________________
૪૬૨
-
તા. ૧૫-૩-૪૯
-
---
-
-
--
શ્રી જવલબહેન ફરીથી ઉપવાસ ઉપર . કેશરીયાજી તીય સંબંધમાં શ્રી જવલબહેન તા. ૧૮-૨-૪૯
થી પાછા ઉપવાસ ઉપર ઉતર્યા છે. આ પત્ર પ્રગટ થાય છે ત્યારે તેમણે ૨૫ ઉપવાસ પૂરો કર્યા હશે. આજથી દશેક મહિના પહેલાં ૪૨ દિવસના ઉપવાસ બાદ શ્રી તેજસિંહ કોઠારી જેઓ વેતાંબર મૂર્તિપૂજક જૈન છે તેમ કેશરી આજીના ભંડારી અથવા તો વહી"ટક્રર્તા તરીકે નિમણુંક થતાં પિતાની પ્રતિજ્ઞા પુરી થાય છે એમ સમજીને શ્રી જાફાબહેને પાર કયુ હતું. તા. ૨૫-૧૧-૪૮ ના રોજ ત્યાંની સરકાર તરફથી અમુક નવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત તા. ૨૨-૫-૪૮ ની જાહેરાત કે જેના પરિણામે , તેમણે પારણું કર્યું હતું તે આગળની જાહેરાતને ભંગ કરે છે એ માન્યતા ઉપર અને કેશરીઆ તીર્થને આખો વહીવટ વેતાંબર મૂનિમૂજક સમાજને સપો જોઇએ એવા આગ્રહ ઉપર તેણે આ નવા ઉપવાસ શરૂ કર્યા છે. આ સમાચાર સાંભળીને દુઃખ થાય છે અને આવા ભીષણ માર્ગે જવા પહેલાં કેશરીઆઇની સમગ્ર પરિસ્થિતિને વધારે શાણપણ પૂર્વક શ્રી જવલબહેને વિચાર કરવા જોઈને એમ કહેવાનું મન થાય છે.
પહેલાં તે આજે ત્યાં હવે રાણુનું રાજ્ય નથી, પણ પૂજન / પ્રતિનિધિત્વધારીઓ રાજય વહીવટ ચલાવે છે. તેથી આજે યાં યે ... સમ ધામી- ધણી વધારે શક્યતા છે અને એ સમાધ | મે અને જવાબદાર વ્યકિતએ દારા શોધાવી જરૂરી છે, અને તે માટે પેગ ભૂમિકા રચાવી અત્યન્ત અવશ્યક છે. આ ભૂમિકા શ્વેનાંબર અને દિગંબરો વચ્ચે સમજુતી થાય તે જ ઉભી થઈ શકે તેમ છે. વર્ષોથી દિગંબર અને શ્વેતાંબરો કેશરીઆઇને પૂજતા આવ્યા છે અને ત્યાંના વહીટ વિષે એ બન્ને પક્ષો વચ્ચે ઝગડો પણ વર્ષોથી ચાલે છે. આ પરિસ્થિતિમાં એ તીર્થ ધામ વેતાંબરનું જ છે અને એને કુલ વહીવટ તાંબરેને જ સંપ જોઈએ એવી માંગણી શ્રી. જ વલ બહેનની દૃષ્ટિએ ત૬ન. એગ્ય હશે તે પણ એવી માંગણી વ્યવહારૂ નથી અને તેથી એવી માંગણી ઉપર અનશન શરૂ કરવું એ એક પ્રકારના દુરાગ્રહ ઉપર ચણતર કરવા જેવું છે. જ્યાં સુધી શ્વેતાંબર સમાજ અને દિગંબર સમાજના આગેવાને એકમત નહિ થાય ત્યાં સુધી ત્યાંની સરકાર આગળ ચાલી શકે એમ નથી. વળી શ્રી જવલ બેહન માનતા હોય એમ કેશરી, અને પ્રશ્ન કેવળ સાદો સાદો નથી અને જે જેનું હોય તે તને આપી દેવું એવો સરળ નથી. ત્યાં ત્રીજો પક્ષ પંડયાઓનો છે અને તેમના પણ ત્યાં વર્ષોના સ્થાપિત હક છે. અને એ સ્થાપિત છતાં જૈને સમાજની દષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી દેખાતા હકકે સામે જૈ રસમાજે લડત ચલાવવાની છે. જૈન સમાજ જ્યાં સુધી પિતાનું ઘર મું નહિ કરે ત્યાં સુધી બીજા પાસે પિતાની વ્યાજબી બાબત શી રીને મંજુર કરાવી શકશે ? એક બાજુ એ અમુક પ્રશ્ન ઉપર આપણી જ એક બહેન આમરણા અનશને લઈને બેઠી છે ત્યારે તેમના અભિપયનું સમર્થન કરવાને બદલે તેમને અનુકુળ ન હોય એવું મન્તવ્ય રજુ કરતાં બહુ દુઃખ થાય છે, પણ જ્યારે તેમના અનશને આ પ્રશ્નને પુનઃ જીવતે કર્યો છે ત્યારે પ્રસ્તુત પરિસ્થિતિ અંગે જે કાંઈ પણ લાગે તે સ્પષ્ટપણે રજુ કરવાને ધમ થઈ પડે છે. જૈન સમાજને કૃતજ્ઞાતાધર્મ
ગયા વર્ષે શત્રુંજય તીર્થ ઉપર જૈન સમાજને ભારે પડતો 3. ૬૦૦૦૦ ને વાષક કર તત્કાળ નવનિર્મિત સૌરાષ્ટ્ર સરકારે માફ કર્યો ત્યારે જૈન સમાજ આનંદપુલકિત બન્યા હતા અને આ શુભ પગલાની કદર તરીકે જૈન સમાજે કાંઈક કરવું જોઈએ એ વિચાર અને ભવના સૌ કોઈના દિલમાં રમી રહી હતી. એ અરસામાં પ્રબુધ્ધ જન | એક નેધ દ્વારા. રૂ. ૬૦૦ ૦૦ ને વાર્ષિક કર ભરવા નિમિત્તે શેઠ આણંદજી કલ્પણુજી તરફથી એકઠા કરવામાં આવેલ આશરે બર લખ રૂપીઆ કઈ પણ જનકલ્યાણુક રી
જનામાં રોકવા તેમ જ વાપરવા માટે સૌરાષ્ટ્ર સરકારને અર્પણ કરવો જોઈએ એવી એક સૂચન કરવામાં આવી હતી. આ સૂચનાને સ્વીકાર કરવાને બદલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ કેટલાક સમય પહેલાં મુંબઈમાં વસતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના કેટલાક આગેવાનોને એકઠા કરીને એવો વિચાર રજુ કર્યો હતો કે અમદાવાદ, મુંબઈ તેમ જ અન્ય સ્થળેાએથી છ થી આઠ લાખ રૂપીઆ એકઠા કરવી અને એ રકમ ઉપર જણાવેલ શુભ કાર્યની કદર તરીકે સૌરાષ્ટ્ર સરકારને અપંગુ કરવી. આ વાતને પણ ત્રણ ચાર મહીના થઈ ગયા અને એ દરમિયાન, આપણને જાણવા મળે છે તેમ, ગીરનાર તીર્થને લગતી બધી વિવાદાસ્પદ બાબતેનું પણ સૌરષ્ટ્ર સરકાર સાથે આ પણું સમાધાન થઈ ગયું છે. આમ છતાં પણ પિલી એકઠી કરવા ધારેલી રકમનું શું થયું તે વિષે જૈન સમાજને કશી પણ માહીતી આપવામાં આવી નથી. સંભવ છે કે એકઠી કરવા ધારેલી રકમ મેળવવી આજે બહુ મુશ્કેલ લાગતી હોય. એમ હોય તો ઉપર જણાવેલ બાર લાખની રકમ જે અલગ જ પડેલી હેવી જોઈએ તેને આ સદુપયોગ કરવાનું શા માટે વિચારવામાં ન આવે ? આ બાબત સંબંધે જૈન સમાજે કોઈ ને કોઈ વખતસર કરવાની ખાસ જરૂર છે. જે લાખે રૂપીઆ ખચતાં શક્ય નહતું તે આજે સૌરાષ્ટ્રની અણધારી રાજયક્રાન્તિ અને સૌરાષ્ટ્ર સરકારની સહાનુભૂતિ દ્વારા શકય બન્યું છે અને શત્રુંજય તેમજ ગીરનાર અગ્ય સત્તા પીડનથી સદાને માટે વિમુકત બન્યા છે અને એ બને તીર્થોને જૈન સમ જ ધારે તે રીતે વિકસાવી શકે એવી સરળતા અને સુગમતાં પ્રાપ્ત થઈ છે. આ બધી લાભપ્રાપ્તિ સામે જૈન સમાજ કદરરૂપે કશું જ નહિ કરે તો જૈન સમાજના માથે નગુણાપણાનું કલંક રહી જશે. નવી સચિત્ર ટપાલની ટીકીટ
હિંદી સરકાર તરફથી તાજેતરમાં જુદા જુદા દરની નવી - ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવેલ છે. આ ટીકીટમાં હિંદની શિલ્પવિભૂતિ સૂચવતા સ્થાપત્ય અને મૂર્તિનાં દળે છાપવામાં આવ્યા છે અને આજ સુધી અંગ્રેજ શહેનશાહના મેઢાં જોવા ટેવાયેલી આપણી આંખો આ નવી ટીકીટ જોઈને કોઈ જુદે જ આનંદ અને તાજગી અનુભવે અને “આપણે હવે આઝાદ છીએ એ વાસ્તવિકતાનું આપણને પુનઃ હૃદયંગમ ભાન થાય છે,
જે શિ૯ષના નમુનાઓ પસંદ કરવામાં આવ્યા છે તેના ઔચિત્ય સંબંધે બેમત છે જ નહિ પણ જયારે ટપાલ ટીકીટ તૈયાર કરવામાં હિંદી સરકારે અને તે નીચે કામ કરતા ટપાલખાતાઓ આ નવી દુષ્ટ સ્વીકારી છે ત્યારે આ પણે આશા રાખીએ કે હિંદમાં શિલ્પ અને સ્થાપત્યના નમુનાઓની અઢળક સમૃધ્ધિ છે અને એ સમૃધ્ધિમાં જૈન સમ જને ૫ નાનાસુને ફાળો નથી તો જેમને હથમાં આવાં દળે પસંદ કરવાનું કામ હોય તેઓ જે સ્થાપત્યના વિવિધ નમુનાઓને પણ વેગ્ય થાન આપે. શત્રુ જય ગીરનાર, આબુ, તારંગા, રાણકપુર, પાવાપુરી, શ્રમણબેલગુડા અને એવાં અનેક સ્થળે બેનમુન સ્થાપત્યથી ભરેલાં છે. તેવી જ રીતે બાહુબલીજી, અમીઝરા પાર્શ્વનાથ, સંખેશ્વર પાર્શ્વનાથ અને એવી અનેક જૈન મૂર્તિઓ પણ મૂર્તવિધાનના સુન્દર નમુનાઓ તરીકે જાણીતી છે. આ સર્વેને પણ આ ટીકીટ નિર્માણ કરવામાં ઉપયે.ગ કરવા ઘટે છે. હિંદી સરકારને આ બાબત ધ્યાનમાં લેવા આગ્રપૂક વિજ્ઞપ્તિ છે. “પરમાનંદ.
સાભાર સ્વીકાર શ્રી • ણિલાલ મે કમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલયમાં નીચે મુજબ રકમ ભેટ મળી છે.
૧૦૧ એક શુભેચ્છક મિત્ર ૫૦ શ્રી. અમીચંદ ખેમચંદ શાહ ૫૦૧ શ્રી. દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી ૩૫ શ્રી. વલ્લભદાસ ફુલચંદ
મંત્રીઓ, મુંબઈ જન યુવક સંદ્ધ, ,