SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણય અન વ્યાપક પચ્ષણ ( ગઇ પણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૪-૮--૪૬ શનિવારના રોજ શ્રી સરલાદવી સારાભાઇએ આપેલું વ્યાખ્યાન) મિત્ર! આજના પવિત્ર દિવસે તમારી સમક્ષ હું ધણા સ કાચથી આવુ છું. પર્યુષણ જેવા પુણ્યપદ્મ દિવસે મારા જેવીને કઇ ખેલતાં સકાચ થાય, તે તમે સહેજે સમજી શકશે. પણ · શ્રી. પરમાનદભાઈના આગ્રહ આગળ મારો સાંચ ટકી શકયા નથી . એ મારે સ્વીકારવુ... જોઇએ. વૃત્તિએ શાન્ત થઇ એકાગ્ર થાય, અને આપણા જીવનમાં પ્રવર્તતાં મૂલ્યાનુ, નિત્યાનિત્ય વિવેક કરી, પુનઃ મૂલ્યાંકન કરવા તરફ આપણે સવિશેષ પ્રેરાઇએ, તે માટે બધા ધર્માં અને સદાયામાં પર્યુષણ જેવાં નાનાં મેટાં પાઁની ચેાજના ચયેલી છે. પુનઃ મૂલ્યાંકનની પ્રવૃત્તિ સાચી રીતે તે નિરંતર ચાલ્યા કરવી જોષ્ટએ. છતાં આપણા પ્રમાદને કારણે બહુધા તેમ બનતું નથી, એવા આપણુ બધાંને ઓછેવત્તે અશે અનુભવ હશે. સ`સારના નિત્યના વ્યવહારમાંથી, તેની નિરસ એકવિધતામાંથી જરાક છુટી, થે।ડા દિવસે પણ સત્સ’ગી, મુમુક્ષુએ, અને ઉચ્ચ આત્માઓના સાન્નિધ્યમાં ગાળવા– એ પણ આપણા આન્તર જીવનના વિકાસને માટે આવશ્યક છે. અત્યાર સુધી પર્યુષણ જેવાં ધાર્મિક, પૌં એકલા ઉપાશ્રયા અને દેવાલયેામાં ઉજવાતાં, અને તેમાં ભાગ લેનારાં પણ મુખ્યત્વે તે તે ધમ' કે સ'પ્રદાયનાં ભાખ્તુને હતાં. પણ હવે આવાં પદ્મ ઉપાશ્રય કે દેવાલયની બહાર જાહેર સ્થાનામાં ઉજવાય છે, અને અન્ય ધમ કે સંપ્રદાયીને પણ તેમાં આમંત્રણ આપવામાં આવે છે, એ આ જમાનાનુ સૂચક શુભ ચિહ્ન છે. મહાવીરજયતીના આ પર્વ દરમિયાન, જૈન ધર્મોનાં મૂળ તત્ત્વા વિષે આપણા મુનિ અને પ'ડિતા વિદ્વત્તાંબરી સમાલેાચના કરે છે, અને તુલનાત્મક દૃષ્ટિથી તેની વિશિષ્ટતાએ તરફ આપણુ ધ્યાન દોરે છે. પરંતુ આવા પ્રકારની ચર્ચા કે સમાલેાચનાની આશા મારા જેવી પાસેથી તમે ભાગ્યે રાખી શકે, હુ તે માત્ર ભગવાન મહાવીરના ધમનાં જે તત્ત્વો મને મુગ્ધ કરે છે, તેનું આજના પવિત્ર દિવસે સ્મરણ કરવા પ્રેરાઉં છું. તા. ૧૫-૯-૪ નારાયણ તે નરસ્વરૂપે અવતરે, તેને બદલે, નર પોતે જ સકલ્પ અને સ્વપુરૂષા'થી નરના નારાયણ બને, એવા જીવનરહસ્યના પ્રસાદ ભગવાન મહાવીરે આપણને આપ્યો છે. જીવનમાં સયમ અને અહિંસા પરાકાષ્ટાએ પહોંચાડી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ સમેત સકળ સૃષ્ટિ સાથે અપાર અનુકમ્પાનું સંવેદન કરવુ, અને સ્વરથી આસ્રવને નાશ કરવા, કે જેથી જીવ સર્વ પુદ્ગલથી મુક્ત ખની, તેના પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહે, તેવે મા ભગવાન મહાવીરે પેાતાના જીવનથી આપણને બતાવ્યા છે. એમના માર્ગની વળી એ વિશેષતા છે કે તેમાં દર્શન અને જ્ઞાનના જેટલું જ મહત્ત્વ આચારને આપવામાં આવ્યુ છે. આ માની ભવ્યતા કલ્પનામાં પણ પૂરી ઊતરી શકે એમ નથી. માઉન્ટ એવરેસ્ટ સમ અજોડ એ ભગવાનની ધમ'વીરતાને આપણાં અનેક વન્દન હૈ ! અહિંસા અને સયમધની સાથે જે બીજી અણુમૂલી ભેટ જૈન ધમે જગતને આપી છે, તે તેનું “ સ્યાદ્વાદ”નું દર્શન. એક જ વસ્તુને વિવિધ દૃષ્ટિબિન્દુથી જોતાં તે વિવિધ સ્વરૂપે ભાસે, અને એ દરેક સ્વરૂપમાં કંઇ પણ તથ્ય રહેલું છે, એ સાપેક્ષ ( Relative ) દર્શન આ જગમાં કેવુ’· અપાર અનુકમ્માનું સુચક છે? સમગ્ર તત્ત્વને અસ ંશય પામનારા આ જગતમાં કેટલા હરો? તે, તેવા જગતને સ્યાદાનું રહસ્ય, જે સહિષ્ણુતા, અને પરસ્પર આદરભાવ છે એ. શું એછું ઉપકારક છે ? હું પણું આમ યથાર્થ રીતે જોઇએ, તે દરેક ધમમાં એવાં પ્રાણદાયી તવા છે, કે જેના શુધ્ધ આચરથી તે તે ધમના અનુયાયીઓમાં સાચી ધામિકતા પ્રેરાય, અને તેમનાં જીવન કલ્યા *૯૭૩ ણુને માર્ગે વળે. અને આમ છતાં, જગતમાં ચોગમ નજર નાંખતાં આજે આપણી દૃષ્ટિએ શું પડે છે? કાઇ પણ ખંડના કોઇ પણ દેશમાં જાએ, કઇ પણ જાતિ, સંસ્કૃતિ કે ધમ જુઓ, સ અવિશ્વાસ, ઇર્ષ્યા, લાભ, સ્વાર્થ, રંગદ્વેષ, મદેન્મત્તતા, રણગજ ના, રકતપાત–એક યા ખીજે સ્વરૂપે સત્ર સહારની શકિત નજરે પડે છે. કવિ ભવભૂતિને જીવનમાં સર્વત્ર કરૂણ રસ જ ભાસે છે. ભેદ હોય તે તે માત્ર ભિન્ન નિમિત્તોને જ છે. એજ પ્રમાણે, વર્તમાન કાળમાં કાષ્ટ દ્રષ્ટાને સર્વત્ર રૌદ્રરસ ભાસે, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કઈ નથી. એક માનવસ’હારની વેદનામાંથી જગતને હજી પૂરી કળ વળી નથી, ત્યાં તે બીજા સંહારની ભયંકર નાન્દીની જાણે શરૂઆત ન થઇ રહી હાય, એમ ધણા વિચક્ષણુ પુરૂષને શકા પડે છે. ત્યારે શું ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ઉદાત્ત તરવા જગતમાંથી અત્યારે નષ્ટ થયાં છે ? શુ ઉપનિષદે અને ગીતા, ધમ્મપદ અને આગમ, બાઇબલ અને કુરાનના ગ્રંથ અત્યારે દુષ્પ્રાપ બની ગયા છે ? શુ પ્લેટા અને શંકરનાં દના અદૃશ્ય થઈ માં છે ? શું સાધુસન્તા અને તત્ત્વજ્ઞાનીઓએ અત્યારે જગતને છેડી દીધુ છે ? ખરે જ, જગતની પરિસ્થિતિ અત્યારે એટલી વિપરીત અને કરૂણ ખતી રહી છે, કે જેથી ઘડીભર આપણને એમ જ માનવાનું મન થાય, કે આમાંનું કંઇ જ અત્યારે અસ્તિત્વ ધરાવતુ નથી, તેમ છતાં શાન્ત ચિત્તે વિચાર કરતાં સમજાશે કે આ ધુ જ અસ્તિત્વ ધરાવે છે, અને તેમ છતાં સર્વત્ર Chaos–અનવસ્થા-વ્યાપી રહેલ છે, અને ઍ,બાહ્ય Chaos~અનવસ્થાનું કારણુ આપણા આન્તર જીવનમાં વ્યાપી રહેલા Chaos અનવસ્થામાં રહેલુ છે. આત્મવત્ સર્વ ભૂતેષુ' એ હિન્દુ ધમની ભાવના, ઔદ્ધ અને જૈન ધમ'ની અહિંસા અને વાસનાક્ષયની ભાવના, Love thy neighbour as thy own self-એ ખ્રીસ્તી ધર્મની ભાવના, અથવા તે। ઇસ્લામની શાન્તિ અને ખુદાની શરણાગતિની ભાવના, આપણા સમગ્ર જીવનના મ ́તે સ્પર્શ' કરી, તેને સંજીવન અર્પવા અસમર્થ નીવડી છે, એમ સખેદ લાગ્યા વિના રહેતુ નથી. આજે આપણા બધા ધર્મો સામે એક મહાન આહ્વાન ( challenge ) આવીને ઊભુ' છે. ધર્મો છે, છતાં ધાર્મિકતાના અભાવ ચેાગમ દૃષ્ટિગચર થયા વિના રહેતા નથી. વિજ્ઞાનના બુદ્ધિપ્રધાન યુગમાં ધર્મોએ જે સ્વરૂપ પદ્મડયું છે, અને જે રીતે તે રજુ કરવામાં આવે છે, તે કારણથી આપણામાંના મોટા ભાગનાં હૃદયે। ધ'થી વિમુખ તે થાય છે, પણ વિશેષ તે એ છે કે ધમ'ના પરિહાસ કરવામાં, સમાન્ય નીતિ અને શિષ્ટાચારના નિલજ્જ ભંગ કરવામાં નિર્ભયતા અને પ્રમાણિકતાની પરાકાષ્ઠા માનવામાં આવે છે અને આ ઘટનાને કરૂણુતમ ભાગ તા એ છે જીવન ઉચ્ચ આદર્શ વિનાનું પામર થતું જતું લાગે છે. ઉચ્ચ આદર્શોમાં આજે જાણે કે શ્રદ્ધા જ રહી નથી. આતુ ખીજી બાજુ, જૂની શ્રદ્ધાથી પ્રેરાઇને કે કૃત્રિમ શિષ્ટાચાર તરીકે જે ધમને વળગી રહ્યા છે, તેના ધમના માટે ભાગ બાહ્ય ક્રિયાકાંડમાં પરિણમી રહેલે જોવામાં આવે છે. પ્રાણ વિનામ ધમને બહુ આચાર તેના અનુયાયીઓના આન્તર જીવનના સર્વ તેમુખી વિકાસ સાધવામાં નિષ્ફળ નીવડેલા જણાય છે. ક્રિયાકાંડ એ તેા એક સાધન છે, અને સાધન જ્યારે સાધ્યને સિંહાસને પદાર્ઢ ચાય છે, ત્યારે તેમાંથી યાંત્રિક જડતા અને નિરસ એક વિધતા વિના બીજું કંઇ પરિણમતુ નથી. એમાંથી આત્માના ઉદ્દારની ગતિ મેળવી અશકય છે. ધર્માંમાં જ્યારે ઐહિક વાસના પ્રવેશે છે, અને તે સાથે,
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy