________________
તા. ૧-૭-૫૧
તેમણે જણાવ્યું હતું કે આપણી આશા ફળીભૂત થાય એ . માટે જૈન સમાજના દરેક શ્રીમંત અને શ્રદ્ધાળુ સજજનની ફરજ છે કે પિતાની દાનધારા આ પુણ્ય પ્રવૃત્તિને, મધ્યમ વર્ગને રાહત આપવાની યોજનાને જવામાં વળે. જૈન સમાજની સંપત્તિ સુખસિદ્ધ છે. એ સંપત્તિ જે સમાજને આપત્તિને સમયે કામમાં ન આવે તે તે શા કામની છે? અત્યારની પરિસ્થિતિને વિચાર કરતાં મધ્યમ વર્ગ જે જૈન સમાજને લગભગ નેવું ટકા જેટલો મેટો ભાગ છે તેને મજબુત બનાવવાની શ્રીમંત વર્ગની ધાર્મિક ફરજ છે. જનસેવા એ જ સાચી ધાર્મિક સેવા છે, પ્રભુસેવા છે. છૂટુંછવાયું દાન તે પ્રત્યેક જૈન શ્રીમંત કરતા હશે પણ તે સાથે જ કેટલુંક દાન કોન્ફરન્સ મારફતે વ્યવસ્થિત રીતે થાય એ સર્વથા ઇષ્ટ છે. માટે, મારી શ્રીમંત વર્ગને ખાસ વિનંતિ છે કે કોન્ફરન્સની પ્રવૃત્તિઓને આપના દાનપ્રવાહથી સફળ થવા દે.
અહીં મધ્યમ વર્ગને, ખાસ કરીને યુવાન વર્ગને પણ એક બે શબ્દો કહેવાનું મન થાય છે. મધ્યમ વર્ગ પ્રત્યે સંપૂર્ણ હમદર્દી અને સહાનુભૂતિ સાથે મારી નમ્ર સલાહ છે કે નિરાશ કે નાહિંમત ન થતાં, મુશ્કેલીઓનો સામનો કરે. સક્રિય અને સજ નામક ધંધાદારીના ક્ષેત્રમાં કામે લાગી જાઓ. સરકારે મોટા પાયા ઉપર કેટલીય યોજનાઓ સહકારી ધોરણ પર શરૂ કરી છે એને લાભ ઉઠાવે. હાથપગ પકડી બેસી રહયે, દુઃખના રોદણું રહે, કે વિધાતક ટીકાઓ કર્યા કે નહિ ચાલે. વ્યાપાર વ્યવહાર વિના જગતને ચાલ્યું નથી, ચાલવાનું નથી, એટલે એ ક્ષેત્ર ઉપરનો કાબુ આપણે સાચવવાનો છે જ. સમય અને સંગે પલટાયા છે તે તેને અનુરૂપ થઈ મળતી બધી તકને ઉપયોગ કરે, સહેલાઈથી પૈસાદાર થઈ જવાની વૃત્તિને અંકુશમાં રખે, સખત કામ કરી સજનશીલ રસ્તે જ જીવનરાજી મેળવવામાં ફરજ સમજે. જેની પાસે તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન છે અને મહેનત કરવામાં જેને જરા પણ શરમ નથી તે ગમે તેવા કપરા કાળમાં પણ પિતાને રસ્તો કરી શકે છે-એ શ્રદ્ધા હંમેશાં સતેજ રાખો ?
પાલીતાણું સાધુસંમેલનના ઠરા , પાલીતાણા ખાતે વૈશાખ સુદી ૬થી વૈશાખ સુદી ૧૦ સુધી શ્રી મદ્ વિજયવલ્લભસૂરિની આગેવાની નીચે એક સાધુ સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પાલીતાણામાં તે કાળે વસતા જેન Q. મ. સંપ્રદાયના ધણુ ખરા સાધુઓએ ભાગ લીધો હતો અને સર્વાનુમતે નીચે મુજબના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
૧ આ શ્રમણુસંધ માને છે કે-આજની સરકાર ધર્માદા ટ્રસ્ટ બીલ, ભીક્ષાબંધી, મધ્યભારત દીક્ષા નિયમન, મંદિરમાં હરિજનપ્રવેશ અને બિહાર રીલીજીએસ એક્ટ વિગેરે નિયમ ઘડી ધમમાં અનુચિત હસ્તક્ષેપ કરે છે તે ઠીક નથી. તેમ કરવાને સરકારને કોઈ અધિકાર નથી. વિદેશી સરકાર હતી ત્યારે પણ જે હસ્તક્ષેપ થયા ન હતા તે ભારતીય સરકાર તરફથી થાય એ ખુબ જ અનિચ્છનીય વસ્તુ છે.
૨ આ શ્રેમસંધ માને છે કે, વિ. સં. ૧૯૯૦ માં મુનિ સમેલને પટ્ટકરૂપે જે નિર્ણયે તૈયાર કર્યા છે તેના છેલ્લા ચાર ઠરાવોને વિશેષ અમલમાં લાવવા માટે જૈન શ્રમણ સ ધના અગે. વાન વિચારક આચાર્યો તથા મુનિવરેના સંમેલનની તુરત અગત્ય છે. તે અમદાવાદ પાનસર પાલીતાણ કે યેગ્ય સ્થાનમાં તુરત - મળે એ સક્રિય પ્રયત્ન કરે જઇએ.
૩ આ શ્રમણ સંધ માને છે કે, જૈનેની જે જે સંસ્થાઓ, સાતક્ષેત્રે ધર્મસ્થાન દેરાસર અને ઉપાશ્રય વિગેરે છે તે દરેક પિતપતાના અધિકાર મુજબ શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની મલેકીના છે, તેના વહીવટદારે તે શ્રમણ સંધના શાસ્ત્રીય આદેશ પ્રમાણે કામ કરનાર સેવાભાવી સગૃહ છે. વહીવટદારને શાસ્ત્ર તથા સંધની મર્યાદાને બાધક આવે એવું કંઈ પણ કરવાને હક
નથી. તેમજ સરકારને પણ સંધને હક ઉઠાવી વહીવટદારાને જ તે સંસ્થાઓના સીધા માલીક માની તે દ્વારા પિતાને હક જમાવવાની જરૂર નથી. છતાંય વહીવટદારે કે સરકાર એવું અનુચિત પગલું ભરે તો તેઓને તેમ કરતાં રોકવા માટે પિતાના અધિકાર મુજબ સક્રિય પ્રયત્ન કરે. .
( ઉપર જણાવેલ બીન ઠરાવમાં જે ચાર ઠરાને ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં ખાસ અગત્યને ઠરાવ નીચે મુજબ છે:
ધર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી - ધમમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સંમેલન અગ્ય માને છે.)
સોમનાથને બગાડ કેટલાક ભાઈઓ તરફથી સોમનાથના સમારંભમાં થયેલા અનાજના બગાડ વિષે મને પત્ર મળ્યા છે. તેમાં એમણે સરકારે આપેલી ખાતરી કે તેમાં મા પબધીનું અનાજ વપરાયું નહોતું તેની સચ્ચાઈ વિષે શંકા દેખાડી છે અને ઘણું મેટા જથ્થામાં (લગભગ પિણ્ ભાગ જેટલા ) લાડુનો બગાડ થયું હતું એમ જણાવ્યું છે.
એ બાબતમાં તપાસ કરતાં જાણીને મને ખેદ થયે કે એમાં કાયદાના શબ્દાર્થનું કદાચ પાલન થયું હશે, પણ તેને ઉદ્દેશ તે જળવા નથી જ, મને દિલાસો અપાવે છે કે લાડુ માપબંધીની ચીજોમાંથી નહિ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા હતા, અને જે કે “સારી પેઠે લડુ વધ્યા હતા, પણ મારા પત્રલેખકે લખે છે તેટલા બધા નહિ; મળી તેને બગડ થયે નહેતે પણ તે આસપાસનાં ગામડાઓમાં વહેંચી દીધા હતા. આવ બચાવથી હરકોઈને ચીડ આવે. ચણા ભલે માપબંધીની ચીજ ન હોય, પણ તે સસ્તા હેવાથી ગરીબને ખેરાક છે અને બીજા અનાજને બદલે વપરાય છે. સોમનાથના ચણાથી બિહારના ઓછામાં ઓછા એક લાખ દુષ્કાળગ્રસ્ત લોકોને ખવડાવી શકાત. વળી, લાડુમાં ફકત ચણાને લોટ જ હોતો નથી, પણ લગભગ એટલી જ ખાંડ અને અનેક મણું ધી કે વનસ્પતિ જે વપરાયું હોય તે જોઈએ. જેમને ખવાડ વાની જરૂર નહોતી એવા આસપાસના ગામડાઓના લેકમાં લડુ વહેચ્યા તેથી ભાગ્યે જ દિલાસે મળી શકે.
આ બધી વસ્તુઓ સરકારને નામોશી જ લાવે છે. આડંબરના મેળામાં આવું ન બને તે શું બનશે? “હરિજન બંધુમાં થી ઉદ્ભૂત કિશોરલાલ ઘ, મશરૂવાળા.
- વર્ષાને મીઠે અનુભવ -
( એક મિત્રને ગયે વર્ષે વર્ષાઋતુ દરમિયાન મુંબઈથી રેહવે માગે ઈન્દોર જવાનું બનેલું. એ અનુભવનું વર્ણન ઇન્દોર પહોંચ્યા બાદ પોતાનાં બાળને તેમણે લખી મોકલેલુ. એ પત્રની નકલ તેમણે મને દેખાડી અને મને ગમી-આજે જ્યારે આપણે વર્ષારાતુની મધ્યમાં ઉભા છીએ ત્યારે એ વર્ણનવાળે પત્ર પ્રબુદ્ધ જનને વાંચીને રોચક લાગશે એમ સમજીને લેખકની સંમતિથી નીચે પ્રગટ કરું છું. '
તંત્ર)
' ઇન્દોર તા. ૩૧-૭-૫૦, (ચી, પ્રિય સૂર્ય, અરૂણ તથા સુધીર
હું ઈન્દોર ખુશીથી પહોંચી ગયા તે બાબતના સમાચાર તમને મળ્યા હશે. તમે બધા ત્યાં અતિ આનંદમાં હશે.
મુંબઈથી રેલગાડીમાં બેઠો ત્યાંથી તે છેક ઇન્દોરમાં ઘેરે પહોંચે ત્યાંસુધી. આખે રસ્તે, આખી રાત અને આખા દિવસ દમિયાન સતત અને પ્રચંડ વરસાદ પડ હતું. ત્રેવીસ કલાકની ટ્રેઇનની ચાલુ વરવાદે કરેલી મુસાફરીનું થોડુંક વર્ણન લખવાની ઇચ્છા થઈ આવે છે. '' સ્ટેશન પર મને મૂકીને તમે ગયા ત્યારબાદ હારા ડબ્બાની ઉપલી પાટલી પર હું તે નિરાંતે ઊંઘી ગયે. લગભગ ૧૧-૧૨ વાગે રાત્રે અચાનક જાગી ઊઠે ત્યારે જોયું કે ડબ્બાની છતમાંથી આખા ડબ્બામાં પાણી ધીમે ધીમે પણ અવિરત ટપકી રહ્યું હતું.