SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૪૬ પ્રબુદ્ધ જૈન ગાંધીજીની આર્ષવાણી અને જનતાને સ્પષ્ટ માર્ગદર્શન વિશ્વયુધ્ધ પુરૂ થયું અને આઝાદ હિંદ ફોજનું પ્રકરણ ઉભું થયુ' અને યુધ્ધ દરમ્યાન શ્રી સુભાષ ખા ખાઁમાં રહીને જે અદ્ભુત કમયેાગ દાખવ્યા તેની વિગતે હિંદી જનતાની જાણમાં આવી. આને લીધે એક લાભ થયા; એક ગેરલાભ થયા. લાભ એ થયા કે પ્રજાના દિલમાં રહેલી આઝાદીની તમન્નાને અસાધારણ વેગ મળ્યો અને અંગ્રેજ સરકારને આ દેશમાંથી કાઢી મૂકવાના તનમનાટે આ પુરૂષ અને બાળા સવ કોઇના મગજને ક્ષુબ્ધ બનાવી દીધા. ગેરલાભ એ થયા. કે યુધ્ધના ખંત માન સાગા વચ્ચે, અંગ્રેજવિરાધી જાપાનીઝ હકુમત તેમજ પ્રેરણા અને અનુમાદન નીચે અને શસ્ત્રસામગ્રી પ્રાપ્ત કરવાની સરળતાને અંગે જે શકય હતું એ યુધ્ધાત્તર પરિસ્થિતિમાં જે શય હતુ. તે અંગ્રેજોની સાર્વભૌમ સત્તા નીચે અને સમગ્ર પ્રજાની નિઃશસ્ત્ર દશા વચ્ચે શક્ય નથી-એ વાસ્તવિકતા આપણે ભુલવા લાગ્યા. કોઇ પણ સંયોગામાં અહિંસાને અને ત્યાં સુધી વળગી રહીને અ ંગ્રેજ સરકારના સામને કરવા-એ રીતની આજ સુધી કોંગ્રેસે 'ગીકાર કરેલી અહિંસાનીતિ વિષેને આગ્રહ શિથિલ થવા લાગ્યા અને ચેન કેન પ્રકારેણ એટલે કે હિંસાત્મક માર્ગે' સુઝે તેવા અવરોધો ઉભા કરીને સરકારને તબાહ પોકરાવવી-આવી મને દશા આંપા સની બનવા લાગી. આઝાદ હિંદ ફોજના ચાર દિવસના ચાંદરડુ આપણું મગજ ભમાવી દીધું. આજે દેશમાં ઠેર ઠેર જે કાંઇ ખની રહ્યું છે તેની પાછળ આ વિચિત્ર પરિસ્થિતિની જ પ્રેરણા નજરે પડે છે. થોડા દિવસમાં પહેલાં હિંદી સાગર સૈનિકોની હડતાળ અથવા તા બળવાએ અને તેના અનુસંધાનમાં આખા શહેરમાં વ્યાપેલી અરાજકતાએ મુંભઇ શહેરને હચમચાવી નાંખ્યું. કદિ નહિં જોયેલી અને સાંભળેલી લુ ટક્ાટ અને જાતર જાડની ઘટનાઓએ લેાકાતે સ્તબ્ધ બનાવી દીધા. એક બાજુએ સાગર સૈનિકાના સમુહગત સત્યાગ્રહે આપણા દિલને કાઇ અવનવી ઉત્તેજના આપી; બીજી બાજુએ શહેરનાં રમખાણા અને તે પાછળ સરકારે ઉભી કરેલી લશ્કરી અરાજકતાએ આપણા દિલમાં કમકમાટી ઉપજાવી. આવી વિચિત્ર પરિસ્થિતિમાં શુ ચૅગ્ય અને શુ' અયેાગ્યએ વિષે સત્ય અને સ્પષ્ટ માગ દેશન આપવું. એ હિંસા અને અહિંસા વચ્ચે આમ તેમ ઝેલાં ખાતાં અને ઘડી પહેલાં એક બાબત યોગ્ય લાગતી હેાય તે વિશેષ વિચાર કરતાં અયોગ્ય લાગે આવી ચિત્તતી ડામાડળ સ્થિતિ અનુભવતા મારી જેવા એક સામાન્ય માનવી માટે અત્યન્ત મુશ્કેલ કાય બને છે. સદ્ભાગ્યે ગાંધીજીએ પાછી કલમ હાથમાં પકડી છે અને દેશમાં બનતી જતી ધટના ઉપર તેએ અદ્ભુત સ્પષ્ટતાભયુ માર્ગ દર્શન કરાવી રહ્યા છે. અહિં’સા વિષેની તેમની નિષ્ઠા આજે પણ એટલી જ અબાધિત અને ખખડ છે. અહિંસા આપણને પણ ગમે છે પણ હિંસાદ્વારા આપણી ટુંકી નજરે સધાતા દેખીતા કેટલાંક ઈષ્ટ પરિણામો આપણી અહિંસા વિષેની શ્રધ્ધાને ચળાયમાન કરી નાંખે છે અને દ્વિ'સા તરફ્ આપણને ધસડી જાય છે. અહિંસાને તારક રાખીને સર્વે કાઇ બનાવાના વિચાર કરતા અને એજ ધેારણે હરકેઇ પ્રશ્ન ઉપર આપણુને સ્પષ્ટ મા દર્શન આપતા ગાંધીજીને આજની સમગ્ર પરિસ્થિતિ અને વિવિધ ધટનાએ સબંધમાં શું કહેવાનુ છે તે પ્રબુધ્ધ જૈનના વાંચકોના ધ્યાન ઉપર કરી ફરી આવે તે હેતુથી તત્કાલીત ઘટનાઓ વિષે ગાંધીજી અને શ્રીમતી અરૂણા અસલી વચ્ચે ચાલેલાં નિવેદન અને પ્રતિનિવેદને અનુવાદ અહિં આપવામાં આવે છે અને તા. ૨૪-૨-૪૬ ના હરિજન બધુમાં ગાંધીજીએ લખેલા અગ્રલેખ અતિ ઉષ્કૃત કરવામાં આવે છે. ગાંધીજી આજના યુગના એક અનન્ય દૃષ્ટા છે. તેમની આ વાણી પદે પદે સક્રિય અહિંસાનું આચારશાસ્ત્ર સરજે છે અને નવાં નવા જીવનસ્ત્રા નિર્માણ કરે છે, તે વત માનમાં વિચરે છે અને ભાવીનુ ધડતર કરે છે. આપણે અને આચારમાં ઉતારીએ. પરમાનદ તે જે કાંઇ કહી રહ્યા છે તે પુરા ધ્યાનથી વિચારીએ, મનન કરીએ મુંબઇમાં તા. ૧૮-૨-૪૬ સામવારથી મુબઇના હિંદી સાગરસૈનિકામાં હડતાળની શરૂઆત થઇ, તા. ૨૧-૨-૪૬ ગુરૂવારની સાંજથી પરિસ્થિતિ ગંભીર થવા લાગી; તા. ૨૨-૨-૪૬ શુક્રવારના રાજ મુબઇમાં રમખાણો ફાટી નીકળ્યા અને શહેર આખામાં ગુડાએ અને મવાલીઓનુ રાજ્ય ફેલાઈ ગયું. આ અરાજકતા ખીજે દીવસે પણ ચાલુ રહી. આ બધી બની રહેલી ઘટનાઓ ધ્યાનમાં લઇને તા. ૨૩-૨૪૬ શનિવારના રાજ ગાંધીજીએ નીચે મુજબનુ એક છાપાજોગુ નિવેદન બહાર પાડયું. 11 ‘“હિંદમાં આજકાલ ખેતતી ધટના હું બહુ દુઃખ સાથે નિહાળી રહ્યો છું. નૌકાસૈન્યમાં ચાલી રહેલા બળવાને અને તેના અનુસ ંધાનમાં બનતી ઘટનાઓને કોઈપણ અર્થમાં અહિંસક પ્રવૃત્તિ 'કહી શકાય નહિ. એક પણ માણસને જ્યારે જ્યારે ‘જય હિંદ’પાકા રવાની કે એવુ જ કાઇ અન્ય લાકસૂત્ર ઉચ્ચારવાની કરજ પાડવામાં આવે છે ત્યારે ત્યારે હિંદની લાખા મૂક નરનારીના દૃષ્ટિબિન્દુથી વિચારતાં સ્વરાજ્યના ટ્રેડમાં જ એક એક ખીલેા ઢાકાય છે. ખ્રીસ્તી મદિરાને નાશ કે એવી જ કોઇ અન્ય નાશજનક પ્રક્રિયા જે અર્થ માં કૉંગ્રેસ સ્વરાજ્યને સમજે છે તે અથ વાળા સ્વરાજ્ય તરફ જવાના માર્ગ છે જ નહિ. લુંટફાટ કરવી, ટ્રામે અને એવી ઉમેદવારાને દરેક રીતે ટકા આપવા અને ભાવિ શકયતાઓથી ભરપૂર એવી માજની કટાકટીની પળે કોંગ્રેસને પડખે ઉભા રહેવા વિનંતિ કરે છે. આ ચૂંટણીએ)માં નાના નાના પ્રશ્નો, વ્યકિતઓ કે ધામિક પૈાકારો કાંઇ બહુ મહત્વના નથી. ભવિષ્યમાં આવનાર મહાન પ્રશ્નો માટે આપણને તૈયાર કરવા ચૂંટણી આપણે માટે એક નાની કસેટીરૂપ છે.. હિંદની આઝાદી માટે ઝંખતા આપણે આ કસોટીના શકિત અને શ્રદ્ધાથી સામને કરીએ અને આપણી સ્વપ્નસૃષ્ટિના આઝાદ હિંદ તરફ એક સાથે કૂચ કરીએ. ખીજી મીકતાના નાશ કરવા, યુરેપીઅનેનું અપમાન કરવુ અને તેમને ઇજા કરવી, એ કેંગ્રેસી અહિંસા નથી અને કોંગ્રેસી અહિંસામાં જો અને જેટલા પ્રમાણુમ કદાચ કાંઇ ફેરફ્રાર હોય તે હું જે અહિંસાનુ ન કરૂ છું.તે અહિંસામાં તે ઉપર જણાવેલ કાઇ પણું પ્રક્રિયાને પ્રતિપાદન હરગીજ સમાવેશ થઇ શકતા જ નથી. આ અવિચારી હત્યાકાંડને રસ્તે લઈ જનારા જાણીતા અને નહી જાણીતા—એવા સવ આગેવાને પોતે શું કરી રહ્યા છે તે ખરેખર સમજી લે અને તેના સ્વરૂપના અને પરિણામેાના વિચાર કરી લે. એમ કહેવાપણુ ન રહી જાય કે કૉંગ્રેસી હિંદ અહિંસÊ કાર્યક્રમ દ્વારા સ્વરાજ્ય મેળવવાનુ` આખી દુનિયાને કહી રહ્યું હતુ . અને તેના વતનમાં તે જુદું' નિવડયું હતું અને તે પણ તેના જીવનની એક કટાકટીનો સમયે, ઉપર ‘અવિચારી' શબ્દ મે* વિચારપૂર્વક વાપર્યો છે. કારણ કે વિચારપૂર્ણાંકના હિ ંસક કાર્યક્રમ જેવી પણ એક વસ્તુ હાઇ શકે છે. આજે ખતી રહેલુ જે કાંઇ હું જોઇ રહ્યો છું એ જરા પણ વિચારન પૂર્ણાંકનુ' નથી. જો નૌકા સૈન્યના હિંદી સૈનિક અહિંસાને જાણતા હાય અને સમજતા હૈાય તા સમુહમાં જેનું અવલંબન લેવામાં આવ્યું હાય તેવા અહિંસક સામનાના માગ ગૌરવપૂર્ણ બતી શકે છે અને મુખ્યત્વે કરીને અને સ` પ્રકારે અસરકારક નિવડી શકે છે. વ્યક્તિને માટે તે। તે હંમેશા અસરકારક હેાયજ છે. જો નૌકા સૈન્યની નોકરી તેમના પોતાના માટે કે હિં‘દના માટે અપમાન ભરી હેાય તે એવી નાકરીમાં તેમણે શા માટે ચાલુ રહેવુ જોઇએ ? આનુ નામ હું અહિંસક અસહકાર કહું છું. જે ચાલી રહ્યું છે તે જોતાં તે હિંદ માટે એક ખાટા અને અણુધડતા દાખલા ખેસાડી રહ્યા છે. હિંદુ અને મુસલમાનાનું કાષ્ટ હિંસક પ્રવૃત્તિ માટે ચેાજાતું ઐકય અપવિત્ર છે અને તેમાંથી અંદર અંદર સામસામી 'સા જન્મશે અને 'ભવિત છે કે આવું ઐકય એવી હિંસાની પૂર્વ તૈયારી
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy