SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ જન તા. ૧૫-૨૫૧ અગા કટકા પાક શબ્દરચનાની હરીફાઈ પણ આવી રીતે પ્રતિષ્ટાપાત્ર બનેલો એક પ્રકારને જુગાર જ છે. રાષ્ટ્રને નિત્યનુતન માર્ગદર્શન આપે- વાને દાવો કરનારા દુનિક અને સામયિકોનું આ એક અતિ ' અગત્યનું અંગ બની બેઠું છે. આજની મેધવારી અને કટોકટીના વખતમાં કેટલાક છાપાઓને ટકવાનું આ એક અને અદ્વિતીય સાધન છે. એવા પણ દૈનિકો આજે અસ્તિત્વ ધરાવે છે કે જેના એક વખતના સંચાલીકાએ કઈ નૈતિક શુભ ઘડિના આવેગમાં આ હરીફાઈના અંગને તિલાંજલિ આપી હતી. આજે એ જ પત્રના નવા . સંચાલકોએ વ્યવહારબુધ્ધિને વશ થઈને આ હરીફાઈ પિતાના પત્રોમાં મોટા પાયા ઉપર શરૂ કરી છે. . • આ આજની વસ્તુસ્થિતિ છે. પણ આશ્ચર્યજનક તે એ છે કે ઉપર જણાવ્યા મુજબ શ્રી. એસ. કે. પાટીલ જેવા મુંબઈના અમૃતમ લેક નેતા શબ્દરચનાની હરીફાઈ જુગાર હોવાને જાહેર રીતે ઇનકાર કરી રહ્યા છે. આ એક પ્રકારની લોકવચના છે. એ જ પટીલ મહેદય આગળ ચાલતાં સાધુતા ધારણ કરીને એમ જણાવે છે કે "હરીફાઈમાં જુગારનું કંઈ તત્વ હોય તો તે નાબુદ કરવામાં સરકાર પગલાં ભરી શકે છે, જાણે કે શબ્દરચનાની હરીફાઈમાં જુગાર જેવું કાંઈ હેઈ શકે કે કેમ તે વિષે તેમના દિલમાં શંકા છે અને આવો અભિપ્રાય તેઓ એ પ્રસંગે વ્યકત કરી રહ્યા છે કે જ્યારે તેઓ પોતે જ હિંદુસ્તાન શબ્દરચનાની હરીફાદ એટલે સતિ જુગારમાં વિજેતા બનેલી વ્યકિતને પોતાના વરદ હસ્તે ઇનામ આપી રહ્યા છે. શું તેઓ એમ માનતા હશે કે જે વ્યકિતને તે ૧૦૦૦૦, ૨૦૦૦૦ કે ૩૦૦૦ ૦ નું ઇનામ આપી રહ્યા છે તે કે બુકિતને તેના પરસેવાનું રળતર આપવામાં આવે છે અથવા તો કે કજીવના જોખમની બહાદુરીની કદર કરવાને પ્રસ્તુત ઇનામ પાછળ હેતુ રહેલો છે ? આ જુગારને નિર્દોષ જાહેર કરે છે તે તેઓ તેમ કરી શકે છે. આ જાગારનો દે,ષમતાના પ્રમાણમાં તેમાંથી નીપજતી બૌદ્ધિક કેળવણી અને વિનોદ પ્રમોદની કીંમત ઘણી , વધારે છે એમ કહેવું હોય તે તેમ પડ્યું તેઓ જલે કહ. દેશવા ': માટે હિન્દુસ્તાન જેવા "દનિક પત્રોનું પ્રકાશન અત્યંત આવશ્યક . છે. અને એ પ્રકાશન શબ્દરચનાની હરીફાઈ સિવાય ચાલી શકે તેમ , છે જ નહિ એમ પણ પિતાના પક્ષે તેઓ જરૂર કહી શકે છે, પણ શબ્દરચનાની હરીફાઈ આજે જે રીતે એ ચાલે છે તે રીતે–જુગાર નથી એમ કહેવું તે અસત્યને સત્યમાં વટાવવા બરાબર છે. અનુલોમ પ્રતિલોમ લગ્ન : ઉભય કાયદેસર આપણે ત્યાં કાયદાનું ભારે અજ્ઞાન પ્રવર્તે છે. એમાં પશુ ચાલુ કાયદામાં થતા ફેરફારને તે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. તિર્ધરના તા. ૩૦-૧૨-૫૦ના અંકમાં અનુલોમ તથા પતિલોભ લગ્ન સંબંધમાં ૧૯૪૯ ની સાલમાં કરવામાં આવેલ અતિ અગત્યના સુધારાની સમજુતી આપતું શ્રી. હેમેન્દ્ર શાહનું પ્રગટ થયેલું ચર્ચાપત્ર અહિં પ્રબુદ્ધ જૈનના વાચકને ઉપયોગી થશે એમ સમજીને સાભાર ઉધન કરવામાં આવે છે : " થાડા જ વખત ઉપર આપણા પ્રાંતમાં આતરજ્ઞાતીય સતા સંબંધે એક વ્યાપક કાયદે બહુ સરળતાથી અને બીલકુલ વિરોધ વિના પસાર થઈ ગયો છે એ ઘણાના જાણવામાં પણ નથી. એ નવા કાયદા મુજબ હિન્દુ સમાજ માં જુદી જુદી કૃતિઓનાં આનર લગ્ન કાયદેસર ગણવાનું ઠરાવવામાં આવ્યું છે. એટલે અનુલમ અને પ્રતિમ જેવા ભેદ નાબૂદ કરવામાં આવ્યો છે.” આ મુજબ અન્યત્ર પ્રગટ થયેલા લખાણમાં થયેલા વિધાનમાં સહેજ સુધારે કરવાની જરૂર છે. જે ધારાને તેમાં ઉલ્લેખ કર્યો છે તે ધારે મુંબઈ ધારાસભાએ પસાર કર્યો નથી, પરંતુ હિન્દની મધ્યસ્થ સંધ પાર્લામેન્ટ ૧૯૪૯ ની ઓકટોબરની બેઠકમાં પસાર કર્યો છે. આ ધારાનું નામ “ હિન્દુ લગ્ન કાયદેસર હોવાને ધારે, 1684 The Hindu Marriage Validity Act 21 of 1942) એ છે. આ ધારા સમગ્ર હિંદને લાગુ પડે છે અને તે માત્ર ભવિષ્યમાં “ જ નહિ પરંતુ ભૂતકાળના પણ આંતરવર્ણય લગ્નને સ્પર્શે છે. અર્થાત તે retrospective છે, અને આ ધારો અમલમાં આવતા પૂર્વે જે આંતરવર્ણય લગ્ન થઈ ગયેલાં તે બધાને કાયદેસર ઠેરવે છે. આ ધારે પસાર થતા પૂર્વે આંતરવર્ણય લગ્ન સંબંધી ધારાકીય સ્થિતિ આમ હતી. હિંદુ ધારા પ્રમાણે ચાર મુખ્ય વણે. બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ, ત્યાર પછી અનુક્રમે ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ આમાંથી ઉપલા વર્ણને પુરુષ નીચલા વર્ગની સ્ત્રી સાથે લગ્ન કરે તે અનુલેમ લગ્ન કહેવાતા દા. ત. બ્રાહકણું વણિકની કન્યા સાથે પરણે. તેથી ઉલટું જે કોઈ ઉતા વર્ણને પુરૂષ ચઢીયાતા વર્ણની કન્યા સાથે પરણે તે તે પ્રતિલોમ લગ્ન કહેવાતાં દા. ત. હરિ જન પુરૂષ બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરે (ડે. આંબેડકરે કયુ" તેમ ). આખા હિંદમાં અનુલેમ અને પ્રતિલોમ લો આ નવે ધારો આવતા પૂવે', ગેરકાયદેસર હતાં. અને મુંબઈ રાજયની અ દર અનુ મ અને કાયદેસર ગણાતાં જો કે પ્રતિલોમ લગ્ન તે ગેર કાયદેસર ગણતાં જ (મુંબઈ રાજ્યમાં પ્રવર્તિત હિંદુ ધારો હિંદના બીજા બધા ભાગોમાં પ્રવર્તતા હિંદુ ધારા કરતાં હંમેશાં વધારે પ્રગતિશીલ રહ્યો છે). આ ધારો આવ્યા પછી આ બેઉ ભેદે નાબૂદ થયા છે. અને ગમે તે હિન્દુ (જૈન, બુદ્ધ, બ્રાહ્મણ, ચમાર વિગેરે ). અમે છે. હિંદુ સાથે કાયદેસર રીતે હવે લગ્ન કરી શકે છે. પરિણામે જુદા જુદા વર્ણના પુરૂષ સ્ત્રીને લગ્ન કરવા માટે સીવીલ મેરેજ કરવાની જરૂર નથી. બીજુ ઉપરના અવતરણમાં જે આંતરજ્ઞાતિય લગ્નો શબ્દ વાપર્યો છે તે મને એગ્ય લાગતું નથી. આંતરજ્ઞાતીય લગ્ન એક રીતે કાયદેસર હતાં જ. બ્રાહ્મણ વાણિયા વિગેરે પિતાપિતાની અનેક પેટા જ્ઞાતિઓમાં અંદર અંદર લગ્ન કરે છે તે કાયદેસર ગણતાં માત્ર આંતરવર્ણય લો ગેરકાયદેસર હતાં. એટલે નવા ધારાથી અતિરવર્ણવ લગ્નની છૂટ થઈ છે. પણ ઉપરાંત અવારસુધી સગોત્ર લગ્ન સામે પણ હિંદુ ધારામાં પ્રતિબંધ હતો. આ પ્રતિબંધ પણ સંધ પાર્લામેન્ટ કરેલા બીજા એક ધારાના પરિણામે નાબુદ થયે છે. હવે સમાને ગોત્ર કે અસમાન વણ હોવાને કારણે કોઇ લગ્ન ધારાકીય દૃષ્ટિએ નિષ્ફળ થઈ શકશે નહિ.” જૈન વિદ્યાર્થીમાં રાત્રીભજન પ્રાંતબંધ જૈન સમાજ હસ્તક ચાલતાં કેટલાક વિદ્યાર્થીગૃહમાં રાત્રીભજન અંગે સખ્ત પ્રતિબંધ પ્રવર્તે છે. જૈન ધર્મની રિપ્રચલિત પરંપરાના કારણે રાત્રીભજન નિષેધનું ગમે તેટલું મહત્વ હેય પણ આજે ખાસ કરીને મેટા શહેરોમાં વસતા જૈન સમુદાયના ચાલુ જીવનમાં રાત્રીભોજનને લગતા નિયમ પળાતે લગભગ બધા થયે છે અને એ બાબતને આગ્રહ છુટી ગયો છે. જે સંસ્થામાં આ નિયમને સસ્ત આગ્રહ રાખવામાં આવે છે તે સંસ્થાના સંચાલકે પોતે પણ ચાલુ રાત્રીભેજન કરતા હોય છે. આમ હોવાથી આ નિયમને કશે પણ ધાર્મિક પ્રભાવ વિધાર્થીઓ ઉપર પડતું નથી અને એ નિયમનું પાલન જ્યાં જેટલા પ્રમાણમાં થાય છે ત્યાં એક પ્રકારના અણુગમાપૂર્વક થાય છે. આમ છતાં પણ પૂર્વ પરંપરાને સમાનીને જે સંસ્થા સૂર્યાસ્ત પહેલા વિદ્યાર્થીઓને જમાડી લેવાની પ્રથાને વળગી રહેવા માંગતી હોય તે સંસ્થા તેમ ભલે કરે, પણ સાથે સાથે આ ચાલુ નિયમમાં કેટલીક છુટછાટને અવકાશ આપવાનું ગંજીરતાપૂર્વક વિચારે એ અતિ આવશ્યક છે. કેટલીક વખત સંસ્થાના મકાનથી કોલેજ એટલી બધી દૂર હોય છે કે વિધાથી ગમે તેટલા પ્રયત્નો કરે પણું વખતસર પહોંચી જ શકતા નથી. આ સંગમાં તેને કાં તે ભુખ્યા રહેવું પડે છે અથવા અન્યત્ર રાત્રે ખાવાની ફરજ પડે છે. આવા બીજા પણુ લગભગ અનિવાર્ય ગણાય એવા સંયોગ પ્રસ્તુત નિયમને અંગે છુટછાટની અપેક્ષા રાખે છે. જૈન વિદ્યાર્થીગૃહના સંચાલકે આ વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં લે અને તે સંબંધમાં જરૂરી પ્રબંધ કરે એવી વિલુપ્ત છે. , પરમાનંદ માં પ્રતિબંધ બુદ થયો છે. વર કોલમેન્ટ કરવા
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy