________________
(∞
8
૨૪
શુદ્ધ જૈન
અલપથીને મેં ઘણા આશ્રય લીધે છે, અને હજુ યે માટે ભાગે અલોપથીની દવા લઉં છું, અને મેટે ભાગે મને અલેપથીના મોટા મેટા દાકતરા સાથે જ સબંધ છે. છતાં એ દાકતરા વિષે એક વાત મને બહુ કઠે છે, તે એમતુ ખીજી ‘ પથી ' વિષેનુ બેદરકારીભયું” અજ્ઞાન. આજના કાળના કાઇ નામાંકિત વૈદ્ય કે હામિયાપાથ કે નિસગાઁપચારક પસે જાએ, અને તેમને તમે કરેલા દાકતરી લાજેની વાતા કહા, તે એવા કાઇ નહીં મળે કે જેતે એ દવાઓના પ્રયોગો વગેરે વિષે કશી માહિતી ન હોય કે એમાં અમે નથી સમજતા એમ કહે. પશુ કાઇ મેટા અમ. ડી. પાસે જાએ અને કહે કે મે' અમુક માત્રા કે અમુક ભ્રમ કે હામિયાપથીની અમુક અમુક દવાગ્યે લીધી છે, તા તે એ વિષે કશુ જ ન સમજતા હાય એમ બનશે. આ મતે દયામણી સ્થિતિ લાગે છે. રેગી એક મેટા નામાંકિત દાકતર પાસે જાય, દાતર એના બચપણથી અત્યાર સુધીના બધા ઇતિહાસ જાણવા કરે, તેમાં એણે લીધેલા કુદરતી, વૈદક કડુામિયે પથીના ઇલાજોને અને તેના અસરને વણુવે, પણ એ ઇશાન્તે વિષે દાકતર કશુ સમજી જ ન શકે એ કેવુ જ્ઞાન કહેવાય ? ભલે અાપી સિવાયના ખીા ઉપચારામાં શ્રદ્ધા ન હેાય, પણ જો એના દરદીએ હામિયાપથીની કાછ દવા લીધી હાય, અને તેનાં પરિણામેાથી એ હેરાન થતા હાય, તે એ પરિણામ ક દવાનુ છે એટલુ તે એને સમજાવુ` કે શધતાં આવડવુ જોઇએ, એમ તે નહીં જ કહી શકાય કે વૈદક અને ડૅામિચેપથીમાં એવી દવાઓ જ નથી જેમાં શરીર પર સારામાઠાં તીવ્ર પરિણામે નથી આવતાં.
પ્રયત્ન
ઉપરાંત, એ પણ જાણીતી વાત છે કે કેટલાક રોગ અલેપથીથી નથી સુધરતા અને વૈદક કે હેમયે પથથી સુધરે છે. એથી ઊલટુ કેટલાક વૈદક અને હામિયાપથીને દાદ નથી આપતા અને અલેપથીથી સુધરે છે, અને ધણાક છણ રાગે એવા ય છે કે જેને માટે દવાની એકેય પદ્ધતિમાં સફળ ઇલાજ જ નથી, કાં તે રાહત પૂરતા જ કાંઇક ઇલાજો બતાવી શકાય છે, અથવા તેટલું યે નથી બતાવી શકાતું, અને અંત આવે ત્યાં સુધી કુદરતની સાથે મેળ એસાડી લવાનુ અને વેદના ઓછી કરવાપણુ જ હાય છે.
આ સ્થિતિમાં બીજી પદ્ધતિએ સાથે અસહકારની અને ઉપેક્ષાની વૃત્તિ રાખવી અને તેનાં મૂળભૂત તત્ત્વ વિષે અણુસમજણુ હેવી એ મતે અવૈજ્ઞાનિક અને મતવાદીપણું' લાગે છે.
દેશને જે લખે। દવાખાનાં અને દ્વારે। ઇસ્પિતાલાની જરૂર છે, તે જોતાં કેવળ ખેંચ'ની દૃષ્ટિએ વિચાર કરીએ તેાયે વૈદક અને હમિયેપથી બહુ મેટા અંશમાં આશ્રય લીધા વિના છૂટકો નથી અને અલેાપથીના શિક્ષણુ અને ઇસ્પિતાલે માટે જે કાળજી લેવામાં આવે છે, વિરાળ યેજનાઓ ઘડાય છે, અને છેલ્લાંમાં છેલ્લી ઢબની બનાવાય છે, તેટલી જ કાળજી આયુર્વેદ અને હામિયેપથીની પાછળ લેવાનીયે જરૂર છે.
કુદરતી ઉપચારો
• કુદરતી ઉપચાર નુ મેં નામ જ નથી લીધું', એ એની ઉપેક્ષા માટે નહીં, પણ એ તે બધા, પધ્ધતિની સાથે વ્યાપકપણે જ હેાવા જોઇએ. આપણે સારી પેઠે જાણીએ છીએ કે ધણા રાગે તે કુદરતી રીતે જ મટી જાય એવી સરીરમાં શકિત છે, બલકે રાગનું દે'ન એટલે કુદરતને શરીરમાં પેઠેલા બગાડને કાઢવાના પ્રયાગ, એમ પણ કહી શકાય. એમાં શુશ્રૂષા અને દવાદારૂ કેવળ કુદરતને મદદ કરવા માટે અને શરીર સહન કરી શકે તેથી કુદરતના પ્રયત્ન વધારે વેગવાન ન બની જાય અને આડકતર ન કઢાઇ જાય તેવા અકુશ જાળવવા પૂરતા હોય. બધા જ રેગા દવાદારૂ વિના મટી જ જા શકે એવું હું કહેવા ઇચ્છતા નથી. કાર વાર માટે પણ છે, પણ તે શરીરને અતિશય અશકત કરી નાંખીને અને રિબાવી રિબ વીતે, દા. ત. મેલેરિયા. કેટલાક કુદરતી અને ડૅામિયાપથીન ઇલાજેથી મેલેરિયા મટવાના દાખલા હું જાણું છું. મારા પેાતાના ૫રમે' એક પ્રયાગ કર્યાં છે, પણ મારે અભિપ્રાય બધાયે છે કે તે કરતાં શરૂઆતમાં જ બે-ત્રણ દિવસ કિવનીન લઇને એથી છૂટી જવું
તા. ૧-૬-૫૦
વધારે સારૂ ગયાય; તેમ જ રાગીને ઉપવાસ કરાવવા કે કેટલાક રંગમાં દૂધ વિનાના આહાર પર રાખવા સારા, પણ મારા જેવાને લાંબા ઉપવાસ કરાવવા કે પાંચ રતલ વજન સાધુ થઇ જાય એવા પ્રયત્ન કરવે, એટલે ઘણા મહિના સુધી અશકત કરી નાખવા જેવું થાય આમ કુદરતી ઉપચારતા જ સર્વત્ર પ્રયોગ થાય એવા મત પ્રગટ કેરવાની મારી હિંમત નથી,
વળી આજના કુદરતી ઈલાજો ગરીબ માણસાને પોષાય ક્લેવ પણ હજી નથી. ઘણી વાર એ અલાપથી કરતાં ચેરમેાંધા પડે છે, અને પૈસાદાર અને ફુરસદ ધરાવનાર માણસે તે જ પાલવે એવા છે. જેતે તાવવાળે શરીરે પણ નાકરીએ હાજર રહેવાની જરૂર પડે એવી સ્થિતિ હાય તે દાકતરની બાટલી ગજવામાં મૂકી કામે જા શકે, પણ એ શી રીતે જાતજાતના બાથ અને બબ્બે કલાકે દૂધ કે મૂળના રસના ઘૂંટડા ભરી શકે ?
છતાં, ઇસ્પિતાલમાં દાખલ થનારને દવાથી જ સારા ફરી નાખવાની વૃત્તિ પણ અકુશમાં રાખવા જેવી છે. દવા કરતાં વધારે મહત્ત્વની વસ્તુ નોંગ-ચેગ્ય શુશ્રૂષા છે, આરામ છે, ખેરાકનુ નિયમન છે, માટે ભાગે તેા કેવળ આરામથી સૂવાનું મળે, અને ઉપરથી એનીમા, શેક, નિયમિત સ્પંજ અને ખારાકનું નિય’ત્રણ ચાય તે ધણા રાગે મટી જાય છે, ધા રૂઝાય છે, અને નસ્તરના પ્રયાગાની જરૂર પણ ઘટી જાય છે. ગાંધીજીના ખીજા મટાડવાના પ્રયોગો વિષે બહુ ખાતરી ન આપુ' તૈયે સેવાગ્રામમાં ટાઇફેાડના ઘણા કેસ થઇ ગયા, તેમાંથી એમને હાથે એક પણ કેસ બગડયે નહાતા, બ્રા અને પેટનાં દરદમાં માટીના પ્રા ગાથી જ ઘણા લાભ થતા એટલુ તે હું કહી શકું જ,
ગે
ગાંધીજીને કુદરતી ઉપચારો વિષેને શાખ પ્રખ્યાત છે. રાજકારણમાંથી નિવૃત્ત થઈ શકત, તા તેમની ઉમેદ કુદરતી ઉપચારાના વિજ્ઞાન પાછળ અને તે ગરીબ ગામડાને પાલવે એવી રીતે એની શેાધખાળ પાછળ અને મનુષ્ય ૧૨૫ વર્ષ જીવવાની ઉમેદ રાખે એટલે તંદુરસ્ત બનાવવા પાછળ પેાતાનું જીવન ગાળવા ઈચ્છા રાખતા હતા. એ કામ આજે તે અધુરૂ જ રહ્યું છે.
પણ આ તે કાંઇક આડે ઉતર્યાં. કહેવાની વાત એ કે રાગી ઇસ્પિતાલમાં આવે કે એની પાછળાએ વળગાડી દેવામાં અતિરેક થતા લાગે છે. ઘણીવાર તે નર્સી અને દાકતરાના ઇલાજોની એવી હારમાળા લાગી જાય છે કે દરદીને આરામ લેવાને સમય જ ન હ્રાય, માંદા માણસ સવારના સાત સાડાસાત સુધી પી રહેવા ઇચ્છે કે ગતના આઠે પછી સઈ જવા ઇચ્છે, પણ નર્સોન થર્મોમીટર, ૫જ વગેરેની ધમાલ એને શાના ઊંધા કે '
આમાં દાકતરાયે નાઇલાજ છે, એ હું જાણું છું. એવા યે દર્દીએ આવે છે જે વા અને ઇન્જેકશના માટે અધીર હાય છે, અને જો એની અપેક્ષા પ્રમાણે ઇંજેકશન ન અપાય તે માને છે કે મારી દરકાર લેવામાં આવતી નથી. આવા દરદીઓને એમનાં વહેમમાંથી છેડાવવાની અને દવાઓનુ આલંબન એહ્યુ` રાખતાં શિખવવાની જરૂર છે.
ખારાક
ખારાકની અસર ઉપર દાકતરતુ બહુ ઓછુ. ધ્યાન ગયુ. છે. બલકે, હાલ એવા મત હાય એમ જણાય છે કે ટાઇàાડ, ન્યુમેનિયા કે ગમે તે રેગ હોય, મેશને ખારાક લેતા રહીને યે કેવળ દવાના બળે, રાગ મટાડવાની સિદ્ધિ મેળવવા તરફ પ્રયત્ન છે. આ બાબતમાં દેશી વૈદકમાંથી ધણું શીખવા જેવું, અને તેમાં સંશોધન કરવા જેવું છે. વિટામીન, ક્ષારા, કૅલેરીઓના આજે ધણા મહિમા ગવાય છે પણ દરેક ખારાકની જુદી જુદી તાસીરે પર પૂરતું ધ્યાન અપાયુ નથી. એને વહેમમાં કાઢી નાખવા પ્રત્યે વલણ છે. આ વૃત્તિ વિજ્ઞાનને છાજનારી લાગતી નથી,
આમ સર હરકીસનદાસ હાસ્પિટલને મુબારકબાદી આપવાને નિંન્ને આટલા વિચારો સૂઝયા તે સેવામાં અપ`ણ કરી, સ્પિ તલના ઉત્કષ'ની ઇચ્છા કરી, પુરૂં કરૂ છું.
કિશોરલાલ ઘ, મશરૂવાળા
વર્ષો, તા. ૧૦-૧૧-૪
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઈ. મુદ્રણુસ્થાન સૂ કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨