SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (08) aa શુદ્ધ જૈત મહાસભાનું અધિવેશન: પરદેશીઓની નજરે [ અખિલ હિંદ મહાસભાનું છપ્પનમું અધિવેશન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં નાશિક ખાતે ઊભા કરવામાં આવેલ ગાંધીનગરમાં બાબુ પુરૂષેત્તમદાસ ટંડનના પ્રમુખપદે મળી ગયું. આ અધિવેશન વિષે તરેહતરેહનાં મતવ્ય-તરફેણનાં અને વિરૂદ્ધનાં સૌ કાએ વાંચ્યાં હશે; પણ પરદેશી પત્રકારોએ કઈ દૃષ્ટિએ આ અધિવેશન જોયુ' તેને ખ્યાલ · Times ' પત્રમાં આવેલ એક લેખ પરથી થઈ શકે તેમ છે. તેના અંગ્રેજીમાંથી અનુવાદ શ્રી કમળાબહેન ૨. સુતરિયાએ કર્યાં છે. —તત્રી] જમાવ્યુ છે, ત્યારે ટંડનની નિસ્પૃધ્રુતા .અને અપરિચણપણ તેમના પક્ષને વધારે ઉજ્જવળ કરે છે. 1 ગયા અઠવkચે, હિંદુસ્તાનના રાજકીય તખ્તાના કેન્દ્ર સ્થળે અને ગાંધીનગર ગ્રામમાં, લાકડાની બેઠકવાળી નાનકડી રેવેદ્રારા એક વૃદ્ધ વ્યકિત–સામાં પણ શ્રેષ્ઠ-રાજવિ' પુરૂષે ત્તમદાસ ટૅ ડન આવી પહોંચ્યા. અડસઠ વર્ષની ઉમ્મરવાળા, સફેદ દાઢીથી શાલતા રાજષિ' પુરૂષેત્તમદાસ ટંડને, હિંદુસ્તાનના જબરદસ્ત એક પક્ષમઢાંસભા પક્ષના પ્રમુખપદ માટે પડિત જવાહરલાલ નેહરૂના સબળ ટકા મેળવેલ હરીફ ઉમેદવારને પણ પરાજય આપ્યા છે. પંડિત જવાહરલાલ નેહરૂ, કેટલીક અગત્યની બાબત સિવાય પ્રગતિ અને પાશ્ચત્યકરણના આગ્રહી છે; જ્યારે ટંડન દૂર નજર ન પહેાંચે ઍવા ભૂતકાળ માટે, મુસ્લિમ લધુમતી પર દબાણુ માટે અને હિંદુ રાજ માટે ઊભા છે. મહાસભા પક્ષના આ છપ્પનમાં અધિવેશનમાં લેકપ્રિય અને તેજસ્વી નેહરૂની નીતિ સ્વીકારાય છે, કે સ`ત અને પ્રત્યાધાતી ટંડનનું રાજ્ય પ્રવર્તે છે તે નિહાળવા બે લાખ સ્ત્રીપુરૂષ હિંદમાંથી એ સ્થળે એક્ત્ર થયાં હતાં. ગયા સપ્તાહમાં ગાંધીનગરની મુલાકાતે આવનારાઓએ ટંડનના ભવ્ય ભૂતકાળ અને નેહરૂના ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી કરી. પતરાંથી છવાયેલ અને આ પ્રસગે ખાસ બંધાવાયેલ ભેાજનગૃહમાં સૌએ સાથે ટંડનના ખાણાને ન્યાય આપ્યા, તે ચોખા, ભાખરી, શાક, મીઠાઇ, છાશ વગેરે પર પણ હાથ ચલાવ્યા. આ મુલાકાતીઓએ ક્રાં ક્રૂરતાં ગ્રામવિકાસ માટેનું નાનકડું' પ્રદર્શન નિહાળ્યું; અને તેમાં ટ્રેકટર, ખૂલ–ડૉઝર અને સુધરેલ ધાણાયત્ર તરફ ચકિત નજરે જોયું. તેઓએ દારૂથી થતાં નુકસાનનાં ભીંત–ચાપનિયા જોયાં; તે તાડીમાંથી બનતાં દેશી નીરેને વેચતી દુકાનની પશુ નેંધ લીધી. વળી ટંડનને ખેલતા પણુ સાંભળ્યા કે, ‘ગાયનુ સરક્ષણુ એ હિંદી સંસ્કૃતિનું એક અંગ છે...આથી આપણા રાષ્ટ્રની આર્થિક સ્થિતિ કથળે તે પણ ગાયને સોંપૂર્ણ સરક્ષણ આપવું જોઇએ. ગાયનાં સંરક્ષગુ કરતાંય પશુ તાત્કાલિક વધુ ધ્યાન ખેંચી રહેલ પ્રશ્ન અંગે ખેલતા ટંડને હિંદુમાંના ચાસ લાખ મુસ્લિમે પર વધુ દબાણ લાવવા સરકારને આગ્રહ કર્યાં. તેમણે દલીલ કરતાં કહ્યું કે, - જ્યાંસુધી પાકિસ્તાનને, હિંદુ બદલે લેશે જ તેની ખતરી નહિ થાય ત્યાંસુધી પીરતાનમાં વસતાં એકસેવીસ લખું હિન્દુઆને પકિસ્તાન સરકાર હેરાન કર્યાં વગર અટકશે ન’િ દૂધ જેવા સફેદ પેશાકમાં સજ્જ ટંડન જ્યારે ટ્રેનમાંથી બહાર આવ્યા ત્યારે કૂદ્યાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ સરકસમાંથી માંગી આણેલા એક હાથી પર તેમને બેસાડી ગીય વિસ્તાર અને રસ્તાઓ પરથી તેમનું સરધસ કાઢવામાં આવ્યું. ટંડનના સરઘસ પાછળ મહાસભાના પાંચ હજાર પ્રતિનિધિઓ હતા, કેટલાક લશ્કરી સનિકસવાર હતા; અને શરણાઇના નાદે નૃત્ય કરતા સાએક ગ્રામ-નૃત્યકારા હતા. આ સૌ ટંડનનું મંતવ્ય બરાબર જાણતાં હતાં. જેમકે તેએ, ‘ઔદ્યોગિકરણના વિરધમાં, મહાન નેતા ગાંધીજીની વિચારસરણી કરતાં પણ વધુ આગળ જાય છે. તેઆ ખાંડ પણ ખાતા નથી, કારણકે તે મિલમાં તૈયાર થયેલી છે. આથી ખાંડને બદલે હાથ મઠુનતે તૈયાર થયેલ ગેળા ઉપયાગ કરે છે. પાતાની માફક દરેક હિંદવાસી ચા ન પીએ, ધુમ્રપાન ન કરે અને અન્નાહારી બને એવુ તેઓ ઇચ્છે છે. તેએ સાબુ તરફ ઘૃણુાની નજરે જુએ છે; અને માને છે કે, પુષ્કળ પાણીથી શરીરને જોરથી ચેાળવુ એ જ યુગ્મ અને જરૂરી છે. પશ્ચિમની દ્વાને તેઓ ધિરે છે; અને પ્રાકૃ તિક ઉપચરામાં અને આયુર્વેદના નિષ્ણાતામાં શ્રદ્ધા ધરાવે છે. તાજેતરમાં જ તેમણે હ્રદયપૂ`ક જણાવેલુ કે, આરે ગ્યમાં હ્રાસ થવાનું કારણ શીતલા ટકાવવા એ છે. ગયા એપ્રિલમાં હરદ્વાર ખાતે ભરાયેલ કુંભમેળામાં જવાની તેમની તીવ્ર અભિલાષા હેાત્રમાં છતાં, તે ન જઇ શકયા કારણકે, બધા જ ત્રી માટે કાલેરનું ઇન્જેકશન લેવાનું ફરજિયાત હતું. ટેડનની એ ફરિયાદ પણુ છે કે, સાવજનિક આરેાગ્યના પ્રશ્નને હલ કર વાની પડિત નેહરુતી રીતિ બ્રિટિશા જેવી જ છે—જેમકે પતિ નેહરૂ પશ્ચિમની પદ્ધતિએ તૈયાર થયેલ દવાાની વહેંચણીને ઉત્તેજન આપે છે, અને ઝેરી ઇન્જેકશનની તરફેણ કરે છે. ટ’ડનને પ્રાણીઓના જીવન પરત્વે એટલી લાગણી છે કે, તે ચામડાનાં પગરખાંને તિરસ્કારે છે અને રબ્બરના ચંપલ પહેરે છે. પડિત નેહરૂના જન્મસ્થાન અલ્લાહબાદમાં તેમને જન્મ થયેલા, અને વકીલ તરીકે જીવનની શરૂઆત કરેલી. ગાંધીજીના સ્વાત સગ્રામમાં ભાગ લેવા તેમણે પેાતાની યશસ્વી કારકીર્દિને અંત આણ્યો, અને સાત વખત જેલમાં જઈ આવ્યા. ટંડનનુ કુટુંબ ગરીબ હતુ', અને ગરીબ જ રહ્યું. ટંડન હંમેશાં, મદ્રાસના પતાં શ્રીમત આશ્રયદાતા પાસેથી મદદ સ્વીકારવાની ના જ પાડે છે. તેઓએ કેટલીકવાર પેાતાનુ ભાજન લીધું નદ્ધિ હાય, અને ફાટેલાં કપર્યા પહેયાંશે; પર ંતુ જ્યારે મહાસભા પક્ષના મોટા ભાગના કાર્ય કર્તામાં લાંચરૂશવત અને લાગવગે જોર. તા. ૧૫-૧૦ પ્。 વધુ પડતા વિશ્વસુ નેહરૂએ 'ડનની વિરૂઘ્ધ જાહેરમાં દેખાવ નથી કર્યો; પણ પેાતાની લાલચોળ તદ્દન નવી મેટરમાં ક્રીતે, ગાંધીનગરમાં તેર પ્રવચન કર્યાં', પેાતાનું પ્રવચન પૂરૂં કરતાં નેહરૂએ સામ્યવાદી ચીનને માન્ય નહિ રાખવા બદલ યુનાઇટેડ સ્ટેટસની ટીકા કરી, પણ જયારે કેટલાક મહાસભાવાદી નેતાઓએ કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સનું વલષ્ણુ મૂડી. વાદીનું છે, ત્યારે તેવુરૂએ યુનાઇટેડ સ્ટેટ્સને બચાવ કર્યાં. નેહરૂએ વધુમાં કહ્યું કે, “એ વિરાધી જુવેમાં, અરસપરસ ભયના કારણે દુનિયા વિપત્તિને આરે ઊભી છે. '' પછી તેમણે ટ'ડનની સામે જ પાકિસ્તાનના પ્રશ્ન પર ખાય ભીડી, નેહરૂને આરાવ આવા હતાઃ “પાકિસ્તાન અને હિંદુસ્તાન વચ્ચે અત્યારે જે કાંઇ તકરારા અને અથડ ભણે હાય અથવા ભવિષ્યમાં ઊભી ચાય તેની, રાજકીય પ્રશ્ન તરીકે જ વિચારણા કરવી, અને તેનું નિરાકરણ પશુ એ જ ધેારણે કરવું'. આપણાં માંરિક પ્રશ્નોની વિચારણા ધમ'ક અથવા કામીય દૃષ્ટિએ થવા દઉં, એ પ્રશ્નોને વણુસવા દેવા નહિ. વેર લેવાની વૃત્તિ દ્વારા આપણી નતિને આપણે ભૂલી જઇ શકીએ ત. આપણે આપણી લઘુતિ તરફ સંપૂણૢ ન્યાયી અને સાહજિક વલણુ રાખવુ જોઇએ, એટલુ જ નહિં પણ તેમના તરફનુ' વલણુ સ્વાભાવિક જ છે એવું તેમનાથી અનુભવાવું જોએ. '' k પછી ખૂબ લાગણીપૂવ ક કહ્યું : “ મહાસભાવાદીએ આ પ્રશ્ન તરફ જે રીતે જુએ છે તેનાથી મને શરમ આવે છે....તમે અસ્થિરતા બતાવી શકા નહિ. જો તમે મહાસભાની દોરવણી મારા દ્વારા ઇચ્છતા હૈ। તે તમારે આ ઠરાવ અક્ષરશઃ પસાર કરવા પડશે...જો તમે મને વડા પ્રધાન તરીકે ન ઈચ્છતા હ।, તે મને એમ કાંડ઼ા અને હું રાજીનામું આપીશ. ” નેહરૂના ઠરાવ તાળીઆના અવાજ વચ્ચે પસાર થયે, સત ટંડને પણ, પંદર હજાર શબ્દોના, દ્વિંદુ શાસ્ત્રોના અવતરણવાળા ભાષણમાં, વડા પ્રધાનને ટકા આપ્યા. ગયા સપ્તહમાં, ગંધીનગર ગ્રામમાં, કેટલાકને લાગ્યું કે નેહરૂને મહાન વિજય થયા છે; જ્યારે બીજાએ-રેએ ટંડનને કેટલું મજબૂત પીઠબળ છે તે જાણુતા હતા તેએને લાગ્યુ કે, પ્રશ્નનું સમાધાન નથી થયું; પણ. અભરાઇએ ચડાવી દેવાયા છે. શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ. મુદ્રણસ્થાન કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy