SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ધર્માનંદ સ્મારક ટ્રસ્ટનું વિજ્ઞાપન શ્રી. ધર્માનંદ સ્મારક સમિતિના મંત્રી શ્રી વસન્ત પાંડુરંગ ખેરકર તરફથી નીચે મુજબનું વિજ્ઞાપન પત્ર મળેલ છે. “પાલી ભાષા અને બૌદ્ધ ધર્મના ત્રિખંડ પંડિત શ્રી. ધર્માંનદ કૈાસીનું અવસાન મહાત્માજીનાં સેવાગ્રામ આશ્રમમાં તા. ૪ જુન ૧૯૪૭ માં થયુ. મરણ પહેલાં થાડા દિવસ એમણે, પાલી ભાષા શીખવામાં પેાતાને જે અગવડા વેઠવી પડેલી તે યાદ કરીને મહાત્મા ગાંધીજીને પ્રસંગવશાત વિનંતી કરી હતી કે સિંહદ્વેષ લંકામાં હજીયે જાગ્રત રહેલી પાલી ભાષાના તેમજ બૌદ્ધ ધર્મના અધ્યયનની પર પરા હિંદુસ્તાનમાં કરી દાખલ કરાવી ધણું જરૂરનું છે. પ્રભુપ્ત જેન શ્રી ધર્માનંદ કાસ'નાં નિધનના સમાચાર સાંભળતાંવેંત મહાત્માજીએ તા. ૫ મીના પ્રાથના પછીના ભાષણમાં ધર્માંન જીની ઇચ્છાના ઉલ્લેખ કરી જાહેર કર્યુ” કે પાલી ભાષાની વિદ્વત્તા મેળવવા માટે વિદ્યાથી ઓને સિંહુદ્વિપ મોકલવાની બેંગવા હું કરવાના છુ. અને તરતજ તા. ૧૧ મી જુન ૧૯૪૭ નેસિસે મહાત્માજીએ આચાય કાકાસાહેબ કાલેલકરને નીચે પ્રમાણે કાગળ લખ્યો : ત્રિ. કાકા, કાસીજી તો ગયા. પાલી ભાષા શીખનારા અને બૌદ્ધ ધર્મનુ પાલન કરનારા હિંદિઓને જેટલી બને તેટલી ત્વરાથી સીલાન મેકલવા જોઇએ. તમારી દૃષ્ટિમાં એવા વિદ્યાથી છે.? એવા વિદ્યાથી ઓની . પસંદગી કરવાને વિષે નિયમો કેવા હોવા જોઈએ વગેરેના વિચાર કરજો અને મને સૂચના કરજો-એક એકનુ ખચ' કેટલુ આવે, વગેરે. બાપુના આશીર્વાદ” આના પછી મુંબઇમાં તા. ૧ જુલાઈ ૧૯૪૭ ને દિવસે અનેક સંસ્થાના પ્રતિનિધિઓની એક સ્મારક સભા શ્રી. બાળાસાહેબ ખેરની અધ્યક્ષતા નીચે ભેગી થઇ હતી. એ સભામાં નીચે પ્રમા• ગ્રેનેા ઠરાવ પાસ થયા હતા :— “સાધુચરિત મહાપંડિત આચાય ધર્માનંદ કાસ’બીજીંકે દેહાવસાન પર યહ સભા શોક પ્રગટ કરતી હૈ, ઔર બૌદ્ધ ધર્મ કે અનુશીલનમે' ઔર પાલી સાહિત્યક અધ્યયન અધ્યાપનમેં બતાઈ હુઇ ઉનકી નિષ્ઠાકે લિયે, સ્વાતંત્ર્ય સ’ગ્રામમે યે હુએ ઉનક ત્યાગકે લિયે ઔર બહુજનકે ઉલ્હારમે' જી હુઇ ઉનકી સેવાકે લિયે અપની કૃતજ્ઞતાયુક્ત શ્રદ્ધાંજલિ અર્પણ કરતી હૈ. બૌદ્ધ ધર્માં ઔર પાલી સાહિત્યકે અધ્યયન લિયે સુયોગ્ય હિંદી વિદ્યાથી ઓકા સિંહુદ્વિપ ભેજનેકી કાસ’બીજીજ઼ી જો ખ્વાહિશ થી ઇસી અબ ઉનકે સ્મારકકે રૂપમેં પરિવર્તિત કરનેકી તે કાશિશ હા રહી હૈ, ઉસે યહુ સભા તહે દિલસે પસંદ કરતી હૈ. ઔર અપીલ કરતી હૈ કિ સંસ્કૃતિ સમન્વયંકે કા`મે ચિસ્પી રખનેવાલે સબ લોગ ઉસે મદદ કરે.” આ ઠરાવને અનુસરીને અને મહાત્માજીના આદેશ પ્રમાણે આ કાય પાર પાડવા માટે નીચેના સગ્રહસ્થાની સમિતિ નીમ વામાં આવી છે : શ્રી. બાળાસાહેબ ખેર આચાય કાકાસાહેબ કાલેલકર શ્રી. કુમલનયન બજાજ શ્રી. મણિલાલ મેાહનલાલ ઝવેરી } સૌ, માણેકબહેન પ્રસાદ શ્રી. પુરૂષોત્તમ મગેશ લાડ શ્રી. વસ'ત પાંડુરંગ એરકર અધ્યક્ષ કાર્યાધ્યક્ષ સંયુક્ત કાપ યક્ષ " ગી. આ સ્થિતિએ સ્મારક યોજનાને એક કાચે મસુદો તૈયાર તા. ૧-૯--૪૮ કર્યાં. એમાં ત્રણ પ્રધાન અંગેા આવી જાય છે. :—— ૧. ઓછામાં ઓછા દસ વરસ સુધી સિદ્વિપમાં દર વર્ષે પાલી ભાષાનું અધ્યયન કરનારા અને બુદ્ધ ભગવાનના ઉપદેશનું પાલન કરનારા એક એક વિદ્યાથીને મેાકલવા. ૨. પાલી અને બૌદ્ધ ગ્રંથોની પાઠશુદ્ધ સહિતા તૈયાર કરી દેવનાગરી લિપીમાં પ્રકાશિત કરવી અને ભારતીય ભાષામાં ખાસ કરીને હિંદી, ગુજરાતી અને મરાઠીમાં એના અનુવાદો પ્રસિદ્ધ કરવા. 3. શ્રી. ધર્માંન કાસીના પ્રકાશિત અપ્રકાશિત તમામ લખાણે! આ ત્રણે ભાષામાં પ્રકાશિત કરવા. આ યોજનાને કાચો મસુદો મહાત્માજીને સમતિ માટે મેકલવામાં આવતાં એના ઉપર એમણે નીચે પ્રમાણે પેાતાના અભિપ્રાય લખ્યા છે :— “મેરાં દૃઢ મત હૈ કિ ધર્માનંદ કાસશ્રીજીકા સ્મરણુ કાયમ કરનેકા યહ મા સબસે અચ્છા હૈ.” મા. ક. ગાંધી સમિતિના અભિપ્રાય છે કે ઉપર બતાવેલી ચાર્જનામાં પહેલા ભાગ અમલમાં મૂકવા માટે લગભગ ૨૫,૦૦૦ રૂપીયા (પચીસ હજાર) જોઇશે. ખાકીના એ ભાગાની સફળતા હાથમાં આવનારા નાણાં ઉપર આધાર રાખે છે. પશ્ચિમ તર પાલી ભાષા અને સાહિત્યના પ્રચારને અર્થે પાલી ટેકસ્ટ સાસાયટીએ કેટલી મેહનત કરી છે તે બધા જાણે છે. તેના કરતાં પણ વધારે અસરકારક ફેલાવા, ભગવાન બુદ્ધની આ માતૃભૂમિમાં થવા જોઇએ. સમિતિમાંના પહેલા છ જણાએ ટ્રસ્ટી તરીકે કામ કરવાનું કબુલ્યું છે, એટલે અત્યાર સુધી ભેગા થયેલા નાણાનું ટ્રસ્ટ કરવામાં આવ્યુ‘ છે. એટલે હવે ટ્રસ્ટીઓની વિનંતિ છે કે ભારતીય સંસ્કૃતિનું ઉજ્વલ સ્વરૂપ પ્રગટ કરનારી બૌદ્ધ પરંપરાના ફેલાવા માટે અને હિંદુસ્થાન તેમજ સિ ંહદ્દિપ વચ્ચે સ્નેહભાવ વધારવા માટે જે ઈંતેજાર છે એવા બધા લેા આ કાય માં મુક્ત હસ્તે મદદ કરે. નાણાં ટ્રસ્ટના ખજાનચી શ્રી. કમલનયન બજાજ અથવા શ્રી. મણિલાલ ઝવેરીને નામે ધર્માંનદ મારક ટ્રસ્ટ, ૫૧ મહાત્મા ગાંધી રોડ, ફાટ, મુંબઇ એ ઠેકાણે મોકલવા.” આ પ્રવૃત્તિને શ્રી મુંબઈ જૈન યુવક સધનુ' સંપૂર્ણ અનુ મેદન છે. શાહુ પતિને મળી ચુકેલાં ૫૦૦૦ પ્રતિજ્ઞાપત્રા ઉપાશ્રયામાં જ્યારે ધાર્મિક વ્યાખ્યાના ચાલતાં હાય ત્યારે પુરી શાન્તિ જાળવવી એવી પ્રતિજ્ઞા લેનારા ૫૦૦૦ ભાઇ બહેના તા. ૧૯-૮-૪૮ સુધીમાં નીકળી ન આવે તે એ સખ્યા પુરી થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર જવાની શ્રી, ટી, છૅ, શહુ તેમ જ તેમનાં પત્નીએ જાહેરાત કરી હતી. તા. ૧૯-૮૦-૪૮ સુધીમાં તેમને ૪૦૨૪ પ્રતિજ્ઞાપત્રો મળ્યાં હતાં. ત્યાર પછી તેમણે અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસને નિયમ લીધો હતો. એ ત્રણ દિવસ પુરા થાય તે પહેલાં તેમને જોઇએ તે કરતાં વધારે પ્રતિજ્ઞાપત્રા મળી ચુકયા હતા. અને એ રીતે તેમણે નાંખેલી ટહેલ જૈન સમાજે પુરી કરી હતી. શ્રી, ટી, જી. શાહને તેમ જ તેમના પત્નીને જૈન સમાજના ધમિક વ્યાખ્યાનેામાં શાન્તિની પ્રતિષ્ઠા કરવાના પ્રયાસમાં જે પ્રાથમિક સફળતા મળી છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. આ પ્રશ્ન સર્વે ભાઇઓ તથા બહેનેા પુરી ગંભીરતાથી ઉપાડી લે, અને શાન્તિ જાળવવા માટે જે જે પ્રાધની આવશ્યકતા છે તે સ પ્રબંધની સત્વર અમલ કરવામાં આવે. અને જ્યાં આજે કેવળ ઘેોંઘાટ અને અવ્યવસ્થા જોવામાં આવે છે ત્યાં પુરી શાન્તિ અને વ્યવસ્થા પથરાય એ શુમ પરિસ્થિતિ આપણે સત્વર નિાળવા ભાગ્યશાળી થઇએ એવી શુભેચ્છા અને અન્તરની પ્રાથના છે. પરમાનંદ.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy