SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ યુદ્ધ જૈન સંઘના વાર્ષિક વૃત્તાંત ( વિ. સ'. ૧૯૯૯ ) વિક્રમ સંવત ૧૯૯૮ પુરૂ' થવા સાથે શ્રી મુંબઇ જૈન યુવક સંધ પર વર્ષ પુરાં કરે છે. સંવત ૧૯૯૮ દરમિયાન જર્મનીની ઉત્તરોત્તર વિજયપ્રાપ્તિ અને જાપાનનુ હિંદુસ્થાન તરફ ધસી આવતું સૈનિક દળ-આ એ સંયોગાએ સમસ્ત પ્રજાજીવનમાં જે સક્ષેાભ ઉભા કર્યાં હતા અને હિંદની કાપણુ સીમા ઉપર આવેલાં મોટાં મોટાં શહેરોમાંથી પે'તાતાના વતન તરફ લોકોએ જે નાસભાગ કરી હતી તે સાથે સરખાવતાં સંવત ૧૯૯૯ નુ વર્ષે શાન્તિપૂર્વક એટલે કે એવા કેઇ સક્ષેાભ વિના પસાર થયું હતું. મુંબઇ, કરાંચી, મદ્રાસ કે કલકત્તા છેાડીને ચાલી ગયેલા લોકા પાછા કર્યાં છે, એટલુજ નહિ પણ યુદ્ધ પ્રવૃત્તિને અંગે વ્યાપાર અને ઉદ્યોગના કારણે મોટાં શહેરા પુષ્કળ વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે અને આવાં શહેરામાં બહારથી આવતા માણસાને રહેવાને જગ્યા પણ મળતી નથી. સાથે સાથે લોક જીવનની હાડમારીઓ, ચીજોની અછત તેમજ મોંધવારી અને સામાન્ય લોકોએ શુ ખાવુ અને શુ પહેરવુ એને લગતી મુઝવણા પણ ખૂબ વધતી ચાલી છે. ગત વર્ષના પશ્ચાદ્ અર્ધમાં આપણી કલ્પનામાં કદી ન આવે એવા ભુખમરાએ બંગાળામાંથી હજારો માણસાના પ્રાણ શાષી લીધા છે અને સખ્યાબંધ માણસાના મેલેરીયા, ફ્લ્યુિએન્ઝા, મરડા અને એવી ખીજા વ્યાધિઓએ ભાગ લીધે છે. સદ્ભાગ્યે ગયા વર્ષે આખા દેશમાં વરસાદ સારો પડયા છે અને તેથી દેશભરમાં ભુખમરાને કારણે વધી ગયેલુ મરણ પ્રમાણ હાલમાં કઈક ખાયુ લાગે છે. પણ આ રાહત અને શાન્તિ બહુજ અલ્પકાલીન દિસે છે, હિંદુસ્થાનની પૂર્વ સરહદ, કલકત્તા, વિઝાગપટ્ટમ કે મદ્રાસના કનારા ઉપર અવાર નવાર થતી છુટીછવાઇ બવર્ષા ખાદ કરતાં વર્તમાન વિશ્વયુદ્ધની દાહક જ્વાલાઓના સાક્ષાત પરિચયથી આખુ હિંદુસ્થાન હજુ દૂર રહ્યું છે, એમ છતાં એ વિશ્વયુદ્ધને લીધે જે ઉત્તરાત્તર વધતી જતી પાર વિનાની હાડમારીઓએ લોકાને ખેચેન બનાવી દીધા છે અને આ કુમ્બખ્તીને! હજુ કાઇ છેડા લેકદ્રષ્ટિની ક્ષિતિજ-મર્યાદામાં નજરે પડતા નથી. . તા. ૧૫-૨૪૪ ઉપકાર માને તેટલા ઓછા છે અને સાથે સાથે જે જે વ્યક્તિએએ સધના કાર્યને ચાલુ રાખવા તેમજ આગળ ધપાવવા માટે જે કાંઈ નાની મેટી આર્થિક મદદ કરી છે તે માટે તે સર્વ પ્રત્યે સધ આભારવૃત્તિ પ્રદર્શિત કરે છે. ઉપર જણાવ્યા મુજબ રૂા. ૧૦૬૬૪ ની છુટક છુટક મદદ આપનારાઓની યાદી પરિશિષ્ટ 'ક' માં જોડવામાં આવી છે. સઘનુ' સામાન્ય ફંડ આવા વિષમ વર્ષ દરમ્યાન શ્રી મુંબઇ જૈન યુવકસંધની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ એકસરખી પુષ્ટ થતી ચાલી છે અને તેને જૈન સમાજે સંગીન આર્થિક ટેકો આપીને અપનાવી છે એમ જણાવતા સતેષ થાય છે. આજથી સાડાચાર વર્ષ પહેલાં શ્રી સુબઈ જૈન યુવક સથે પ્રમુદ્ જૈન શરૂ કર્યું" અને ત્યાર પછી સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલયની શરૂઆત કરી, ત્યારે કેટલાક સભ્યાએ તેમજ સંધના પ્રસ’શકાએ ત્રણ વર્ષ માટે ચોક્કસ આર્થિક મદદ આપવાનાં વચને આપ્યાં હતાં, જેની વાર્ષિક આવક રૂા. ૨૨૦૦ લગભગ થતી હતી. તે વચનેાની મુદ્દત સંવત ૧૯૯૮ ની સાથે પુરી થઇ હતી. આ રીતે એ મેઝી આવકનું દ્વાર એક બાજુ ંધ થયું હતું અને બીજી બાજુએ સંધના વહીવટી ખર્ચે જે ક્રમશ: વધતા જતા હતા તે તે એમને એમ ઉભા રહ્યો હતા. સંધ પાસે બીજું' તે કાઈ કશું સ્થાયી કુંડ હતું નહિં કે જેથી ચાલુ ખર્ચ વિષે સંધના કાકર્તાઓને ચિંતાનું કારણ ન રહે. આવી પરિસ્થિતિમાં સંધના મંત્રી શ્રી મણિલાલ મામદ શાહે પોતે જહેમત ઉઠાવીને ગત વર્ષ દરમિયાન રૂા. ૯૫૮૯] અને દીવાળી ખાદ ૧૦૭પુ] એમ આજ સુધીમાં કુલ્લે રૂા. ૧૦૬૬૪જી મેળવી આપ્યા છે. આ માટે શ્રી મણિલાલ માકમચંદ શાહના સંધ. જેટલે પરિવારમાં સાજનક વાંચનાલય. હવે સંધની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓનું અવલોકન કરીએ. સંધના વાચનાલયને લાભ મેશા સરેરાશ સે। ભાઇ લે છે. છાપા વાંચનારાઓની ધણી વખત એટલી બધી ભીડ થાય છે કે કાર્યાલયમાં ઉભા રહેવાની જગ્યા રહેતી નથી. એક તે જે લતામાં સંધનું કાર્યાલય છે ત્યાં આસપાસ નજીકમાં આવું કાઈ વાચનાલય છે નહિ. ખીજી લેાકાને વાંચવાના શેખ અને ખાસ કરીને દૈનિક છાપાએ દારા દુનિઆની ખબરા જાણવાને શેખ બહુજ વધ્યા છે. બીજી છાપા તેમજ સામયિકાની કિંમત બમણી ત્રણગણી થઇ છે. તેથી સંધના વાંચનાલય ઉપર ખૂબ ધસારા રહે છે, અને તે માટે આજની જગ્યા બહુ સાંકડી પડે છે. વાંચનાલયમાં કુલ છત્રીશ સામાયિક આવે છે, જેમાં ૬ દૈાનક, ૯ સાપ્તાહિક, ૭ પાક્ષિકઅને ૧૪ માસિક પત્રાને સમાવેશ થાય છે. ભાષાની દૃષ્ટિએ ૩૧ ગુજરાતી, ૩ અંગ્રેજી અને ૨ હિંદી પત્રો આવે છે. સાર્વજનિક પુસ્તકાલય. સંધના પુસ્તકાલયમાં કેટલાંક ભેટ મળેલાં અને કેટલાંક ખરીદેલા એમ મળીને હાલ કુલ ૪૨૫૬ પુસ્તકા છે, જેમાંને મોટા ભાગ ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મને લગતા છે. આ પુસ્તકાલયને પણ વાચનાલય જેટલા જ બહેાળા પ્રમાણુમાં લાભ લેવામાં આવે છે. પુસ્તકાલયમાંથી વાંચવામાટે પુસ્તક લઇ જનાર પાસેથી રૂપી ત્રણ અનામત લેવામાં આવે છે. તે અનામત ખાતે આરારે રૂપી ૨૧૨૩જી જમા છે. તે ઉપરથી સહજ તાલુમ પડે છે કે પુસ્તકાલયના ચાલુ લાભ લેનારની સંખ્યા ૭૦૨ ઉપરની છે. દરરાજ આશરે ૯૫ થી ૧૦૦ પુસ્તક વાંચવા માટે કાઢી આપવામાં આવે છે. ગત વર્ષે દમન પુસ્તકાલય માંથી વાંચવા માટે અપાયેલા પુસ્તકોની સંખ્યા ૩૪૦૦૦ ઉપર ગઇ છે. જનતાની વાચનની અભિરૂચિ એટલી બધી તીવ્ર અને વિવિધદેશીય બની છે કે લેાકાને વાંચનની જેટલી સગવડ આપવામાં આવે અને પુસ્તકાલયમાં જેટલી પુસ્તકવૃદ્ધિ કરવામાં આવે એટલી એછી પડવાના છે એમ આજ સુધીના અનુભવ ઉપરથી નિઃશંકપણે કહી શકાય તેમ છે. સંધના પુસ્તકાલયના વિકાસ માટે મેટી . અગવડતા જગ્યાની છે. આજે કુલ મેટા પાંચ કબાટે। વસાવવામાં આવ્યા છે અને તે કબાટા પુસ્તકાયી લગભગ ભરાઇ ગયા છે. આથી વધારે કબાટ મુકવાને સંધનાં કાર્યાલયમાં જરાણુ અત્રકશ રહ્યો નથી. આજનાં પુસ્તકાલયને વિકાસ પુસ્તકાની વિપુલ અભિવૃદ્ધિ એટલે કે વધારે આટા એટલે કે વિશાળ જગ્યાની અપેક્ષા ધરાવે છે અને આ માટે સંગીન આર્થિક મદદની આવશ્યકતા રહે છે વાંચનાલય અને પુસ્તકાલય એ ખરેખર જ્ઞાનની પર છે જેને લાભ કશા પણ ભેદભાવ સિવાય સહુ કોઇ લઇ રહ્યા છે. અત્રે જણાવતાં આનંદ થાય છે કે સ'ધના મંત્રી શ્રી મણિલાલ માકમચંદ શાહે સંધના પુસ્તકાલયને રૂપીઆ ૧૦,૦૦૦ ની રકમ અપૅણ કરી છે અને આગામી વષૅમાં તેવીજ મેટી
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy