SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૪ सचस्स आणाए उवहिए मेहाची मारं तरति । સત્યની આણુમાં રહેનારી બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન, सत्यपूतां बटेदाच જુન ૧૫ ૧૯૪૪ જે વર્ગોને આ પ્રશ્ન સાથે નિસબત છે અને જેમને આમાં ખાસ રસ છે તે સર્વ વર્ગો સ્વીકારે એ દિશાએ સાથે મળીને કામ કેમ ન કરીએ ? સ્નેહનિષ્ટ , એમ. કે, ગાંધી. આ પત્ર ગાંધીજી જેલમાંથી છુટયા અને મુંબઈ આવીને કાંઈકુ સ્થિર થયા એ દરમ્યાન ઉપર જણાવેલ “કૅન' પત્રની માંગણી ધ્યાનમાં લઈને ગાંધીજીની અનુમતિથી તેમના મંત્રી થી. પ્યારેલાલજીએ પ્રગટ કર્યો છે. એ પત્રનું આ રીતે થયેલું પ્રકાશન સૂચવે છે કે ગાંધીજી આજે પણ કોમી એકતા સંબંધમાં ઝીણાને મળવા એટલા જ અતુર છે. પણ કમનસીબે કોમી પ્રશ્નનો કોઈ પણ વ્યવહારૂ ઉકેલ અને કાયદે આઝમનું વિકૃત માનસએ વચ્ચે અસીમ અન્તર છે અને પરિણામે સરકારની “આ દેશ ઉપરની હકુમત સદા સલામત છે. ન હg: એ જ શરમ 0 શારીરિ" મે પણ આ ગાંધીજીના બે પત્રો. કાયદેઆઝમ ઉપરનો પત્ર. મે માસની ૧૯ મી તારીખના દૈનિક પત્રોમાં આજથી બાર માસ પહેલાં ગાંધીજીએ જેલવાસ દરમિયાન કાયદે આઝમ ઝીણા ઉપર જે પત્ર લખેલો અને જે પત્ર ઝીણાને પહોંચતા સરકારે અટકાવેલ તે પત્ર પ્રગટ કરવામાં આવ્યા છે, તે અરસામાં મળેલી અખિલ હિંદ મેરલીમ લીગના પ્રમુખરથાનેથી નામદાર ઝીણાએ એવા આશયની શેખી કરેલી કે જે એકતા સાધવાની મી. ગાંધીની ખરેખર દિલની ભાવના હોય તે મને તેને જેલમાંથી કાગળ લખી શકે છે અને જે મને એ મુજબ મી. ગાંધી કાગળ લખે તે એ પત્ર અટકાવવાની સરકારની કે કોઈની પણ મગફુર નથી. તે શેખીના ઉત્તર રૂપે ગાંધીજીએ એ પત્ર લખેલે જે સરકારે અટકાવ્યું અને એ અટકાયતને કડવે ઘુંટડા કશે પણ વિરોધ દાખવ્યા સિવાય નામદાર ઝીણા ગળી ગયેલા, એટલું જ નહિ પણ સરકારના એ પગલાને તેમને પુરેપુરું અનુમોદન આપેલું. પ્રસ્તુત પત્રની વિગત નીચે મુજબ હતી :-- 'કારાવાસ તા. ૮-૫-૪૩. પ્રિય કાયદે-આઝમ, મારા પકડાયાને થોડા સમય વીત્યા બાદ મને ક્યા કયા સામાવિક પળોને ખપ છે તેની યાદી જ્યારે સરકારે મારી પાસેથી માંગેલી ત્યારે તે યાદીમાં મેં ‘ઉંન' (મેલેમ લીગનું મુખપત્ર) ને સમાવેશ કરેલ અને ત્યારથી તે પત્ર મને લગભગ નિયમિત રીતે મળતું રહ્યું છે, જ્યારે તે પત્ર મારા હાથમાં આવે ત્યારે, તે હું ધ્યાનપૂર્વક વાંચતો રહું છું. ડનમાં પ્રગટ થયેલ લીગના અધિવેશનની વિગતે હું જોઈ ગયે અને તમે મને પત્ર લખવાનું તેમાં જે નિમંત્રણ આપ્યું છે તે મારા વાંચવામાં આવ્યું અને તેથી જ આ પત્ર દાખવાને હું પ્રેરા છું. તમારા નિમંત્રણને હું આવકાર આપું છું. પત્ર દ્વારા આપણે ચર્ચા કરીએ તે કરતાં આપણે જાતે મળીએ એ વધારે કચ્છવા ગ્ય છે એમ હું સૂચવું છું. પણ એ બાબતમાં હું બધી રીતે તમારા હાથમાં જ છું. હું આશા રાખું છું કે આ કાગળ તમને પોંચાડવામાં આવશે અને જો તમને વાંધો નહિ હોય તે સરકાર મને મળવાની તમને જરૂર સંમતિ આપશે. ' એક બાબતને હું અહિં ઉલ્લેખ કરી લઉં. તમારૂ નિમત્રણ કાંઇક સરતી હોય એમ ભાસે છે. તમે એમ કહેવા માંગે છે કે મારા દિલને પલટો થયો હોય તે જ મારે તમને કાગલ લખ ! માણસના દિલની તે માત્ર ઈશ્વરને જ ખબર હોય છે. હું જે છું તે જ મને સ્વીકારવા મારી વિનંતિ છે. આજના કમી પ્રશ્નને સર્વમાન્ય બને એવો કોઈને કોઈ ઉકેલ લાવે જ છે એવા નિશ્ચયપૂર્વક આ કેમી પ્રશ્નને હું અને તમે એકત્ર થઈને શા માટે વિચાર ન કરીએ અને એ રીતે શેધલે ઉકેલ શ્રી. જ્યકર ઉપરનો પત્ર જુહુથી તા. ૨૦-૫-૪૬ ના રોજ ગાંધીજીએ શ્રી. એમ. આર. જયકર ઉપર લખેલે અને આજકાલ ખુબ ચર્ચાઈ રહેલે પત્ર નીચે મુજબ છે:પ્રિય શ્રીયુત જયકર દેશ મારી પાસેથી ઘણી આશા સેવી રહ્યો છે. મારા છુટકારા વિષે તમે શું ધારે છે તેની મને ખબર નથી. મને તેથી જરા પણ સુખ જેવું લાગતું નથી. મને ઉલટી શરમ આવે છે. મારે માંદુ પડવું જ જોતું ન હતું. મેં માંદા નહિ પડવા ઘણા પ્રયત્ન કર્યો પણ આખરે હું નિષ્ફળ નીવડશે. આજની શારીરિક નબળાઈ દૂર થઈ છે' એવી જાહેરાત થવા સાથે મને તેઓ કેદ કરશે એમ મને લાગે છે અને જે તેઓ મને ન પકડે તે મારે શું કરવું? એગસ્ટને ઠરાવ હું પાછો ખેંચી શકું તેમ છે જ નહિ. તમે બરાબર જણાવ્યું છે કે એ 'હરાવ નિર્દોષ છે. એ ઠરાવને લોકમતને કેટલા ટકો હતું કે છે તે વિષે મારી અને તમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે. એ ઠરાવ મારે મન શ્વાસોચ્છવાસસમાન છે. ૨૮ મી તારીખ સુધી આ બાબત સંબંધે હું મૌન રહેવા ધારું છું. એ દરમ્યાન પ્યારેલાલને તમારી પાસે મોકલું? તેને આધાર તમારી તબિયત ઉપર છે. તમારી તબિયત પણ બહુ સારી રહેતી નથી એ હું જાણું છું. તમારા સ્નેહનિષ્ટ એમ. કે, ગાંધી, આ પત્ર કેટલાકને તદન ન્યાજબી અને સ્વાભાવિક લાગે છે; કેટલાકને વિચિત્ર અને વખત બદલાયે પણ પિતે ન બદલાવું એવી હઠીલાઈ દાખવત લાગે છે. ૧૯૪૨ ના ઓગસ્ટના ઠરાવ બાદ દેશની આન્તર્ગત પરિસ્થિતિમાં કેટલાયે ફેરફાર થયો છે. લકોની દુર્દશા અને હાલાકીમાં પાર વિનાને વધારે થયો છે. કદિ નહિ સાંભળેલો કે જોયેલે એ ભયંકર ભુખમરે બંગાળાએ તેમજ દેશના અન્ય કેટલાક વિભાગમાં જે છે. હિંદી સંરક્ષણ ધારા નીચે એડીનન્સની પાર વિનાની શૃંખલાઓએ પ્રજાજીવનને એ તરફથી રૂધી લીધું છે. પણ આ બધા ફેરફારે ૧૮૪૨ ના ઓગસ્ટ માસના કરાવ પાછળ રહેલી માંગણીના વ્યાજબીપણાનું સવિશેષ સમર્થન કરે છે. તદુપરાન્ત એ વખતના અને આજના રાજકીય સંયોગોમાં તો કશે પણ ફેરફાર થયા જ નથી. એક ક્રીપ્સ ગયા પછી બીજો કોઈ ક્રીપ્સ આવ્યું નથી. હિંદી સરકારની કારોબારીમાં બે સભ્યની ફેરબદલી કે વધારો થયો હશે પણ વાઈસરોયની અને
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy