________________
તા. ૧૫-૧૨-૪૬
પ્રબુદ્ધ જૈન
કેસ
મન ઉપર પડે છે. આવા દ્વારા રૂપીઆના ખરચ કરાવતા કઇ પૈસા વિના તે ચાલે જ નહિ. વકીલે ક' ભક્ત કામ કરતા નથી અને કોટ માં પણ હાલતાં ચાલતાં ખરચ તો થયા જ કરે છે. આ માટે સાધુએ પૈસા મેળવવા રહ્યા. કોઈ શ્રાવકે સાધુ વતી વકીલોના ખીલે ચુકવ્યા હોય તે પણ આવા વિપુલ દ્રવ્યસ્વીકારના દેષ તા સાધુતે લાગે જ. વળી પેાતાની બદનક્ષીના બદલામાં જ્યારે કોઇ સાધુ એક લાખ રૂપીઆની માંગણી કરે ત્યારે તેના પરિગ્રહપરિમાણ વ્રતને કશો અČજ રહ્યો નહિ. આ રીતે આ વ્રતનું તે ચંદ્રોદય સાગરે પ્રારંભથી જ વમન કર્યું છે એમ કહેવામાં લેશમાત્ર અત્યુતિ થતી નથી. આ રીતે આ સાધુ સાધુવેશધારી હોવા છતાં નાઁ સ’સારી બન્યા છે, એમ સમજીને તેણે સવેગી સાધુના વેશન ત્યાગ કરવે જોએ. અથવા તે આવા વેશભારથી આવા સાધુને શ્રાવક સમાજે જેમ બને તેમ જલ્દિથી હળવો કરવો જોઇએ. આ સાધુ અદાલતે જવાના ઉન્માર્ગે ચાલ્યા એ માનવીમાં રહેલા રાગદ્વેષનું સ્વાભાવિક પરિણામ છે. એમ સમજી તેમની આપણે દયા ચિન્હવીએ. પણ આ સમાજમાં એવા પણ જન આગેવાને છે કે જેમણે આ સાધુના છડેચોક ગેરવન વિષે ધૃણા દાખવવાને બદલે જેમાં જૈન સમાજની કેવળ અવડેલના થવાની હતી તેવા અદાલતના ભાગે જવા માટે આ સાધુને બધી સગવડ કરી આપીઆ એક ભારે આશ્ચર્યજનક ઘટના છે. અને એટલું જ આશ્રય જનક અને શોચનીન વન તેમના ગુરૂ આગમેદ્ધારક સાગરાન દરિતુ છે કે જેમણે આ શિષ્યને કાઇ પણ કક્ષાએ વારવા કે અટકાવવાંને બદલે આ માર્ગે યથેચ્છ જવા દીધા અને આખી સાધુસસ્થાને ભારે અપયશભાગી બનાવી.
આ આખું પ્રકરણ સાધુસ ́સ્થાની આજની પરિસ્થિતિ વિષે અનેક વિચાર પેદા કરે છે. સાધુસ ́સ્થામાં દિન પ્રતિદિન સા વધતા જાય છે. આ સડે જોઇને સ` કોઇ ધર્માભિમાની લેકાને ધૃા ઉપજે છે અને દુઃખ થાય છે. પણ આમાંના કેટલાક લોકો એવા હોય છે કે જેમને સડે દુર કરવાને અદલે ઢાંકવામાં જ સાધુસંસ્થાનુ' અને જૈન સમાજનુ વધારે હિત અને ગૌરવ રહેલું દેખાય છે. આપણું જીવન ખરેખર નિર્મૂળ પવિત્ર અને સત્યપરાયણ હાય અથવા અને એવા આગ્રહ આજે જવલ્લે જ જોવામાં આવે છે; ઉજળા બનવાને બદલે ઉજળા દેખાવાની જ આપણને હંમેશાં વધારે ચિન્તા હાય છે. અંતે તેના પરિણામે જ્યાં સડે। દેખાય ત્યાં તેને નિર્મૂળ કરવાને બન્ને તેની ઉપર ચાદર છાવવામાં જ વધારે સમાત્રેય અને ધર્મોપાસના રહેલી છે એવી માન્યતા આપણામાંના ઘણા ધરાવતા હાય છે. વસ્તુતઃ આપણી ગળથુથીમાં જ અસત્ય અને અસદ્ આચારને નિભાવી લેવાનુ વળષ્ણુ સારી પેઠે સી'ચાયલુ હાય છે. આને લીધે સાધુસ’સ્થામાં રહેલા દંભ, પાખંડ અને દુરાચારને હુંમેશાં પ્રેત્સાહન મળતુ' રહ્યું છે, અને આપણા પેાતાના જીવનમાં પણ પાર વગરનુ પેલાણુ ઘર કરી રહેલું માલુમ પડે છે. આને ઉપાય ઉપર ઉપરના ઢાંકણુ હુ‘કણુમાં કે થાગડ થીગડમાં નથી, પણ સીધેસી ધા શસ્ત્રીકરણમાં—આપરેશનમાં–રહેલા છે. જ્યાં અનાચાર, ગેરવન, પાપાચાર જોવામાં આવે ત્યાં જરા પણ ચશમપેશી કે નરમાશ ન દાખવતાં તેને નિર્મૂળ કરવાની હીંમત જે સમાજ દાખવશે તે સમાજ જ આત્મશુદ્ધિ સાધી શકશે અને ઉન્નતિના માર્ગ પ્રગતિ કરી શકશે. જૈન સમાજમાં આજે આવા અનેક ચદ્રોદયસાગરા છે. તેમનુ અધગમન જેટલું સેાચનીય છે તેટલુ જ તેમની ધૃષ્ટતા અને ધીંટતા આખા સમાજને ભારે ભયસ્થાનરૂપ છે. આવા સાધુને સાધુ તરીકે સ્વીકારવા અને વન્દન કરવુ તે ધ નથી, પાપ છે. આવા સાધુઓના ભારથી જૈન સમાજ જ્યાંસુધી હળવે। નહિ થાય ત્યાં સુધી જૈન સમાજે એક વિશિષ્ટ સમાજ તરીકે આગળ વધવાની કે 'ચે આવવાની આશા રાખવી વ્યર્થ છે. ફરતી હાસ્પીટલ ખસેા અને ખેતાણી . એને અભિનંદન
મુંબઇ શહેરમાં જે વિભાગોમાં ડાકટરી કે હેસ્પીટલની મદ
૧૬૭
સહેલાથી મળી શકતી નથી તેવા વિભાંગામાં સામાન્ય જનતાને ઉપયેગી થાય તે માટે શ્રી દુલભજી કેશવજી ખેતાણીની કુ’પની તરફથી રૂા. ૩૩૦૦૦ ની રકમ પીપલ્સ મેાબાઇલા હાસ્પીટલ નામની સસ્થાને અપણું કરવામાં આવી છે અને આ રકમમાંથી એ સા ડાકટર, નર્સ, તેમજ ઔષધ તથા સામાન્ય વાઢકાપની સર્વ સાધનસામગ્રી સાથે તૈયાર કરવામાં આવી છે. આવી અસે। સાધારણ લોકાને ડાકટરી મદદ પહેાંચાડવામાં કેટલી બધી ઉપસેગી થઇ શકે તે સહેજે કલ્પનામાં આવે તેવું છે અને આવા, પરોપકારી કા માટે આવી મોટી રકમનુ' દાન કરવા માટે શ્રી. ખેતાણી બધુઓને ખુબ ધન્યવાદ ધટે છે. થેડા સમય ઉપર જ આ ભાઇઓએ સ્થાનકવાસી વિભાગની જૈન એજ્યુકેશન સોસાયટીને સવા લાખ રૂપી આવું દાન કર્યુ હતુ. શ્રી દુલભજીભાઇ પાનાના વ્યાપાર વ્યવસાય અર્થે યુરોપ ગયા હતા જે હમણાં જ પાછા ફર્યાં છે. તેમના વ્યાપાર ઉત્તરાત્તર વધતે રહે અને તેમની મેટી કમાણીમાંથી આવાં અનેક પરાપકારી કાર્યાં નિર્માણ થતાં રહે એવી આપણી શુભેચ્છા છે.
પાટણ જૈન મંડળનાં સસ્તા ભાડાંનાં મકાને
મુંબઇના મરીનડ્રાઇવની બાજુએ પાટણ જૈન મČડળ તરથીકગ્લાંક વર્ષો પહેલાં ત્રણ મેટાં મકાને આંધવામાં આવ્યાં હતાં, જેમાંના બે મકાતેમાં હુ જ ઓછા ભાડાના દરે પાટણવાસી જૈન કુટુબેને વસાવવામાં આવ્યા હતા અને એક મકાન ચાલુ ભાડાના દરથી જૈન જૈનેતાને ભાડે આપવામાં આવ્યુ‘ લતું. લડાઇ દરમિયાન સરકારે એ ત્રણે મકાનને કબજો લીધે હતા. માં એમાંના એ મકાને સરકારે છૂટ કર્યો અને એ બન્ને મકાને પહેલાં મા બહુ જ ઓછા ભાડ'ના દરથી પાટનિવાસી અને ખરી યેાગ્યતા ધરાવતા જૈન કુટુબેને ભાડે આપવામાં આવ્યાં છે. તદુ• પરાત જે કુટુ ંબે જુની એરડીએ ખાલી કરીને અહિં આવ્યા છે તે આરડીઓને કબજો લઇને ત્યાં પણ તાડમારી ભાગવતા ખીજા કેટલાક જૈન કુટુ એને વસાવવામાં આવ્યા છે. અને ધનજી સ્ટ્રીટમાં એક મકાનમાં પાટણ જૈન મંડળની ઓફીસ, લાઈબ્રેરી વગેરે હતું તે ખાલી કરીને તેમાં આશરે ચૌદ જૈન વિદ્યાથી ઓ રહી શકે એવુ નાનું સરખું વિદ્યાર્થી ગૃહ શરૂ કરવાના પાટણ જન મડળે નિણૅય કર્યાં છે. આ સ` વ્યવસ્થા કરવા માટે પાટણ જૈન મંડળના સચાલકોને ધન્યવાદ ઘટે છે. ભારતવર્ષના એ ભાગ્યનિર્માતાએ
૧૯૧૫ કે ૧૬ ની સાલમાં દક્ષિણુ આફ્રિકાથી ગાંધીજી હિંદ ખાતે પાછા ફર્યાં અને એક કે બે વર્ષ ના ગાળામાં હિંદી રાજકારણના તેઓ મુખ્ય સૂત્રધાર થયા. છેલ્લાં ત્રીશ વર્ષોંથી ગાંધીજી. હિંદુસ્થાનની પ્રજાના ઘણા મોટા ભાગ ઉપર અસાધારણ વર્ચસ્વ ભાગવતા આવ્યા છે, કેંગ્રેસ પણ તેમની દોરવી દ્વારવા છે અને નાની મોટી અનેક અનેક ધટનાઓના તેઓ એક મહાન નિર્માતા બન્યા છે. આ રીતે હિંદુસ્થાનના છેલ્લા ત્રીશ વર્ષોંનુ ઘડતર ણા માટા ભાગે તેમની
નેતાગીરીને આભારી છે.
આવી જ રીતે છેલ્લાં દશ વર્ષથી મેસ્લેમ લીગલા અધ્યક્ષ સ્થાનેથી જનાબ મહમદઅલી ઝીણાએ પણ ભારતવર્ષના ઇતિહાસનિર્માણમાં કાંઇ નાતા સુનેા ભાગ નથી ભજન્મ્યા. તેમની દેારવણી અને કાય પદ્ધતિએ પણ દેશના ઇતિહ્રાસને નવા નવા વળાંક આપ્યા છે અને આજે તે તે વર્તમાન રાજકારણમાં અસામાન્ય મહત્વનું સ્થાન ભેગવી રહ્યા છે. આ બન્ને ઇતિહાસ-નિર્માતાની પરસ્પર વિરોધી નેતાગીરી નીચે ભારતનુ ભાવી કોઇ અજબ રીતે ઘડાઇ રહ્યું છે. એ ભાવી કેવું દુશે એની આજે કેાઇ સ્ફુટ કલ્પના થઇ શકતી નથી, પણ એ ભાવી જે કાંઇ . હશે તેની ઉપર આ બન્ને વ્યક્તિઓના વિલક્ષણ વ્યક્તિત્વની ચોકકસ છાપ પૅડેલી હશે એ વિષે કાઇને મતભેદ હાવા સંભવ નથી.