________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૫ ૪૮
હવે બ્રિટિશ જહાજે આપણું રક્ષણુ નથી કરતાં; સિંધ ભારતમાં નથી. સૌરાષ્ટ્ર, કચ્છ, રાધણપુર, મારવાડ, અરે. નાનકડા સુઈ ગામે, આંતરરાષ્ટ્રીય સીમાનું જોખમાયુ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પાંચ આંતરરાષ્ટ્રીય બંદરે મહાગુજરાતમાં છે. થોડા વખતમાં વાયુવાનનાં મોટા મથકે આપણે ત્યાં ઊભાં થશે. આ નવી જવાબદારી નવાં સામુદાયિક પરાક્રમે માગી રહી છે, તમે શું કરશે ? “શું શા પૈસા ચારે” તમારો ઉદ્ધાર નહીં થાય, એ ચેકસ સમજજે. આ પહેલું પરાક્રમ તે આપણું સામુદાયિક માનસ બદલવાનું છે. માત્ર પૈસા બનાવ્યું, મોજશેખ કર્યો, વ્યાપાર ઉદ્યોગ વધાર્યું હવે નહીં ચાલે, આપણે સનિક બનવું જોઈએ—-ભારતીય સૈન્યના, નૌકાદલના, વાયુદલના. આ કામ જરા અઘરૂં છે—કારણ કે આપ ણને ગાદી પર બેસી ચોપડા લખવા ગમે, કાર્યાલયમાં જઈ કાગળ લખવા , કે ખાટલામાં સૂઈ નવલકથાઓ વાંચવામાં રસ પડે. પણ હવે વિરાટ સામર્થ્ય વિના ભારતના ઉદ્ધાર નથી; અને યુદ્ધવિષયક તત્પરતા વિના ગુજરાતને મોક્ષ નથી. સૌરાષ્ટ્રના પ્રધાનમંત્રીને હું એક વિનંતી કરીશ કે સૌરાષ્ટ્રમાં ‘સ્થળસ્થળના ઇતિહાસ વીરના સોહાયા ” એ તે અમે બહુ ગાયું. પણ એ સ્થળોમાં ઈતિહાસ ઘડનારા વીરે-કવિતાના વરે નહીં, રણક્ષેત્રના વીરે-પકાવવા માંડજો. આપણાં રાજવીકુલે તે યુદ્ધમાં કુશળ છે. જનરલ રાજેન્દ્રસિંહ અને જનરલ હિંમતસિંહ-બે ગુજરાતીઓઆપણા ભારતીય સૈન્યના અગ્રણીઓ છે. એમની પ્રણાલિકા બહેન લાવવી જોઈએ. આજે આપણી આખી રજપૂત ને કાઠી કેમ વિશાળ સૈનિકજીવનને અભાવે આળસ ને વ્યસનમાં પડી રહી છે.
ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સ્થળે સ્થળે નગરસંરક્ષાનાં-Civie Guards --અાંતકિ સંન્ય-Territorial forees--નાં અને ક૭-રાધણપૂર સીમા પર સીમાસૈન્યનાં કેન્દ્રો થાય એ અગત્યનું છે. ગુજરાતના ખલાસીઓ તો જગપ્રસિદ્ધ નાવિકે છે; એમને માટે નાવિવિધીનું શિક્ષા કેન્દ્ર ગુજરાતમાં થાય એ પણ જરૂર છે.
તે હાથવેંતમાં આપણું સામર્થ્યની કસેટી જોઈ રહ્યો છું. હું ગમટિ નથી, પણ જગતમાં આજ સુરક્ષિતતાને આધાર આગણુના અંતર પર છે. કરાંચીથી રાજકોટ અને અમદાવાદ બેથી ચાર કલાકના માર-નવ સને અંતરે–Striking Distance ઉપર–છે.
આ માટે સૌરાષ્ટ્ર અને વડેદરા રાજ્યનાં ભૌગોલિક સ્વાથ્યની રચના ઘણી જ જલદીથી થવી જોઈએ. સૌરાષ્ટ્રમાં વડે દરાનાં થાણાં છે એ દરેક દષ્ટિએ હાનિકારક છે; એટલી એ થાણાંની સીમામાં જલદીથી સૌરાષ્ટ્રરાજ્યતંત્રના અધિકાર વિસ્તાર જોઈએ. મુંબઈ પ્રાન્તમાં અને વંડેદરા રાજયનાં ગામે ને તાલુકાઓનો ખીચડે બંને પ્રદેશને હાનિકારક છે. ખીચડો કેમ દૂર કર એ મુશ્કેલ કામ પણ જાદથી ઉકેલવું જોઈએ. આ બાબતમાં સમસ્ત ગુજરાતના જોવા મળેલા મહારથીઓને મારી વિનંતી છે કે એની વિચારણા શરૂ કરે અને બને તે મવરથ સરકાર, ગાયકવાડ સરકાર અને સૌરાષ્ટ્ર સરકાર જોડે મ ત્રણું ચલાવે. ગુજરાતના સરા ને એકતાના પ્રશ્ન સાથે ગુજરાતના માર્ગાવ્યવહારCommunications --નો મોટો પ્રશ્ન જોડાયેલ છે. ગુજરાતના રસ્તાઓ ને રેઓ ઐતિહાસિક અકસ્માતથી અને જુદાં જુદાં ૨ ની સગવડ પ્રમાણે બંધાયાં છે. હવે આપણે મુંબઈથી આબુ ને મારવાડ અને દાહોદથી કુંડલા, રાજે કેટ, જૂનાગઢ ને ઓખા સુધી ધોરી રસ્તા અને બહાળા માપની આગગાડીઓની જરૂર છે. અર્વાચીન જગતમાં ધોરી રસ્તાઓ, રેવે અને વાયુમાર્ગો જેવા રાજમાર્ગો તે સામુદાકિની ઘેરી નસે છે. એમાંથી ૧૭વનને પ્રવાક સમય પ્રદેશશરીરને શક્તિ અને સમૃદિધ આપે છે. ભવિષ્યનું માર્ગનિધાન એ સમસ્ત ગુજરાતની એકતાની દૃષ્ટિએ થવું જોઈએ.
બીજો પ્રશ્ન ગુજરાતની વિધાપીઠન છે. ૧૮૨૪ થી તે મેં એને મારું એક પ્રિય ધ્યેય બનાવ્યું છે. ગુજરાતી વિશ્વવિદ્યાલય સમિતિ, ૧૯૨૭નું વડેદરા યુનીવર્સિટી કમિશન, આજની ગુજરાત યુનિવર્સિટી અને ગાયકવાડ સરકારે નીમેલી વડેદરા યુનિવર્સિટી સમિતિ, બધાંની સાથે મારો સંબંધ રહ્યો છે. આણંદનાં કૃષિગવિદ્યાભવન અને કૃષિવિદ્યા કોલેજ અને બિરલા વિશ્વમાં વિદ્યાલય સાથે પણ હું સંકળાયેલો છું. ત્યાં પણ સંચાલકો વિધાપીઠનાં સ્વપ્નાં સેવે છે. જ્યારે ગુજરાતનું રાજકીય ચિત્ર દિને દિને બદલાતું જાય છે, જ્યારે આખરનો નકશો નજર સામે આવતા નથી, ત્યારે આ અનેક પ્રયત્નો આપણે બધાએ ભેગા મળી કેન્દ્રિત કરવા જોઈએ અને સ્થળને માટે સરદારીનું માર્ગદર્શન મેળવવું જોઈએ. આપણે તે જગવિખ્યાત વિશ્વવિદ્યાલય સ્થાપવું છે, ઢીંગલીનું ધર નથી જોઈતું. આવે વખતે મુંબઈ સરકારે વિશ્વવિદ્યાલયની તૈયારી કરવી જોઈએ. મહારાષ્ટ્ર વિધાપીઠ માટે ઝપાટાભેર તૈયારીઓ-સ્થળની, માનની, આર્થિક વ્યવસ્થાની-ચાલે છે. ગુજરાતને માટે એ આટલે વિલંબ કેમ સેવે છે ?.
ત્રીજો પ્રશ્ન આપણા ગુજરાત-f1 ભૌગોલિક સમૃદ્ધિનો છે. આપણે તે સમુદ્રતીરવાસીઓ છીએ; અને ગુજરાત, પુર ણો અનુપદેશ, નદીઓનાં મુખને પ્રદેશ છે. પણ સાથે સાથે દરિયો વર્ષે વર્ષે આપણી જમીન ખાતે જાય છે, ને રજપૂતાનાનું રણ વર્ષે વર્ષે ગુજરાતમાં આક્રમણ કરતું જાય છે. ભરૂચના અંભેટા ગામમાં,
જ્યાં મારા દાદાનાં સમૃધ્ધ ખેતરે હતાં, ત્યાં આજે વાવેતર અધરૂં થઈ પડયું છે. સરસ્વતીમાં જ્યાં હોડીઓ ફરતી ત્યાં આજે પગની આંગળી ભીંજાય એટલું પણ પાણી નથી. એ પ્રશ્નો પર તે આપણે હજુ વિચાર પણ નથી કર્યો. બ્રિટિશ રાજ્યની પ્રણાલી હતી કે ગુજરાતમાં જલપાપણુ–irrigation-ની વ્યવસ્થા બને ત્યાં સુધી નહીં કરવી; કાલે જ વાંચ્યું કે આજની સરકારે એ પ્રણાલિકાને બંગ કરી મહી ની જલપેથાણુ યેજના અમલમાં મૂકવાનો નિશ્ચય કર્યો છે. જ્યાંસુધી ગુજરતની એકતા ન સ્થપાય, ત્યાંસુધી આ પ્રશ્નને પૂરેપૂરે ઉકેલ અઘરો છે એ કબૂલ કરું છું; પણ આ પ્રશ્ન જ પૂરવાર કરે છે કે ગુજરાતીઓ નું એકીકરણ ઘણું જરૂરનું છે.
આ સાથે નર્મદા ખીણના વિકાસની યોજના મધ્યસ્થ સરકારે હાથ ધરી છે. એ સરકારના અનેક વ્યવસાયમાં આ ગૌણ ન થઈ જાય એ આપણે જોવાનું છે. ગુજરાતમાં એટલી બધી નદીઓ છે કે એમની જલશકિત વડે આપણે આખા દેશનું વિધ રણelectrificationકરી શકીએ. ૧૯૩૮ થી એક જવાને વિચાર ચાલી રહ્યો છે. હજુ એને અમલ થયું નથી.
કૃષિવિદ્યાના વિકાસ વિશે વધારે કહેવાની જરૂર નથી. પણ આણંદની કૃષિગોવિધા મેં યે ત્યારે મને પણ ખ્યાલ ન હતું કે આવી સંસ્થા કેટલી ફાયદાકારક નીવડશે. આજે એ સંસ્થાનાં થાણું સુરત અને અમદાવાદમાં છે. જે ગાયકવાડ સરકાર અને સૌરાષ્ટ્રની સરકાર પૂરતો સહકાર આપે તે એ સંસ્થા ગોવર્ધનના કાર્યમાં ગુજરાતના દરેક વિભાગમાં વિકાસ સાધી શકે. આ સંસ્થા સાથે મારે સંબંધ છે તેથી હું આમ નથી કહેતે; પણ અર્વાચીન જમાનામાં નાની, શ્રીછવાઇ સંસ્થાઓથી ઉત્કર્ષ સધાય એમ નથી. જેમ મોટી સંસ્થા થાય તેમ તે વધારે પ્રખર નિષ્ણાતો રાખી શકે, સંશોધનમાં વધારે પૈસા ખરચી શકે, અને વધારે વૈજ્ઞાનિક વિકાસનો લાભ આપી શકે. મારું ચાલે તે હું દરેક જીલ્લામાં એક ગો– વર્ધન કેન્દ્ર સ્થાપું અને અમારી સંસ્થાકાર ગેકુલ-helds of entile-ની અભિવૃદ્ધિ પ્રસારું. પણ તે દીન કહાંસે કે મિયાં કે પાંઉમે જૂતિયાં !
આથીય અગત્યનો સવાલ તે આપણી શારીરિક સંપત્તિ છે. આપણાં યુવક યુવતીઓએ ઘણી દીશામાં પ્રગતિ કરી છે પણ એમના શારીરિક વિકાસ પર હજી આપણે ધ્યાન આપ્યું નથી. આપણુ આહાર પર આપણે ધ્યાન આપ્યું નથી, આપણી સ્ત્રીઓની