________________
7)
૨૩૨
પ્રશુદ્ધ જૈન
કરી
વિકાસ
માત્ર આર્થિક સુદૃઢતાથી આપણે પ્રતિષ્ઠા પ્રાપ્ત શંકીશું' એમ સમજવુ' ભૂલભરેલું છે. જ્યાંસુધી બુધ્ધિને નથી થયે।, ગન સ`સ્કારી નથી બન્યુ, જ્ઞાનપ્રાપ્તિ માટેની ધગશ ઉભી નથી થઈ ત્યાં સુધી દુનિયા આપણને એાળખવાની નથી. હૈદ્રાબાદના નીઝામ કરેડપતિ છે, પરંતુ તેથી તેણે કાંઇ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે ખરી ? મારવાડી સમાજં સેનાના ઘરેણાં ચઢાવે છે પણ તેથી તેને કદિ માન મળ્યું છે ખર’ ? છે કેાઇ વિવેકાનંદ, રામતીથ', રાધાકૃષ્ણ જેવા આપણામાં છે કે જે આમ દુનિયામાં ચૈતન્યનુ’ સૃજન કરે? છે. કાઇ રવીંદ્ર આપણા સમાજમાં છે કે જેણે આન’દયાત્રા કરી હોય ? છે કાષ્ઠ મહાન વિદ્વાન, મહાન વૈજ્ઞાનિક, સાહિત્યક, કવિ, કલાકાર, દેશભકત, સ્વાયત્યાગી વીર્ હુતાત્મા યા સેવાભાવી આત્મા ? શા માટે નથી તેને કાષ્ટ દિવસ વિચાર કર્યાં છે? પેતાની ત્રુટિ જોઇને આપણે કદિ શરમ અનુભવી છે?
જો તે ત્રુટિ આપણે સુધારવી હાય તે શિક્ષણપ્રચાર કરે. કેવળજ્ઞાનના મહિમા ગાવાવાળા અને ભ. મહાવીરની સનતા પર યાદ મચાવવાવાળા જન સમાજમાં એક પણ બુદ્ધશાળી એવી વ્યક્તિ નથી કે જેની સામે દુનિયાનુ માથું ઝુકે. આ એ એક ચિન્તનીય વાત છે. આપણે ઇચ્છીએ કે આપણા સમાજ શિક્ષિત હાય, દુનિયાના વિવિધ જ્ઞાનને પચાવવાનુ તેનામાં સામર્થ્ય ડ્રાય, એવી કેટ્ટ પણ શાખા ન રહે જેમાં જૈન સમાજ પહેાંચ્યા ન હોય. આપણા ભવિષ્યકાળ ઉજ્જવળ જોવાની તમન્ના જાગે તે તે પણ એક મેાટા સુધારા છે, જેને સ્વીકાર્યા સિવાય ઉચે ચઢવુ શકય નથી. શિક્ષણના આ ક્ષેત્રને સર્વવ્યાપી કરવાની ખાખતમાં આપણા ખ્યાલ નાચે પ્રમાણે છે:-~-~
(૧) પ્રત્યેક પ્રાન્તમાં જૈનાની જેટલી શિક્ષણુસસ્થા છે તેનુ એકીકરણ થાય. એકીકરણુના અથ એ છે કે પ્રાન્તિક જૈન સભાના આદેશ અનુસાર આ સ` સસ્થાઓનું સંચાલન કરાય અને એ પ્રકારે જે પ્રાન્તિક શિક્ષણશાખાઓ એકત્રિત થશે તેને સંબંધ મધ્યવર્તી શિક્ષણસ’સ્થા સાથે રહે.
(૨) પ્રાન્તની જે યુનિવર્સિટી અહિં આ છે, તે સ`માં જૈન ચેર હેય જેમ કે આજે બનારસમાં છે. સખત ભારતની પ્રત્યેક યુનિવર્સિ ટીમાં એવી સરથા ડ્રાય કે જે જૈન વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરે.
(૪) આ પ્રકારે પ્રાથમિક, મધ્યમ તથા ઉચ્ચ શિક્ષણસ’સ્થાએ એકત્ર થાય અને તેનું સ`ચાલન કેન્દ્રિય જૈન સભાના શિક્ષણ વિભાગ દ્વારા થાય.
(૫) જ્યાં જંતાના સમાજ ખૂબ મોટા છે એવા સમાજમાં જૈનેની સ્વતંત્ર કૉલેજ અને આવશ્યક હોય તે સ્વતંત્ર જૈન યુનિવર્સિ`ટી પણ સ્થપાય.
(૬) સમાજના શ્રીમંતા પાસેથી આ શિક્ષક્ષેત્ર માટે મદદ લેવામાં આવે. અને પ્રાન્ત પ્રાન્તના વિભાગમાં જે જૈન મંદિર યા બંડાર છે તેમાંની મિલ્કતને ઉપયોગ શિક્ષણ માટે કરવામાં આવે. (૭) આપણી એક કેન્દ્રિય લાયબ્રેરી હાય જેમાં જૈન નતુ સમગ્ર સાહિત્ય ઉપલબ્ધ હોય.
(૮) જૈન સમાજમાં કેટલીક પ્રકાશન સંસ્થાઓ છે તે સતા સંબંધ મુખ્ય સંસ્થા સાથે રહેવા જોઇએ. કેન્દ્રિય સભાને એક સાહિત્ય સશોધક વિભાગ હાય અને તેની તરફથી સ્થળે સ્થળે સ’શોધનકાય”નું નિયંત્રણુ હાય.
ઉપર પ્રમાણે યા તે અન્ય પ્રકારે આપણે શિક્ષણક્ષેત્રમાં એકત્રિત થવું અતિ આવશ્યક છે. આ સ` માટે જે શકિતઓની જરૂર છે તે બધી જૈન સમાજ પાસે છે. માત્ર એક વસ્તુની ખેટ છે કે જે સૌથી પ્રથમ આવશ્યક છે, અને તે ખાટ છે. કાનિષ્ટ
તા. ૧૫-૩-૪૮
ઉત્સાહી” સેવકની, વ્યકિતઓનું નિર્માણ કરવું પ્રથમ આવશ્યક છે. અને તે તરફ આપણેા પ્રયત્ન રહે તે ઉપર નિર્દિષ્ટ કરેલ સ કાય. આસાનીથી થઇ શકે તેમ છે. સમાજની સમથ વ્યક્તિઓની કદર કરવી, તેમનામાં સંસ્કૃતિ, સેવાભાવનું નિર્માણ કરવું અને તેમને સંગઠિત કરવા-આ કાય. જો કે કઠિન છે તે પણુ પ્રયત્ન કરતાં કશું અશકય નથી. આ બધુ' ત્યારે જ થઈ શકે કે જ્યારે . આપણે આપણી શકિતએ તે તરફ ફેલાવીએ અને પાતાની જાતથી જ દરેક કામની શરૂઆત કરીએ.
જૈન સમાજની સામાજિક અને શૈક્ષણિક ઉન્નતિ બાબતમાં વિચર કર્યાં પછી હવે આપણે આપણુ વિવિધ અ’ગેાના વિચાર કરવાના રહે છે. આપણાં અભ્યતર પ્રશ્નોનું ધીરે ધીરે નિરાકારણ થતુ જશે યા તે પરિસ્થિતિના દબાણુથી તેમાં ઉત્ક્રાન્તિ થવાની, પરંતુ જે દેશના આપણે ધટક છીએ, જે માનવતાનું અંગ છીએ તે દેશ અને માનવતા પ્રત્યે આપણુ કાંઇક કબ્જે છે. જેના અત્ર વિચાર કરવા જરૂરી છે. આજની દુનિયા હવાની જેમ શીઘ્રગતિ કરવાવાળી છે. દુનિયાના ઇતિહાસમાં જે મહાન આદેલન વિચાર અને આચરનાર ક્ષેત્રમાં થયા છે. તે સથી અધિક ક્રાન્તિકારી આન્દોલન આ યુગમાં થયા છે. આપણું જીવન, તેના વિવિધ પ્રશ્નો ક્રુતગતિથી પરત થયા છે, અને તેને આપણે દરરાજ અનુભવ પણ કરીએ છીએ. આપણા દેશ સ્વતંત્ર થયા છે અને આજ એ સ્વતંત્ર દેશની સામે જે મહાન પ્રશ્ન છે તેને ઉકેલ કરવાની જવાબદારી જૈન સમાજ પર પણ છે. હુ'મેશા તટસ્થ રહેવુ, ‘અમારા બાળાચ્યા અને અમે' એવી વૃત્તિ રાખી સ્વાર્થી બનવું, યા “અમારાં મંદિર અને અમે એ જાતની સંકુચિતતા પોતાના મનમાં રાખવી એ બધું ધેખાબાજીને ખેલ છે. એમાં આપણે ટકી, શકવાના નથી. તે પછી ઉજ્જવળ ભવિષ્યની આશા તે
કેમ રખાય ?
કહેવાય છે કે જૈન સમાજ શ્રીમંત છે. અને એ સાચી જ વાત છે. આપણા સમાજના અગ્રગણ્ય ગણાતા સવે લેકા મિલમાલલિક છે યા તેા પદવી અને સન્માનથી પ્રતિષ્ઠિત છે. તે લેાકાની સ્થિતિ દેશી રાજાઓ કરતાં ઓછી ખરાબ નથી. અમાંરી સસ્થાએ જુએ! એ લેાકા જ તેના નિયંત્રક છે. જમીનદાર વર્ગ, ધનિક વ મિલમાલિક વગ બધા જૈન છે. દુનિય સમજવા ઇચ્છે છે કે નિય ́થ સમ્પ્રદાયના આ ઉપાસકેા, પરિગ્રહું પરિમાણવાદના આ પુરસ્કર્તા, અહિંસા ધર્મના પ્રચારકો આ લકા પાસે આટલા પૈસા અને શ્રીમન્તાઇ આવી કયાંથી ? એ લોકાને આટલી બધી પૂછની જરૂર શુ છે? મનુષ્યનુ લેહી ચુસનારા આ વર્ગ પેાતાને અહિંસા ધર્માંને અનુયાયી કહેવડાવે છે? મનુષ્યને રીબાવી રીબાવી મેળવેલ ધનમાંથી થોડે પૈસે દાન કરીને તેઓ કાંતિ સંપાદન કરે છે!
પરંતુ આજની દુનિયા આવા પૂછવાદીઓની નફરત કરે છે, તેઓની દાનત્તિને દંભ સમજે છે. ભલેને આજ સામ્યવાદને પ્રશ્ન અમારે મળે ન વળગ્યે હેાય, પર' તેનાં પડછાયા અમારા જીવન ઉપર તે પડયા જ છે. સામ્યવાદના જયનાદ સત્ર ગાજી રહ્યો છે, જે આજ નહિ તે કાલ પૂછવાદીએ કે જેની પ્રતિષ્ઠા માત્ર લક્ષ્મીની પૂજામાં સમાયેલી છે તેને સદતર નાશ કરી નાખશે.
આવે સમયે આપણી શું કરજ છે? શું આપણે તેના વિરધ કરવાને છે ? અથવા જે પરિસ્થિતિ આવશે તેની શરણાગતિ સ્વીકારની છે? અથવા તે। એ મહાન તત્ત્વને અપનાવી તેના કષ્ણુ ધાર બનવુ છે ?. એ વિચારવુ' ભૂલ ભરેલુ' છે કે જે અવસ્થામાં આજ આપણે સુરક્ષિત છીએ. તે જ અવસ્થામાં કાયમ રહેશુ. બીજા યત્ન કરે અને અમે (અનુસ′ધાન પૃષ્ઠ ૨૨૬. જુઓ )
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, મુદ્રણૢસ્થાન સૂ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુબઇ ૨