SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કોફી Stો છે * : પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૬-૪૬ રજુઆત ન ચન્હાહિત * એ જ (પૃષ્ટ ૨૮ થી ચાલુ), સવાલ–બીજું તમારે કાંઈ કહેવું છે? જવાબ–ના. વાંચી બતાવી તા. ૧-૬-૪૬. આ પંચોલી લાખા ભુરાની સઈ દ. પિતે ' મહારા રૂબરૂ જસવંત એસ. ભટ્ટ પં. વ. ફ. ન્યા. પ્રા. તળાજા - અ આ ઇકરાર મારા સમક્ષ તથા હું સાંભળતો હતું તેવી રીતે લખી લેવામાં આવેલ છે અને તહોમતવાળા સખશે કહેલા સઘળા મજકુરનું પુરેપુરૂં તેમાં લખી લીધું છે. તારીખ ૧-૬-૪૬ સહી જસવંત એસ. ભટ પે. વ. ફે. ન્યા. તળાજા ચાજ ફેમ કર્યા પછી , સવાલ-સીકયુસનના સાહેદોની જાસ્તી ઉલટ તપાસ તમારે કરવી છે કે તેઓને કાંઈ પુછવું છે ? જવાબ-ના. ઈ- બધા કઈ ગયા તે સત કહી ગયા છે. - સવાલ-બચાવને કાંઈ પુરો તમારે આવે છે? જવાબ–ના મારું એક જ કહેવાનું છે કે આ સત કે અસત તે મારે જોવું તું, મેં ચાર ભાગ્યા અને એકને ટોચો માર્યો તે, હજુ એના ચાર દેવળામાં અનામત છે તે તે સાબીત કરશે ને. તા. ૧-૬-૪૬ - મારા રૂબરૂ સહી જસવંત એસ. ભટ ૫. વ. ન્યા. તળાજા. સમાચાર અને નોંધ મૂર્તિભંજક ગુનેહગાર અદાલતને આંગણે - આજથી દશેક મહીના ઉપર તળાજા તીર્થ ઉપરના ચામુખની - ચાર મૂર્તિ એનું કોઈએ ખંડન કર્યું હતુ. તે મૂતિઓનું “મેં પોતે જ ખંડન કર્યું છે” એમ સ્વેચ્છાએ જાહેર કરતા લાખા ભુરા પાળી . ઉપર તળાજાની ફોજદારી કોર્ટમાં કામ ચાલ્યું છે અને તેને તળાજા મૂર્તિખંડનને અંગે ચાર વર્ષ અને બીજી ચોરીને અંગે બીજા બે વર્ષ એમ કુલ છ વર્ષની સજા થઈ છે. ગુનેહગાર જાતને હિંદુ અને તેની, ઉમ્મર આશરે ૪૦ વર્ષની છે. આ મુકર્દીમાને લગતી જરૂરી વિગતે તા. ૮-૬-૪૬ ને “જન' માં પ્રગટ થઈ છે. આગળ પાછળની ઘટનાઓ, તળાજા જૈન બોડીંગને - ભાવનગર દરબાર તરફથી મળેલી જમીન સંબંધમાં મુસલમાનો તરફથી ઉઠાવાયલે વાંધે, મૂર્તિખંડનની ઘટના બની તે અરસામાં મુસ્લીમ છાપાઓમાં જેને અને ભાવનગર રાજ્ય સામે અત્યન્ત ઝેરી પ્રચાર અને મુસ્લીમ સમાજમાં આ પ્રચારને લીધે વધતા જતા ' ક્ષેાભ-આ બધું ધ્યાનમાં લેતાં પ્રથમ દર્શને આ કરપીણ કૃત્ય કાં િ તે મુસલમાનોના હાથે થયું દેવું જોઈએ અથવા, તે તે પાછળ એક યા બીજી રીતે મુસલમાન અને મહેમ લીગને હાથ હવે જોઇએ એ પ્રમાણેના અનુમાનદ્વારા જ સૌ કોઈના દિલમાં આજ સુધી વહી રહી હતી. ઉપર જણાવેલ લાખા ભુરા મુસલમાને નથી છે તેમજ તેની પાછળ કોઈ મુસ્લીમ પ્રેરણા કે યેજના હોય એવું 1. કાંઈ તેની ઉપર ચાલેલી અદાલતી તપાસમાં માલુમ પડતું ' , નથી. અને તેથી લાખા ભુરાને લગતી બહાર આવેલી બધી વિગતો સ્વીકારીએ તે જૈન સમાજના દિલમાં ચાલી રહેલી ઉપર જણાવેલી અનુમાન પરંપરા પાયા વિનાની હતી એમ જ આપણે કબુલ કરવું રહ્યું. લાખા ભુરા પિતાના એકરારમાં પ્રસ્તુત મૂતિખંડનને અનુરૂપ પિતાના હાથે થયેલા બીજા પણ એવા જ કેટલાંક કામે રજુ કરે છે. દાત. તેણે સિદ્ધનાથ મહાદેવમાંથી શાલીગ્રામની મૂર્તિ ઉપાડેલી; રાંદલ માતાની છત્ર ઉપાડેલા વાઘવદરડા ગામમાંથી - માતાજીની ધજા અને બે છો૫ લીધેલી. (પ્રસ્તુત મૂર્તિખંડન કોણે કર્યું" ', ': 'હશે તે વિષેનું આપણું આજ સુધીનું 'મનનું વળણ આ આખો કેસ ' બનાવટી હોવાના અનુમાન તરફ આપણને ઘસડી જાય છે. આમ છતાં પણ એ કેસની વિગતોને બનાવટી પુરવાર કરે એવી કઈ નકકર હકીકત હજુ આપણુ જાણવામાં આવી નથી.) લાખા ભુરાના એકરારમાં તેમજ બીજા સાક્ષીઓની જુબાનીમાં પરસ્પર વિરોધી કોઈ પણ રજુઆત જોવામાં આવતી નથી, કાં તે આખો કેસ બનાવટી હોવું જોઈએ અથવા તે આધઃ બધી. કેફિયત અને લાખા ભુરાને એકરાર સાચા હોવા જોઇએ. આ બે છેડાના અનુમાન સિવાય કોઈ વચગાળાના અનુમાનને આ કેસમાં અવકાશ રહેતું નથી. વળી જ્યાં ઉલટ તપાસને અવકાશ હોય ત્યાં પરસ્પર વિરોધી રજુઆત થવાનો સંભવ રહે છે. અહિં તે પ્રસ્તુત ગુન્હાહિત કાર્યને આરેપીએ કરેલે સીધે. એકરાર એ જ આખા કેસને પામે છે અને તેથી આ મુકદ્દમામાં ઉલટ તપાસ માટે કશે અવકાશ જ રહ્યો નહોતે. બીજુ લાખા ભુરાનો આખે એકરાર વાંચતાં આપણું મન ઉપર એક એવી છાપ પડે છે કે લાખા ભુરાને કોઈ એવી વિચિત્ર આદત જ હોવી જોઈએ કે જેને લીધે આપણે જેને પવિત્ર માનીએ અને આપણે હિંદુ હોઈને જેને હાથ અડાડવાનો આપણને સ્વપ્ન પણ ખ્યાલ ન આવે તેવી મૂતિ એ, પવિત્ર લેખાતી વસ્તુઓ ચોરવી, ઉપાડવી, યા તેડવી એ તેને માટે તદ્દન સ્વભાવસરલ હોય. પણ આપણું મન આટલાથી સંતોષતું નથી અને આ બધા પાછળ કોઈની દોરવણી કે સૂત્રસંચારતનહિ હોય એવો પ્રશ્ન મન કર્યા કરે છે જેનું કશું સમાધાન થતું નથી. આ સંગમાં આપણે આ આશ કાને વળગી રહીને આખા મુકમામાં કાંઈક અસત્ય છે-બનાવટ છે-એમ જ વિચાર કર્યા કરે કે આ આશંકાને પાયા વિનાની ગણીને જે બહાર આવ્યું છે એ બરાબર છે એમ સ્વીકારવું અને મુસલમાન સમાજ વિષે પ્રસ્તુત મૂર્તિ ખંડન પુરતે આપણા મનમાં બંધાયેલા પૂર્વગ્રહને આપણે હંમેશને માટે છોડી દે એ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થાય છે. મારા અભિપ્રાય મુજબ બીજો વિકલ્પ જ આદર ગ્ય છે અને જ્યાં સુધી અન્યથા કારણુ ન મળે ત્યાં સુધી આવા વણલને વળગી રહેવામાં ડહાપણ છે. મૂર્તિ ખંડન થયું ન થયું એમ બનવાનું નથી. પણ એની સાથે જે કોમી બેદિલી જોડાયેલી છે એ પણ વિશાળ સમાજની દ્રષ્ટિએ એટલી જ દુઃખદ છે. આ બેદિલી હળવી બને-નાપાયાદાર ઠેર–એવી હકીકતે બહાર આવે તે તેને આવકારીને કેમ બેદિલી હળવી કરવા સમાજશ્રેયાથી સૌ કોઈએ પ્રયત્નશીલ થવું જોઇએ. આ રીતે મૂર્તિખંડન પૂરતી મુસલમાન સમાજ વિષેની આપણા દિલની આશંકાને કાંટે ઉખેડી નાખીએ તે પણ તે કામ સાથે અથડામણમાં અવાય એવી બીજી કેટલીક બાબતે હજી ઉભી જ છે. આવી જે જે બાબતો હોય તેને તત્કાલ નિકાલ થવાની ખાસ જરૂર છે. આ નીકાલ માત્ર બે કેમના આગેવાનો વચ્ચેની વાટાધાટમાંથી આવી શકે તેમ નથી. આ બાબતમાં ભાવનગર રાજ્ય સક્રિય સહકાર આપવાની એટલી જ જરૂર છે. એક તળાજાની બેડ‘ગની જમીનને નીકાલ આવો જોઈએ; બીજું તળાજાની ટેકરી ઉપર બન્ને વિભાગ માટે જુદા જુદા રસ્તાની બન્નેને સ્વીકત એવી ગોઠવણી થવી જોઈએ. ત્રીજું . તળાજાની ટેકરી ઉપરનાં મંદિરે સુરક્ષિત બને એ માટે જરૂરી ગઢ બાંધવા માટે ભાવનગર દરબારે જરૂરી જમીન આગળ પાછળની કઈ બાબતો સાથે સંબંધ ધરાવતી આડખીલ ઉભી ર્યા સિવાય જૈનેને હવાલે કરવી જોઈએ આ ત્રણે બાબતના નિકાલ કરવામાં રાજ્ય પિતાને ભાગ ભજવવાનો છે. બે કોમ વચ્ચે અથડામણની કઈ પણ શકયતાને નાબુદ કરવાની સૌથી પ્રથમ ફરજ રાજ્યની છે. આ ફરજના પાલનમાં બનતે સહકાર આપ એ કામ ભિન્ન ભિન્ન કામના જાબદાર આગેવાનોનું છે. તેથી આ બાબતમાં પુરી દૂર દેશી દાખવીને મૂર્તિમંજરુ આખરે કઈને કઈ મળી આવ્યું છે અને તે મુસલભાન નથી એ હકીકતનો લાભ લઈને ભાવનગર રાજ્યના જેની અને મુસલમાને વચ્ચે આજે ઘર કરી રહેલી બદીલી નાબુદ થાય તે માટે એગ્ય જણાય તે સર્વ પગલાંને અમલ કરવા ભાવનગરના રાજ્યકર્તાઓએ કટિબદ્ધ થવું જોઇએ. આપણે આશા રાખીએ કે ભાવનગર રાજ્યને મળેલી આ સેનેરી તક પ્રમાદવશ બનીને કે અધિકાર અને પ્રતિષ્ઠાના ઘમંડના ભંગ બનીને ભાવનગરના રાજવાધિકારીએ એળે જવા નહિ દે.' પરમાનંદ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy