________________
તા. ૧૫-૮-૪૮
પ્રબુદ્ધ જૈન
ખાય છે, ધી, દૂધ વગેરે વિગએને વારવાર ખાય છે, લેાચ કરતા નથી, શરીર ઉપરના મેલ ઉતારે છે, જોડા–પગરખાં-પહેરે છે, કારણુ વગર કેડ ઉપર કપડું વીંટે છે, પેાતે ભ્રષ્ટ હાવા છતાં ખીજાઓને આલેચના–પ્રાયશ્ચિત્ત-આપે છે, થોડી ઉપાધિનું પણ પડિલેહણુ કરતા નથી, વસ્ત્ર, શય્યા-પથારી, જોડા, વાહન, આયુધ અને તાંબા વગેરેનાં પા રાખે છે, નહાય છે, તેલ ચેાળાવે છે, શણુંગાર સજે છે, અત્તર ફુલેલ ધાલે છે, ‘અમુક ગામ મારૂં” અમુક કુલ મા' એમ મમતા રાખે છે, સ્ત્રીઓના પ્રસ'ગ રાખે છે, શ્રાવકાને કહે છે કે મર્યા પછવાડે કારજ કરતી વેળાએ જિનપૂજા કરા અને મરેલ માણસનું ધન. જીનત્યમાં આપે, અંગસૂત્રાને વાંચી સંભળાવવા બદલ નાણાં લે છે, પૌષધશાળામાં કે ગૃહસ્થના ઘરમાં ખાજા વગેરેના પાક કરાવે છે, નાંણુ મંડાવે છે, શ્રાવકાને સુમ વાતા કહેવાની ના પાડે છે, સાધુઓની પ્રતિમા (વિષેષ પ્રકારના અભિગ્રહવાળું તપ) કરતા નથી, પોતાના ભ્રષ્ટ−હીનાચારી-ગુરૂ આનાં દાહસ્થળેા ઉપર પીઠે ચણાવે છે, બલિદાના દે છે, કેવળ સ્ત્રીઓની સામે પુણ્ વખાણુ વાંચે છે, ભિક્ષા લેવા ક્રૂરતા નથી, સૌની સાથે મંડળીમાં બેસીને ભોજન કરતા નથી, આખી રાત ધેરે છે, ગુણવત તરફ દ્વેષ કરે છે, લેવડદેવડ કરે છે, પ્રવચન કરવાનું ખાતુ બતાવીને વિકથાઓ કરે છે, પૈસા આપીને નાના બાળકાને ચેલા બનાવવા સારૂ વેચાતા લે છે, ભેળા લોકોને ગે છે, જિનમૂતિ એને વેચે છે અને ખરીદે છે, મારણ મેાહન વશીકરણ અને ઉચ્ચાટન કરે છે, વંદુ કરે છે, જતરમંતર અને દેરાધાગા કરે છે, ધમની પ્રભાવનાનું ખાતું બતાવીને લડાલડી કરે છે, સુવિદ્રિત સાધુ પાસે શ્રાવકાને જવાની મનાઇ કરે છે. શાપ વગેરેના ભય દેખાડે છે, વ્યાજવટું અને ધીરધાર કરે છે, શાસ્ત્રમાં નહીં જણાવેલા તપની પ્રરૂપણા કરી તેનાં ઉજમાં કરાવે છે, પેાતાને માટે વસ્ત્ર, પાત્ર, ખીજા ઉપકરણા અને ધન પેાતાના માનીતા ગૃહસ્થને ત્યાં ભેગુ કરાવે છે, જ્ઞાનકોશની વૃદ્ધિને બહાને ધનને ભેગુ કરે છે અને કરાવે છે, તે બધામાં કાઇને સમુદાય પરસ્પર મળતા નથી, પરસ્પર એ બધા વચ્ચે વિખવાદ કરે છે, તેએ પેાતપાતાની બડાઇ કરે છે, શુદ્ધ સામાચારીના વિરોધ કરે છે, સૌ સ્વચ્છ દે ચાલે છે, ધમાધમ કરે છે, પેાતાના જેટલા ગુણને પણુ મેરૂ જેવડા કહી ગાઇ બતાવે છે, બહાનાં · બતાવીને વધારે ઉપકરણે રાખે છે, બધાય મિત્ર જેવા છે, પેાતાની ગરજ પડયે તેઓ મૃદુ થાય છે અને ગરજ સરી જતાં મસર કરે છે, ગૃહસ્થાનું બહુમાન કરે છે, ચંદરવા પુંઠીયાંતે વધારતા જાય છે, તે પેતે ગૃહસ્થાની પાસે તે સ્વાધ્યાય કરે છે - અને એકબીજા મહામાંહે લડે છે. ”
ભકતના સરસવ
છેવટે જાણે ઉપલુ વર્ષોંન કરતાં થાકી ગયા ન હોય તેમ શ્રી હરિભદ્રસુરિજી કહે છે કે “ મા લકા સાધુએ નથી પશુ પેટભરાઓનું પેડુ છે. 1’ જેઓ એમ કહે છે કે આ લોકો ગમે તેવા છે પણ શ્રીતીયકરના વેશ તે પહેરે છે અને વેશ પહેરે છે. માટે વંદનીય છે' તેમને શ્રીહરિભદ્રસુરિજી જણાવે છે કે “તેમની એ કેવળ વેશ પહેરવાની વાત ધિકકારને પાત્ર છે, આ માથાના મૂળની વાર્તાને કાની પાસે પાકાર કરીએ. ’
૩૩૧
કેવળ લેફ્રોપકારને નિમિત્તે જ ચૈત્યમાં વસવા આવી તે વખત જતાં ભગવાનના નિર્વાણુ પછી આશરે અગ્યારસે આરસા વર્ષ જતાં અર્થાત્ વિક્રમના આઠમાં નવમાં સૈકામાં શ્રી ર્હરિભદ્રસુરિએ વષ્ણુધી તેવી લગભગ પાખંડી બની ગઇ, પરિગ્રહી બની ગઈ અને ટુકામાં કહેવુ હાય તે। હવેલીના મહારાજો જેવી થઇ ગઇ,
આ રીતે આચાર્ય' હરિભદ્રે પોતાના સમસમયી ચૈત્યવાસી એની દશા બતાવેલી છે અને તેમને નિલ'' ‘મર્યાદા વગરના’ અને ક્રૂર ' એવાં વિશેષણા આપીને ખરા રૂપમાં ખુલ્લા પાડયા છે.
ભગવાન પાર્શ્વનાથ પછી માત્ર અઢીસ વર્ષ બાદ જ એમની શ્રમપર’પરા આચારમાં મંદ પડી ગઇ અને તે એવી શિથિલતમ થઇ ગઇ કે એમને સાચે મા` બતાવવા તથા એ સમયનું અપવિત્ર વાતાવરણું દૂર કરવા ભગવાન મહાવીરને સિદ્ધાંતરૂપ ચાર યમાને બદલે પાંચ યમેનુ વિધાન કરવુ પડયુ અને બીજા પણ કેટલાક ફેરફારો કરવા પડયા. તે જ રીતે ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ નવમાં સૈકામાં જે સાધુસંસ્થા
જે બાબત પ્રસ્તુત લખાણ ચાલે છે તે દેવદ્રવ્યનું મૂળ આ સંસ્થાંની પેદાશમાં છે, આ સંસ્થાની પેદાશ પહેલાં દેવદ્રત્ર્યની હયાતી જૈનપર પરામાં કયાંય મળતી નથી. એ નકર હકીકત છે અને ઇતિહાસસિધ્ધ થાથ છે.
પૂ
પડિત બેચરદાસ જીવરાજ દાણી સંકલ્પનું પરિમળ
(શ્રી. રતિલાલ અફાભાઈ શાહની પ્રબુદ્ધ જૈનના વાંચકાને ઓળખ આપવાની જરૂર છે જ નહિ, તેમના નીચે આપેલ લેખ તા. ૧૯-૧-૪૮ ના રાજ લખાયલો છે. તે એ સમય કે જ્યારે ગાંધીજીના હિંદુ મુસલમાન તથા શિખે વચ્ચે ઐકય સ્થાપવાના હેતુથી છેલ્લા ઉપવાસ ચાલતા હતા. કાળની એ ભૂમિકા ધ્યાનમાં રાખીને આ ચિન્તનપ્રેરક લેખ મનનપૂર્યાંક વાંચવા વિન ંતિ છે. પરમાન.) માનવેતર પ્રાણીજગતનું આંતરાવલોકન કરીએ છીએ તે પક્ષી પેાતાનાં ઉડ્ડયન, સંવનન, પ્રસવ, ઉછેર, આહાર તથા પ્રયાણુ કયારે કરવા તે જાણે છે અને દિકાળ પણ સમજતા હાય તેમ લાગે છે. પશુઓ પશુ એ બધું જાણે છે. આપણી સાથે હળીમળી ગયેલા પશુઓ તેા પેાતાના ધણીને પણુ આળખે છે, એની સુચનાએ પણ સમજે છે. ફીટ પતંગ જાતિમાં કીડી-ઉધાનની વ્યવસ્થાકિત-સમુદ્ઘશકિત તથા નિયમપાલન મનુષ્યજાતને પણ શરમાવે એવા વ્યવસ્થિત ચેસ અને નિયમસ્મૃધ્ધ જાયા છે. આમ છતાં પણ જો કે ભૌગોલિક અસર, હવામાન, વાતાવરણુ તથા આપેલી કેળવણી એના પર થોડી છાપ પાડે છે ખરાં, છતાં એનામાં તક, બુધ્ધિ, વિચાર, સમજશકિત કે ભાષાજ્ઞાન હૈાય એવું માલુમ પડયું નથી; જે માલુમ પડે છે તે પણ અવિકસિત. અને અચે. કકસ સ્થિતિમાં જ. છતાં એમનું જીવન જે સુસબ હું એકધાર પ્રવાહિત રહ્યું તેનુ કારણ એની આંતર પ્રેરણા છે. એ આંતર પ્રેરણાને વશ વર્તીને જ એ ચાલે છે. મનુષ્ય આપેલી ઘેાડી ઘણી કેળવણી કે એના પર કરેલા પ્રયોગથી એની આંતર પ્રેરણાને જો કે સહેજ ધકકા મળ્યા હશે, પણ એકંદર રીતે તે તેઓ પ્રેરણાને જ આધીન છે.
મનુષ્યમાં પણ આ જ પ્રેરણા પડેલી છે. પશુ તે ઉપરાંત એનામાં એવી પણુ શિક્ત છે કે જે વડે એ પ્રેરણાને સયમમાંય રાખી શકે છે અને ધારે ત્યારે એને બીજી બાજુ એ વાળી પણ શકે છે. એ છે એની વિચારશક્તિ. એ વિચારશક્તિના કારણે તે અન્ય જીવયાનીઓથી જુદો તરી આવે છે. વિવેક, બુધ્ધિ, તર્ક,સમજણુ એ બધા એ ક્ષતિનાં જ પરિણામે છે. પ્રાણીજગત પર - મેળવેલી સિધ્ધિ પણ એને જ આભારી છે.
મનુષ્ય જ્યારે પ્રાથમિક દશામાં તે ત્યારે એ પણ એવુ જ પશુજીવન જીવતા. આંતર પ્રેરણાને વશ વર્તને ચાલતા અને કેવળ શિકાર ઉપર જ નભતા. એવું સ્વતંત્ર શકિતખીજ ત્યારે અચેતન દશામાં હતું, પણ હજારો વર્ષના આધાતપ્રત્યે ધાતથી કેળવાઇ એ આજે વિચારશકિત રૂપે ખીલી ઉઠયું છે.
સૂર્ય' ચંદ્રના અસ્તુ.દા, વિદ્યુતના ચમકારા અને મેધના ગડગડાટ જેવા સૃષ્ટિચમત્કારેથી કયારેક એને આ શું હશે ? ' એવા જે ભાવ સહુ પ્રથમ ઉદયે હશે એ જ એની વિચારશકિતનું પ્રથમ ફ્રુટેલુ વિચાર કરણું કહી શકાય. વિચારશક્તિ કેળવતાં એની પાછળ આવેલા સમજણુ, બુદ્ધિ અને તકના ઉપયોગ કરતાં જ્યારે એ શીખ્યું હશે ત્યારે એને કખુંક કરવુ જોઇએ ’ એવી લાગણી ઉદ્ભવી હશે. એ એની ઈચ્છાશક્તિ હતી. અને પછી વિવેક, આત્મશ્રદ્ધા અને પોતાનામાં રહેલી શક્તિનું જ્યારે એને ભાન થયું હશે ત્યારે એ ઇચ્છામાંથી મરી ફીટુપ ‘કરી છૂટુ ’ એવી