________________
તા. ૧-૧૨-૫•
( અનુસંધાન પૂ૪ ૧૧૮ થી ચાલુ) ઘરગથુ પગે, બાળકે ફુરસદના સમયને સદુઉપયોગ કેવી રીતે કરી શકે તથા સાચું મનોરંજન કેવી રીતે મેળવી શકે એ વિષેની માહિતી તથા ભારતીય કલાસંસ્કૃતિ વગેરે પરિચય થાય એવી ગોઠવણ આ પ્રદર્શનમાં કરવામાં આવી હતી. ભોજનગૃહો તથા રમતગમત માટે નાની રેલગાડીઓ, ચકડોળ તથા અન્ય સાધનોની પણ સગવડ કરવામાં આવી હતી. સુંદર રોશની અને કલાત્મક સજાવટને લીધે એ પ્રદર્શન સાચે જ “ સ્વદેશ” જેવું બની ગયું હતું.
કાર્યકર્તાઓની પરિષદમાં બાળકોના હિતના અગત્યના પ્રશ્નો વિષે વ્યાખ્યાને ગોઠવવામાં આવ્યાં હતાં. પ્રેફેસર, એલ. , એસ. અજવાનીએ “સ્વતંત્ર હિંદમાં બાહકન-છ-બારીનું કર્તવ્ય,” શ્રીમતિ ધનવંતી રામરાવે “ બાળકના હકકે,” શ્રીમતિ એડના લેગે “બાળકે માટે હસ્તઉધોગની જરૂરિયાત” શ્રી. એસ.-એસ.-દેશનવીએ “ નૂતન શિક્ષણ અને બાળક “શ્રી કેદારનાથજીએ “ચારિત્ર્ય ઘડતર અને હૃદયની શુદ્ધિ' એ વિષય ઉપર વ્યાખ્યાને આપ્યાં હતાં. એ વિષયને લગતા ઠરાવે પણ પસાર કરવામાં આવ્યા હતા.
બાળકૅની સભામાં પિતાનું પ્રવચન કરતાં પહેલાં શ્રી જવાહરલાલ નેહરૂ સભાના એકેએક ખૂણામાં ફર્યા હતા અને બાળકને મળ્યા હતા. દરેક બાળક તેમને જોઈ શકે તેમ જ તેઓ દરેક બાળકને જોઈ શકે તે માટે તેઓ ત્રણ ચાર ઠેકાણે થાંભલા ઉપર તથા સીડી ઉપર ચડયા હતા. પિતાના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક બાળક ભારત માતાને ટુકડે છે અને દરેકની જીવનકથા એ ભારત માતાની જીવનકથા છે-ભારત દેશને મહાન બનાવવા માટે દરેક બાળકે તેની સેવા કરવી જોઇએ. તેમ કરવા માટે ભારતના ઇતિહાસને અભ્યાસ કરવા જોઇએ; અને સમૂહમાં કેમ વર્તવું તે શીખવું જોઈએ. ચક્રવર્તી સમ્રાટ અશાક, છત્રપતિ શિવાજી અને મહાત્મા ગાંધીજીના દ્રષ્ટાંત આપીને તેમનાં જીવન માંથી બેધ લેવાને તેમણે સહુને અનુરોધ કર્યો હતો.
કાર્યકર્તાઓ સમક્ષ બેલતાં તેમણે લોકશાહીને દઢ બનાવવા માટે, સાચી લોકશાહીના સિદ્ધાંત સમજવાની અને તેને જીવનમાં ઉતારવાની તથા સ્વતંત્ર દેશના નાગરિક તરીકેની ફરજો અને જવાબદારીનું ભાન કેળવવાની અને હાલમાં આપણા દેશમાં (ખાસ કરીને યુવાનોમાં )પ્રવર્તતી ગેરશિસ્ત વૃત્તિ દૂર કરવાની અને શહેર કરતાં ગામડાંના કાવમાં વિશેષ લક્ષ આપવાની સલાહ આપી હતી.
બાળકોની સેવા કરતી હિંદભરની આ સંસ્થા બાહકન-જીબારી” પોતાની સેવાયાત્રાની મજલને એક તબકકા પૂરી કરીને હવે બીજા તબક્કામાં પ્રવેશ કરે છે તે સમયે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે એની ભાવિ યાત્રા બાળક માટે વધારે ફળદાયી અને પ્રેરણાત્મક નીવડે. ધીરૂભાઈ મણિભાઈ દેસાઈ
‘સ્વપનદેશ” - મુંબઈમાં ગોઠવાયલા બાલકાન-જી-બારીના અનેકવિધ કાર્યક્રમ વિષે ઉપરના લેખમાં જે કાંઈ જણાવવામાં આવ્યું છે તેથી વિશેષ કહેવાનું પ્રાપ્ત થતું નથી. પણ આ મહોત્સવના એક અગત્યના અંગ તરીકે આઝાદ મેદાનમાં એક પ્રદર્શન ગોઠવવામાં આવેલું જે હજુ પણ ચાલે છે. તેની રચના અને યોજના છેડી વિચારણા માંગે છે. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નરના હાથે કરાવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું નામ “સ્વપ્નદેશ' રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના મધ્યભાગમાં આવેલા એક વર્તુલને “ બાલકનગર' એવું નામ આપવામાં આવેલું, જેમાંના ઘણાખરા સ્ટોલ બ લકાન-જી- બારીની ભિન્ન ભિન્ન શાખાઓ, બાળમંદિર અને શિક્ષણ સંસ્થાઓ
તથા બાલઆરોગ્યને લગતી જાહેર સંસ્થાઓ તરફથી એકવામાં આવ્યા હતા અને તે બધા સ્ટોલમાં બાળબનાવટની ચીજો, બાલશિક્ષણનાં સાધને, જાતજાતના નકશાઓ તથા બાલ બારોગ્યને લગતાં ઉપકરણો વસાવવામાં આવ્યાં હતાં. આખા પ્રદર્શનમાં આ બાળકનગર પ્રમાણમાં બહુ ઓછી જગ્યા રોકતું હતું. આ ઉપરાંત આ પ્રદર્શનમાં સેવાગ્રામમાં ગાંધીજી રહેતા હતા તેવી એક પર્ણકુટિ ઊભી કરવામાં આવી હતી તેમ જ એક વિભાગમાં ગાંધીજીને લગતી છબીઓને સંગ્રહ ગોઠવવામાં આવ્યું હતું. એક બાજુએ નાના સરખે પશુ પક્ષીઓને સંગ્રહ પણ એકઠા કરવામાં આવ્યા હતા. આટલું બાદ કરતાં પ્રદર્શનને ઘણો મોટે ભાગે દેશપરદેશની ભાતભાતની ચીજો વેચનાર પેઢીઓના રંગબેરંગી ઢા, ખાણીપીણીના અનેક ઉપહારગૃહે અને ચકડોળે, અને એવાં બીજા કેવળ મેજમજાવનાં સાધનથી ભલે હતો. આ બધા આસપાસના રંગરોગાન અને ઝાકઝમાળ વચ્ચે ગોઠવા- શુ બાળકનગર એક મોટા સમારંભમાં. એક ખૂણે દેવની સ્થાપના કરી હોય તેવું જણાતું હતું અને બાલકન-જી–બારીના પ્રદર્શનમાં બાલકને લગતું કાંઈક તે તેવું જ જોઈએ એવી અપેક્ષાને પહોંચી વળવાના સામાન્ય પ્રયત્નરૂપ લાગતું હતું અને વાસ્તવિક રીતે તે મુંબઈની પ્રજાને એક મહિના માણવા માટે જાણે કે એક આનંદ બજાર ઊભો કર્યો હોય અને એક મેટે જલસો ચાલતા હોય એવું આ પ્રદર્શન દેખાતું હતું. ગીરગામ વિભાગમાં સકિકાનગર છે એવું સ્થાન આ મોજમજાહના કેન્દ્રમાં આવેલું બાલકનગર” ધરાવતું હતું. આ કેન્દ્રને “સ્વપ્નદેશ” નામ આપીને ‘સ્વપ્ન” શબ્દની કેવળ વિંડબના કરવામાં આવી હતી. બાલકાન-જીબારીના આશ્રયે જાયેલા આ પ્રદર્શનમાં મુંબઈનગરીના પંચરંગી પ્રજા અને માંછલા વાતાવરણ સિવાય બીજું ભાગ્યે જ કોઈ નજરે પડતું હતું. આવી સુપ્રતિષ્ઠિત સંસ્થા કશા પણ દયેય અને ઘેણું વિનાનું, સંસ્થાને ધનવાન બનાવવાના હેતુથી કેવળ ધંધાદારી પ્રદશંન ગોઠવે એ જરા પણ ઈચ્છવાયોગ્ય નથી. આવી સંસ્થા જરૂર પ્રદર્શન કરે, મેળાઓ ભરે, નાટક ભજવે, વરઘડા કાઢે, પ્રવાસે યોજે-પણ તે સવંમાં સંસ્થાનું જે દયેય હેય-જે મુખ્ય પ્રવૃત્તિ હેય-તે આરપાર પ્રતિબિબિત થવી જ જોઈએ. આની સરખામણીમાં ઓલ ઈન્ડી મા વીમેન્સ કોન્ફરન્સ તરફથી એ જ અરસામાં બાજુએ આવેલી એલ્ફીન્સ્ટન ટેકનીકલ સ્કુલમાં એક બાળપ્રદર્શન જવામાં આવ્યુ હતું. તે ખાસ ધ્યાન ખેંચે એવું હતું. આ પ્રદર્શન અનેક ખંડમાં વહેંચાયલું હતું. બલશિક્ષણ, બાલ-આરે. 4 તથા બાલ સંવર્ધનની દિશાએ દુનિયાના ભિન્ન ભિન્ન દેશે શું શું કરી રહ્યા છે તે રજુ કરવાનો આ પ્રદર્શનને હેત હતા અને તે હેતુ આજના મર્યાદિત સંગમાં બહુ સુન્દર રીતે પાર પાડવામાં આવ્યું હતું. ખંડ ખંડમાં ફરી અને તમને બાળક વિષે કાંઇ ને કાંઈ નવુ જાણવાનું મળે, નવી દૃષ્ટિ મળે, જાતજાતનાં સાધનો અને સાહિત્ય જોવા મળે. એ જ પ્રમાણે તેના મારે જક કાર્યક્રમ ( entertainment progra" mmes ) કાં તો બાળકોથી પ્રજિત હોય અથવા તે બાળકનું રંજન કરે તેવાં હોય એ રીતનાં ગોઠવવામાં આવ્યા હતાં. આ સુજનની બંને બાજુમાં–પ્રદશન તેમ જ રંજન વિભાગમાંતમને બાળક, બાળક અને બાળક જ દેખાય એવી સમગ્ર રચના. હતી. ઉપર જણાવેલ સ્વદેશ ઊભું કરવા પાછળ ખુબ શ્રમ, શકિત અને દ્રવ્યને થયું કરવામાં આવ્યો હશે, પણ બાલકન-જી -બારીના દયેયને અનુલક્ષીને જે અપેક્ષિત હોય તેને સ્વદેશમાં મોટા ભાગે અભાવ હતે એ જોતાં ભારે દુ:ખ થતું હતું. આ રીતે આઝાદમેદાનમાં જે હતું તેને પ્રદર્શન કહે, આનંદ બજાર કહે જલસા કહે-જે કહેવું હોય તે કહે, તેમાં સ્વપ્નદેશનું કઈ દર્શન નહતું કે બાલકન-જી-બારીની કાઈ સુવાસ નહોતી. આવા ધંધાદારી બજારૂ પ્રદર્શને સંસ્થાને જરૂર કમાણી કરાવશે, પણ સંસ્થાના ગૌરવમાં લેશ માત્ર વધારો નહિ કરે. પરમાનંદ
માટે લકત્તઓ જમણે સર ટોતે જ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક : શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ,
મુદ્રણસ્થાનઃ સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઇ, ૨ ,