SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૫૧ શુક્ર જૈન શુધ્ધિસપ્તાહની પહેલી સભાના અહેવાલ પૂજ્ય શ્રી. જાનુજીનું પ્રવચન તા. ૨૮-૫-૫૧ ના રોજ વ્યવહારશુદ્ધિ મંડળ અને મુંબઇ જૈન યુવક સધના સયુક્ત આશ્રયનીચે મળેલી શુધ્ધિ સપ્તાહની પહેલી સભાનું ઉદ્ઘાટન સૌંદય પ્રણેતા શ્રી જાજુજીના હાથે કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં વ્યવહાર શુધ્ધિ મંડળના એક અગ્રગણ્ય કાર્યકર્તા શ્રો કાન્તિલાલ મેદીએ પ્રસ્તુત મંડળના આજ સુધીના કાર્યને વૃત્તાન્ત વાંચી સંભળાવ્યે હતેા ( જે આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યા છે. ) શ્રી જાજીજીના પરિચય ત્યારબાદ શ્રી પુરૂષોત્તમ કાનજી ( કાકુભાઇ ) એ પૂજ્ય જાજીજીની ઓળખાણ આપતાં જણાવ્યું હતુ` કે “ તે ધાંધલીઆ રાજકારણમાં કાઇ પણ વખતે પ્રવેશ્યા નથી. બહુ જ નાની ઉમ્મરે તેમણે વકીલાતની પરીક્ષા પસાર કરી અને તેમની કમાણી ધીકતી ચાલતી હતી. પણ મૂળથી જ 'યમશીલ જીવન અને ઉત્કૃષ્ટ યાગભાવનાને લીધે ધંધા તરફ તેલનું દુ ́ક્ષ થતુ· ગયુ. અને છેવટે તેમણે તે ધંધા છોડયા અને ગાંધીજીના સપર્કમાં આવી રચનાત્મક કાય'માં જીવનસમર્પણ કર્યું . સ્વર્ગ'સ્થ જમનાલાલજી ગાંધીજી સાથે નેડાયા તે પહેલાં તેમનુ જીવન ધડવામાં કઇ એક વ્યક્તિ કારણભૂત હૈાય તે તે પૂજ્ય જાનુજી જ છે. આ પ્રમાણે ત્યાગમય છગન વ્યતીત કરતાં તેમને નવી દૃષ્ટિ પ્રાપ્ત થઇ અને તેને પરિણામે તે ચરખા સંધના મંત્રી થયા, ગ્રામેદ્યોગ સ ંધના ટ્રસ્ટી થા અને છેલ્લા ચાર વર્ષથી રક્તતીપીનીઆ મહારોગી આશ્રમમાં રહી સેવા કરી રહ્યા છે. આવી એક પ્રખર વ્યક્તિના હાથે વ્યવારશુદ્ધિના આ સપ્તાહનું ઉદ્ઘાટન થાય છે તે આપણુ' બહુ મેટુ સદ્ભાગ્ય છે.” શ્રી જાલ્લુજીનુ પ્રવચન ત્યારબાદ પૂજ્ય શ્રી જાજુજીએ વ્યાખ્યાન આપતાં કહ્યું કે “ આ સપ્તાહ મનાવવાના જે વિચાર થયેા છે તે એક શુભ સકલ્પ છે, તેમાં અંતઃકરણની શુદ્ધિની વાત છે. હિન્દુ શાસ્ત્રા પણ એમ જ કહે છે. પૂજ્ય નાથજી મહારાજ અહિં છે એ જ બહુ માટી વાત છે. મને આજ્ઞા થઇ તેથી જ હું અહિં આવ્યા છુ’. સારા કામમાં ઇશ્વરના આશીર્વાદ છે એમ માનીને દૃઢતાથી આગળ ચાલવું જોઇએ. મેં હમણાં મડળના એ વના કામકાજને રીપેાટ' સાંભળ્યે અને મારે ચર્ચા પણ થઇ હતી, તે ઉપરથી જોઇ શકાય છે ક આ મંડળનુ કામ ધણી જ સાવધાનીયી ચલાવવામાં આવ્યુ છે. એમાં કરો આડંબર નથી. કોઇના ઉપર દબાણુ લાવવાની વાત નથી. કાઇને સંકોચ થાય તેવું પણ નથી. પ્રસન્નતાથી જેટલુ થઈ શકે એટલું જ દરેકે કરવું એવા જ વિચાર રાખવામાં આવેલે છે. જે દિવસે કાષ્ઠને લાગે કે હવે નભી શકાય તેમ નથી ત્યારે છુટા થવાની સગવડ પણ આમાં રાખેલી છે. માનવીનિ`ળતાને માટે જેટલું સ્થાન આપી શકાય એટલાને આમાં સ્થાન છે, પણ સાથે સાથે માણસ જેટલે ઉપર જવા એે તેટલુ જવાને પણ સ્થાન છે. રીપેટ માં કહેવામાં આવ્યું છે કે ઘણાને અમે મળ્યા તે ખરા પણ તેમાં પુરતી સફળતા મળી નથી. મારે આપને કહેવુ જોઇએ કે જ્યારે આવી જાતના આંદેલને ચાલે છે ત્યારે આ ણુ કબ્ય એ છે કે આપણે સાંભળી તે! લઇએ, કારણુ જેમ ધમ'ની વાત સાંભળીએ છીએ પછી તે બાબત કંઇ કરીષે કે ના કરીએ એ જીદુ' એવુ′ જ આમાં પણ છે. મને જણાય છે કે આગળ જતાં ભારતવર્ષમાં જો શુદ્ધિનુ' કામ ખૂબ જોર પકડે તો તેના પ્રારંભના યશ મુબઇને ક્ળે જશે. અને તેથી હું ભારપૂ'ક જણાવું છું' કે મુખવાળાઓએ આ બાબતમાં ઘણું" જ આગળ વધવુ જોઇએ. ૪૩ આપ જોશ। કૅ સડક ઉપર, રેલમાં, બસમાં, સભામાં જ્યાં માણસ ભેગાં થાય છે ત્યાં એક જ વાત સાંભળવામાં આવે છે કે ભ્રષ્ટાચાર, કાળા બજાર, લાંચરૂશ્વત વિગેરે વધી રહ્યાં છે. કરાડીને મેઢે આ જ વાત સાંભળવામાં આવે છે. આમ નિંદા કરવાવાળા અંદરથી જોતા નથી પણ તેમણે અંદરથી જોવાની ટેવ પાડવી જોઇએ. બીજા શુ કરે છે તે તરફ ન જોતાં પાતા તરફ જોવું જોઇએ અને એમ વિચારવુ' જોઈએ કે મારા હૃદયમાં કઇ ખુરાષ તે। નથી ને ? અજાણતાં, લાભથી ૩ ડરથી મારામાં દેષ। દાખલ તે થઇ ગયા નથી ને ? અરસપરસ બુરૂ' કહેવાથી તેા કશું જ ક ંઇ થતું નથી. તેને દૂર કરવાના પ્રયત્ન આપણે કરવા જોઇએ. વ્યક્તિગત રીતે અને સામુયિક રીતે કામ કરવા માટે આવાં શુદ્ધિમડળાની જરૂર છે, જો પ્રયત્ન જ ના કરીએ તેા કશુ જ થશે નહિ. હવે હું મુખ્ય વિષય ઉપર આવું છું. જે બુરાઇઓ આપામાં આવી ગઇ છે,સંગ્રહખારી, નફાખારી, લાંચરૂશ્વત વગેરે વ્યવહારમાં સરકારમાં, તેમજ સામાન્ય લોકમાં જોવામાં આવે છે તે દૂર થવી જોઇએ. વ્યવહારશુધ્ધિ એ તે સત્યની ઉપાસના છે. આપણી વૃત્તિ એવી ખનવી જોઇએ કે સત્યની બહાર જે કઈ છે તે તરફ આપણું ધ્યાન જ ના જાય.. સત્યની ઉપાસના જેટલી વધે તેટલા પ્રમાણમાં દેષો દૂર થશે. દરેક ધમ વાળા માને છે કે સત્ય એ ઇશ્વરરૂપ છે. તે તરફ જો ધ્યાન ન આપીએ અને સત્યને અપલાપ કરીએ તે દોષ વધશે. પૂજ્ય ાપુજીએ સત્ય અને અહિંસા એટલે પ્રેમ પર જોર આપ્યું અને જીવનના બધા ક્ષેત્રામાં કુંટુ་બ, વહેવાર, સમાજ, રાજકારણ બધે જ તેને વ્યવહારમાં લાવવાના પ્રયત્ન કર્યાં. આપણે પણ તેમજ કરવુ' જોઇએ. ધણા કહે છે કે વ્યવહારમાં સત્ય કેમ ચાલે? ચે।પડીઓમાં ઠીક છે. વ્યવહારમાં તે કઇક મિશ્રણ જ જોઇએ, જુના શસ્રામાંથી ધમ રાજ વિગેરેનાં ઉદાહરણા પણ આપવામાં આવે છે. ખરી રીતે તે આ આપણી દુબ ળતાનું જ સમન છે. પશુ આવા ભ્રામક તત્ત્વજ્ઞાનમાંથી આપણે જેમ બને તેમ જલ્દી નીકળી જવુ' જોઇએ. મેહ, લોભ કે ડરથી જે ક’૪ કરીએ તેનુ સમર્થન તે આપણે ન જ કરીએ. તે દુબ ળતા છે એમ માનીએ તે ક્યારેક પણ તેમાંથી આપણે નીકળી શકીશું. કેટલાક દેવે પરિસ્થિતિને લીધે થયા છે અને વધ્યા છે. નફો લેવા વિગેરે મામુલી વેપારની પર પરા તે હતી જ, પણ જે તેનું સ્વરૂપ ધણું જ વધી ગયુ છે. એક અનાજનુ જ ઉદાó રણુ લઇએ. અનાજ જ ઓછું' છે અને તેથી સરકાર નિયંત્રણ મૂકે છે. એ જો તેમ ન કરે તા ગરીખાતે ભૂખે મરવાના જ પ્રસંગ આવે. જુના વખતમાં દુકાળા પડતા અને માણુસે। ભરતા. તે વખતે બુધુ. તેમના ભાગ્ય ઉપર છેડી દેવામાં આવતું, પણુ આજે એ વાત રહી નથી. લકાને અનાજ પુરૂ પાડવુ એની જવાબદારી સરકાની જ સમજવામાં આવે છે. ૧૯૪૪ના દુકાળ વખતે વેપારી સીનીક્રેટ બનાવવામાં આવી હતી. અને લાખે માણુસા ભરી ગયા તે પણ એ વેપારી સીન્ડીકેટનું ધ્યાન પૈસા કમાવા તરફ જ રહ્યું હતું. પણ હવે લેકામાં જાગૃતિ આવી છે. જુની વિચારધારા રહી નથી. કમ' પુનઃજન્મની દલીલ હવે ટકી શકતી નથી. આ સ્થિતિમાં સરકાર પોતાની જવાબદારી અદા ન કરે તે ગરીબને મરવાને જ વારે આવે અને તેથી નિય ંત્રણની પ્રથા ઉભી કરવામાં આવી છે. અને એ નિયત્રણમાંથી કાળા બજાર વિગેરે દ્વેષ ઉભા થયા છે. તેના પરિણામે દેશમાં ભયાનકતા આવી રહી છે તે તરફ આપણુા બધાનુ ધ્યાન જવું જોએ ભારતમાં શું થશે તે કહી ના શકાય. તેથી આવા શુદ્ધિ આંદલનેાની જરૂર છે.
SR No.525936
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1951 Year 12 Ank 17 to 24 and Year 13 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1951
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy