોનબાઇ, નાગબાઇ અને રાણકદેવી-ત્રણ સતીઓના સૌરાષ્ટ્ર ઉપર શાપ વરસ્યા, નરાસંહ મહેતા અને મીરાં પ્રગટયાં, જોગીદાસ ખુમાણુના પરાક્રમે એ લેકાને ચકિત કર્યા, દયાનંદ સરસ્વતી અને તેની પાછળ મહાત્મા ગાંધી આવ્યા અને ગયા. આવી એક કલ્પનાપ્રચુર સાહિત્યકૃતિ ભજવી બતાવીને. પ્રેક્ષકાને આનંદ તેમ જ આશ્ચર્યાંથી મુગ્ધ કર્યાં એટલું જ નRsિપણ ગિનનાર આસપાસના સદી જુના ભવ્ય માંચક ઇતિહાસનું દર્ષોંન કરાવ્યું. પ્રમુખસ્થાને બીરાજેશ શ્રી સહનલાલજી દુગડે પેાતાના કંઇક લાંબાં પ્રવચન દ્વારા આજના કન્યાશિક્ષણને અંગે ચાર
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy