SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૦ ક : ૧૫ શ્રી મુબઈ જૈન યુવક સધનુ' પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ મુંબઈ : ૧ ડીસેમ્બર ૧૯૪૮ બુધવાર રક્ષા આ રીતે થઈ જૈન ધર્મની સૌરાષ્ટ્રમાં ફરી એકવાર જૈન ધર્માંની રક્ષાના પ્રશ્ન સ્થાનક– વાસી સમાજમાં ઉપસ્થિત થયા છે. સૌરાષ્ટ્રના પ્રદેશમાં તેરાપથી સાધુઓના થયેલા આગમનથી ચોંકી ઉઠીને કેટલાક સ્થાનકવાસી જૈન આગેવાને ખૂબ જ વિહ્વળ બની ગયા છે, જૈન ધમ' સામે મોટી આપત્તિ આવી પડવાને ભય તેમના મનમાં ઉભો થયો છે, અને તેને નિવારવા માટે સંગઠન, જાગૃતિ, પ્રચાર વગેરે ઉપાયો ોધવા તેઓ બહાર પડયા છે. સ્થા. જૈન સાધુ-સાધ્વીએ પણ કામે લાગી ગયા છે, સૌરાષ્ટ્રમાં સ ંમેલના ભરાઇ રહ્યાં છે, પત્રિકાઓ જોસભેર નીકળી રહી છે, સ્વય ંસેવક ક્ળા રચાઈ રહ્યાં છે, તે મુંબઇની અખિલ હિન્દ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સને પણ આ ‘ધર્મયુદ્ધ ' માં ઘસડવામાં આવી છે. કુસંપનાં બીજ આ પહેલાં પણ થોડા વર્ષ પૂર્વે સ્થા, સમાજના વિદ્યાન અને માનનીય ગણાતા શ્રી. કાનજી મુનિએ મુહપત્તીત્યાગ દ્વારા જ્યારે સ્થાનકવાસી સોંપ્રદાયના ત્યાગ કર્યાં ત્યારે અને પછી જયારે તેમણે સાચા માનેલા દિગમ્બર જૈન સંપ્રદાયના સિદ્ધાંતામાં પ્રચાર શરૂ કર્યાં ત્યારે પણું સૌરષ્ટ્રના સ્થાનકવાસી સમાજ ચેકી ઉડયા હતા. અને કેટલાક આગેવાનાએ શ્રી, કાનજી મુનિનાં વિચારા સામે અભેદ દુ` રચવાની મિથ્યા કાશીશ કરી હતી. પરિણામે ચૂસ્ત સ્થાનકવાસીએ અને શ્રી. કાનજી મુનિના અનુયાયીઓ વચ્ચે સારા એવા જંગ મંડાયેા હતેા.. કલેશ અને કુસ ંપનાં બીજ સ્થા. સમાજમાં રાપાયાં હતાં, કેટલાક ઝગડા અદાલતને દ્વારે પણ જઈ પહેાંચ્યા હતા, અને સ્થા. જૈનેથી અખિલ હિન્દ સંસ્થા કોન્ફરન્સ પણ સૌરાષ્ટ્રના સંકુચિત મનાશ માંથી પ્રગટ થયેલા રાગ– દ્વેષના જંગમાં ઘસડાઇ આવી હતી. શ્રી. કાનજી મુનિ પેાતાના પ્રવાસ પૂરો કરી જ્યારે કરી પેાતાના નિવાસસ્થાન સેનગઢમાં પાછા ફર્યો ત્યારે જ આ જંરંગ શાન્ત પડયા હતા. 5 ઝાલાવાડને માર્ચે હવે કરીને તેરાપંથી સાધુએના સૌરાષ્ટ્રમાં આગમન સાથે રણદુંદુભી ગાજવાં શરૂ થઇ ચૂકયાં છે, અને કાન્ફરન્સે તેના એક આગેવાન શ્રી. ખીમદાઇ વારા મારફત આ ‘ધર્મયુદ્ધ'માં ઝૂકાવ્યું છે. તેમના પ્રમુખપદે જંગના મુખ્ય મારચા' જેવા ઝાલાવાડમાં તેરાપંથ વિરોધી એક સંમેલન પણ ભરાઇ ગયું છે, અને અંદરના પ્રહારોથી સ્થાનકવાસી સ`પ્રદાયને બચાવવા માટે એક સ્થા. જૈન ધમ રક્ષક સમિતિ'ની સ્થાપના પશુ થઈ ચૂકી છે. પહેલા જ ગ મને યાદ છે ત્યાં સુધી ધણાં વર્ષ અગાઉ પણ એક વખત જ્યારે કેટલાક સ્થાનકવાસી જૈનેએ શ્રીમદ્ રાજચંદ્રના આધ્યાત્મિક પદ્માના ગ્રંથનુ સમૂહવાચન શરૂ કરેલું ત્યારે પણ આવી જ કાઈ ચળવળ શરૂ થએલી, અને તેમાં સ્થાનકપાસી સાધુએએ ઠીક ઠીક ૨૯. ન. મી. ૪૬૬ વાર્ષિક લવાજમ રૂપિયા ૪ શકે ખરી ? ભાગ લીધેલા. એક આચાય'ની પ્રેરણાથી અમુક સ્થાએ આ ગ્રંથને ખાળવામાં આવ્યાની વાત પણ બહાર આવેલી. સંપ્રદાયચુસ્તાના ભય સૌરાષ્ટ્રના સ્થાનકવાસી જૈને ઉપરતુ આ રીતે આ ત્રીજી આક્રમણ છે; અને હવે પણ જો સ્થાનકવાસીએ જાગૃત અને સ’ગુઠિત બની આ તેરાપ'થીઓના આક્રમણના સામના નહિ કરે, તે ,સ્થાનકવાસી · ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો થઇ જશે, અને ભેાળા અણુસમજુ શ્રાવક-શ્રાવિકાનું ભારે પતન થઈ જશે, એવે ભય ત્યાંના કેટલાક ધર્માંચૂસ્ત–સંપ્રદાયચૂત-આગેવાને તે લાગ્યા છે. એટલે તેમણે પોતાની બુદ્ધિ અનુસાર પ્રયાસે। શરૂ કર્યાં છે, અને હર વખતની પેઠે આ વખતે પણુ અખિલ હિંદ સ્થા. જૈન કાન્ફરન્સની સહાય માગી છે. ઉપર કહ્યું તેમ કેન્સના એક આગેવાન શ્રી. ખીમચ બાઈએ મા પ્રવૃત્તિની આગેવાની પેતાના હાથમાં લઇને કાન્સને પણ આ ઝગડામાં સડાવી છે. મારી ફરજ આમ જ્યારે ફરીને એક વધુ વખત સૌરાષ્ટ્રમાં આંતર્કલેશનાં કિરણા ડેાકિયાં કરી રહ્યાં છે, અને કાકુરન્સને પણ તેમાં હુંામવાને પ્રયાસ થઇ ચૂકયા છે, ત્યારે એક સૌરાષ્ટ્રવાસી તરીકે, સ્થાનકવાસી કાન્ફરન્સના સભ્ય તરીકે અને જૈન યુવક પ્રવૃત્તિના અંગભૂત તરીકે કેટલુંક સ્પષ્ટ વકતવ્ય કરવાની મારી ફરજ હું સમજુ છું. અને અધિકાર મારૂં મન્તવ્ય રજુ કરતાં પહેલાં મારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે હુ ધમ ચૂસ્ત સ્થાનકવાસી જૈન પિતાના પુત્ર છું, જૈન ધર્મના અને સ્થાનકવાસી આચાર-વિચારના મે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઠીક ઠીક અભ્યાસ કરેલ છે, અને સમાજવાદી હાવા છતાં પૃષ્ઠ સ્થાનકવાસી સમાજ સાથે મમતાપૂર્વક જોડાએલા છું. સ્થાનકવાસી સમાજમાં અને તે પણ મારા સૌરાષ્ટ્રમાં જ્યારે કલેશ-કંકાસનુ વાતાવરણું કરી ઉકળી ઊઠયુ છે, ત્યારે મને અપાર દુ:ખ થાય છે, અને તેની વેદનાથી આ કલમ ચાલી રહી છે. શ્રી. કાનજી મુનિ પ્રકરણ કે આ પહેલાંના તેરાપથી પ્રકરણમાં હું કદી એક યા ખીજા પક્ષે ઝુઝયા કે ઝૂકયા નથી. એમાંથી કાઇ પક્ષની તરફદારી કે વિરોધ કર્યો નથી, પરંતુ બન્ને પક્ષેની પ્રવૃત્તિઓને નિર્લેપ સાક્ષી રહ્યો છું. એટલે આજે કંઇપણ તટસ્થભાવે કહેવાના મતે અધિકાર છે, એમ હું માનુ છું. ભૂલભરેલી કલ્પના વધારે પ્રથમ તે એક વસ્તુની આપણે સ્વીકાર કરવા જોઇએ કે સ્થાનકવાસી' એ 'ધ' નથી, પશુ સંપ્રદાય છે, મહાવીરપ્રણીત જૈન ધમ'ની એક શાખા છે. એટલે સ્થાનકવાસી સપ્રદાય એ જ એક પ્રભુ મહાવીરતા સાચા અનુયાયી વર્ગ છે અને સ્તર જૈન સંપ્રદળ્યા જૂઠા છે, એમ કલ્પવુ એ સૅગ્ય નથી. તે જ રીતે શ્વેતાં.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy