SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રક તા ૧૫-૨-૫૧ કેટલાક નાના મોટાં ગામડાંઓ વસેલાં છે, તેનું ઉચ્ચતમ શિખર- ગુરેશિખર-પ૫૦૦ ફીટની ઉંચાઈએ આવેલ છે. આમ બનું ક્ષેત્રફળ એક નાના તાલુકા જેટલું વિશાળ છે. ગિરનારની રચના તદન ભિન્ન પ્રકારની છે. જાણે કે કોણ વિરાટપુરૂષ ઉમે હોય તેવી આસપાસના મિતળ ઉપર ગિરનારની એક સાથે ૩૫૦-૩૬૦૦ ફીટની ઉભારી છે, કેવળ ચઢાણુ, ચઢાણ અને ચઢાણુ. જૈન મંદિરો પશુ ઉપરનીચે બાંધવામાં આવેલ છે ગિરનારમાં સમતળ પ્રદેશ બહુ જ ઓછો છે. પાછળના ભાગમાં પણ ઉતરાણ અને ગઢા એવા કામમાં જ એક પછી એક શિખરની પરંપરા નજરે પડે છે. પર્વતની આવી વિચિત્ર રચનાના પરિણામે કે ગમે તે કારણે ત્યાંનું વાતાવરણ–શત્રુજ્ય કે આબુ કરતાં-ઘણું વધારે અસમ-ક્ષુબ્ધ-ચંચળ રહે છે. કુદરતને પ્રકુપિત બનતાં વાર નથી લાગતી. શંકરનું ત્રીજું લેાચન અવારનવાર ઉઘડે છે ને બંધ થાય છે. એમાસામાં તે ધુમ્મસના ગાઢ ઘેરાવામાંથી ગિરનાર ભાગ્યે જ ઉચું માથું કરી શકે છે. પવનના વાવાઝોડાં એ તે જાણે કે ત્યાં નિત્યને કમ બની ગયું છે. પ્રકૃતિના રૂદ્ર સ્વરૂપનું અવારનવાર દર્શન થયા જ કરે છે. કુદરતે પ્રાકૃતિક તાંડવે માટે ગિરનારને ખાસ પસંદ કર્યું હોય એમ લાગે છે. ગિરનાર-જે ભવ્ય અને ભીષણ છે તેવી જ રીતે ત્યાંની કુદરત પણ ભવ્ય તેમજ ભીષષ્ય સ્વરૂપે કમસર પ્રગટ કરતી રહે છે. - સવારના પહેરમાં સાધારણ રીતે ગિરનારને ઉપરનો ભાગ ધુમ્મસથી અને વાદળાંએથી ગાઢપણે ઢંકાયેલા રહે છે. ધુમ્મસના ચાલુ આવરણ-અનાવરણુને લીધે ગિરનાર ભારે કાવ્યમય બની ' જાય છે. ઘણી વખત આ ધુમ્મસનું આક્રમણ બહુ ઘટ્ટ અને વગવાન હોય છે. સાંજ પડે અને સૂર્યાસ્ત હજુ થયે ન ચી ત્યાં તે ધુમ્મસ અને વાદળાનો ઘેરે એકાએક શરૂ થાય છે અને આખી રાત સમસ્ત પ્રદેશ ઉપર ધુમ્મસ ગાઢપણે છવાયેલું રહે છે. અમે ગિરનાર શુકલપક્ષના પ્રારંભમાં ગયેલા અને ગિરનાર ઉપર ચાંદની ખુબ માણીશું એ આશાએ પુનમ સુધી ઉપર રોકાવાને નિરધાર કરેલે, પણ અમે ગિરનાર ગયા એ મિક્સ અને વર્ષના સંધિકાળની રૂતુ હતી. એટલે એ દિવસે માં વાદળ, વાવાઝોડાં અને ધુમ્મસનાં આક્રમણોની પરંપરા ચાલ્યાજ કરતી હતી. આ જ કારણે પાછળના દિવસેમાં ધુમ્મસનું જોર વધતું જ ચાલ્યું. તેરસ, ચૌદશ, પુનમ–ત્રણે દિવસ સાંજ પડે અને ન હોય ત્યાંથી વાદળાં અને ધુમ્મસના ઢીના ઢગ ગિરનારના શિખર વિભાગ આસ- પાસ ઘેરે ઘા અને એ ઘેરામાંથી સવારના આઠ નવ વાગ્યા સુધી ગિરનારને છુટકારો ન થાય. પરિણામે પાછળના દિવસોમાં ચાંદની માણવાની અમારી મુરાદ અતૃપ્ત જ રહી ગઇ. બાકી સવારના ભાગમાં અંદર અંદર પાંચ ફુટથી પણુ આગળ જોઈ ન શકાય એવા ગાઢ ધુમ્મસથી આક્રાન્ત ગિરિપ્રદેશમાં પરિભ્રમણ કરવાનો જે આનંદ આવે છે તે કોઈ જુદો જ હેય છે. ગિરનારમાં ગૌમુખી ગંગાથી સહસાવન જવાને જે રસ્તે જુદે પડે છે તે ઉપરથી પસાર થતાં એક બાજુએ જૈન મંદિરો દેખાય છે અને નીચે દૂર જુનાગઢ શહેર અને આસપાસને પ્રદેશ નજરે પડે છે. ધુમ્મસનું જ્યારે એર હોય ત્યારે ઘડિમાં આસપાસ નીચે ઉપર સર્વ કાંઈ દેખાતું બંધ થાય છે તે વળી ઘડિમાં ધુમસ એકાએક એ સરી જાય છે અને મંદિરો, તળેટી, જુનાગઢ શહેર અને એથી પણ આગળના પ્રદેશ એકાએક આપશુને દષ્ટિગોચર ચવા લાગે છે. આમ ધુમ્મસના આવરણ અને અનાવરણની 'જે પરંપરા ચાલે છે. તે મનોમય ભૂમિકામાં રહેતા અને તેથી ઉપરની ભૂમિકામાં અવારનવાર પ્રવેશ કરતાં જીવતિભાને પરમ તત્ત્વના-પરમાત્મસ્વરૂપના-પરબ્રહ્મના-ગાપન અગાપનની કવા અનુભવ થતો હશે તેને કંઇક ખ્યાલ આપે છે. ધુમ્મસ પત! ખરેખર સ્વાભાવિક શણગાર છે. એ વિનાને પર્વત તારા વિનાના રાત્રી જેવ, દાઢી વિનાના જોગી જે, ઉણા-અધુર લાગે છે. ગિરનારમાં અમે જ્યાં રહેતા હતા ત્યાં સામે જ એક બોમ્બ પૂર્વ દિશા આવેલી હોઇને અમને હંમેશાં અદ્દભૂત યદિય જોવા મળતું. ઘણી વખત પ્રાત:કાળ થાય અને દૂર દૂરથી સફેદ વાદળોના ઢગના ઢગ શ્રેણીબંધ ચાલી આવતા અને પૂર્વ દિશા તરફ વહી જતા જોવામાં આવતા. નીચેની ખીણ વાદળેથી ઢંકાઈ જાય; કેટલાંક વાદળે આસપાસના ટેકરટેકરી ઉપર આળોટતાં આળોટતાં સ્થિર થઈ જાય; ધીમે ધીમે નીચેના સમસ્ત પ્રદેશ ઉપર રૂના પિલ જેવા વાદળાઓ ગાઢપણે છવાઈ જાય. અરૂણોદય થઈ ચુક હોય અને પૂર્વકાશ લાલ બનતું જતું હોય એવામાં દૂર દૂર ક્ષિતિજ ઉપર સુર્યબિંબની આછી રેખા નજરે પડે અને ધીમે ધીમે સૂય" વાદળના પડમાંથી ઉચે આવતે દેખાય. જેમ જેમ સુર્ય ઉચે આવે તેમ તેમ તેમાંથી કિરણે છુટવા લાગે, ફેલાવા લાગે, અને આસપાસ પથરાયલી વાદળની બીછાતને રંગ બેરંગી બનાવવા માંડે. આ રીતે નિર્માણ પામતા અનુપમ દુષ્યને અમે એકીટશે નિહાળી રહેતા અને અવર્ણનીય અટલાદ અનુભવતા. હિમાલયમાં કલકત્તાની ઉત્તરે આવેલું દારછલીંગ હવા ખાવાનું મશહુર ઠેકાણું છે. ત્યાંથી કંચનબંગાનું શિખર હંમેશાં દેખાય છે. કહેવાય છે કે દારછલીંગથી થોડેક દૂર ટાઈગર્સ હીલ નામની એક કરી છે. આ ટેકરીની ટોચ ઉપર દુનિયામાં અનન્ય એ રંગબેરંગી સૂર્યોદય જોવા મળે છે. આ માટે પ્રવાસી ને વહેલી સવાના ઉઠીને આ સ્થળે પહોંચે છે અને આ સુપ્રસિદ્ધ મહિમાવાળા સૂર્યોદય નિહાળવાની તક શોધે છે. જો આકાશ નિર્મળ હેય તે જ પ્રવાસીઓને આમાં સફળતા મળે છે. આ સ્થળ લગભગ ૧૦૦ ૦ ફીટની ઉંચાઈએ આવેલ છે. નીચેની બધી ખીણ અને દૂર દૂરના સમતળ પ્રદેશ વાદળાના ઢગથી ખીચોખીચ ભરાઈ જાય છે, જેથી દુષ્ય જગત્ કેવળ વાદળાનું જ બનેલું હોય એવું ભાસ થાય છે. સામે પૂર્વકાશમાં નિર્મળ સુર્યબિંબ ઉચે આવે છે અને કિરણ વર્ષ વરસાવવા માંડે છે. આને લીધે સમસ્ત પ્રદેશ ઉપર કઈ અજબ રંગલીલાની જમાવટ થાય છે, સ્થળે સ્થળે વેતરંગમાંથી મેઘધનુષ્યના સાત સાત રંગે ફૂટવા લાગે છે અને પળે પળે આખું દુષ્ય પલટાતું ભાસે છે. આવું એ અપૂર્વ સૂર્યોદયનું વર્ણન સાંભળેલું તેની કાંઈક ઝાંખી અહિંના ભવ્ય સૂર્યોદય સમયે થઈ રહી છે એમ મને લાગતું. આ સૂર્યોદયની ભાત દિવસનું દિવસ પલટાયા કરતી અને હંમેશાં અવનવાં કાવ્ય રચાયે જતાં અને તેની મોહકતામાં, વિલક્ષતામાં, નિત્યનૂતનતામાં કદિ પણ ઘટાડે થતે નહિં. અપૂર્ણ.. પરમાનંદ સાભાર સ્વીકાર મહર્ષિ શ્રી હરિભદ્રસુરિ વિરચિત યોગ દૃષ્ટિ સમુચ્ચય સવિવેચન અવકન માટે મળ્યું છે. તે ગ્રંથનું વિવેચન છે. ભગવાનદાસ મનસુખભાઇ મહેતાએ કર્યું છે, તેના પ્રકાશક શ્રી. મનસુખલાલ તારાચંદ મહેતા છે. તેનું મૂલ રૂ. ૬ છે, મળવાનું ઠેકાણું : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, ને મ્યુન બીહડીંગ, હાનંબી રેડ, મુંબઈ ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકશ્રી. મણુિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઈ મુદ્રગ્રસ્થાનઃ સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨ ના જામrrr --- --------------------મારા કામમ.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy