SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રબુદ્ધ જૈન તા. ૧-૯ ૪૯, રાજ્ય વળી મોટા પ્રમાણમાં લાંચ રૂશવત માટે નામીચાં હતાં; એટલે ફેર હતા કે તેઓ ચેડામાં રાજી થતાં. દેશી રજવાડામાં એક કામ જેટલા આનાથી સરતું તેને માટે બ્રિટિશ હિંદમાં એટલા રૂપિયા આપવા પડતા. જોડાયેલાં રજવાડાંમાંથી મારી પાસે કેવા અહેવાલ આવે છે તેની તમને ખબર છે ? તેમાં જણાવવામાં આવે છે કે તેમના વહીવટમાં તમારા પ્રવેશ સાથે લાંચ રૂશવતને દર પણ ચડી ગયું છે. એ માનવા તૈયાર છું કે આમાંની કેટલીક ફરિયાદ અતિશયોક્તિભરેલી હશે. કાયદાની અદાલતમાં ઘણી સાબિત ન થઈ શકે એવી હશે. પણ મારે તમને કહેવું જોઈએ કે મને જે ફરિયાદો મળે છે તે જનતા તરફથી જ આવતી, કેટલાક સરકારી નોકરેએ પણ કરેલી છે. દાખલા તરીકે રેલવે અને રેશનની દુકાનમાં જે યુકિતઓ, લાંચ, રૂશવત અને અપ્રમાણિકતા ચાલે છે તે અને તે જ ખાતાઓમાં કામ કરતાં માણસે તરફથી કહેવામાં આવી છે. * આ રીતે તમને હું સામાન્યપણે સંબધું છું એથી તમારી ગેરસમજ ન થવા દેવા વિનંતી કરું છું. મારે કહેવાનો અર્થ એ નથી કે તમારામાં કઈ જ પ્રમાણિક નથી કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જેમણે તનતોડ વૈતરું કર્યું છે એવા અમલદારે પણ તમારામાં નથી, કે બધાં જ ખાતાઓમાં આવી બદી છે. હકીકતમાં તમારા માંનો મોટો ભાગ એ હશે કે જેમણે કદી અનીતિના ધનને પશે પણ નહીં કર્યો હોય. પરંતુ આવી બાબતોમાં જેમ દસથી વીસ તોફાની માણસે પણ પાંચસો શાંત માણસોની સભા વિખેરી શકે છે તેમ દસ ટકા જેટલા કરો તમારી પ્રતિષ્ઠા પર કલંક લગાડવાને પૂરતા છે. મેં અહીં સામાન્ય ચિત્ર અને છા૫ વર્ણવી છે અને તેથી જેઓ પ્રામાણિક સેવકે છે તેમણે પણ આને ગંભીર વિચાર કરવાની જરૂર છે. આ વસ્તુ ક્યાં જઈને અટકશે તે તમે ધારો છો? તમે સરકાર અને પ્રજાની વચમાં ઉભા છો. તમારા ઉપરથી જ સરકાર રૂરી છે કે નરસી એની તુલને થાય છે. અને તમારા દ્વારા જ સરકાર નિષ્ફળ કે સફળ થાય છે પ્રજાને માનવાને અધિકાર છે કે સરકાર તમારા પર પુરૂં નિયંત્રણ રાખે છે અને તેથી તમારે વહીવટ અસંતોષકારક હોય છે તેઓ વાજબી રીતે તમારી ખામીઓ માટે સરકારને દોષ દઈ શકે છે. સરકાર પર કોંગ્રેસનો કાબુ મનાય છે એટલે તમારામાં જે જે લાંચરૂશવત વગેરે દુષણો હેય તે કંગ્રેસને માથે સ્વાભાવિક રીતે એઢાડવામાં આવે છે. અલબત તમે કહી શકે અને તે પણ વાજબી રીતે કે ખુદ મહાસભાવાદીઓમાં સડે છે અને અમે એકલા ગુનેગાર નથી. એ યાદ રાખજો કે જ્યારે લાગવા માટે બધા મસાલો તૈયાર હોય છે ત્યારે આગ લગાડવાને એક નાના તણુઓ પૂતે થઈ પડે છે. મારી તમને વિનતિ છે કે તમે તમારા જીવન અને આચારમાં ભગવાનને વસાવે. ઐહિક સમૃદ્ધિ વધારવાની તમારી ઈચ્છામાં તમે તમારા ઘર અને એ ફસમાંથી ભગવાનને વિદાય આપી છે અને માન્યું છે કે સંકટ અને વૃધ્ધાવસ્થામાં ભગવાન કરતાં ધન એ વધુ સારો મિત્ર છે. પરંતુ આ તમારી માન્યતા ખાટી છે અને તમારો અને સમગ્ર દેશને નાશ નોતરશે. પ્રભુ તમને પ્રજાના વધુ સાચા અને સારા સેવકો બનવાનું ડહાપણ અને શકિત આપે. હરિજન'માંથી. કિશોરલાલ મશરૂવાળા. સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહ | ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈ આવતા કોઈ પણ ફિરકાના જૈન વિદ્યાર્થી માટે ખુલ્લી હોય એવી આ એક જ સંસ્થાને ઉભવ શ્રી. મણિલાલ મકમચંદ શાહ અને સ્વ જૈન ફિલસુફવાડિલાલ મોતીલાલ શાહના પ્રયત્નથી અને તેમની ભાગીદારીમાં ચાલતી પેઢી મે. બી. મણિલાલ એન્ડ કું. ના આર્થિક સહકારથી સને ૧૮૧૯ માં થયે હતા. તે સમયમાં તો ઠીક, પણ આજે એ ફિરકા-સંપ્રદાયના ભેદભાવ વિના કોઈ પણ જૈન વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તરીકે આવી બીજી કોઈ સંસ્થા હિંદુસ્તાનના કોઈ પણ ભાગમાં નથી. શરૂઆતથી જ વિધાથી'ઓને રહેવાની સગવડ આ સંસ્થાને પ્રીસેસ સ્ટ્રીટ ઉપર આવેલ પીરભાઈ બિલ્ડીંગમાં કરવામાં આવેલ છે. અત્યારના સંજોગમાં આ જગ્યા નાની હોવાથી, અને દર વર્ષે ધણા ઉસાહી વિવાથી એને નિરાશ કરવા પડતા હોવાથી સને ૧૮૪૭ ના ઓગસ્ટ માસમાં તેના ટ્રસ્ટીઓએ નવા મકાન માટે રૂા. બે લાખનું ફંડ એકત્ર કરવાનો સંકલ્પ કર્યો અને વૃદ્ધ વય તેમ જ નબળો તબીયત છતાં શ્રી. મણિભાઈએ તેમજ બીજા ટ્રસ્ટીઓ અને શુભેચ્છકોએ અવિરત શ્રમ લઇને આજે રૂા. બે લાખ પુરા કર્યા છે, જે પૈકી આશરે રૂા. ૧ લાખ ૫૫ હજાર જેટલી રકમ વસુલ થઈ ગયેલ છે. ગઈ તા. ૬ ઠ્ઠી ઓગસ્ટના રોજ મળેલી દાતાઓની સભાએ બંધારણ સમિતિએ રજુ કરેલું સંસ્થાનું બંધારણ પસાર કરીને તે રજીસ્ટર કરાવવાની અને બીજી કાયદેસરની વિધિઓ કરવા માટે દ્રરટીઓને સેપ્યું છે. સંસ્થા માટે રૂા. ૭૦ હજારની કિંમતે દાદરમાં રટેશન સામે ૧૮૦૦ વાર જમીન ખરીદ કરવામાં આવી છે. પરંતુ આજના સંજોગોમાં જમીન અને મકાન માટેનું કુલ ખર્ચ આસરે રા, ત્રણ લાખ થવા સંભવ છે. આ રીતે સંસ્થા માટે હજુ રૂા. એક લાખ મેળવવાના રહે છે, જે રકમ જૈન સમાજના શિક્ષણ પ્રેમી અને વિશાળ દિલના ગૃહસ્થ પૂરી કરી આપશે, એવી ટ્રસ્ટીઓ આશા સેવે છે. આજે છાત્રાલયમાં જગ્યા મળવાને અભાવે સેંકડે વિધાથીઓને અહીં તહીં ભટકી નિરાશ થવું પડે છે. શિક્ષણ સંસ્થાઓ માટે ભાગે મુંબઈમાં જ કેન્દ્રિત થએલી છે, જ્યારે રહેઠાણની ભારે મુશ્કેલી પણ મુંબઈમાં જ છે. એટલે ઘટતી રકમ જેટલી વહેલી મળે, અને મકાન જેટલું વહેલું તૈયાર થાય, તેટલી વિધાથીઓને વહેલી સગવડ આપી શકાય. આ વસ્તુ લક્ષમાં લઈને દાતાઓ ગ્ય રમે સામેથી મેકલાવીને શ્રી. મણિભાઈ અને બીજા ટ્રસ્ટીબંધુ અને ચિંતામુકત કરશે એવી આશા રાખીએ. સ્વીકાર યુગદર્શનઃ માસિક. તંત્રી : શ્રી. પરમાનંદ કે. કાપડીબા પ્રકાશક: જન્મભૂમિ પ્રકાશન મંદિર, મુંબઈ. જ્ઞાનોદય : હિંદી માસિક, ભારતીય જ્ઞાનપીઠ કાશી, દુર્ગીકુંડ રેડ, બનારસ. તે પણ એમાં તે જો કોંગ્રેસ નહીં સુધરે તે સમય પાકશે ત્યારે સરકારનાં સ્થાન પરથી તેને હઠી જવું પડશે અને એ રીતે શિક્ષા ભોગવવી પડશે. પરંતુ આજની નીતિભ્રષ્ટતા અને લાંચ રૂશવતની બદીનાં પરિણામે માત્ર કોંગ્રેસ સરકારને કાઢવાથી બંધ નહી થાય. એનાં પરિણામ તમારે યે ભેગવવાં પડવાનાં છે. બીજા ગાંધી પાકીને પ્રજાને અહિંસક વિરોધને માર્ગ દરે નહીં તે અર્ધજાગ્રત માનવતા જુલમનો જવાબ એક જ રીતે આપે છે અને એ ફ્રાન્સની ક્રાંતિની પુનરાવૃત્તિ કરીને. અડઘે ડઝન ફ્રાંસ ભેગાં કરીએ એનાથીયે આપણે દેશ માટે છે. આપણું આતે (ચીન સિવાય) બીજા કોઈ દેશની આફત કરતાંયે વધુ મોટી નીવડશે. ૧૯૪૬-૪૭માં આપણે એ આફતને અનુભવ કર્યો છે. આ બનાવો ફરીવાર બને એમ તમે ઇચ્છે છે? : તમે જે ન સુધરે તે પ્રજા સુખી ન થઈ શકે, અને લખી પ્રજા જ્યારે દમન અસહ્ય થઈ પડશે ત્યારે તમને છોડશે નહીં.
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy