________________
તા. ૧૫-૧૦-૪૩
પ્રશુદ્ધ જૈન
ખારાક
( પૃષ્ટ ૯૬ થી ચાલુ)
ટુંકુ કદ, આંખની બીમારી, રતાંધળાપણુ, ફેક્સાનાં કેટલાએક દર્દી (શરદી, વગેરે) આંતરડાનેા વરમ, પથરી, જળદર, મરડા અને ઝાડાની ખીમારી આ વીટામનની ખામીનુ પરિણામ છે.
ચામડીની સુંવાળપ કે તન્દુરસ્તી આ વીટામીનને આભારી છે. વીટામીન B–આ વીટામીન વનસ્પતિ જમીન અને હવામાંથી ખેંચેલા સ-વામાંથી બનાવી મુખ્યત્વે ખીયાં અને કુળમાં અને અમુક પ્રમાણમાં લીલા પાંદડામાં સંગ્રહી ખેારાક સાથે માણસને કે પશુને આપે છે. બચ્ચાં માતાના દુધદ્વારા જ આ વીટામીન મેળવે છે.
વિજ્ઞાનશાસ્ત્રીઓએ આ વીટામીનને Thiamin (થીઆમીન) વીટામીન B અને Riboflavin (રીક્લેવીન) વીટામીન B નામના બે ભાગમાં વહેંચી નાંખ્યુ છે અને કુદરતી વીટામીનને મળતુ નવુ રસાયણીક વીટામીન બનાવી કુદરતી વીટામીનની ઉણુપની પૂરવણી કરવાનું સાધન વૈદ્યકીય દુનિયાને આપ્યું છે
જમીનની જાત અને તેને મળતાં ખાતર અને પાણી તથા આજુબાજુના સોંગા ઉપર આ વીટામીનનું પ્રમાણ અવલખે છે. જુદી જુદી ભૂમિમાં ઉત્પન્ન થયેલ એક જ જાતના ફળ કે ધાન્યમાં કે જુદી જુદી ભૂમિમાં ઉત્પન્ન થયેલ વનસ્પતિ ખાઇને ઉછરેલા પશુઓના દૂધમાં સત્વની દ્રષ્ટિએ દેખાતા કક આ કારણે જ હોય છે.
અનાજ, કઠોળ, મકાઇ, વટાણા, કળા, પાંદડાવાળી ભાજી, દૂધ, પંડાં, કલેજુ અને પ્રાણીઓની ખીજી ગ્રન્થીઓમાં આ વીટામીન ભરેલુ હાય છે.
મીલમાં છડેલા કે બાફેલા ચોખા, અને મેંદામાં આ વીટામીનને અભાવ હાય છે. ચોખા રાંધીને તેનું પાણી એસાવી નાખવાથી કે ફળ કે શાકની છાલ ઉતારી, ખારીને તેનુ પાણી ફેંકી દેવાથી આ વીટામીન પણ તેની સાથે ચાલ્યું જાય છે.
આ વીટામીન મગજ, જ્ઞાનતંતુ, માંસપેશીઓ, હૃદય, કલેજુ અને ખીજી રસ ઉત્પન્ન કરનારી ગ્રન્થીઓને તંદુરસ્ત અને મજબુત બનાવે છે, અને પાચનશકિત વધારે છે અને શરીરના મેલને કાઢવામાં મદદરૂપ થાય છે.
આ વીટામીન 'B' ની ગેરહાજરી કે ઉણપથી મેરી મેરી નામનું એક જ્ઞાનતંતુનુ દર્દ થાય છે. ઉપરાંત પાચન અને જ્ઞાનતંતુના કાર્ય માં ખલેલ પડે છે. મેળ ચડવી, ચક્કર આવવા, કારણુ વગર નબળાઇ લાગવી, અરૂચિ, કબજિયાત, માનસિક ઉશ્કેરાટ, અજંપા વગેરે ફરિયાદો ઉભી થાય છે અને વીટામીન B2 ની ઉણુપથી આંખમાં મેાતીયા આવે છે અને અકાળ વૃદ્ધ દેખાવા માંડે છે. મેઢાં ઉપર આ વીટામીનની ઉણુપ સ્પષ્ટપણે દેખી શકાય છે. હાટની વધારે પડતી લાલાશ, જીભનું આવી જવું, આંખનું બળવુ અને ખરજ આવવી વગેરે ચિન્હા આ ખામીનું પરિણામ છે. વિજ્ઞાનીએ આંને NineinNicotinic Aeid deficieney-નીઆસીન-નીકોટીનીક એસીડ–ની ખામી તરીકે એળખે છે.
વીટામીન C (Ascorbic Acid) આ વીટાંમીન - તાજી લીલી ભાજી, તાજા ક્ળા વગેરેમાંથી પુષ્કળ મળે છે. ખીયાં કે અનાજમાં તે પૂરતાં પ્રમાણમાં હાતું નથી; પણ તેને ઉગાડીને (કાંટા ફાડીને) તેમાં ઉત્પન્ન કરી શકાય છે. એટલે જ્યાં તાજી ભાજી કે કળા મળતા ન હોય કે પરવડતા ન હોય ત્યાં અનાજ કે કઠોળને ઉગાડીને કાચા કે સાધારણ સુધીતે ખાવાથી તે તત્ત્વ મેળવી શકાય છે. પશુઓને લીલા ચારા કે
૧૦૧
ધાસ ઉપર રાખવામાં આવે તે જ તેના દૂધ કે માંસમાં આ વીટામીન આવી શકે છે. ચેાખા, ધી, માખણ કે સાકરમાં આ વીટામીન હેતું નથી. વધુ પડતી ગરમીથી બધાં વીટામીના નાશ પામે છે, પણ આ વીટામીન C તા બહુ જલદી નાશ પામે છે. આ વીટામીન
(૧) લાહીને એક સરખુ પ્રવાહી રાખે છે અને તેના સ્રાવ અટકાવે છે.
શરીર રચનામાં ઉપયોગના ખીજા વીટામીને મદદ કરે છે..
(૨)
આ
અસ્થિ, દાંત અને માંસ પેશીઓને મજબુત બનાવે છે. સામે પ્રતિકાર કરવાની શકિત આપે છે. વીટામીનની ખામીથી પેઢામાંથી લેાહી નીકળે છે. હાડકાં અને દાંત નબળા રહે છે. શરીર ઉપર કાળા રંગના ચાઢાં પડે છે. સાંધાતા સાજો અને દુઃખાવા થઇ આવે છે. અજંપા અને અરૂચિ થાય છે. પાંડુ રાગ અને નબળા પણ આ તત્વની ખામીથી થઇ આવે છે.
(૩)
(૪)
વીટામીન D (Sunshine Vitamin)—આ વીટામીન દૂધ, માખણ, ધી, માછલીના તેલ અને ઈડામાં પુષ્કળ હાય છે. કાપરા અને કરડીના તેલમાં જુજ પ્રમાણમાં હેાય છે. ખીજા તેક્ષામાં તેના અભાવ હાય છે,
શરીર ખુલ્લું રાખી પ્રાતઃકાળમાં સુર્યના તડકામાં ક્રૂરવાથી આ વીટામીન કુદરતી રીતે આપણને મળી શકે છે. આ વીટા મીનની ખામી · ખાસ કરીને નાનાં બાળકો, બાળકાને દૂધપાન કરાવતી માતાઓ અને વૃદ્ધ 'પુરૂષામાં જાય છે. યુવાને અને સશકત માણસે કે બાળકો સુર્યના તડકામાંથી તે"મેળવી લે છે. વીજળીના Ultra Violet Rays દ્વારા માણસમાં આ વીટામીન દાખલ કરી શકાય છે. જ્યાં સૂર્યના તડકા ઓછા હાય છે, અગર તેા તડકામાં કરવાની રૂતુમાનનાં કારણે સગવડતા એછી . હાય છે, ત્યાં આ વીટામીનની ખામી ત્યાંની પ્રજામાં દેખાય છે. આ વીટામીનની ખામીથી નાના બાળકાના હાડકાં નરમ અને વળી જાય તેવા નબળા રહે છે, શરીર નબળુ` રહે છે, દાંત માડા અને ખામીવાળા આવે છે. સ્વભાવ ચીડીયા, ખેચેનીવાળા થઇ જાય છે. વૃધ્ધ માણસાના હાડકા ખેડેાળ, બટકણાં થઇ જાય છે. બાળકાના આ દર્દને Riekets, અને મેટાંના દર્દને Osteomalaeia કહેવામાં આવે છે.
વીટામીન--E પ્રજનન શકિતનું અને વીટામીન K લેાહીને જમાવી સ્રવ અટકાવવાનુ કાર્ય કરે છે. આ બધા વીટામીને માટે હજુ જોઈએ તેટલુ નિર્ણયાત્મક સ્વરૂપ નકકી થઇ શકયું નથી.
આપણા શરીરમાં બધા વીટામીનેાની જરૂર છે અને તે પુરતા પ્રમાણમાં હાય તેા જ શારીરિક કાર્ય બરાબર ચાલી શકે છે. આજે નિષ્ણાતેાએ કેટલાક બનાવટી વીટામીના કુદરતી વીટામીનની ખામી પૂરવા માટે શેાધ્યા છે. જેનેા ડાકટરોની દુનિયામાં ખૂબ ઉપયોગ થઇ રહ્યો છે-છતાં પણ જેટલું ખારાકારા કુદરતી રીતે મળતું વીટામીન શરીરને ઉપયોગી બને છે તેટલું બહારનુ નથી બનતું.
ખારાક સંબધી આટલા વિસ્તીર્ણે વિચાર કર્યાં પછી એમ તા સમજી શકાય છે કે અતિ ખર્ચાળ, સ્વાદુ કે મિષ્ટ ભાજને જ આપણા જીવન માટે ઉપયેગના અને કીમતી છે અને સસ્તા અને સાદે ખોરાક ખપવગરના, ઉતરતા અને વૈદકીય દૃષ્ટિએ નિર્માલ્ય છે એમ એકાંતિક દૃષ્ટિએ માનવુ યોગ્ય નથી ખોરાકની કીમત તેમાં સમાયેલાં ઘટ્ટા તત્ત્વા ઉપર અને ખારાકના હેતુ પૂણૅ કરવાની શકિત ઉપર જ અવલંબે છે.