________________
-૧૨૪
ભાવ, કાવ્યતત્ત્વ અને સગીતની દ્રષ્ટિએ નકલખાર આજનાં રચાતાં સ્તવને
ભર્તૃહરિએ પેલા શ્લોકમાં કહ્યું છે કે જે એક વાર વિવેકથી ભ્રષ્ટ થયેા એનુ પતન, અને વિનિપાત ક્ષણે ક્ષણે વૃદ્ધિ જ પામે આ વાત જેટલી વ્યકિત માટે એટલી જ સમષ્ટિ માટે—સમાજ માટે પણ સાચી છે. જૈન સમાજની વિવેકહીન દશાથી એના વિનિપાત પણ આજે આવી જ રિત ગતિએ યઈ રહ્યો છે. આ લેખમાં તે એ સમાજને ધડનાર આપણા જૈન સાહિત્યની થઈ રહેલી અધોગતિને જ ઉલ્લેખ કરૂ.
પ્રબુદ્ધ જૈન
જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ઘણું અગત્યનું અને ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે અને જૂની ગૂજરાતી ભાષાને તથા અપભ્રંશ સહિત્યને ઘણા મેટા-ભાગ તે જૈન સાહિત્યથી જ ભરપૂર છે એ હકીકત સાથે ;ાજના રચાતા જૈન સાહિત્યની તુલના કરીએ તેા સમાજ અને સાહિત્યના તથા એ રીતે આખી પ્રજાના વિનિપાત ક્રમ થાય છે તે સ્પષ્ટ દેખાઇ આવશે.
ભૂતકાળ ગમે એટલા ભવ્ય હાય, પણ વર્તમાન એની સાથે જરા સરખા પણ સુમેળ ન રાખી શકે, ભૂતકાળની ભવ્યતાને સાચવવાની શક્તિ પણ ન ધરાવી શકે તે ધર્મ, તે સમાજ કે તે પ્રજાનું અનિવાય પરિણામ પતન સિવાય બીજું કશું જ ન હાઈ શકે.
જૈનોના સર્જનાત્મક સાહિત્યમાં સ્તવને, સજ્ઝાય ઇત્યાદિએ ઘણા જ મહત્ત્વનો ભાગ ભજવ્યેા છે. અને આજના રચાતા સાહિત્યમાં તે સ્તવના જ બહેાળા પ્રમાણમાં છે. સાહિત્યનું આ અંગ ધણું લેકપ્રિય અને પ્રચાર પામેલુ પણ છે. એટલે એના વિસ્તારથી વિચાર કરીએ.
જૂના કાળમાં જૈન સાધુઓએ એક ક્રાન્તિકારી પગલુ ભરી લેાકભાષામાં જૈન સાહિત્ય રચવાની પ્રણાલિકા ચાલુ કરી. લાકને ગળે સરળતાથી ઉતરી જાય એવી સાદી છતાં આકષ ક નિરૂપણુ શૈલિએ જૈન ધર્મનાં તત્ત્વના એમણે પ્રચાર કર્યાં. ધર્મના પ્રચાર માટે કથા સાહિત્ય જેવા લોકપ્રિય સાહિત્યપ્રકાર ઉપયેગી થઈ પડશે એમ ધારી એને એમણે છુટથી ઉપયાગ કર્યાં. સ્તવમાં, સજ્ઝાયા રાસ ત્યાદિ પદ્ય સાહિત્યમાં પણ પ્રચલિત લોકપ્રિય રાગે અને ઢાળેના એમણે ઉપયોગ કર્યો. પણ લેાકપ્રિયતાની પાછળની આ દડ આટલેથી અટકી જે સાહિત્ય રચાયું તેમાં પ્રાણ તે આ કર્તાઓએ પોતે જ પોતાની રીતે બરાબર પૂર્યાં. ધમ'નાં તત્ત્વ, કાવ્યશકિત, સ’ગીત-એ સૌ અંગાના ચેોગ્ય સમન્વય એ કરી શકયા અને પરિણામે એમની ક્રાવ્યકૃતિ સાહિત્યની ચિંરજીવ કૃતિ થઇ શકી. માત્ર પધ્ધતિ “ પૂરતા લોકપ્રિયતા ઉપર આધાર રાખી સાહિત્યના આંતરિક ગુણેને ત એમણે સ્વતંત્ર રીતે જ વિકસાવ્યા.
આ ક્રાન્તિકારી પ્રણાલિકાનુ` એક અત્યન્ત નિર્માલ્ય અંતે નિબળ અનુકરણુ આજે થઇ રહ્યું છે. વધુ વેદનાની વાત એ છે કે એવુ અનુકરણ કરનાર મોટે ભાગે જૈન મુનિરાજો છે.
આપણાં જીનાં સ્તવનોની રચનાને એના ભાવ, કાવ્યત્વ કે સ’ગીતની દૃષ્ટિએ પહોંચી શકે એવી રચના કરવાની શક્તિ તે મહદશે આજકાલ જોવામાં આવતી જ નથી. આવા સમયમાં પ્રાચીન સ્તવનેાને સાચવી રાખવાનુ અને એના પ્રચાર કરવાનુ કાર્યો હાથ ધરાવુ યેગ્ય . કેટલાંક વર્ષોં પહેલાં અયોગ્ય દીક્ષા અને બાળ દીક્ષા સામે જ્યારે જૈન સમાજમાં મોટી ઝુંબેશ ઉપડી હતી. ત્યારે તેમણે વડેદરાના યુવાની આગેવાની લીધી હતી અને વડેદરા રાજ્યમાં બાળ દીક્ષા પ્રતિબંધક કાયદે કરાવવામાં તેમણે અસાધારણ પરિશ્રમ ઉદ્દાબ્યા હતા. તેમના અકાળ અવસાનથી તેમના કુટુંબને મુખ્ય સ્થાન ધરાવતા કુટુંબી જનની અને જૈન સમાજને એક ઉદાત્ત વિચાર ધરાવતા યુવક કાર્યકર્તાની ખોટ પડી છે. પરમાત્મા તેમના માત્માને પરમ શાન્તિ અ† એવી આપણે સૌ પ્રાથના કરીએ ! પાનંદ
તા. ૧-૧૨-૪૫
હતુ. પણ એને બદલે આજના કેટલાક મુનિરાજોએ જુદો જ માર્ગ ગ્રહણ કર્યો છે.
જીનાં સ્તવનાના પ્રચાર કરવાનું એમણે પસંદ નથી કર્યું". નવુ રચવાની એમની ઈચ્છા જરૂર પ્રશસ્ય છે. પણ એમની આ રચવા પાછળ કાંઇક સારૂં સર્જન કરી જનતાના લાભાથે એના પ્રચાર કરવાની દૃષ્ટિ છે કે કેવળ પેાતાના નામથી ગમે તેવુ પણ કાંક બહાર પાડી પોતાની નામના જ વધારવાની દૃષ્ટિ છે. તે વિચારવું ઘટે છે, એ સ્તવતાનુ જરા પૃથકકરણ જ કરીએ.
એ સ્તવનામાં ભાવ કેવા હોય છે? એ સ્તવામાં વળી ભાવ એની ચર્ચા જ નકામી છે, કારણકે કાઇ ભાવાર્મિંથી એ લખતાં જ નથી. એકાદ ચાલુ નાટક કે સિનેમાનું ગીત, એમાં કૃષ્ણને સ્થાને વીરપ્રભુ કે પાર્શ્વપ્રભુ, પ્રેમને સ્થાને ધમ` કે આત્મા અને એવા જ બીજા બે ચાર ફેરફારા કર્યાં કે નવું સ્તવન તૈયાર. આમાં ભાવના તે વિચાર કરવા જ મુશ્કેલને ?
અને સાચાં કાવ્યતત્ત્વાનુ ? મુળે આ સિનેમા ગીતે માંથી કોઇકમાં જ બહુ ઉચ્ચ પ્રકારનાં કાવ્યતત્વ મળે છે. તેમાં પણ તેનું આવું ક્ષુદ્ર અનુકરણ ! આમાં સારાં તત્ત્વ તે કર્યાંથી આવે ?
અને સંગીત ? આજના ફિલ્મ સંગીતમાં સારૂં સ'ગીત નથી જ એમ તેા હુ ન કહું. પણ સંક્ળ અનુકરણની શક્યતા તે એમાં ઘણી જ ઓછી છે. ઉપરાંત સ્તવમાં જે ગીતાનાં અનુકરણ થાય છે તે તે સંગીતની દૃષ્ટિએ. પણ નિકૃષ્ટ કક્ષાનાં હૈય એવાં ગીતેાનાં. ફિલ્મમાં કાઇક જગ્યાએ ભાવને અનુકૂળ સંગીત પણ કયારેક સારી રીતે રજુ થાય છે. પણ એ જ ગીતનું સ્તવન માટે અનુકરણ કરવાથી જે રચના ઉપલબ્ધ થાય એમાં તે ભાવ અને રાગને કેવળ ભયંકર વિસવાદ જ થાય છે.
•
મૂળે અનુકરણ એટલે જ કાકા સાહેબ કાલેલકર કહે છે તેમ કલાતું મરણુ. તે છતાંયે સર્વશ્રેષ્ઠ કૃતિઐ'નુ અનુકરણ કાંઇક ઉતરતી કક્ષાની સારી કૃતિ પણ આપી શકે. પણ જે જાતે જ નિકૃષ્ટ કૃતિ છે અને ક્ષણજીવી છે, તેનુ તેથીયે વધારે નિભંળ-મેળું-અનુકરણ અને તેય કાઇ વાર તે બેચાર શબ્દોના ફેરફાર સાથેનું શબ્દશ: અનુકરણ કલાની કેટલી અધગતિ કરાવે ? સાહિત્યકળાના કાવ્યકળાને તો એમાં સર્વનાશ જ થાયને? આથી આગળ વધીને એવા અનુકરણનાં પણ અનુકરણ કરનારા મળી આવ્યા છે. તેમને માટે તે। ભતૃહરિની પેઠે તે કે ૧ નારીમદ્દે-એમને શું કહેવું તે જ સમજાતુ નથી' એટલું જ કહી શકાય. ઉપરની વાતે કેવળ કલ્પિત નથી. આજનાં રચાતાં સ્તવનોને મોટા ભાગ આવાં જ અનુકરણાના છે. “તુમીને મુજકા પ્રેમ સિખાયા” એ ફિલ્મની દુનિયામાં પણ કચરા જેવા ગણાતા ગીતનું અનુકરણ કરીને લખાયેલુ ‘તુમીને મુજકા ધમ' દિખાયા” એ સ્તવન શા ભાત્ર ભાવકના હૃદયમાં પ્રેરી શકે? ‘પિયા મિલન જાના'નુ' ‘પ્રભુમિલનકા જાના' કે “આ તે ખાખેણી લજ્જા કહેવાય”નું “આ તેા લાખેણી આંગી કહેવાય” એવુ અનુકરણ કરવાથી કેવી હીન કૃતિ થાય છે એ ખ્યાલની એમના રચનારા સન્માન્ય મુનિરાજ કેમ ઉપેક્ષા કરે છે?
જૈન ધર્મ તે વૈરાગ્યને જ પ્રધાનપદ આપનાર ધમ છે. આપણે તિર્થંકરની પૂજા કરીએ છીએ એમની વીતરાગ દશા માટે, એમની વિમુકત શા માટે; એમની સુંદર કાયા માટે નહિ, એમનાં સુદર વસ્ત્રાભૂષણ માટે નહિ, કે નહિ એમના રાજપદ માટે કે એમની શારીરિક શકિત માટે. આની સાથે મધ્યયુગના ભક્તિમાર્ગની અસરથી આપણે પણ તિકાનાં સ્થૂળ વર્ષાંતે કયાંક કરવા લાગ્યા હાઇએ એ શકય છે. પણ આવાં કેવળ સ્થૂળ વધ્યું તે જ સ્તવનને વિષય થઈ બેસે એ પ્રુષ્ટ નથી એ વાતમાં કોઇના વિરોધ ન હોઇ શકે. તેમાંયે કૃષ્ણનાં શારીરિક વહુ તેને એજ રીતે વગરફેરફાર વીર કે પાર્શ્વ પ્રભુનાં વણુ ના તરીકે ઘટાવી સ્તવને રચી દેવાય તે તે અક્ષમ્ય ગણાવુ જોઇએ. મસ્તકે મુગટ સેહે કાર્ય કુંડળિયાં' જેવાં કેવળ સ્થૂળ વર્ણના આપણાં સ્તવને તે અને આપની ભકિતને બન્નેને નીચાં પાડે છે એ રચયિતાએએ હવે વેળાસર સમજી લેવુ. બર્ટ,