SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦-૪૮ - સર્વનું સન્માન કરવા નિમિત્તે તેમ જે તે સંબંધમાં આનંદ પ્રદ- શિત કરવા માટે તા. ૧૬-૯-૪૮ના રોજ સંધના કાર્યાલયમાં એક નાનું સરખું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. પ્રારંભમાં સંઘના પ્રમુખશ્રીની ગેરહાજરીમાં મેં આપનું સ્વાગત-અમિનન્દન કર્યું. તેના ઉત્તર રૂપે તમે એ એક લેખિત નિવેદન વાંચી સંભળાવ્યું હતું. આજ નિવેદનને સારભાગ તા. ૨૦-૯-૪૮ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલો જોઈને મને ભારે આશ્ચર્ય અને દુ:ખ થયું છે. આ આપણું ખાનગી સંમેલન હતું અને તેમાં તમારા તરફથી કરવામાં આવેલ સંઘની પ્રતિષ્ઠાને અમુક રીતે હાનિ પહોંચાડતું નિવેદન સંધના જવાબદાર કાર્યકર્તાઓ સાથે કશી પણ ચર્ચા કર્યા સિવાય તમે છાપામાં પ્રસિદ્ધિ માટે મોકલી આપ્યું તે યંગ્ય કયું નથી એમ મને લાગે છે. હવે જ્યારે એ નિવેદન છાપામાં પ્રગટ થયું છે. ત્યારે આ સંબંધમાં શું કરવું તે બાબતની વિચારણા માટે સંધની કાર્યવાહક સમિતિ સમક્ષ એ નિવેદન મૂકવા સિવાય અમને મંત્રીઓને બીજો કોઈ વિકલ્પ રહેતા નથી. એમ છતાં પણ આ સંબંધમાં કાંઈપણ ગેરસમજુતી હોય તે દૂર થાય એ હેતુથી નીચેની બાબતે તમારા ધ્યાન ઉપર લાવવાની જરૂર લાગે છે. દેવદ્રવ્યના ઉપયોગ સંબંધમાં તમે જણાવે છે કે “મંદિ. રેમાં જે અઢળક ધન છે તેને ઉપયોગ તમો તમારી મરજીમાં આવે એ રીતે કરી શકતા નથી. જે ભાઇઓએ પૈસા ભર્યા છે તે ભક્તિભાવે અને મંદિરને નિભાવવામાં તે પૈસા વાપરવામાં આવશે એ હેતુથી ભર્યા છે એટલે જે રીતે પૈસા આવ્યા હોય તે રીતે જ તેને વહીવટ કરી શકાય. તેમાં આપણી બુદ્ધિને ઉપયોગ થઈ શકે નહિ.” અને તે બાબત પર તે તમે નિવેદનના આગળના ભાગમાં જણાવે છે કે “દેવદ્રવ્ય અને તેના જેવા બીજા વિકટ પ્રશ્નોમાં માથું મારવામાં કંઈક ઉતાવળ થાય છે.” આ ઉપરથી તમે એમ સૂચવતા લાગે છે કે દેવદ્રવ્યને પ્રશ્ન મુંબઈ જન યુવક સંઘે તાજેતરમાં જ હાથ ધર્યો છે અને એમ કરવામાં મુંબઈ જનયુવક સંધ ભારે ભૂલ કરી રહેલ છે. આ ઉપરથી તમને યાદ દેવાની જરૂર લાગે છે કે દેવદ્રવ્યનો મુદ્દો સંઘે કોઈ તાજેતરમાં નવો ઊભું કરેલે પ્રશ્ન નથી, પણ આ મુદ્દો છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મૂળ બંધારણમાં રહેલો છે. બંધારણની કલમ ૩ (8) ૨ (૪) માં જણાવ્યા મુજબ “ મંદિરોને સાદી રીતે નીભાવતાં બચતી આવકને તેમ જ એકત્ર થયેલી મુડીને જનકલ્યાણના કાર્યોમાં ચાલુ ઉપયોગ થ જોઈએ ” આ માન્યતા સંધના દરેક સભ્ય સ્વીકારવાની રહે છે, અને “દેવદ્રવ્યના નામે થતી આવકને જનક૯ મણના કાર્યમાં ઉપયોગ કરવાનો પ્રબંધ થયું ન હોય એવા મંદિરની આવકમાં ઘી બેલીને કે તેના ફંડફાળામાં પૈસા ભરીને આ સંધને સભ્ય વધારો કરશે નહિ' એ શિસ્તનિયમ પણ સંધના દરેક સભ્ય અમલમાં મુકવાને છે. યાદ આપવાની જરૂર નથી કે મુંબઈ જન યુવક સંધના મૂળ બંધારણમાં મહત્ત્વના ફેરફાર કરીને જૈન સમાજના સર્વ વિભાગને આવકારતું અને પિતામાં સમાવતું નવું બંધારણ આજથી બાર વર્ષ પહેલાં તમારા પ્રમુખપણ નીચે અથવા તે તમારી હાજરી દરમ્યાન ઘડવામાં અને પસાર કરવામાં આવેલ છે. ' તમારા નિવેદનમાં તમો આગળ વધતાં જણાવે છે કે “મંદિરોમાં અને મૂર્તિઓમાં જેઓ માનતા નથી તેઓને આવી બાબતમાં માથું મારવાને હકક-અધિકાર જ નથી.” આ સંબંધમાં તમારી જ રાહબરી નીચે પસાર થયેલા બંધારણની કલમ ૩ (ક)૨ બોલે છે કે “ મૂર્તિપૂજા સંબંધમાં જૈન સમાજના ત્રણ વિભાગની માન્યતામાં મોટો મતભેદ કેટલાય કાળથી ચાલતો અને છે. આ યુવક સંધમાં પણ કેટલાક સભ્ય મૂર્તિપૂજાને ધર્મોપાસનાના એક અગત્યભર્યા સાધન તરીકે સ્વીકારે છે, જ્યારે કેટલાક સભ્ય તેવી અગત્ય સ્વીકારતા નથી એમ છતાં પણ આજના જૈન સમુદાયના મોટા ભાગનું ધાર્મિક જીવન મૂર્તિપૂજા સાથે ગાઢપણે સંકળાયેલું છે અને રહેવાનું છે એ પરિસ્થિતિ આ યુવક સંધ સરકારે છે અને સાથે આજે ચાલી રહેલી મૂર્તિપૂજાની પદ્ધતિમાં જે અનેક વહેમ, દ્રવ્યને અપવ્યય અને અતિશયતાઓ દાખલ થયા છે તે વહેલી તકે દૂર કરવાની જરૂર વિષે પણ આ યુવક સંધતા સર્વ સભ્યો એકમત ધરાવે છે અને તે સંબંધમાં નીચેના ધોરણે સુધારા કરવાની પ્રવૃત્તિ હાથ ધરવા માંગે છે.” આમ જણાવીને દેવદ્રવ્યને ઉપયોગ તેમ જ એવી બીજી ચાર બાબતે જણાવી છે તે સર્વ જેનોનાં મંદિર અને મૂર્તિપૂજાને અનુલક્ષીને જ છે. સંધના બંધારણને આ વિભાગ જેને સ્વીકાર્યું હોય તે “મંદિરોમાં અને મૂર્તિ એમાં જેઓ માનતા ન હોય તેઓને આવી બાબતમાં માથું મારવાને હકક અધિકાર નથી” એવું વિધાન કરી શકે કે કેમ એ ફરીથી વિચારવા તમને મારી વિનંતિ છે. સંઘના પ્રમુખ, એક મંત્રી તેમ જ અન્ય કેટલાક સભ્ય ઉપર આ વિધાનમાં જે આડકતરે આક્ષેપ રહેલો છે તે પણ ખેદજનક છે. પાલીતાણુના રોપાને લગતા તમારો ઉલ્લેખ સમજી શકાતું નથી. કારણ કે આ સંબંધમાં મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહીએ કોઈ પણ જાતને ઠરાવ કર્યો નથી કે નિવેદન બહાર પાડયું નથી. આ બાબત પ્રબુદ્ધ જનમાં મેં મારી વ્યકિતગત જવાબદારીથી પિતા તરફથી જે ચર્ચા છે. આ સંબંધમાં જ્યાં સુધી સંઘ કશું સત્તાવાર રીતે પિતા તરફથી જણાવે નહિ ત્યાં સુધી સંધને ઉદ્દેશીને આ સંબંધમાં તમે જેવા સહકાર્યકર્તા કહે કે બોલે તે યોગ્ય લાગતું નથી. આમ છતાં પણ એ નિવેદનમાં તમે જે જણાવે છે કે, “જે ફંડમાં તમારે જરી જેટલો પણ ફાળો નથી તેની વ્યવસ્થા તમારી મરજી મુજબ કરે વાનું ફરમાવવું આ નાના મઢે મોટા બેલ બેલવા જેવું છે.” આ વિધાન અનેક દૃષ્ટિએ વાંધા પડતું છે અને સંધની વિચારસરણી ધરાવનારના મેઢે બંધ બેસતું નથી એમ જે હું જણાવું તે તમે તેને અવિન ન લેખશે. તમોએ તમારા ગુમદિરનો તમારા નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે, “મારા પિતાના નિવાસસ્થાનમાં એકવીશ વર્ષથી હું ગૃહમંદિર રાખું છું છતાં કોઈ દિવસે આરતી અથવા પૂજાના વખતે ઘીની બેલી બોલવા દેલમાં આવતી નથી.” ગૃહ-- મંદિરમાં બેલી બેલવાને રિવાજ કોઈ ઠેકાણે જાણવામાં આવ્યું નથી. એમ છતાં પણ સંધની શિસ્તને વળગી રહેવાને આ રીતે તમે જે આગ્રહ પ્રગટ કર્યો છે તે સંતોષજનક છે. પણ જ્યારે તમે આ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો છે ત્યારે સંધના અનેક સભ્યની પુછાવટને અમે તેવી શકીએ તે માટે નીચેની બાબતે સ્પષ્ટ કરવા કૃપા કરશે. (૧) તમારા ગૃહમંદિરમાં તમે અથવા તો દર્શને આવતાં ભાઈબહેને નાણું ધરે છે કે નહિ ? (૨) જે આ રીતે ચાલુ નાણું ધરવામાં આવતું હોય તે તે નાણાં શી રીતે વાપરવામાં આવે છે? આ પ્રશ્નને વધારે સ્પષ્ટ કરૂં તે એ નાણુને દેવદ્રવ્યના ઉપયોગને લગતી ચાલુ પ્રથા મુજબ ઉપયોગ થાય છે કે જે સ્વભાવિક રીતે અપેક્ષિત છે તેવા જનકલ્યાણના કાર્યમાં ઉપયોગ થાય છે ખરો ? તમારું નિવેદન સંધની કાર્યવાહક સમિતિ સમક્ષ વિચારણા માટે રજુ થાય તે પહેલાં તમારા નિવેદનના અનુસંધાનમાં ઉપર જે જે બાબતે જણાવી છે તે વિષે તમારે જે કાંઈ ખુલાસાએ કરવાના હોય તે સત્વર લખી મોકલવા વિનંતિ છે કે જેથી આ પ્રશ્ન પરવે સોમવાર લગભગમાં બોલાવવામાં આવનાર કાર્યવાહક સમિતિની સભામાં તમારા નિવેદન સાથે તમારો ખુલાસે પણ રજુ કરી શકાય,
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy