________________
યુદ્ધ જૈન
સુચારિત્ર્ય અને જનસેવા વડે માનવીજીવનને સફળ કરા !
(દક્ષિણ ભારત શ્રી જૈન શ્વેતાંબર તેરાપ'થી 'સભાના તાજેતરમાં જ્યુસિંગપુર ખાતે મળેલા પાંચમા અધિવેશનમાં શ્રી નેમચંદ્ર નગીનચંદ વકીલવાળાએ પ્રમુખસ્થાનેથી આપેલા વ્યાખ્યાનમાંથી કેટલાક વિભાગે તારવીને નીચે આપવામાં આવે છે. શરૂઆતમાં તેરાપંથી સ ́પ્રદાયના કૅમ ઉદ્દભવ, થયું અને આજે તે કઈ 'કક્ષાએ ‘પહેાંચ્યા છે તેને ખ્યાલ આપવામાં આવ્યું છે. તેરાપંથી સમાજ દાન દયાનો વિરોધી છે એવા ખ્યાલ જેનાના કેટલાંક વર્ગોમાં પ્રવર્તે છે. તેના જવાબરૂપે જાણે કે ન હોય એવાં કેટલાંએ વિધાના આ વ્યાખ્યાનમાં આપણને જોવા મળે છે, જે વાંચતાં'આનંદ થાય છે. 1. તંત્રી) અને તેમની પછી શ્રી કાળુરામજી સ્વામિ પાટે બિરાજ્યા. જેઓએ જૈન શ્વેતાંબર તેરા પંથી ધર્મ પ્રચાર બહુ સારી રીતે હિંદુસ્તાનમાં કર્યાં.
આ
તા. ૧–૧૦-૫૧
જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યેા આવે છે એ નિર્વિવા વાત છે. આ અવસણીમાં શ્રી ઋષભદેવ ભગવાનથી જૈન ધર્મની શરૂઆત થઇ, તે સંસારમાં હતા ત્યારે જીંગલીઓને સંસારમાં કેમ ચલાવવું અને વર્તવું તે તેમણે શિખવ્યુ અને સંસાર છેડી સાધુ થયા ત્યારે આત્મકલ્યાણ કેમ કરવુ તે બતાવ્યુ', તેમણે સાધુ ધમ અને શ્રાવક ધર્મ બતાવ્યો, તે પછી બીજાં બાવીશ તીર્થંકર ભગવાને થયા.. બાદ છેલ્લા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન થયા. તેમણે પણ લોકાને સર્વત્રતી સાધુ ધ યાને અણુગાર ધર્મ અને શ્રાવકા માટે આગાર ધર્મ એટલે અનુવ્રત ધર્મ બતાવ્યો. શ્રી મહાવીર ભગવાન ઈ. સન પૂર્વે પર૬ વિક્રમ સંવત ૪૭૦ પૂર્વે મેક્ષે પધાર્યાં પછી ઘણા વખત સુધી એમના પાટાની પર ંપરા ચાલી અને પછી દિગમ્બર સપ્રદાય થયા. અને વળી ગચ્છ ભેદો પણ થયા. તે પછી સંવત ૧૫૩૧ માં લોકાગચ્છની સ્થાપના થઈ. લાંકાગચ્છમાંથી નીકળેલી એક સંપ્રદાય શાખાના આચાર્ય શ્રી રૂગનાથજી સ્વામી પાસે સંવત ૧૮૦૮ માં શ્રી ભિક્ષુસ્વામીએ દીક્ષા લીધી અને પછી તેમની જોડે ક્રિયા અને પ્રરૂપણા બાબત મતભેદ પડતાં સંવત ૧૮૧૭ ના અશાડ સુદી ૧૫ ને રોજ શ્રી સિદ્ધ ભગવાનની સાક્ષીએ પુનઃ નવી દિક્ષા અંગીકાર કરી. આ સ ંપ્રદાયનુ નામ તેરાપંથ એટલે જે પથમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન થાય છે, તે હે ભગવાન તારા જ પંથ, મારવાડી ખેલીમાં તેરા. પથ નામ પડયું. આ મુજબ તેરાપંથ નામથી પ્રસિધ્ધ થયા.
+
શ્રી ૧૦૦૮ શ્રી ભિક્ષુસ્વામીએ પોતાના શાસનના સાધુ સાધવી જીના ચારિત્ર શુદ્ધ નીભાવવા અને ધર્મશ્રદ્દા બરાબર રાખવા માટે મર્યાદા બાંધી તેમાં ક્રમાવ્યું છે કે દરેક સાધુ સાધવીએ એક જ આચાર્યની આજ્ઞામાં રહેવું. ચેલા ચેલી કરવા . તા એક આચાર્યના નામે જ કરવા, દીક્ષા લેનારને તેના માતા, પિતા કે વાલી વારસની આજ્ઞા વગર દીક્ષા આપવી નહી, દીક્ષાર્થીને જરૂરી ધાર્મિક જાણપણું જેવું કે વ, અજીવ, નવ તત્ત્વ, છ દ્રવ્યના સમાવેશ થાય છે. એવા પચીસ ખેલ, પ્રતિક્રમણ વીગેરે આવડતા હોય અને તેના વૈરાગ્યની બરાબર પૂરી તપાસ ને પરીક્ષા કરીને દીક્ષા આપવી. જેને તેને વગર વિચાર્યે દીક્ષા આપવી નહી. શાસ્ત્ર સિદ્ધાંત અનુસારે માન્યતા રાખીને ભગવાનની આજ્ઞા મુજબના ઉપદેશ આપવા અને વર્તવુ. આવી જે સારી સારી બાબતાની મર્યાદા બાંધી છે તેને લીધે આ સંપ્રદાય ધીમે ધીમે અંહુ સારી પ્રગતિ કરી.રહ્યો છે. ચાલુ સમયે જૈનામાં ચાર મોટા સંપ્રદાયા છે (૧) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક (૨) શ્રી જૈન શ્વેતામ્બર સ્થાનકવાસી (૩) શ્રી જૈન શ્વેતામ્બર તેરાપથી અને (૪) શ્રી જૈન દિગમ્બર સંપ્રદાય છે.
શ્રી ભિક્ષુસ્વામી સંવત ૧૮૬૦ ના ભાદરવા સુદી ૧૩ ને દીવસે સ્વર્ગે સિધાવ્યા પછી ખીજી પાર્ટ શ્રી ભારીમાલજી સ્વામી બિરાજમાન થયા. તેમની પાટે શ્રી રાયમ∞ સ્વામી આવ્યા અને તેમની પછી શ્રી જીતમલજી સ્વામી (જ્ય મહારાજ) પાટ બિરાજ્યા. . તેમણે ઘણા સૂત્રેાનું સરળ ભાષામાં ભાષાન્તર કર્યું છે અને શ્રી ભગવતીજી જેવા મહાન ગહન સૂત્રનું પદ્યમાં ભાષાંન્તર કર્યું" છે, જેના લગભગ ૬૦૦૦૦ સાઠ હજાર શ્લૉકા છે. તેમની પછી. શ્રી મઘરાજજી સ્વામી પાર્ટ શેભાયમાન થયા. તેમની પછી શ્રી માણેકલાલજી સ્વામી પાટે બિરાજ્યા અને તેમની પાટે સાતમા પટધર શ્રી ડાલચંદજી સ્વામી બિરાજ્યા,
૫.
શ્રી કાલુગણિ મહારાજે અખૂટ મહેનત લઈને શાસનની બધી પછી નવમી પાર્ટી આજે શ્રી ૧૦૦૮ શ્રી તુલસીરામજી સ્વામી સારી વૃદ્ધિ કરી, તે શ્રી સવંત ૧૯૯૩ માં સ્વર્ગે સિધાવ્યા. બિરાજે છે. તેઓશ્રીએ ૧૧ અગીઆર વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. તેએ હુજ થાડા વર્ષોમાં સ્ત્રો, સંસ્કૃત વ્યાકરણ, ન્યાય અને જૈનેતર: માના જાણકાર થયા. તેએશ્રી એકવીસ વર્ષની ઉંમરે આચાય પદે બિરાજ્યા. તેઓએ આટલી નાની ઉંમરમાં પણ સારી અને મહાન વિદ્વતા પ્રાપ્ત કરી છે. હાલ તેઓશ્રીની ઉંમર છત્રીસ વર્ષની છે. તેએ અથાગ પરિશ્રમ સેવી લૉકા જેટલી બને તેટલી લધુ સ ંખ્યામાં ધર્મ એધ પામે અને લોકાનો આત્મઉદ્ઘાર થાય તેને સતત પ્રયાસ કરી છે. વ માંન સમયે શ્રી ભિક્ષુ શાસન તેરાપ ંથ સંપ્રદાયમાં ૬૪૦ સા રહ્યા છે. તેઓશ્રીનુ આ વર્ષનું ચાતુર્માસ ભારતની રાજ્યધાની દિલ્હીમાં ચાલીસ સાધુ અને સાધ્વીજી આચાર્યશ્રીની આજ્ઞામાં વિચરે છે. હિન્દુસ્તાનના ૯ પ્રાંતાનાં ૧૧૦ નાના મોટા શહેરોમાં ચોમાસા કરી ધર્મ આધ લોકાને આપી રહ્યા છે.
રીતે
તે
જૈન ધર્મ વિશ્વવ્યાપી ધર્મ છે. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરે, ઈન્દ્રીયો ઉપર જીત મેળવવાની કાશીષ કરે તથા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની આરાધના કરે તે જૈન કહેવાય. જૈતેમાં નીચે લખેલા (1) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ પાંચ મહાવ્રત કહ્યા છે. તે જ પ્રમાણે ક્રિશ્ચિયન ધર્મ માં પણ દશ મેટા ફરમાના માંના પાંચ નીચે મુજબ છે. (1) Thou shalt not kill, (2) Thou shalt not bear a false witness against thy neighbour, (3) Thou shalt not steal, (4) Thou shalt
not commit adultery, (5) Thou shalt not covet
(૧) તારે. હિંસા કરવી નહિં (૨) તારા પડેાશી સામે જુડાઃ સાક્ષી થવુ નહિં એટલે જુહુ ખેલવું નહિં (૩) તારે ચોરી કરવી નહિં (૪) તારે વ્યભિચાર સેવવા નહિં (૫) તારે ધનનો લાભ કરવા નહિં, તે જ, પ્રમાણે શ્રી મહાભારતમાં પણ કર્યું છે કેઃ—
-
મહિલા -- સત્યમસ્તેય – બ્રહ્મચર્ય - સત્રિદી । कामक्रोधनिवृतस्तु ब्राह्मणः सः युधिष्ठिर ॥ હું યુધિષ્ઠિર, અહિંસાનું પાલન કરે, જી નહિં ખેલે, ચેરી નહિં કરે, બ્રહ્મચર્ય પાળે, પરિગ્રહ રાખે નહિં, કામક્રોધ રાગદ્વેષનુ સેવન કરે નહિં તે બ્રાહ્મણ કહેવાય. વેદમાં પાંચ મહા યમ કહેતાં પાંચ મહાવ્રત ઉપર રચાયા છે. ટુંકામાં એટલુજ કહેવાનું કે સવે પાંચ મહાનિયમા આ જ પ્રમાણે છે. બૌધ્ધ ધર્મના પાયે પણ આ
-
ધાના
સમાવેશ. : : '. 1.
" अहिंसा सत्यमस्तेयम् त्यागो मैथुनवर्जनम् । पंचस्वेतेषु धर्मेषु सर्वे धर्मा प्रतिष्ठिता: ॥ એટલે 'હિંસા કરવી નહિં. જી ખેલવું નહિં, ચેરી કરવી નહિં બ્રહ્મચર્ય પાળવું અને અપરિગ્રહી રહેવું તેમાં બધા ધર્મોનો સમાવેશ થાય છે. સર્વે ધર્મો પછી તે જૈન, વેદ, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને ખીન્ને કાઈ પણ હોય તેમાં જોશે તે ધર્મની વ્યાખ્યા એટલે તત્ત્વ આ જ નીકળશે,